________________
દુનિયાને સેિથી પ્રાચિન ધર્મ ૪૦ (૧૩) જીવ સર્વે અજ્ઞાની હેઇ, સર્વજ્ઞ ઈશ્વરની પ્રેરણાથી પાત પોતાના કામમાં પ્રવર્તે છે એમ માનવાથી પણ ઇશ્વર
સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. જે આપણે એમ માનીએ, કે દુનિયામાંના સર્વે અજ્ઞાની છે અને તેઓ સર્વજ્ઞ ઈશ્વરની આજ્ઞાનુસાર દરેક કાર્યમાં પ્રવર્તે છે, તે તેમાં પણ દેશમાં આવે છે કેમકે, ( ૧ ) જે ઈશ્વર સર્વ પદાર્થના જ્ઞાતા સિદ્ધ થાય, તો પોતે પોતાની મરજીથી જ દરેક કાર્યમાં પ્રવર્તે છે એમ સિદ્ધ થાય અને (૨) જે અન્યની પ્રેરણા વગર ઈશ્વર પોતે જ દરેક કાર્ય કરે છે એમ સિદ્ધ થાય તો ઈશ્વર સર્વ પદાર્થના જાણનારા સર્વ સિદ્ધ થાય. અને તેથી આ બેમાંથી એ સિદ્ધ થાય નહિ ત્યાં સુધી, બીજાની પણ સિદ્ધિ થાય નહિ અને તેમાં તરેતર દૂષણ આવે.
વળી જે ઇશ્વરને સર્વ માનીએ તે તરતઃ સવાલ ઉઠશે કે શા માટે તે સર્વ ઈશ્વર જીવોને અસત વહેવારમાં પ્રવર્તાવે છે ? ઈશ્વર અને સર્વ તો વિવેકી જ હેય, તેથી તે અસત વહેવારમાં કેઇને પ્રવર્તાવેજ નહિઆથી જે અસત વહેવારમાં જીવોને પ્રવર્તાવે, તે અજ્ઞાન સિધ્ધ થયા. અને. તેથી ઇશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી.
જે એમ માનીએ, કે ઈશ્વર તો સર્વ જીવોને સારાં કર્મ કરવામાં પ્રવર્તાવે છે, અને તેથી ઈશ્વર સર્વજ્ઞ છે અને સર્વ અધમ ને તે નમાં નાંખી શિક્ષા કરે છે, તેથી તે વિવેકી છે, તો તેમાં પણ ઘણુ આવે છે કેમકે, પાપમાં પ્રવૃત્તિ કરાવનારે ઈશ્વર વગર બીજો કોણ હેય, કેમકે જીવ તે અજ્ઞાની હોવાથી પોતે કોઈ પણ ચીજ નથી કરી શકતો એમ આપણે પહેલાંથી જ ધાર્યું છે. જે ઈશ્વર પાપમાં પ્રવર્તાવી પછી. જીવોને નાકમાં નાખે, તો ઈશ્વરને મહા નિર્દય માનવો જોઈએ, પણ ઇશ્વર નિર્દય તે છેજ નહિ, અને તેથી ઈશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી.
જે એમ માનીએ કે, ઈશ્વર જીવને પાપમાં પ્રવર્તે છે અને તેથી શ્વર તેના કર્મ પ્રમાણે તેને શિક્ષા કરે છે, તે તે પણ પ્રમાણુ વગરનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com