Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૨)
(૩)
(૧૫) પંદરમી છત્રીશી
૧૨ ઉપયોગને જાણનારા
૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્ત આપવામાં હોંશિયાર ૧૪ પ્રકારના ઉપકરણને ધારણ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૧૨ ઉપયોગ ૨
૧૨ ઉપયોગ
૫ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૪ દર્શન. ૫ જ્ઞાન – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. ૩ અજ્ઞાન - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન.
૪ દર્શન - ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. ૫ જ્ઞાન અને ૩ અજ્ઞાન = ૮ સાકારોપયોગ. દર્શન = ૪ અનાકારોપયોગ.
વસ્તુનો વિશેષ બોધ તે જ્ઞાન.
સમ્યગ્દષ્ટિના વિશેષ બોધને જ્ઞાન કહેવાય છે.
=
મિથ્યાટષ્ટિના વિશેષ બોધને અજ્ઞાન કહેવાય છે.
વસ્તુનો સામાન્ય બોધ તે દર્શન.
પાંચ જ્ઞાનનું સ્વરૂપ આગળ (પાના નં.૧૨૮ થી ૧૩૨ ઉપર) બતાવાશે. ત્રણ અજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) મતિઅજ્ઞાન :- મિથ્યાદષ્ટિને પાંચ ઈન્દ્રિયો અને મનથી થતો વિશેષ બોધ તે મતિઅજ્ઞાન.
...90...
શ્રુત અજ્ઞાન :- મિથ્યાદષ્ટિને શ્રુતના આલંબનથી થતો વિશેષ બોધ તે શ્રુતઅજ્ઞાન.
વિભંગજ્ઞાન :- મિથ્યાષ્ટિને થતો અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો વિશેષ બોધ તે વિભંગજ્ઞાન.
ચાર દર્શનનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) ચક્ષુદર્શન :- આંખથી થતો સામાન્ય બોધ તે ચક્ષુદર્શન.
૧૨ ઉપયોગ