Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૧૫) કપિત્થ :- પહેરેલું વસ્ત્ર બગડી જવાના ભયથી કે ભમરી વગેરેના
ભયથી તેને કોઠાના ફળની જેમ ગોળ ડુચો કરીને બે જાંઘની વચ્ચે
સંકોચી રાખવું તે. (૧૬) શિરકંપ :- યક્ષાવિષ્ટની જેમ માથું હલાવવું તે. (૧૭) મૂક :- મૂંગાની જેમ “હુ, હુ અવાજ કરવો તે. (૧૮) વારુણી :- દારૂ બનતી વખતે જેમ બુડ બુડ અવાજ આવે તે
રીતે અવાજ કરતાં કાઉસ્સગ કરવો તે. (૧૯) પ્રેક્ષા :- વાંદરાની જેમ હોઠ હલાવવા તે.
૧૭ પ્રકારના મરણ જ આવીચિમરણ :- પ્રતિસમય આયુષ્યકર્મના દલિકોનો ક્ષય થવો તે
આવી ચિમરણ. (૨) અવધિમરણ:- આયુષ્યકર્મના જે દલિકોને અનુભવીને એકવાર કર્યો
હોય તે જ દલિકોને અનુભવીને ફરી મરે તો એ અવધિમરણ છે. આત્યંતિકમરણ - નરક વગેરે આયુષ્યના જે દલિતોને અનુભવીને મરે ફરીવાર તે જ દલિકોને અનુભવીને મરવાનું ન હોય તો એ આત્યંતિકમરણ છે. બલાકામરણ :- સંયમયોગોમાં સીદાતાનું મરણ તે બલાકામરણ. વશર્તમરણ - ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયેલાનું મરણ તે વશાર્તમરણ. સશલ્યમરણ :- પ્રાયશ્ચિત્ત વિનાના જીવનું મરણ તે સશલ્યમરણ. તભવમરણ :- મરીને ફરી તેવા ભવમાં મરવું તે તદ્ભવમરણ. અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્યો – તિર્યંચો, દેવી, નારકીઓ
સિવાયના કેટલાક શેષ મનુષ્યો – તિર્યંચોને આ મરણ હોય છે. (૮) બાલમરણ :- અવિરતનું મરણ તે બાલમરણ. (૯) પંડિતમરણ :- વિરતિધરનું મરણ તે પંડિતમરણ. (૧૦) મિશ્રમરણ :- દેશવિરતનું મરણ તે મિશ્રમરણ.
(૩)
(૪).
(૬)
સશ
.૯૮..
૧૭ પ્રકારના મરણ