________________
દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. બેલિવું અહંકાર ન કરે; અને જે કૃત્યો પોતે કરે નહિ, તે બીજા પાસે કરાવવાં નહિ કે તેને અનુમોદન પણ નહિ આપવું.”
ઉપર પ્રમાણેના આચારો જૈન સાધુઓ માટે હમણાં પણ પ્રચલિત દોવાથી તેને ઉપદેશકર્ત, તેના પહેલા અનુયાયી–જે રૂષભદેવ હતા, તેમણે એ આચારો ઘણી જ દ્રઢતાથી પાળ્યાં હશે એમાં શું નવાઇ છે ! રૂષભદેવ પણ સાધુ થયા પછી એવા આચારો પાળવા લાગ્યા, તેમની સાથેના ચાર હજાર સાધુઓએ પણ તેજ આચાર કેટલાક વખત સુધી પાળ્યા; એક વખત એમ બન્યું કે રૂષભદેવજીને એક વર્ષ સુધી ભિક્ષા ન મળી; તે વખતે પેલા ચાર હજાર પુરૂષોએ, પોતે ભૂખે મરવાથી જનસાધુધર્મ છોડી, જટાધારી બની, કંદ, મૂળ, ફુલ, પવ, આહાર કર્યો અને ગંગા કિનારે તાપસ બની રહેવા લાગ્યા, અને રૂષભદેવજીનું ધ્યાન તથા જપ, બ્રહ્મા, ઈશ્વર, આદીશ્વર વગેરે શબ્દથી કરવા લાગ્યા.
સાધુઓથી કોઈ પાસે કઈ ચીજ ન મગાય, અને જ્યારે કોઈને ખબર ન હોય, કે એ ભાગશે નહિ તેથી એને જરૂરની ચીજ આપવી જોઈએ, ત્યારે કેવાં પરિણામ આવે તે આપણને ઉપલી તાપસની ઉત્પત્તિમાં માલમ પડે છે. પેટની વેઠ અસલથી જ એવી ચાલી આવેલી છે કે માણસે ખાવાનું નહિ મળે ત્યારે એ પેટ માટે, પિતાને ધર્મ, ફરજ, આબરૂ અને પ્રેમ બધુ ભૂલી જઇ પેટને પેહલાંજ યાદ કરે છે, જે પેટ કરતાં ફરજ કે ધર્મને પહેલાં યાદ કરે છે, તેવા તો કોઈ કવચિત-અપવાદ રૂપે જ હોય છે, રૂષભદેવજીના શિષ્યો તાપસ બન્યા ને રૂષભદેવજીને એક વર્ષ ભિક્ષા ન મળી, તે છતાં પણ તે વખતની કાયા અને આયુખે આ વખત કરતાં હજારે ઘણી વધારે હોવાથી એ બન્યું કેય, એમ માનવામાં કાંઈ પણ ખોટું નથી. છ છ મહિના સુધી કાંઈ પણ ખાવા પીધા વગર ઉંધમાં પડી રહેતાં માણસ જીવતાં રહે છે, એ આપણે આજે નવાઈ તરીકે જાણતા નથી; છ છ મહિનાના અપવા વિષે આપણે કેટલેક ઠેકાણેથી હમણું પણ સાંભળીએ છીએ, તો તે વખતમાં-રડે વર્ષ ઉપર-એક વર્ષ સુધી રૂષભદેવ આહાર પાણી વગર રહ્યા છે, એમાં કાંઈ અસંભવિત નથી; ઇસખ્રિસ્તા-ખ્રિસ્તીઓનો મહાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com