________________
ઉપર
ખંડ બીજે-પ્રકરણ ૨ જુ. (૧૭) કોઇ પણ ચીજ જે આપણે દુનિયામાં જોઈએ છીએ, તેને ક જેમ કેઈ માણસ હોય છે, તેમ આ સૃષ્ટિને
કર્તા ઈશ્વર જ જોઈએ, એમ માનવાથી
પણ ઈશ્વર સૃષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી. જે કોઈ એમ કહે કે, દુનિયામાં જતી દરેક ચીજનો જેમ કઈ કર્તા હોય છે, તેમ ચંદ્ર, સૂર્ય, આકાશ, વાયુ વગેરેને પણ કર્તા હેજ જોઈએ, તો તેમાં પણ દેશમાં આવે છે, કેમકે જેમ ચંદ્ર, સૂર્યનો કોઈ કર્તા હેય તેમ, તે કતાનો પણ કર્તા હેવેજ જોઈએ, તેથી ઈશ્વરને કોણે બનાવ્યા, એ સવાલ ઉત્પન્ન થશે. જો એ પ્રશ્નને એમ જવાબ આપવામાં આવશે, કે ઈશ્વરને તે કોઈએ પણ બનાવ્યા નથી, અને તેને અનાદિ છે, તે એમ માનીએ કે પૃથ્વી, પાણી વગેરે કેટલાક પદાથો પણ અનાદિ છે, તો તેમાં કોઈ પણ દેષ નજરે પડતો નથી. આથી પણ ઈશ્વર સષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી.
જે કોઈ એમ માને કે ઈશ્વરે પ્રથમ સષ્ટિ રચી, સ્ત્રી પુરૂષને માતા પિતા વગર પેદા કર્યા, અને તે પછી મનુષ્ય ગર્ભથી ઉત્પન્ન થવા લાગ્યાં, તે તે પણ પ્રમાણુરહિત છે, કેમકે માતા પિતા વગર કદાપિ પુત્ર ઉત્પન્ન થતા નથી એ પ્રત્યક્ષ છે. જો એમ ધારીએ કે, ઈશ્વરે પ્રથમ માતા પિતા વગર સ્ત્રી, પુરૂષ ઉત્પન્ન કર્યા હતાં, તે ઈશ્વર હમણું પણ સર્વ શક્તિમાન હવાથી એવાં જ સ્ત્રી પુરૂષો કેમ ઉત્પન્ન કરતા નથી ? શા માટે તે સ્ત્રી પુરૂષને મૈથુન કરાવે છે. સ્ત્રીને ગર્ભ ધારણ કરાવે છે અને સ્ત્રીને ગર્ભવાસનાં દુઃખ દે છે ? ઈશ્વરને કદીપણ થાક લાગતે નથી કેમકે તે સર્વ શકિતમાન છે, તો હમણું પણ તે એમને એમ સ્ત્રી પુરૂષે દુનિયામાં કેમ ન મેકલે ? આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઈશ્વર કર્તા નથી અને તેથી, તે સષ્ટિકર્તા પણ સિદ્ધ થઈ શકતા નથી.
| ઉપલાં પ્રમાણેથો, એ બાબત સિદ્ધ થાય છે કે સૃષ્ટિ કર્તા ઇશ્વર નથી, એ છતાં પણ જે અજ્ઞાન છો, કદાગ્રહથો, અહંકારથી, અસત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com