Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૪) અપવીડક :- લજ્જાથી જે પોતાના દોષો છુપાવતો હોય તેની લજ્જા
દૂર કરાવી બધી આલોચના કરાવે તે.
પ્રકુર્તી - આલોચકે આલોચના કર્યા પછી જે તેની શુદ્ધિ કરાવે તે. (૬) અપરિસ્ત્રાવી - આલોચના કરનારના દોષો બીજાને ન કહે તે. (૭) નિયમક :- પ્રાયશ્ચિત્તથી પાર ઉતારે છે, એટલે કે આલોચકમાં
જેવું સામર્થ્ય હોય તેને અનુસારે પ્રાયશ્ચિત્ત આપે છે. (૮) અપાયદર્શી - આલોચના નહીં કરવાથી આલોક-પરલોકમાં થતાં અપાયો બતાવી આલોચના કરાવે તે.
જી ૪ પ્રકારની બુદ્ધિ જ (૧) ઓત્પાતિકી બુદ્ધિઃ- જેનાથી પૂર્વે નહીં જાણેલી, નહીં જોયેલી વસ્તુને
વિશુદ્ધ રીતે સમજી શકે તે ઔત્પાતિકી બુદ્ધિ. દા.ત. રોહક વગેરેની
બુદ્ધિ.
વૈનચિકી બુદ્ધિ :- ગુરુ વગેરેનો વિનય કરતાં કરતાં ઉત્પન્ન થતી
બુદ્ધિ તે વૈનયિકી બુદ્ધિ. દા.ત. નિમિરિયા વગેરેની બુદ્ધિ. (૩) કાર્મિકી બુદ્ધિ :- કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થતી બુદ્ધિ તે કાર્મિકી
બુદ્ધિ. દા.ત. સોની વગેરેની બુદ્ધિ. (૪) પારિણામિકી બુદ્ધિ - વયના પરિપાકથી થતી બુદ્ધિ તે પારિણામિકી
બુદ્ધિ. દા.ત. અભયકુમારની બુદ્ધિ.
2 ખિન્નતાથી બુદ્ધિ, મગજ અને શરીરના તમામ અવયવો શિથિલ અને
બેચેન બની જાય છે, માટે હંમેશા ખુશમિજાજમાં પ્રસન્નતાના
વાતાવરણમાં રહેવું a તિરસ્કાર કરવો એ તીર મારવા બરાબર છે.
૮ પ્રકારની બુદ્ધિ
૪૩...