________________
ખંડ પહેલે–પ્રકરણ ૪. ભરત ચકીને નિર્વાણ
-
ઉ
–
કાળની ગતિ જેમ અકળ છે તેમ એનાં કામ પણ અકળ છે. જે ચકી પોતાના પિતા અને દેવના દુઃખે દુઃખી થઈ, આંસુ પાડતાં મેહલમાં દાખલ થયા હતા, તેજ ચક્રી મેહલમાં જઇ કોડા સુખમાં લીન થયા અને તે સુખમાં રૂષભદેવના મેક્ષ પછી પાંચ લાખ પૂર્વ નિર્ગમન કર્યા.
એક દિવસ ભરતરાજા નાન કરી, શરીરને આભૂષણોથી શણગારી એક મેટા અરસામાં પિતાના શરીરનું રૂપ જોતા હતા. એ વખતે અજાણતાં મહારાજાના હાથની એક આંગળીમાંથી મુદ્રિકા ભૂમિપર પડી ગઈ. કેટલીક વખતે મહારાજાની નજર તે આંગળી ઉપર પડતાં તેમણે પૃથ્વી ઉપર પડેલી મુદ્રિકા શોધી કહાડી અને પછી વિચાર કરવા લાગ્યા કે, જે આ એક મુદ્રિકા વગર શરીર શોભા વગરનું દેખાતું હતું, તો મારા શરીરના બીજાં બધાં આભૂષણે કહાડી લેવામાં આવે તો શરીર કેવું દેખાશે ? એ વિચારથી ભરતરાજાએ પોતાનાં બધાં આભૂષણો ઉતારવા માંડ્યાં.
મસ્તક ઉપરથી મુગટ ઉતારતાં મસ્તક, રત્ન વિનાની વીંટી જેવુ દેખાવા લાગ્યું. કાન ઉપરથી કુંડળ ઉતારતાં બંને કાને, સૂર્ય ચંદ્ર વિનાની એવી પૂર્વ અને પશ્ચિમ દિશા લાગે, તેવા દેખાવા લાગ્યાઃ હાર ઉતારતાં વક્ષસ્થળ તારા વિનાના આકાશ જેવું શુન્ય લાગવા માંડયું; અને એ જ રીતે જુદા જુદા અવયવો ઉપરથી આભૂષણ ઉતારતાં, તે અવયવોના દેખાવમાં ફરક પડી ગયો. પોતાનું આભૂષણ વગરનું શરીર જોતાંજ ભરતરાજા બોલી ઉઠયા; “ અહા ! આભૂષણ વગર આ શરીર પત્ર રહિત વૃક્ષની માફક કેવું દેખાય છે ? અહા ! આ શરીરને ધિક્કાર છે ! ભીંત ઉપર જેમ ચિત્ર ચિતરવાળો કૃત્રિમ શોભા થાય છે, તેમજ શરીરની પણ આભૂષણથી જ કૃત્રિમ શોભા થાય છે. જે શરીર ઉપર હજારે માણસે મરી ફીટ છે, જે શરીરને હજારો માણસે પોતાના પ્રાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com