________________
દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ.
૧૩૭
એક નરવાસી વિશ્વના, ઉચું જે આકાશ, ત્યાં ગેળા જે તેજના, જળહળ જેત પ્રકાશ. પૂરૂં અચરજ પામીને, વળી વળી ખુબ વિચાર, તું તેના કરનારને, પ્રજ પર ધરી પ્યાર. સર્વ શક્તિના સ્વામિનાં, અદભૂત કામ અપાર, એ એમાંનું એક છે, ચમત્કાર કરનાર.
પરમેશ્વર જગતના અને તે અંદર રહેલી દરેકે દરેક ચીજના, સુખ અને દુઃખના આંધળા અને લૂલાના અને સર્વે સારી કે ખરાબ દરેક ચીજના બનાવનાર છે, એવું અન્ય ધર્મીએ કે જેમનાં નામ અગાડી આપવામાં આવ્યાં છે તેમનું માનવું છે, એ આ ઉપરથી જણાય છે, પણ જૈનો તે રીતે નથી માનતા અને તેનાં ઘણાં કારણે છે.
એ કારણે પર વિચાર કરતા પહેલાં જગતમાં જે બે મત મનાય છે તે તપાસીશું.
| વેદાંત ધર્મને માનનારા, ઈસુ ખ્રિસ્તના ધર્મને અંગીકાર કરનારા, થાહુદી ધર્મને ઈશ્વર પ્રણીત ધર્મ તરીકે ઓળખાવનારા, અને મહમદ પગબરે ઉપદેશેલા મુસલમાન ધર્મવાળાઓ એમ માને છે કે, જગત ઉત્પત્તિ પહેલાં એકજ ઈશ્વર હતા, અને જગતનાં ઉપાદાનાદિ કોઈ પણ કારણ અથવા બીજી વસ્તુ નહતી.
હમણુના વેદ વગેરે શાસ્ત્રોમાં એ સંબંધમાં ઘણું વાક નજરે પડે છે, તેમાંના કેટલાંક નીચે આપ્યાં છે –
एतस्मादात्मन आकाशः संभूतः आकाशाद्वायुः वायोरग्निरग्नेरापः अभ्यः पृथिव्या ओषधयः ओषधिभ्यानमन्नाद्रेतः रेतसः पुरुषः सवाएष पुरुषोमरसमयः
(તૈિત્તિરિય શાખાની યુતિ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com