________________
દુનિયાને સિથી પ્રાચિન ધર્મ. કરતાં વધુ ગણે છે-જે શરીર માટે હજારે માણસે પોતાનો ધર્મ એવા તૈિયાર થાય છે જે શરીરને બચાવવા માટે હજારો માણસે પોતાનાં માત, પિતા, ભાઈ ભાડું કે સ્ત્રીની પણ દરકાર કરતા નથી–જે શરીર માટે દરેક જાણે છે કે, તેનો નાશ થનાર છે જે શરીરની અંદર વિઝા અને બહાર પણ મલીનતા રહી છે, તે શરીરને શોભાવાળું કરવા માટે આ આભૂષણે શું કામનાં છે ? આભૂષણોથી શું આ શરીર અમર રહી શકે ? આભૂષણે શું આત્માનું તારણ કરશે ? ના ! ના ! આ માથા બેટી છે, તેના પર પ્રેમ રાખવામાં પાપ છે, તેનું માન કરવામાં નાશ છે, અને તેને અહંકારી કરવામાં સંસારની ભ્રમણુતા છે !”
ભરતરાજાને આવા વિચાર આવતાં જ તેમના ઘાતી કમનો ક્ષય થયે, અને તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું કેવળજ્ઞાન પ્રગટ થતાંજ ઈદ્રનું આસન કંપાયમાન થયું, અને તરત ઈમાહારાજ ભરતરાજા પાસે પધાર્યો અને કહયું; “ હે કેવળજ્ઞાની ! તમે દ્રવ્ય લિંગને સ્વીકાર કરો. એટલે તમને વંદન કરું, અને તમારા નિષ્ક્રમણ માટે ઉત્સવ કરૂં !” ભરતરાજાએ તરત તેજ વખતે પોતાના મસ્તકના કેશનો પંચ મુષ્ટિ લવ કર્યા, દેવતાઓએ આપેલા ઉપકરણે ધારણ કર્યા, અને તે પછી છે તેમને વંદન કર્યું. એજ સમયે ભરતરાજાના તાબામાં રહેલા ૧૦૦૦૦ રાજાઓએ પણ દિક્ષા લીધી. '
થોડા સમય પછી ઈદ્ર રાજાએ ભરત ચકીના પુત્ર આદિત્યયશાના રાજ્યાભિષેકને ઉત્સવ કર્યો.
રૂષભદેવના પુત્ર ભરતરાજાને આ ફેરફાર અત્યંત અચંબા ભરેલો છે . જે રાજાએ સમસ્ત પૃથ્વી જીતવા ૬૦ હજાર વર્ષે માળી તેને તાબે કરી, જે રાજાએ પોતાના રાજથી ન ધરાતાં પોતાના હ૮ ભાઈઓનાં રાજ્ય જીતવા લોભ કર્યો, જે રાજાએ પોતાના ૯૮ ભાઈઓનાં રાજ્ય લઈ લીધાં અને તેમને દુનિયા ત્યાગ કરવામાં કારણભૂત થઈ પડે, જે રાજાએ તેથી પણ ન ધરાતાં પિતાથી વધુ બળવાન બાહુબળીની પણ દરકાર ન કરતાં, તેને નમાવવા કમર કશી, જે રાજાએ બાહુબળીથી ઘણી વખત હારવા છતાં નાસીપાસ ન થતાં પોતાનો સ્વાર્થ જે દશ
૧૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com