Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/004564/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ~ यवन अवयनभाणा પ્રવચનકાર શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિશિષ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિમહારાજ सतिरोहिंदिवामनिन्जाइसगाासमियाणंचानिमारंयोगण दिवामामडासयातिवास्सयागणपगिदिन्यमवाझमाम याईबारसपागणंएवावदियारोवारमातिदियार्णबारमायरिंदियाचामलिपविदियायांवारसाममिपंजियम महाजनप्रसथाज्ञाएकवासएकदिवासनहिसिविारामाजमामयंगदिवसेउरिमिद्यनियिमयसियार विरकराणामितिमिराच्या दियादवामिनपाहवामदाबुदविविदयामंसियाणिचंबा सुयादवयापणमिामानीर पसायणसिस्किरणारगोश्यपवरणादर्विसंतिकरितंगामसामिाजमाधानंनवा संवतश्पश्चर्यकार्तिकवधि स्पलिमामामनिकालिखिनाचिरनंदवनश्रारखा॥ a Fol Private www.jainerary.org Cerational Perso Page #2 -------------------------------------------------------------------------- ________________ - યશોજીવન પ્રવચનમાળા - પ્રવચનકાર શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિશિષ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ પ્રકાશક શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ-૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ પહેલીઃ ૨૦00 મૂલ્ય: ૨૫-૦૦ નકલ: ૨૦OO વિ.સં. ૨૦૫૫: શ્રી નેમિ અર્ધશતાબ્દી વર્ષ વસંતપંચમી પ્રાપ્તિસ્થાનઃ જિતુભાઈ કાપડિયા, અજંતા પ્રિન્ટર્સ, લાભ કૉમ્પ્લેક્સ, ૧૨/બી, સત્તરતાલુકા સોસાયટી, નવજીવન, અમદાવાદ-૧ શરદભાઈ ઘોઘાવાળા, બી/૧, વી. ટી. એપાર્ટમેન્ટ, કાળાનાળા, ભાવનગર ટાઇપસેટિંગ: ઇમ્પ્રેશન્સ જુમ્મા મસ્જિદની સામે, ગાંધી રોડ, અમદાવાદ-૧ આવરણ/લેઆઉટ: અપૂર્વ આશર ઇમેજ સિસ્ટમ્સ અમદાવાદ-૬ apu@vsnl.com Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ પરમગુરુ પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી શ્રી શ્રી વિય નેમિસૂરીશ્વરજી મહારાજને - યશોગ્રન્થ શ્રેણી ભણી... ધારી... પામી પ્રસારી શ્રી સંઘે ઉપકૃત થયા તેહ સ્મૃતિમાં— પ્ર Page #5 -------------------------------------------------------------------------- ________________ ગુરુઉપકારના ઋણને યત્કિંચિત અદા કરવાના નમ્ર પ્રયાસરૂપે શ્રુતલાભ લેનારનાં નામ પૂજ્ય સાધુ-સાધ્વીજીમહારાજ તથા જ્ઞાનભંડાર માટે કોઠ જૈન મહાજન સંઘ, કોઠ. શ્રી કોકિલાબહેન નવીનભાઈ ગાંધી, આંબાવાડી, અમદાવાદ શ્રી દાનેશભાઈ વિ. શાહ, પાલ, મુંબઈ શ્રી શરદભાઈ ઘોઘાવાળા, ભાવનગર અશોકભાઈ ભીખુભાઈ, સુરત મૂકેશભાઈ મગનલાલ જેસરવાળા ઉપેન્દ્રભાઈ હર્ષદભાઈ શાહ, આયોજનનગર, અમદાવાદ છે. જો : કે 11 ક ા il a : : 1. દૂર કોઈ hot Mધ કરો - તારી જ છે કે છે, ઇ જ ના ૪ : ૪-૪૩ માં કાકા કા કક્ષ T E this i s sti # કોક , , . પ અમાર, છે : ૪ : 'ર જ કરે છે . , તો ' ' ' Page #6 -------------------------------------------------------------------------- ________________ સદા દિવાળી સંત ઘર બારે માસ વસંત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના સાહિત્યને સંખ્યા અને સત્વ ઇયત્તા અને ગુણવત્તા બંને દૃષ્ટિએ જોઈએ છીએ ત્યારે કોક વાર શ્રીફળની ઉપમા યાદ આવે; ક્યારેક શેરડી યાદ આવી જાય. તે ચીજોના ગુણધર્મ સમાન દીસે છે. આ ભાવ એક સુંદર દોહરામાં મળે છે. મિસરી પાન સમાન છૂવત કઠિન લાગત | જો કીજે રસપાન તો જાને રસના રસી શેરડીને અડવાથી તે કઠિન લાગે છે. ચાવવામાં મહેનત પડે છે. પણ જ્યારે તેના રસનું પાન કરીએ છીએ ત્યારે તેનો આસ્વાદ જીભ જ જાણે છે. તેમના ગ્રંથો, પદો, સ્તવનો, ઢાળો, સજ્ઝાયો, કાવ્યો, રાસાઓ આ બધામાંથી પસાર થતી વખતે ઓછેવત્તે અંશે બધાને આવો અનુભવ થવાનો. પણ જ્યારે શબ્દના કોચલાની ભીતર વહેતા સળંગ સૂક્ષ્મ અર્થને, તાત્પર્યને પામવામાં આવે છે ત્યારે મન તૃપ્ત બની જાય છે; મન ભરાઈ ५ Page #7 -------------------------------------------------------------------------- ________________ જાય છે; મન ધરાઈ જાય છે. વર્તમાનમાં એવા કેટલાય મુનિ મહારાજો, વિદ્વાનો છે જેમણે તેમના ગ્રંથ-સ્વાધ્યાયથી નીપજેલી રસાનુભૂતિ પાસે બધું જ તુચ્છ લાગ્યું છે. અને વારંવાર તેઓ સ્વાદ માણવા તે તે ગ્રંથો પાસે જાય છે અને અન્યને તે ગ્રંથો પાસે જવા વારંવાર પ્રેરણા આપે છે. એ માટે એક જ ઉદાહરણ બસ થશે. પૂજ્યપાદ પંન્યાસજી મહારાજશ્રી ભદ્રંકરવિજયજી મહારાજે ઉપાધ્યાય મહારાજના અધ્યાત્મસાર, જ્ઞાનસાર, દ્વત્રિશિકા વગેરે ગ્રંથોનું એકથી વધારે વાર આકંઠ પાન કરેલું. એટલે તેમણે એક મુનિને આપેલી દોરવણીનો પ્રસંગ મનનીય છે. તે તેઓના શિષ્ય આચાર્ય શ્રી કુંદકુંદસૂરિજી મહારાજના શબ્દોમાં જોઈએ. “પૂજ્યપાદ, ગુરુદેવ, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે ઘણાં વર્ષો પહેલાં એક આત્માર્થી મુનિરાજ આવ્યા હતા. જેમનો ન્યાય વ્યાકરણ ઉપર સારો કાબૂ હતો અને પ્રકરણોના પણ સુંદર અભ્યાસી હતા. તેમણે નમ્રભાવે પૂજ્ય ગુરુદેવશ્રીને જણાવ્યું