Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દરીયાપુરી સંપ્રદાયના પંડિતરત્ન શ્રી ભાઈચંદજી મહારાજને અભિપ્રાય
રાણપુર તા. ૧૯-૧૨-૫૫ પૂજ્યપાદ જ્ઞાનપ્રવર પંડિતરત્ન પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ આદિ મુનિવરોની સેવામાં આપ સર્વ સુખ સમાધીમાં હશે.
સૂત્ર પ્રકાશનનું કામ સુંદર થઈ રહ્યું છે તે જાણું અત્યંત આનંદ, આપનાં પ્રકાશિત થયેલાં કેટલાંક સૂત્રે જયાં. સુંદર અને સરલ સિદ્ધાંતના ન્યાય ને પુષ્ટિ કરતી ટીકા પંડિતરત્નને સુપ્રિય થઈ પડે તેવી છે. સૂત્ર પ્રકાશનનું કામ ત્વરિત પૂર્ણ થાય અને ભાવિ આત્માઓને આત્મકલ્યાણ કરવામાં સાધનભૂત થાય એજ અભ્યર્થના.
લી ૫ડિતરત્ન બાળબ્રહ્મચારી પૂ. શ્રી ભાઈચંદ મહારાજની આજ્ઞાનુસાર શાન્તિમુનિના પાયવંદન સ્વીકારશે,
તા. ૧૧-૫-૫૬
વીરમગામ ગચ્છાધિપતિ પૂજ્ય મહારાજ શ્રી જ્ઞાનચંદજી મહારાજના સંપ્રદાયના આત્માર્થી, ક્રિયાપાત્ર, પંડિતરત્ન મુનિશ્રી સમરથમલજી મહારાજને અભિપ્રાય.
ખીચનથી આવેલ તા. ૧૧-૨-પદના પત્રથી ઉક્તિ
પૂજ્ય આચાર્ય ઘાસીલાલજી મહારાજના હસ્તક જે સૂત્રોનું લખાણ સુંદર અને સરળ ભાષામાં થાય છે. તે સાહિત્ય, પંડિત મુનિશ્રી સમરથલાલજી મહારાજ, સમય મળવાને કારણે સંપૂર્ણ જોઈ શક્યા નથી. છતાં જેટલું સાહિત્ય જેવું છે, તે બહુ જ સારું અને મનન સાથે લખાએલું છે. તે લખાણ શાસ્ત્ર આજ્ઞાને અનુરૂપ લાગે છે આ સાહિત્ય દરેક શ્રધ્ધાળુ જીને વાંચવા ગ્ય છે, આમાં સ્થાનકવાસી સમાજની શ્રધ્ધા, પ્રરુ૫ણા અને ફરસણાની દઢતા શાસ્ત્રાનુકૂળ છે. આચાર્ય શ્રી અપૂર્વ શ્રમ લઈ સમાજ ઉપર મહાન ઉપકાર કરે છે.
લી. કીશનલાલ પૃથ્વીરાજ માલુ
મુ. ખીચન.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