________________
૧૮૦
ખંડ બીજો પ્રકરણ ૪ થું.
( ૫ ) કાળ૮૦૫-કાળને આસ્તિકાય કહેવામાં નથી આવતો પણ દ્રવ્ય કહેવામાં આવે છે. કાળ એ કાંઈ પદાર્થ નથી, પણ સવે દ્રવ્યને નવાજુનાં કરનાર હોવાથી એને દ્રવ્ય કહેવામાં આવે છે, અને પ્રથમ સમયનો નાશ થાય અને બીજો સમય આવે, તે માટે કાળને દ્રવ્ય કહેવામાં આવે છે. વળી કાળ દ્રવ્યમાં એક સમયથી બીજે સમય ન હોવાથી પણ, એને આસ્તિકાય કહેવામાં નથી આવતો. એ અરૂપી છે.
પુણ્યતત્વ
પુણ્ય એટલે શુભ પ્રકૃતિથી જે પોતે કરેલાં કર્મ, જીવોને સુખ આપે છે તે. પુણ્યનું ઉપાર્જન નીચલાં નવ કારણોથી થાય છે –
( ૧ ) પાત્રને અન્નદાન આપવાથી, (૨) પાત્રને પીવાને જળ આપવાથી, (૩) પાત્રને પહેરવાનું વસ્ત્ર આપવાથી, (૪) પાત્રને રહેવાને સ્થાન આપવાથી, (૫) પાત્રને સુવા બેસવાને આસન આપવાથી, (૬) ગુણી જનને દેખી મનમાં આનંદ પામવાથી, ( ૭ ) ગુણી જનોના વચનની પ્રસંશા કરવાથી, ( ૮) ગુણી જનેની કાયાથી સેવા કરવાથી, (૮) ગુણ જનને નમવાથી.
જૈન મતમાં પણ ઉપાર્જન કરવા માટે દાન આપવાનું જણાવવામાં આવ્યું છે એ, પુણ્યના ૯ પ્રકારમાં ના પહેલા પાંચ પ્રકારથી સહજ સમજાશે. વળી એ દાન ફકત જૈનને જ કરવું, એમ જિન શાસ્ત્રમાં જણાવવામાં નથી આવ્યું, પણ દરેક દાન દેવા યોગ્ય પ્રાણીને પછી તે ગમે તે મતને હેય તે પણ શું આપવા જણાવવામાં આવ્યું છે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com