________________
શિલ્પીઓ, સાધુઓ ઇત્યાદિ ઈગ્લેન્ડમાં નવી સંસ્કૃતિનાં બીજ લાવ્યા એકંદરે નર્મના આગમનથી ઇંગ્લેન્ડને લાભ જ થયા છે. - વિલિયમ બીજો ૧૦૮૭–૧૧૦૦. વિલિયમ બીજાને “રક્તકેશી'નું ઉપનામ મળેલું છે. તે તેના પિતાના જે પરાક્રમી હતું, પણ પૈસાને લેભી હતો. તેના વખતમાં ર્કોટલેન્ડને રાજા ઇંગ્લેન્ડ પર ચઢી આવ્યો, તેને તેણે મારી હઠાવ્યું. તેણે વેલ્સને દક્ષિણ ભાગ જીતી લીધે, અને ઉત્તર ભાગ જીતવાન ઘણું પ્રયત્ન કર્યા. પરંતુ જ્યારે તે ફાવ્યો નહિ ત્યારે તેણે
લેકને એવી છૂટ આપી, કે વેલ્સના લેક પાસેથી કેઈ જે કંઈ લે તે પોતેજ રાખે. ઝેડ (ધર્મયુદ્ધ)માં જવા માટે રોબર્ટને પૈસા જોઈતા હતા, તે તેણે નોર્મડી કબજે રાખીને આપ્યા. જો કે તેણે રાજ્યની વૃદ્ધિ કરી, પણ તેણે પ્રજાને બહુ ત્રાસ આપે. કંચૂડલ ધારાનો લાભ લઈ તેણે હર બહાને લોક પાસેથી પૈસા કઢાવ્યા. તેનામાં દ્રવ્યલોભ હતા, તેનું ચારિત્ર્ય ભ્રષ્ટ હતું, અને તેનું જીવન વિષયી હતું; તેથી તે “ઈશ્વરને અપ્રિય અને મનુષ્યના તિરસ્કારને પાત્રમાં થઈ પડે હતો.
હેનરી ૧ઃ ૧૧૦૦-૧૧૩૫. “રક્તકેશીના
મરણ પછી રોબર્ટની ગેરહાજરીને લાભ લઈ તેને ધર્મદ્ધને સૈનિક નાનો ભાઈ હેનરી ગાદીએ બેઠે. પાછળથી રોબર્ટ
૧. પેલેસ્ટાઈન ભગવાન ઈસુની મૃત્યુભૂમિ હોવાથી ખ્રિસ્તી લોકેનું પવિત્ર ધામ છે. જુના વખતમાં જ્યારે તે આરબ લોકેના તાબામાં હતું, ત્યારે ખ્રિસ્તી યાત્રાળુઓ સુખેથી આવજા કરી શકતા. પરંતુ તુર્ક લોકોએ એ પ્રાન્ત જીતી લીધું. તે પછી યાત્રાળુઓને બહુ દુઃખ પડવા લાગ્યું, એટલે એક ધર્માચાર્યો સર્વ શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓએ ધર્મની રક્ષા માટે પ્રાણાન્ત સુધી લડવું એ આદેશ કર્યો, અને તેને પરિણામે મુસલમાનો અને ખ્રિસ્તીઓ વચ્ચે જે ધર્મયુદ્ધો થયાં, તે “કુંડ'ને નામે ઓળખાયાં દુઝેડ શા માટે કહેવાતું હશે, તે તમે ખાળી શકશે?