કે, મેં ધર્મબિન્દુ, ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ, પંચાશકજી, શાંતસુધારસ, અધ્યાત્મ કલ્પદ્રુમ, ઉપમિતિ ભવ-પ્રપંચકથા, ઉપદેશમાલા, વૈરાગ્ય કલ્પલતા, ત્રિષષ્ઠિશલાકા પુરષ ચરિત્ર, ભવ ભાવના આદિ પ્રકરણ ગ્રંથો તથા આવશ્યક, દશ વૈકાલિક અને ઉત્તરાધ્યયન આદિ આગમગ્રંથોનું યથાશક્તિ અવગાહન કર્યું છે. હવે મારે યોગ અને અધ્યાત્મ વિષયક ગ્રંથોનું વાચન કરવું છે તો મારે કયા ક્રમથી તે વાંચન કરવું તે અંગે આપશ્રીનું માર્ગદર્શન ઇચ્છું છું કારણ કે આપશ્રીનો એ વિષયમાં બહોળો અનુભવ છે. મુનિશ્રીના જિજ્ઞાસાભર્યા પ્રશ્નના ઉત્તરમાં પરમકૃપાળુ પૂજ્યપાદ્ ગુરુદેવશ્રી એ ફરમાવ્યું કે હવે તમારે સૌથી પ્રથમ જ્ઞાનસાર ગ્રંથ કંઠસ્થ. કરી તેના પદાર્થો બરાબર મનમાં અવધારી લેવા. પછી અનુકૂળતા પ્રમાણે યોગશાસ્ત્ર, ગુણસ્થાનક ક્રમારોહ, શ્રી હરિભદ્રસૂરિજી મ. કૃત અષ્ટકજી, ષોડશકજી, વિશિકાઓ, યોગદષ્ટિ – સમુચ્ચય, યોગબિંદુ, લલિત વિસ્તરો, યોગશતક ધ્યાનશતક, ધ્યાનવિચાર, તાત્રિશત્ દ્વત્રિશિકા, અધ્યાત્મસાર, સટીક યોગવિંશિકા, વિશેષાવશ્યક ભાષ્ય, શાસ્ત્રવાર્તા સમુચ્ચય વગેરે ગ્રંથોનું અવગાહન કરવું અને ત્યાર પછી જ્ઞાનસાર વાંચવું. Page #8 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસુ મુનિરાજે ફરીથી જ્ઞાનસારનું નામ સાંભળતાં વચ્ચે જ કહ્યું કે બાપજી! આપે જ્ઞાનસાર વાંચવા માટે તો પ્રારંભમાં જ ભલામણ કરી છે તો ફરીથી કેમ? પૂજ્યશ્રીએ જણાવ્યું કે પ્રારંભમાં જ્ઞાનસાર ભણવાનું જણાવ્યા છતાં અંતમાં ફરીથી જણાવ્યું છે. તેમાં ખાસ હેતુ છે અને તે એ છે કે પ્રારંભમાં તમો જ્ઞાનસારને વાંચશો ત્યારે જ્ઞાનસારનો તમને માત્ર સામાન્ય રીતે જ ખ્યાલ આવશે. અને યોગ અને અધ્યાત્મવિષયક આ બધા ગ્રંથો વાંચ્યા પછી જ્ઞાનસારનું અવગાહન કરશો. એટલે તમને જ્ઞાનસાર ગ્રંથના ભાવોનો વાસ્તવિક ખ્યાલ આવશે અને એમ લાગશે કે યોગવિષયક આ બધા જ ગ્રંથોના વાચન, મનન અને અનુભવનો સાર એટલે જ્ઞાનસાર.” આવા શ્રુતકેવલી તુલ્ય જ્ઞાનયોગી મહાપુરુષ માટે ઉપમાભર્યું રૂપક સૂઝે છે. જમીન ઉપર જેટલાં વન છે તે બધાંમાં આંબા નથી હોતા. જેટલા આંબા હોય છે તે બધા ઉપર માંજર નથી આવતી અને જેટલી માંજર આવે છે તે બધાને મરવા નથી આવતા અને જેટલા મરવા આવે છે તે બધાની કેરી નથી આવતી. અને જેટલી કેરી આવે છે તે બધાની શાખ નથી પડતી. અને જેટલી શાખવાળી કેરી આવે છે તે બધી વપરાતી નથી. બસ એ જ રીતે જેટલા શ્રાવકો તે બધા દીક્ષિત ન થાય. જેટલા દિક્ષિત થાય તેટલા જ્ઞાનરસિક નથી હોતા. જેટલા જ્ઞાનમાં ઊંડા ઊતરે તે બધા ચારિત્રમાં દઢરુચિ નથી હોતા. જ્ઞાન અને ચારિત્રમાં દઢ બનેલા બધામાં અધ્યાત્મનો સંસ્પર્શ નથી હોતો અને છેલ્લે પોતાના લક્ષ્યબિંદુ સ્વરૂપ આત્મદર્શન સુધી બધા નથી પહોંચતા. જ્યારે પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ બધામાંથી પસાર થઈને લક્ષ્ય સિદ્ધ કરનારા પુરુષ હતા. તેઓના સમગ્ર જીવન અને સર્જન ઉપર દૃષ્ટિપાત કરતાં જણાય છે કે તેઓનું જીવન આભ્યતર ગુણવૈભવથી શોભતું અને ભર્યુંભર્યું હતું. તેથી અનહદના હદની લહેરનો સ્પર્શ સદા રહેતો તેઓએ પદોમાં વર્ણવ્યો. છે. જાણે તેમને હંમેશાં દિવાળી હોય તેમ લાગે છે. શ્રીપાળ રાસના ચોથા ખંડમાં છેલ્લે મુજ સાહિબ જગનો તૂઠો.નું જે ગાન કર્યું છે. તે તેમના અંદરનાં તા. ૫ લાઇકમાનાકા મકમાણ વદ ૩જીકાકડા કહ૪ સ્ટ: યા કws,gy Swદા કામક , રાક છે. ડર કરી શકાય છેજ કરી શકે છે કે Page #9 -------------------------------------------------------------------------- ________________ કમાડ ઊઘડી ગયા પછી આનંદનો ફુવારો ઊડ્યો તે માણ્યા પછીના એ શાશ્વતીના ઉદ્દગારો છે. અને સર્જનની શરૂઆત કર્યા પછી સદા વસંત જ રહી છે. ક્યારે પણ તેમાં પાનખર નથી આવી. એકથી એક વિષયમાં ચાહે તે ભાષા હોય ચાહે તે વિષય હોય સાવ સાદી સરળ રચનાથી શરૂ કરીને નવ્યન્યાયના પરિચ્છેદની ભરમાર હોય તો પણ સ્ત્રીનાયતે મારતી. તેઓ ભારતીને રમાડતા હોય તેમ લાગે. કલિકાલસર્વજ્ઞના ઉપાશ્રય માટે જે મારતી પિતૃમન્દિરમ્ શબ્દ પ્રયોજ્યો છે તે શબ્દ ઉપાધ્યાયજી મહારાજ માટે પણ પૂરો બંધ બેસે છે. મારતી પિતૃન્દરમ્ - એટલે સરસ્વતીનું પિયર. પિયરમાં દીકરી જેમ યથેચ્છ વિહરે તેમ એ તેમની પાસે વિહરતી જોવા મળે છે. આ રીતે વર્તમાનમાં સમગ્ર ઉપલબ્ધ સાહિત્ય અને તેઓનું અલગારી જીવન વૃત્ત ને યથામતિ જોયા જાણ્યા ને કિંચિત અવગાહ્યા પછી તેઓના સમગ્ર વ્યક્તિત્વના એ વિશિષ્ટ સ્વરૂપે આપણી સામે ઊપસતા જણાય છે. જ્ઞાની યશોવિજયજી અને ભક્ત યશોવિજયજી આરાધક યશોવિજયજી અને પ્રભાવક યશોવિજયજી, તર્ક, આગમ અને યોગના પારંગત અભ્યાસી યશોવિજયજી અને પરમ ભાવુક શાસનરાગી યશોવિજયજી. આ બંને વ્યક્તિત્વ પરસ્પર વિરોધી નથી, પણ પૂરક છે. વળી તેઓને જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્ય સિદ્ધ થયેલા જણાય છે. તેથી તેનો સમ્યગુ વિનિયોગ પાત્ર શ્રદ્ધાન્વિત વ્યક્તિને થજો. વર્તમાનમાં પણ અનુભવાય છે. મારા જીવનમાં ઉપાધ્યાયજી મહારાજનો પ્રવેશ દીક્ષાના પહેલા વર્ષે થયેલો. મારા મોટા દાદા ગુરુ મહારાજ શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ સવારે વ્હેલા સાડાત્રણસો ગાથાના સ્તવનની છેલ્લી ઢાળો લલકારતા. તે સાંભળીને જિજ્ઞાસા થયેલી ત્યારથી તે પવિત્ર શબ્દો કાનમાં દાખલ થતા રહેતા. પછી એક વાર પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજના મુખે દેરાસરમાં ચૈત્યવંદન કરતાં એક મુનિ મહારાજ સ્તવન બોલવાનું શરૂ કરતા હતા. ત્યારે તેઓએ ટકોર કરી એક ઉપાધ્યાયજી મહારાજનું રચેલું સ્તવન આવડે છે ! આવડતું હોય તો તે બોલો. ત્યારે તેઓની રચેલી ચોવીસી હકિક geet & g. Re: 830.