________________
દુનિયાને સેથી પ્રાચિન ધ.
૧૧૬ પરમેશ્વર સર્વ હોવાથી તેના જ્ઞાનથી તેને સર્વ વસ્તુના ભાસ થાય છે. હવે જો પરમેશ્વરમાં જુગુપ્સા હૈય, તે તેમને દુઃખ થાય અને તેથી પરમેશ્વર દુઃખી થાય છે એમ સિદ્ધ થાય છે. પણ જેને દુખ હોય તે પરમેશ્વર હોઈ શકે નહિ, એ અગાડી સાબીત કરવામાં આવ્યું છે, જેથી એ પણ સિદ્ધ થયું કે પરમેશ્વરને જુગુપ્સા નથી.
( ૧૧ ) શેક.
શેક તેને થાય છે કે જેને દુઃખ હેય છે; પરમેશ્વરને દુઃખ થઇ શકે નહિ. એ અગાડી જણાવવામાં આવ્યું છે, જે દુ:ખ ન હોયતો શોક પણ નહિ હોય, અને તે કારણે પરમેશ્વરને શોક નથી એ સિાહ થાય છે.
( ૧૨ ) કામ.
કામ એટલે સ્ત્રી, પુરૂષ અને નપુંસક એ ત્રણેને વેદ વિકાર, પરમેશ્વરમાં કામ હોય તેને પરમેશ્વર કેમ કહેવાય ? કોઈપણ બુદ્ધિભાન પુરૂષ, કામ વિકાર જેમાં હોય તેને કદી પણ પરમેશ્વર કહેશે નહિ. કેમકે જો તેનામાં કામ હોય, તો હજી તેણે પણ બધું સુખ મેળવ્યું નથી એ નકકી થયું, અને જેને બધું સુખ મળ્યું તે ઇશ્વર કેમ કહેવાય ? એ પરથી એ સિદ્ધ થાય છે કે પરમેશ્વરમાં કામ નથી.
(૧૩) મિથ્યાત્વ.
મિથ્યાત્વ એટલે દર્શનનો મેહ. જે ઇશ્વરને કોઇપણ જાતને મેહ હોય તે કદી ઈશ્વર જ કહેવાય નહિ, એ અગાડી જણાવવામાં આવ્યું છે. પરમેશ્વરમાં મોહ નહિ હોવાથી તેનામાં મિથ્યાત્વ પણ હેજ નહિ, એ આ ઉપરથી સિદ્ધ થાય છે.
(૧૪) અજ્ઞાન.
અજ્ઞાન એટલે જ્ઞાન નહિ તે. જે મૂઢ, અથવા સાનરહિત હોય તે કદી ઈશ્વર કહેવાય નહિ અને તેથી, ઈશ્વર અજ્ઞાનરહિત અથવા જ્ઞાનસાહત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com