________________
પર
ખંડ પહેલે-પ્રકરણ ૨.
બાકીના ત્રણ સિંહાસન ઉપર શ્રી રૂયભદેવ ભગવાનના ત્રણ સશબિં બોની સ્થાપના કરી, જે બિંબને દેખવાથી તે દરવાજેથી આવનારા સર્વ માણસે શ્રી આદિદેવને તેમની બાજુએ દેખતા; આ કારણથી ચાર મુખવાળા શ્રી રૂષભદેવજી જગતમાં બ્રહ્માને નામે પ્રસિદ્ધ થયા, ધનંજય શમાં શ્રી રૂષભદેવજીનું નામ બ્રહ્મા આપવામાં આવ્યું છે.
રાણુંજય અને પુંડરીકગીરિ.
જ્યારે શ્રી રૂષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે શ્રી ભરતરાજા તે વાત સાંભળી, ભગવાનને વંદન કરવા માટે અને તેમનો ઉપદેશ થવણુ કરવા માટે ગયા. ભગવાનની વાણી ઘણું જ સરળ અને રસવાળી હતી, જેથી લોકો ઉપર ઘણી જ સારી અસર થઈ. ભગવાનને ઉપદેશ દુનિયાં કેવી અસાર હતી તે બતાવનારો હતો. શ્રી રૂષભદેવ ભગવાનના ઉપદેશ સાંભળીને ભારતના પાંચ પુત્રો અને સાત પિત્રને અને બ્રાહી તથા બીજી અનેક સ્ત્રીઓને દુનિયાં અસાર લાગતાં, તેઓએ રૂષભદેવ પાસે દિક્ષા લીધી. ભારતના સૈથી મોટા પુત્રનું નામ પુંડરીક હતું તે સેરઠ દેશમાં શત્રુજ્ય તીર્થના ડુંગર ઉપર આ દુનિયાની માયાને ત્યાગ કરી અણસણુ કરી મેક્ષ પામ્યા અને તે કારણથી શેનું જયને ડુંગરનું બીજું નામ પુંડરીકગીરિ પડયું.
સુંદરીની દિક્ષા
--- -- ભરત મહારાજને રાજ્ય કરતાં સાઠ હજાર વરસ થઈ ગયાં, તે દરમ્યાનમાં તેમણે પૃથ્વી પરના છ ખંડ સાંધ્યા અને પિતાનું રાજ્ય વધાર્યું. તેમની નજર એક વખત બાહુબળ સાથે જન્મેલી સુંદરી કુંવરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com