૪ : જિs . . . . . . . . . @ડી વાર પછી આ 2 ટી . જે ડી મકો તે, જે. ડો. આ જે કે પછી કેટલા . જા. છે, એ જ છે - ' . ની જોર, , #, જ " જ રી આ ફી. પ || ક લ ધ . જે છે "": "ી હી 8 જે ા તે 3 Page #10 -------------------------------------------------------------------------- ________________ તરફ ધ્યાન ગયું. તેઓ શ્રી દેરાસરમાં ઉપાધ્યાયજી રચિત સ્તવનોનો આગ્રહ રાખતા અને સાંજનાં પ્રતિક્રમણમાં સક્ઝાયમાં પણ ઉપાધ્યાયજી રચિત ૧૮ પાપસ્થાનકની સઝાય સમકિતના ૬૭ બોલની સક્ઝાય, આઠ દૃષ્ટિની સક્ઝાયનો આગ્રહ રાખતા. હવે આજે સમજાય છે કે તેઓ તો દર્શનશાસ્ત્ર અને આગમગ્રંથોના ઊંડા અભ્યાસી હતા. છતાં તેમનું મન ઉપાધ્યાયજી મહારાજના સાહિત્ય ઉપર ઠરતું હતું. તે પછીનાં વર્ષોમાં જ્યારે જ્ઞાનસાર, અધ્યાત્મસાર, વગેરે ગ્રંથોનાં નામ સાંભળ્યાં અને તેનો કાંઈક પરિચય થયો ત્યારે પણ મુગ્ધતા હતી પણ વિ.સં. ૨૦૨૯ આસપાસમાં દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા ભણવાનો અવસર મળ્યો ત્યારે તેમના શબ્દોની ભીતર ડોકિયું કરવા મળ્યું. એ શબ્દગુચ્છોની નીચે એક સળંગ અર્થ ગૂંથાતો અને તેનાથી એક સળંગ સૂત્ર આકાર બંધાતો જોયો. તેમની સામે પદાર્થ સ્પષ્ટ હોય છે. તેથી તેનું નિરૂપણ પણ અસંદિગ્ધ ભાષાશૈલીમાં થતું જોવાય છે. વિ. સં. ૨૦૨૩માં પૂજ્યપાદ સમર્થ વિદ્વાન શ્રીધરધુન્ધર મહારાજ અધ્યાત્મસારના સ્વાધ્યાયના પરિપાક રૂપે અધ્યાત્મસારાનુગમનું સર્જન કરતા હતા ત્યારે પૂજ્ય ઉપાધ્યાય મહારાજના અક્ષરના અમીરસનું પાન કર્યું. તૃપ્તિ અનુભવી. એ રીતે તેમના ગ્રંથોનું સેવન થતું રહ્યું હતું. ત્યાં તેમનું ત્રિશતાબ્દી વર્ષ આવ્યું આ એવો એક સુંદર મોકો હતો તે નિમિત્તે તેમના પ્રત્યેનો અનુરાગ પ્રગટ થયો. વિ.સં. ૨૦૪૧માં તેઓની પાવન જન્મભૂમિ કનોડાની સ્પર્શના થયેલી અને જે ધન્યતાનો અનુભવ કર્યો હતો. તેવો બીજો અવસર આ ત્રિશતાબ્દી વર્ષમાં તેઓના પતિતપાવન દેહના પરમાણુ જ્યાં પથરાયા હતાં. તે ડભોઈમાં તે તીર્થની પચ્ચીસ યાત્રા થઈ. શ્રી ઉપાધ્યાયજીના ગુણ પચ્ચીસ છે તે યોગાનુયોગ બન્યો. તે વેળાએ એટલે કે ચૈત્રી પૂર્ણિમાના શુભ દિવસે સવારે વીસમી યાત્રા કરી ને જેવો એ ઝાંપાની બહાર મૂક્યો ત્યાં ચિત્તમાં ઝબકારો થયો અને “ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જિનવર શાસનનાં શણગાર.” આવી પહેલી પંક્તિ આવી. બસ પછી ઉપાશ્રય પાવાવામાં મા શા ના કાકા મામાણી શકશાણા મામા ભાણા બાર ઝાલા ર ા આકાશ શા મા આઈ ડી નાખ્યા બાદ જાજા રા યા જા જાણ Page #11 -------------------------------------------------------------------------- ________________ પહોંચતાં પહોંચતાં તો પંક્તિઓ ઉપર પંક્તિઓ આવવા માંડી અને સાંજ સુધીમાં એ સ્તુતિ અષ્ટક રચાઈ ગયું. અનાયાસે જ રચાઈ ગયું. તે ભૂમિની સ્પર્શનાની ઉપલબ્ધિ ગણાય. તે પછી ત્રેવીસ પ્રાકૃત પદ્યનો એક પત્ર આર્યા છંદમાં મારા પૂજ્ય ગુરુ મહારાજને લખ્યો. અને શરૂ થયેલું એ કાવ્યઝરણું રોજ એક પ્રાકૃત ગાથા રચવાના ક્રમથી મહિના સુધી ચાલુ રહ્યું. આમ ક્ષયોપશમની વૃદ્ધિમાં એ સ્પર્શનાએ કામ કર્યું. અનુરાગ વધુ ને વધુ પુષ્ટ થતો ગયો. એક વાર અમે શ્રી શંખેશ્વર તીર્થમાં હતાં ત્યારે અમારા સમુદાયના વિદ્વદ્વર્ય આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિ મહારાજ સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે “તમે ઉપાધ્યાયજી મહારાજ વિષેનાં પ્રવચનો આપો અને તેને પુસ્તકાકારે પ્રકાશિત કરો. તમને એ વધુ માફક આવશે.” અને વાત જચી ગઈ. અને કૃષ્ણનગર (ભાવનગર)ના ચોમાસામાં એ પ્રવચનશ્રેણી સાત દિવસ ચાલી. શ્રોતાવર્ગે માણી. એ પ્રવચનો શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનાં સુપુત્રી માલતીબહેન દેસાઈએ ચીવટથી લખ્યાં અને લખીને મને સોંપ્યાં. તેમાં સુધારાવધારા થયા. શાસનપ્રભાવક આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજના પ્રેમાગ્રહને કારણે શાંતિસૌરભમાં ક્રમશઃ તે લેખમાળા રૂપે આવ્યાં. વળી તેમાં ઉમેરણો થતાં રહ્યાં. ઉપાધ્યાયજી મહારાજના સાહિત્યથી અભિભૂત થયેલા શ્રી જયંતભાઈ કોઠારીએ પણ તે જોઈ આપ્યાં. એટલું જ નહીં પ્રેમપૂર્વક આ પુસ્તક વિષે પણ બે શબ્દ લખી આપ્યા. આનંદ થયો. ઘણી ઘણી પ્રક્રિયામાંથી પસાર થવા છતાં આમાં ઘણું ઘણું રહી ગયું હોય તેવું વાચકને લાગશે અને વાત પણ સાચી જ લાગે છે. કહ્યું છે ને ! “પુણ્યાત્માનાં ચરિત્રો તો આભ જેવાં અગાધ છે.” પણ મને તો “ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” એ નીતિને અનુસરીને આ શુભ યત્ન કરવો ગમ્યો છે. વાચકોને પણ આનાથી ઉપાધ્યાયજી મહારાજ પ્રત્યે અને તેમની રચના પ્રત્યે અહોભાવ અને અનુરાગ જન્મ / વધે તો આ શ્રમ સાર્થક- લેખે લાગશે. ૧૦ છે. જો દિકરી છે વાત કરી હતી. તેમાં 1 કરો કિશો ફરકે છે, તે જ છે. આ આ કામ કે જો રહી આ છે છે કે જો જ એ છે કે આ આ આ કે '' 12. દરેક મા છે છે ... 