Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૪) પરિગ્રહસંશા : – બધું ભેગું કરવું અને તેની ઉપર મૂર્છા કરવી તે. તે લોભમોહનીય કર્મના ઉદયથી થાય છે. તાંતણાથી વાડને વીંટનારી વેલડીની જેમ.
(૫)
ક્રોધસંશા :- ગુસ્સો કરવો તે. તે ક્રોધમોહનીય કર્મના ઉદયથી થાય છે. કૂવામાંથી ખેંચનારા તરફ દોડનારા પારદની જેમ. (૬) માનસંજ્ઞા :- અભિમાન કરવું તે. તે માનમોહનીય કર્મના ઉદયથી થાય છે. હુંકારા કરતાં કોકનદ(રાતા કમળ)ના કંદની જેમ. (૭) માયાસંશા ઃ- માયા કરવી તે. તે માયામોહનીય કર્મના ઉદયથી થાય છે. પાંદડાથી ફળોને ઢાંકનારી ચીભડીની વેલડીની જેમ. લોભસંજ્ઞા :- લોભ કરવો તે. તે લોભમોહનીય કર્મના ઉદયથી થાય છે. નિધાનને મૂળીયાથી વીંટનારા બિલ્વપલાશ વગેરેની જેમ. ઓઘસંજ્ઞા :- તે જ્ઞાનના ઉપયોગરૂપ છે. જનારા લોકોના માર્ગને વર્જનારી અને વાડ વગેરે ઉપર ચઢનારી વેલડીની જેમ. (૧૦) લોકસંજ્ઞા :- તે દર્શનના ઉપયોગરૂપ છે. સૂર્યોદયથી વિકસતાં કમળ વગેરેની જેમ.
(૮)
(૯)
(૧૧) સુખસંજ્ઞા તે સાતાના અનુભવરૂપ છે. તે અસાતાના અનુભવરૂપ છે.
(૧૨) દુઃખસંજ્ઞા :
(૧૩) મોહસંશા :- તે મિથ્યાદર્શનરૂપ છે. સૂર્ય તરફ હાથ જોડનારી ઔષધિની જેમ.
(૧૪) વિચિકિત્સાસંજ્ઞા :- તે મનના ડામાડોળપણા (ચંચળતા) રૂપ છે. અશુચિના સ્પર્શથી કે દષ્ટિદોષથી મુરઝાઈ જનારી વેલડીની જેમ. (૧૫) શોકસંજ્ઞા :- શોક કરવો તે. તે શોકમોહનીયકર્મના ઉદયથી થાય છે. આંસું પાડનારી રડતી વેલડીની જેમ.
(૧)
-
0 3 પ્રકારના ગારવો જ
ઋદ્ધિગારવ :- ‘મારા વસ્ત્ર-પાત્રા-આસન-ઉપકરણ સુંદર છે, આ મારો વૈભવ છે, હું ઘણા લોકોનો નેતા છું.' - એ પ્રમાણે ગૌરવ કરવો તે ઋદ્ધિગારવ.
૩ પ્રકારના ગારવો
...<3...