________________
૧૭
દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ. એજ જવાનું છે. જૈન ધર્મના જ્ઞાન ભંડારને, સે લેકના હુમલા વખતે, મુસલમાન અને બ્રાહ્મણની ચડતી વખતે અને ઘણીક વખતે પોતાનાં પુસ્તક બીજાઓને જોવા નહિ દેવાની જિનેની લાલસાથી, મેટી સંખ્યામાં નાશ થયે હેવાથી, તેમનું મોટું સાહિત્ય અને તેમના ઈતિહાસને લગતી ઘણીક બીના સદાને માટે ગુમ થઈ ગયેલી હોવાથી, અને અન્ય લોકો તરફથી પ્રાચિન જૈન સાહિત્યની ખેાળ માટે પ્રયાસ લેવામાં નહિ આવ્યાયી, જૈનને લગતી ઘણીક બીના લોકોના જાણવામાં નથી આવી, અને તે કારણે જેનો ઉપર અને તેમના ધર્મ ઉપર ધણાંક ચુંઠણ પડ્યાં છે, પણ આપણે તે ઉપર વધુ વિચાર ન કરતાં, જૈનધર્મનાં તો કેવાં છે અને જનધર્મના સ્થાપક શ્રી રૂષભદેવનો ધર્મ કેવો હતો, તે વિષેને હવે જલદી વિચાર કરીશું.
જ્ઞાનમાં પેસે વાપરી જ્ઞાનોદ્ધાર કરવાની જેની ફરજ
–
–
જૈનધર્મનું મૂળ સ્વરૂપ જાણવા માટે, જે માણસને જ્ઞાન ઉપર લક્ષ થાય, તે માણસ થોડા વખતમાં આ ભવસમુદ્ર તરી જશે, એવું શાસ્ત્રોમાં વાંચવામાં આવે છે તેનાં કારણમાં મુખ્ય કારણ એ છે કે, કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે મુખ્ય સાધન શ્રુતજ્ઞાન હોવાથી, તે તરફ ભવી જીવનું લક્ષ ખેંચાવું જોઈએ. “જ્ઞાન ભણવાથી, જ્ઞાન ભણાવવાથી, જ્ઞાન જાણવાથી, જ્ઞાનને પાઠ કરવાથી, જ્ઞાનનાં ઉપગરણે અથવા પુસ્તકને વિનય કરવાથી, પુસ્તકે લખાવવાથી, વિદ્યાશાળાઓ કાઢવાથી, શ્રાવકોને ભણાવવાથી, અને તન, મન, અને ધનની જે પ્રકારની શકિત હોય તે પ્રમાણે જ્ઞાનની વૃદ્ધિ થાય, એવા પ્રવર્તન કરવાથી, જ્ઞાનાવણું કર્મને ક્ષપસમ થાયછે, ને જ્ઞાન પ્રગટ થાય છે.”
એ ઉપરથી જણાશે કે જેને જ્ઞાન માટે કેટલું બધું કરવાનું . જ્ઞાન વગરના મનુષ્યોને આખો છતાં અંધા કહેવામાં આવેછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com