83 આ ! '' 3 E3 ક જો રી કે 1:ક ' 34 જી રહી છે. સરક એક છે Page #12 -------------------------------------------------------------------------- ________________ અને અન્ત ત્રણસ્વીકાર, બહણ સ્મૃતિ આ કાર્યમાં જેઓએ સ્નેહપૂર્વક યોગદાન કર્યું છે તે બધાં યાદ આવે છે : લેખન-વાચનના કાર્યમાં જેઓના પ્રેમાળ આશીર્વાદ સતત સાંપડતા રહ્યા છે તે પૂજ્યપાદ દાદાગુરુ આચાર્ય મહારાજ શ્રી દેવસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યપાદ પરમોપકારી ગુરુ મહારાજ શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનું હૂંફાળું સાંનિધ્ય આનંદદાયી બની રહે છે. પ્રફ વાચન / સલાહ સૂચન વગેરે કાર્ય માટે ગણિ શ્રી રાજહંસવિજયજીનો સહયોગ સાંપડતો રહ્યો છે. મુદ્રણ માટે રોહિતભાઈ કોઠારીને ધન્યવાદ આપવાનું મન થાય છે. છેલ્લે સુધીના ઉમેરા જેઓએ પ્રેમપૂર્વક સ્વીકાર્યા છે. અપૂર્વ આશર પોતે ઘણાં ઘણાં કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પોતાની આગવી સૂઝબૂઝથી આ પુસ્તકની શોભા વધારવામાં જહેમત લીધી છે. જ્ઞાન પ્રત્યેના અનુરાગના કારણે કેટલાંક શ્રાવકોએ શ્રુતલાભ લીધો છે. તેમને પણ ધન્યવાદ. પ્રાંતે આના વાચનથી સર્વ જીવો વીતરાગ માર્ગ પ્રણીત સત્યને પ્રાપ્ત કરનાર બનો. વિ.સં. ૨૦૫૫ - વિજય પ્રદ્યુમ્નસૂરિ ગુરુપૂર્ણિમા ઓપેરા જૈન ઉપાશ્રય, અમદાવાદ ૩૮૦ ૦૦૭ 99. Page #13 -------------------------------------------------------------------------- ________________ १२ આ ગ્રંથના આરંભે બે શબ્દો લખવાનો મારો અધિકાર એટલો જ કે મને ઉપાધ્યાય યશોવિજ્યજી પ્રત્યે ભક્તિ છે અને આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજીને મારા પ્રત્યે પ્રીતિ છે. ઉપાધ્યાય યશોવિજયજી હેમચંદ્રાચાર્ય જેટલી પ્રસિદ્ધિ પામ્યા નથી. પણ વાણિજ્યપ્રધાન ગુજરાત વિદ્યાગતમાં પોતાનું માથું ઊંચું રાખી શકે એવા મધ્યકાળના વિદ્યાપુરુષ તરીકે હેમચંદ્રાચાર્યની સાથે યશોવિજયજીનું નામ લેવું જોઈએ. કાવ્ય, કથા, કાવ્યશાસ્ત્ર, ધર્મોપદેશ, જ્ઞાનમીમાંસા, ન્યાય તથા તર્કશાસ્ત્ર, જૈન સિદ્ધાંત, વેદાંતસમીક્ષા, યોગ, અધ્યાત્મ વગેરે વિષયોને વ્યાપી વળતી યશોવિજ્યજીની વિદ્વત્તા પણ સર્વદેશીય છે. યશોવિજયજીની શબ્દોપાસના બહુધા સંપ્રદાયસેવામાં પ્રયોજાયેલી છે પણ એમાં વ્યક્ત થતી બૌદ્ધિક પ્રતિભા, વિચારશીલતા અને કાવ્યરસિકતાનો આસ્વાદ સૌ કોઈ લઈ શકે તેમ છે, તેમાંથી ઘણુંબધું પામી શકે તેમ છે. જૈન પરંપરામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રય ગણાય છે. ઉપાધ્યાયજીએ કાશી-આગ્રા જઈને વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો આ આચમન અને અપેક્ષા Page #14 -------------------------------------------------------------------------- ________________ એમનું અપૂર્વ જ્ઞાનસાહસ હતું. સર્વ જ્ઞાનને એમણે સ્યાદ્વાદની સમ્યગ્દષ્ટિમાં સંકલિત કર્યું. આ થયું દર્શન. “સમ્યક્ત ષટ્રસ્થાન ચઉપઇ” જેવા ખંડનમંડનાત્મક ગ્રંથને અંતે પણ એ કહે છે કે, “સમ્યગ્દષ્ટિ જીવ સકલનવયુક્ત વસ્તુને જુએ છે અને કોઈ વિશિષ્ટ નયવાદ પ્રત્યે ઉદાસીન રહે છે. એને નિંદતો નથી, એની પ્રશંસા કરતો નથી. શિષ્યોને સમજાવવા વગેરે કારણ વિના નયની ભાષામાં બોલતો નથી “તથા શાસ્ત્રવચનનો આધાર આપે છે કે મહાગ્રહી – એકાન્તવાદી અને અપ્રિયકારી ભાષા પૂજ્ય કદી બોલે નહીં.” આ ખરી ને ઊંચી દાર્શનિકતા છે. પણ દર્શન આગળ અટકવામાં પરિપૂર્ણતા નથી. દર્શન જીવનાચારમાં પરિણત થવું જોઈએ. આ ચારિત્ર. યશોવિજયજીએ અધ્યાત્મસાર', “જ્ઞાનસાર' વગેરેમાં ધર્મમય જીવનનો, અધ્યાત્મજીવનનો નકશો દોર્યો છે તે જોવા જેવો છે. આ નકશો ધાર્મિક ક્રિયાકાંડો, આચારોમાં અટવાઈ ન રહેતાં “અનુભવ” એટલે કે આત્મિક અનુભવની છેવટની મંજિલ ચીંધે છે એ એની વિશેષતા છે. આ સંપ્રદાયભેદને વટી જતી આધ્યાત્મિકતા છે. યશોવિજયજીએ રચેલાં ગુજરાતી-હિંદી પદોમાં પણ આ આધ્યાત્મિક ભૂમિકા રહેલી છે અને એ એમને કબીર વગેરે સંતકવિઓની હરોળમાં બેસાડે છે. યશોવિજયજીનો અભ્યાસ કરનાર એમની આ સમગ્રતાથી અભિભૂત થયા વિના નહીં રહે. આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી યશોવિજયજીના પરમ અનુરાગી છે અને અભ્યાસી છે. ૧૯૮૭ અને ૧૯૮૮માં એમની નિશ્રામાં યસોવિજ્યજીના સાહિત્ય વિશે અનેક વિદ્વાનોની સામેલગીરીવાળી બે સંગોષ્ઠીઓ યોજાયેલી એનો સ્વાદ હજી મનમાં તાજો છે. યશોવિજયજીની અસાધારણ પ્રતિભાની મને ત્યારે જ ઝાંખી થઈ ને પ્રદ્યુમ્નસૂરિજીની નિકટ આવવાનું, એમના સમૃદ્ધ વ્યક્તિત્વનો પરિચય કરવાનું પણ ત્યારે જ બન્યું. યશોવારિધિમાં ડૂબકીઓ મારવાનું મારું ગજું નહીં, હું તો કાંઠે છબછબિયાં જ કરી શકું. પણ પ્રદ્યુમ્નસૂરિજીએ એમાં અવગાહન કરેલું છે અને એ યશોવિજયજીથી १३ * જ (જબ છે. ૧ કપ મકાનમાં કામ કાજ જ ર જ છે. હાવિપ્ર થી જ કાન ડિત માતા છેd હા છે પર Page #15 -------------------------------------------------------------------------- ________________ પરિપ્લાવિત છે. આ મૂળભૂત રીતે જૈન સમાજ સમક્ષ અપાયેલાં પ્રવચનો છે. પ્રદ્યુમ્નસૂરિજીને મનોરમ પ્રવચનકલા વરેલી છે. એમાં વિચારના ફુલ્લિંગો હોય ને કાવ્યરસિકતા પણ હોય, શાસ્ત્રાધાર હોય ને સાંપ્રત સાથે અનુસંધાન પણ હોય, અભિવ્યક્તિ ઉત્સાહભરી, રસાળ અને પ્રવાહી હોય, એમાં સ્મૃતિમાં સંઘરાઈ જાય એવી ઉક્તિઓ પણ આવે. આ પ્રવચનોમાં પણ એ ગુણો દેખાશે. પ્રસાદવિદ્યા અને પુરુષાર્થવિદ્યા, પરિષદની વ્યક્તિ અને ઉપનિષદની વ્યક્તિ – એ ભેદોની વાત આપણા ચિત્તને ચમત્કૃત કરે છે. વિશાળ જૈન સમાજને અનુલક્ષીને રચાયેલાં વ્યાખ્યાનોનો ઉદ્દેશ સદવસ્તુનો ચેપ લગાડવાનો જ હોય. એમાં સર્વભોગ્યતા સાચવવાની હોય, ઊંડાણમાં જવાનું ખાસ ન બની શકે પણ શાસ્ત્રસંગતિ સાધવાના યશોવિજયજીના કૌશલ્યની શ્રાવકોને અઘરી પડે એવી વાત કર્યા વિના રહે તો એ પ્રદ્યુમ્નસૂરિજી શાના? જૈન સમાજ સમક્ષનાં આ પ્રવચનો હોવાને કારણએ એમાં યશોવિજયજીની સંપ્રદાયસેવાની નોંધ સવિશેષ લેવાય એ સ્વાભાવિક છે પણ એમની ભક્તિપ્રવણતા, આત્મિક અનુભવની લગની અને જીવનગુણોની સાધનાની – હિતશિક્ષાની જે વાત થઈ છે તે તો સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠે છે ને સર્વોપયોગી તેમ સર્વને રસપ્રદ બને તેવી છે. છેવટે, આ યશોજીવનની પ્રવચનમાળા છે. આ એક આચમન છે. એ ભૂખ જગાડે છે – અપેક્ષા ઊભી કરે છે યશોવિજયજીના સર્વ સાહિત્યના પરિચય સમેત એમના જીવન વ્યક્તિત્ત્વ, વિચાર અને કાર્યનો મહિમા કરતો કોઈ એક ગ્રંથ હોય એવું મારી જાણમાં નથી. એ કામ આવી રસાળતાથી થાય તો જ વિશાળ સમાજ સુધી પહોંચી શકે. પ્રદ્યુમ્નસૂરિજી યશોવિજયજી પ્રત્યે પરમ ગુરુભાવ ધરાવે છે. એ આવો ગ્રંથ રચી ગુરુતર્પણ કરે અને આપણી ભૂખ સંતોષે એમ આપણે ઇચ્છીએ. ૨૩ મે, ૧૯૯૯ જયંત કોઠારી १४ જ કરી છે કે કે , ' , " છોકડ :: કાકા કાર માંકઇ જ છે 8. 7 રકમ ી , શા કાકા ઠરી જ મોકા કા છે કે, : હા, હા ક જો . 1 , ૨ ૪.કણ દાદા છુ તારા ફટ :: થી 10 કરી જ ને કે બાળકો કે ! Page #16 -------------------------------------------------------------------------- ________________ ॥ ઉપક્રમ II ॥ નમોનમઃ શ્રી ગુરુનેમિસૂરયે ॥ પૂજ્ય આચાર્ય શ્રી દેવસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં કૃષ્ણનગર જૈન ઉપાશ્રય–ભાવનગરમાં પૂજ્ય પંન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ સાહેબનાં પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના જીવન અને કવન વિષે ભાદરવા વદમાં તા. ૧૬-૧૦૯૩ શનિવારથી તા. ૨૧-૧૦-૯૩ ગુરુવાર સુધી સવારના ૮-૧૫થી ૯-૩૦ સુધી અને રવિવારે બપોરે ૨-૩૦થી ૪ સુધી વિશિષ્ટ પ્રવચનો થયાં. આ પ્રવચનમાળાનો મંગલ-પ્રારંભ સવારે ૮-૧૫ કલાકે શ્રી ભાવનગર જૈન સંઘના તે સમયના મંત્રી શ્રી ખાંતિલાલ ફ્દચંદ શાહે મંગલદીપ પ્રગટાવી કર્યો. છ દિવસ અને સાત પ્રવચનશ્રવણનો લાભ ભાવનગરની તત્ત્વપ્રેમી, ધર્મપ્રેમી જનતાએ લીધો હતો. આ તેનું નવ વ્યાખ્યાનરૂપે વિસ્તૃત સ્વરૂપ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ યશોજીવન વિદ્યા યાત્રા મુકામઃ નવ એક : યશસ્વી ગુરુપરંપરા બે : ધન્ય કનોડા : “માથે ધરું ધૂળ વસુંધરાની” ત્રણ : દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીમ્બિયાએ” ચાર : શ્રુતસેવાની અખૂટ સરવાણી વહી પાંચ : શાસ્ત્રના સંવાદી અર્થશોધનું કૌશલ્ય છે : ઈશાનુગ્રહસંગતિનું સુંદર દર્શન સાત : પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકાર વર્ષા આઠ : સમકાલીનો પર પ્રભાવ નવ : જ્ઞાનયોગની પૂર્ણતા : આધારશિલા ગુરુકૃપા Page #18 -------------------------------------------------------------------------- ________________ ... હું ગુરુગુણ ગાઉં હર્ષ ધરી.. શ્રી કલ્યાણવિજય વડ વાચક, હીરવિજય ગુરુ સીસો, ઉદિયા જસ ગુણસંતતિ ગાવે, સુર કિન્નર નિશદીસો રે. |૨૭૮ || હ. ll ગુરુ શ્રી લાભવિજય પંડિત, તાસ શિષ્ય સૌભાગી, વ્યુતવ્યાકરણાદિકબહુગ્રંથ, નિત્યે જસ મતિ લાગી રે. || ૨૭૯ || હ. I શ્રી ગુરુ જિતવિજય તસ શિષ્ય, મહિમાવંત મહંતો શ્રી નયવિજય વિબુધ ગુરુ ભ્રાતા, તાસ મહા ગુણવંતો રે. || ૨૮૦ || હ. II જે ગુરુ સ્વ-પરસમય-અભ્યાસે, બહુ ઉપાય કરી કાશી સમ્યગ્દર્શન સુરૂચિ સુરભિતા, મુઝ મતિ શુભ-ગુણ વાસી રે. || ૨૮૧ || હ || જસ સેવા સુપસાથે સહેજે, “ચિંતામણિ મેં લહીયો તસ ગુણ ગાઈ શકું કિમ સઘલા? ગાવાને ગહગહિઓ રે. | ૨૮૨ // હ. II તે ગુરુની ભક્ત શુભ શક્ત, વાણી એહ પ્રકાશી કવિ જસવિજય ભણે, એ ભણજ્યો, દિન દિન બહુ અભ્યાસી રે. || ૨૮૩ ll (યશોવાણી) દ્રવ્યગુણપર્યાય રાસ – પ્રશસ્તિ , , , , , , , , , , , iાા ાા ાા ા ૧. ન્યાયદર્શનનો મહાન ગ્રંથ. Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન એક : કફ ફાઇsફડફ ડકકકકકક કકક કકકડ . જા રે સા થી 40 જ છે Gasી છે. : જો હજી :::::::::::::ક જાડેજા જ કા જ કાફીક ફરજ કાકી કાકી જ છે . 1 :: જો કે, ::: ર ક આપણે છે . . . . . . ર૪ કલાક . . યશસ્વી ગુરુપરંપરા तेभ्योनमस्तदीयान् गुणांस्तुवे तेषु मे दृढा भक्तिः। अनवरतं चेष्टन्ते जिनवचनोद्भासनार्थं ये ॥ જે મહાપુરુષો નિરન્તર જિનેશ્વર દેવનાં વચનોને પ્રકાશિત કરવાનો ઉધમ કરે છે તેઓને મારા નમસ્કાર થાઓ. તેઓના ગુણોની હું સ્તુતિ કરું છું. તેમના પ્રત્યે મને ખૂબ ભક્તિ છે. આપણા અનન્ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને શોભાવનારા અને આત્મસાત્ કરનાર પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજસાહેબ આજથી ત્રણસો વર્ષ પૂર્વે થઈ ગયા. પણ આજે કોઈપણ જગ્યાએ, કોઈપણ ગ્રન્થનાં વ્યાખ્યાનમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજનું નામ તો અચૂક લેવાય છે. ગમે તે વિષયની ચર્ચામાં તેમના સાક્ષીપાઠની જરૂર પડે છે; લગભગ ઘણીવાર વ્યાખ્યાન કરતી વખતે પહેલો શ્લોક તેમનો રચેલો બોલાય છે. કેટલીક વાર તો ઉપાધ્યાયજીએ નિરૂપેલા વિષયો કે તેમણે રચેલા કોઈ ગ્રંથ ઉપર તો મહિનાઓ સુધી વ્યાખ્યાન ચાલે છે. દેરાસરમાં પણ તેમણે રચેલાં સ્તવનોમાંથી ઘણાં સ્તવનો ભાવવાહી સ્વરે આજે પણ લગભગ દરરોજ ગવાય છે. દેરાસરમાં ગવાતાં દશ : એક : યશસ્વી ગુરુપરંપરા ૦ ૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪ સ્તવનોમાંથી એક સ્તવન તો ઉપાધ્યાયજી મહારાજનું હોય છે. ઉપાધ્યાયજી મહારાજે રચેલાં સ્તવનોની લાક્ષણિકતા એ છે કે આ સ્તવનો રોજ રોજ ગવાય તો પણ તેમાંનો ભાવ ઓછો થતો નથી અને કદી તેનો અભાવ થતો નથી. જેમ જેમ આ સ્તવનો વારંવાર ગવાય છે, વારંવાર સંભળાય છે તેમ તેમાંથી નવોનવો ભક્તિરસ ઝરતો અનુભવાય છે. આપણા રોજ-બ-રોજના જીવનમાં પણ આ સ્તવનોના ભાવો ઉપયોગી જણાય છે. પ્રખર યોગી શ્રી આનંદઘનજીનાં પદો તત્ત્વજ્ઞાનથી ભરપૂર છે. તેનો અર્થ તત સમજાતો નથી. જ્યારે ઉપાધ્યાયજીની ઘણી રચનાઓ સાવ સરળ છતાં ભાવવાહી છે. ‘જગજીવન જગ વાલો’” કે “ગિરુઆ રે ગુણ તુમ તણા...” જેવાં સ્તવનોને જેમ જેમ તમે વાગોળો તેમતેમ તેમાંથી તમને નવાનવા ભાવો પ્રાપ્ત થાય છે. ઉપાધ્યાયજી મહારાજની વિશેષતા એ છે કે તેમણે આવી આવી સરળ અને સુગમ રચનાઓ કરી છે. તો વિદ્વાનોને પણ સમજવામાં ખૂબ મહેનત કરવી પડે તેવા અઘરા ગ્રંથોની રચના પણ તેમણે કરી છે. તેમના સાહિત્યમાં આજે પણ જીવંતતા જણાય છે. શીતલ પરમાનંદિની શુચિ વિમલ સ્વરૂપા સાચી રે જેહની રચનાચન્દ્રિકા રસિયાજન સેવે રાચી રે” ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત ભાષામાં રચાયેલ તેમના સાહિત્યમાં વિષયવ્યાપ ઘણો છે, તો ઊંડાણ પણ એટલું જ છે. જંબુસ્વામી રાસ જેવી તેમની કૃતિમાં સામસામા પક્ષે રસવતી શૈલીમાં જે કથાઓ કહેવાય છે તે સાવ સુગમ છે. તો તેમની કેટલીક કૃતિઓ તેને સમજવા માટે મોટા મોટા દિગ્ગજ વિદ્વાનો પણ માથું ખંજવાળે તેવી દુર્બોધ છે. આવા પ્રખર વિદ્વાન આપણા ગુજરાતના પનોતા પુત્ર હતા એ આપણા માટે ગૌરવની વાત છે. પોતાના સાધુજીવન દરમ્યાન તેઓ ગુજરાતમાં પણ વિચર્યાં છે. દા.ત. આ ભાવનગરની નજીકમાં જ શ્રી નવખંડા પાર્શ્વનાથ તીર્થ ઘોઘામાં તેઓશ્રી વિ. સં. ૧૭૧૬માં યશોજીવન પ્રવચનમાળા Page #22 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ વિરાજમાન હતા. વિ.સં. ૧૭૧૭ના કાર્તિક મહિનામાં એકથી વધારે સાધુ મહારાજે સાથે રહીને લખેલી કમ્મપયડીની પોથી મળે છે. તેની પુષ્મિકામાં આ પ્રમાણે ઉલ્લેખ છે. पं. श्री जसविजयगणि नवीनग्रन्थरचना कृतः श्री घोघावेलाकूले संवत् १७१७ वर्षे कार्तिक मासे शुभवासरे सकल समुदायेन लिपिकृत:। પંડિત શ્રી યશોવિજયજી ગણીએ નવીન ગ્રન્થ રચ્યો અને ઘોઘાબંદરમાં વિ. સં. ૧૦૧૦ની સાલમાં કાર્તિક મહિને શુભવારે બધા સાધુએ સાથે મળીને લખ્યો. આમાં સં. ૧૭૧૭ના કાર્તિક મહિનાની વાત છે. જો ચાતુર્માસ ત્યાં હોય તો જ આ બને. અને એ જ રીતે ઘોઘાના દરિયામાં ઊછળતાં મોજાં અને તેમાં આવતાં વહાણોને જુવે છે. આ સમુદ્રની સાથે વહાણનો સંવાદ થાય છે તેવી એક ભવ્ય કલ્પનાના આધારે ગુજરાતી ભાષામાં સત્તર ઢાળમાં સુંદર શૈલીમાં “સમુદ્ર વહાણ સંવાદ નામે કાવ્યની રચના કરે છે. આ કાવ્યમાં સમુદ્રનું અભિમાન દૂર કરવાનો સુંદર શૈલીમાં પ્રયત્ન થયો છે. તેઓ વિહારમાં સૌરાષ્ટ્રનાં ઉના, પાલિતાણા, સિદ્ધગિરિરાજ ક્યારેક જ આવ્યા જણાય છે. તો પાટણ, અમદાવાદ, ખંભાત તેમને વારંવાર રહેવાનું-જવાનું બન્યું છે. ઠેરઠેર વિચરતાં વિચરતાં તેઓએ આપણા અજ્ઞાનનું અંધારું દૂર થાય તેવી અનેક રચનાઓ કરી છે. ઘણી મળે છે, છતાં કાળબળે લુપ્ત થએલા ઘણા ગ્રન્થનાં તો માત્ર નામ જ આપણને પ્રાપ્ત થાય છે. ઉપાધ્યાયજી મહારાજને તેમના સમયમાં “કૂર્ચાલી શારદ', શ્રુતકેવલી” જેવાં વિશેષણોથી બિરદાવવામાં આવ્યા છે. તેમના જ સમકાલીન ઉપાધ્યાયશ્રી માનવિજયજી મહારાજ તેમને શ્રુતકેવલી' કહીને તેમનું બહુમાન કરે છે તે ઘણી મહત્ત્વની વાત છે. કે આ " "" FOR TET 1 Sફી કરી વિ . કાર છે. પણ અને કામ કરી ઢીકર કે ,, . . રોજ જ છે કા એક યશસ્વી ગુરુપરંપરા ૦ ૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬ तर्कप्रमाणनयमुख्यविवेचनेन, प्रोद्बोधितादिममुनिश्रुतकेवलित्वाः । चक्रुर्यशोविजयवाचकराजिमुख्या, ग्रन्थेऽत्र मय्युपकृतिं परिशोधनाद्यैः ॥ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન ઉપાધ્યાય શ્રી માનવિજ્યજી સ્વરચિત ધર્મસંગ્રહ નામના ગ્રન્થની પ્રશસ્તિમાં જણાવે છે કે તર્ક-પ્રમાણ અને નય વગેરેનું વિવેચન કરીને જેઓએ પૂર્વે થઈ ગયેલા શ્રુતકેવલી પુરુષનું સ્મરણ કરાવ્યું છે એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ ગ્રંથનું સંશોધન વગેરે કરીને મારા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. ‘શ્રુતકેવલી’ને માત્ર બે જ, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોવા છતાં એની રજૂઆત ‘કેવલી' જેવી હોય છે. તેમ જ પૂ. ઉપાધ્યાયજી મહારાજ પાસે અગાધ જ્ઞાન હતું. સમકાલીન વ્યક્તિનું બહુમાન જલદી કોઈ કરતું નથી. અને જો કોઈનામાં અસાધારણતા હોય તો જ કરે છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની પ્રતિભાને સમજવા માટે તેમની ગુરુપરંપરાને જાણવી જરૂરી છે. મણિની ઉત્પત્તિ મણિની ખાણમાંથી જ થાય....! આજરે પદ્મામાનાં ગર્ભાવમળે: ત: ' પદ્મરાગમણિની ખાણમાં કાચ ન થાય, તેમ તેમના ગુરુ પણ તેવા હતા. તેમના ગુરુનું નામ શ્રી નયવિજયજી આવા ગુરુ કોઈકને જ મળે. નયવિજ્યજીના ગુરુભાઈ તે જીતવિજ્યજી. ઉપાધ્યાયજી મહારાજે ઘણા ગ્રંથોમાં તેઓ બન્ને પ્રત્યેના ઋણનો સ્વીકાર કર્યો છે. આની સાથે સાથે પોતાના સહોદર મોટાભાઈ એવા શ્રી પદ્મવિજ્યજી મહારાજનો ઉલ્લેખ પણ વારંવાર કરે છે. ગુરુપરંપરા જોઈએ તો....ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગુરુ તે પૂ. નયવિજ્યજી ગણિ અને પૂ. નયવિજયજીના ગુરુ તે પૂ. લાભવિજયજી ગણિ. પૂ. લાભવિજ્યજીના ગુરુ ઉપા. કલ્યાણવિજયજી અને ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજીના ગુરુ યશોજીવન પ્રવચનમાળા 6 — Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂ. હીરવિજયસૂરીશ્વરજી મહારાજ હતા. આમ જોઈએ તો પૂ. હીરવિજયસૂરીશ્વરજીની ચોથી પેઢીએ પૂ. ઉપાધ્યાયજી મહારાજ આવે, પણ તેમની વચ્ચે કાળનું અંતર ઘણું મોટું છે. પૂ. હીરવિજયસૂરીશ્વરજી મ. વિ. સં. ૧૬૫રમાં ઉનામાં કાળધર્મ પામ્યા. પૂ. વિજયસેનસૂરિજી વિ. સં. ૧૬૭૨માં કાળધર્મ પામ્યા અને તે પછી વિજયદેવસૂરિજી મહારાજનું અને તે પછી વિજયસિંહસૂરિજી મહારાજનું સામ્રાજ્ય પ્રવર્તમાન હતું. પૂ. ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મહારાજનો જન્મ પલખડી (ગુજરાત)માં વિ. સં. ૧૬૦૧ આસો વદિ અને સોમવારે થયો હતો. તેઓનું નામ ઠાકરશી હતું. પિતાનું નામ હરખાશા હતું તથા માતાનું નામ પૂંજીબહેન હતું. તેમની દીક્ષા વિ. સં. ૧૬૧૬ વૈશાખ વદિ રને દિવસે મહેસાણામાં પૂજ્યપાદ જગદ્ગુરુ પાસે થઈ હતી અને ઉપાધ્યાયપદ વિ. સં. ૧૬૨૪ ફાગણ વદિ ૭ પાટણમાં થયું હતું. તેઓએ રાજપીપળામાં મોટા વાદીને હરાવ્યો હતો અને રાજાએ તે નિમિત્તે ખૂબ સન્માન કર્યું હતું. ઉપાધ્યાય કલ્યાણવિજયજી માટે “શ્રુતસુવર્યાવસપટ્ટ' શબ્દ વાપરે છે. જેમ સોનાને તેની પરીક્ષા માટે કસોટી ઉપર કસવામાં આવે તેમ “આગમનાં સૂત્રોનો સાચો અર્થ કયો?” તે બાબતમાં તેઓ જે કહે તે જ પ્રમાણભૂત મનાતું. તેઓ પોતાની પૂર્વાવસ્થામાં બાહોશ મંત્રીશ્વર હતા અને અહીં પણ તેઓ ખૂબ નિપુણતા દાખવી શક્યા. તેમનું કંઠસ્થ જ્ઞાન ઘણું હતું. ષટ્રદર્શનના વેત્તા હતા અને વાદકળામાં નિપુણ હતા. તેમના શિષ્ય પંડિત લાભવિજયજી ગણિ વ્યાકરણમાં નિપુણ હતા. “હેમ ગુરુ સમવડો શબ્દ અનુશાસને” તે વાત ઉપાધ્યાયજી મહારાજ પોતે વારંવાર લખે છે. ગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ અકબર બાદશાહના આમંત્રણથી વિ. સં. ૧૬૩૯ના જેઠ વદ ૧૩ના દિલ્હી પધાર્યા ત્યારે તેઓ સાથે ૧૩ મુનિવરો હતા તેમાં એક આ પંડિત લાભવિજયજી મહારાજ. કર છે કે દિશામાં એક : યશસ્વી ગુરુપરંપરા ૦ ૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રીનો એક પ્રસંગ જાણવા જેવો છે. સં. ૧૬૩૪માં જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ ભૂગર્ભમાં રહેવા ગયા ત્યારે આ પં. શ્રી લાભવિજયજી મહારાજ તેમની સાથે હતા. બન્યું છે એવું કે જગદ્ગુરુશ્રી આદિ ઘણાં ઠાણાં કુણગેર ગામે ચોમાસું હતાં. ચોમાસામાં જ એક ઉપદ્રવ થયો અને જગદ્ગુરુને કુણગેરથી વડાવલી ગુપ્ત સુરંગના રસ્તે પહોંચાડવાનું નક્કી થયું. સાથે પં. શ્રી લાભવિજ્યજીને લીધા. સાંજના સમયે કુણગેરથી વડાવલી જવા માટે જ્યાંથી સુરંગનો રસ્તો હતો તે ખાડામાં જેવા ઊતર્યા તે વખતે શ્રી લાભવિજયજીને સર્પ કરડ્યો. વેદના થવા લાગી. હીરસૂરિરાસમાં આ પ્રસંગ કવિ ઋષભદાસે વર્ણવ્યો છે. હીર ખાઇમાં ઉતરે જિસે. લાભવિજયને અહી વલગો તિસે તે જ વખતે જગદ્ગુરુએ જે સ્થાને સાપે ડંખ દીધો હતો ત્યાં હાથ ફેરવ્યો અને સાપનું ઝેર ઊતરી ગયું. લાભવિજયને ફેર્યો હાથ, ભુજંગ વિષ તે ઉતરી જાત છીડે નીકલ્યો મુનિવર સાથ, વડલીમાં આવ્યો મુનિનાથ.” આવી મહત્ત્વની ઘટનામાં જગદ્ગુરુએ જેમને સાથે રાખ્યા હતા તે શ્રી લાભવિજયજી મહારાજ ઉપાધ્યાયજી મહારાજના દાદાગુરુ હતા. બીજો એક મહત્ત્વનો ઉલ્લેખ એ પણ મળે છે કે અજમેર પાસે વૈરાટનગરમાં વિ. સં. ૧૬૪૪માં ઇન્દ્રવિહાર પ્રાસાદમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાની ચૈત્યપ્રશસ્તિ સંસ્કૃત શ્લોકબદ્ધ છે. તેની રચના પણ આ જ શ્રી લાભવિજયજીએ કરેલી છે. વિ. સં. ૧૭૧૦માં પોષ મહિને પાટણમાં જે નયચક્રગ્રન્થની નકલ સાત મુનિવરોએ સાથે રહીને કરી તેમાં શ્રી લાભવિજયજીનું નામ છે. તે લાભવિજયજી જુદા છે. તે પછી તેમના શિષ્ય પૂ. નયવિજયજી મહારાજ તે પૂ. ઉપાધ્યાયજી મહારાજના ગુરુ. પોતાના ગુરુ માટે પૂ. ઉપાધ્યાયજી જ છે : એ તો જ તક છે, જે કર : : રેરક ૮ • યશોજીવન પ્રવચનમાળા Page #26 -------------------------------------------------------------------------- ________________ જ છે આ ૫. નયવિજયજી મહારાજ મહારાજ ઊંચામાં ઊંચા શબ્દો વાપરે છે, તેમના ઉપર અપાર ભક્તિ છે. “જેઓની કૃપાથી અમારા જેવા મૂર્ખ પણ પંડિતોની પંક્તિમાં બેસે છે.” (ગુરુતત્ત્વવિનિશ્ચય) “શ્રી નયવિજય ગુરુ તણો નામ પરમ છે મંત.” ગુરુમહારાજનું નામ પરમ મંત્ર સ્વરૂપ છે. પોતાના ગુરુના કારણે જ પોતે કાશી જઈ શક્યા છે, તે ઋણ તેઓ ક્યારેય ભૂલ્યા નથી. “તથા વીરસ્ય વધમમનસ્ યે મમ તે’’ “રહીય કાશીમઠે એક : યશસ્વી ગુરુપરંપરા ૦ ૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ જેહથી મેં ભલે ન્યાયદર્શન વિપુલ ભાવ પાયા.” ખૂબીની વાત તો એ છે કે ઉપાધ્યાયજી મહારાજ જે કૃતિઓની રચના કરતા તેની શુદ્ધ સ્વચ્છ નકલો કરવાનું કામ તેમના ગુરુ પૂ. નયવિજયજી भडारा ४२त. घl.d. वि. सं. १७११भ रयायेदा 'द्रव्य-राપર્યાયનો રાસની નકલ પાલનપુરના ભંડારની, પૂ. નવિજયજી મહારાજના હાથની લખેલી આજે પણ સચવાયેલી છે : सं. १७११ वर्षे पंडित जसविजयगणिना विरचित: संघवी हांसाकृते आसाढ मासे श्री सिद्धपुरनगरे लिखितश्च श्री भट्टारक श्री देवसूरिराज्ये पं. नयविजयेन श्री सिद्धपुरनगरे प्रथमादर्श: सकल विबुधजनचेतश्चमत्कारकोऽयं रास: सकलसाधुजनैरभ्यसनीय: श्रेयोऽस्तु संघाय । (पत्र ११-१५ पालणपुर संघ भंडार दा. ४६ नं. १० जैन गू. कविओ भा. ४, पृ. २००) म मं शवर्षपझिविजयमलिनाविरसिंघवीसारुलेग्राघाटमा॥श्रमिपुर। नालिसितधनारकलीविजयदेवमिराज्ये-नयरिजमेनामासिउरनगरेप्रमार कामकजनवेतमकारकारकायरामासकस्मारजानरसामनामाभिमेनुसंधान wwee e w arRAMMARIKE0936800%ARRB00003083RBARABARI828-09829858080288 RISRRENTIWASIRISHMIRMIRE C IRSANARASIMARITM700-10RIRINRNSMITNIRAINRIRAik ૧૦ • યશોજીવન પ્રવચનમાળા Page #28 -------------------------------------------------------------------------- ________________ Ess ગુરુ જે લખે તેની નકલ શિષ્ય કરે એવા તો અનેક દાખલા મળે, પણ અહીંયાં તો શિષ્ય જે કોઈ નવું નવું સાહિત્ય રચે તેની નકલ કરવાનું કામ ગુરુએ કર્યું છે. જો કે પંડિત નયવિજયજી પણ વિદ્વાન છે. તેઓએ રચેલી એક ભક્તામર સ્તોત્ર ઉપરની સંસ્કૃત વૃત્તિ મળે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ પૂ. નયવિજયજીનો ગુરુ તરીકે, પૂ. વિજયદેવસૂરિજી મહારાજનો દીક્ષા આપનાર તરીકે, પૂ. લાભવિજયજીનો દાદાગુરુ તરીકે, પૂ. પં. શ્રી જીતવિજયજી મહારાજનો ગુરુજીના મોટા ભાઈ તરીકે ઉલ્લેખ કરે છે અને ખાસ તો પોતાનામાં જે શતમુખી વિદ્વત્રતિભા ખીલી તેનું શ્રેય તેઓ આ પંડિત જીતવિજયજી મ. કે જેઓ પં. શ્રી નવિજયજીના સહોદર ભાઈ અને ગુરુભાઈ હતા – તેમને આપે છે. ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિની ટીકાની પ્રશસ્તિમાં તેઓ માટે નોંધે છે કે ૫. જીતવિજયમ.નું કરુણાકલ્પવૃક્ષ મારા સમા નંદનવનમાં ફલ્યું. એ કલ્પવૃક્ષમાં શાસ્ત્રાભ્યાસ નવીન સુંદર અંકુર છે. પદોની વ્યુત્પત્તિ પલ્લવ છે, કાવ્ય અને અલંકાર પુષ્પ છે, તર્ક અને ન્યાયનો અભ્યાસ ફળ છે.” આમ ૫, જીતવિજયજીની વિદ્વત્તા પણ વ્યાપક હતી. એમ આ પાંચેયનો ઉલ્લેખ પોતાની કૃતિઓમાં વારંવાર કરે છે. સામાચારી પ્રકરણની વૃત્તિના અંતે પણ ખૂબજ ઉત્તમ શબ્દોમાં સ્તુતિ કરી છે તે શ્લોક આ પ્રમાણે છે: येषां कीर्तिरिह प्रयाति जगदुत्सेकार्थमेकाकिनी पाथोधेर्वडवानलाद् धुसरितो भीता न शीतादपि । षट्तर्कश्रमसंभवस्तवरवख्यातप्रतापश्रियं श्रीकल्याणविराजमानविजयास्ते वाचकास्तेनिरे ॥ ६॥ એક યશસ્વી ગુરુપરંપરા ૦ ૧૧ sational Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ स्वप्रज्ञाविभवेन मेरुगिरिणा व्यालोडिताद यत्नतो हैमव्याकरणार्णवाज्जगति ये रत्नाधिकत्वं गताः । एते सिंहसमाः समग्रकुमतिस्तम्बेरमत्रासने श्रीलाभाद्विजयाभिधानविबुधा दिव्यां श्रियं लेभिरे ॥ ७ ॥ दत्तः स्म प्रतिभां यदश्मन इव प्रोद्यत्प्रवालश्रियं येषां मादृशबालिशस्य विलसत्कारुण्यसान्द्रे दृशौ । गीतार्थस्तुतजीतजीतविजयप्राज्ञोत्तमानां वयं तत्तेषां भुवनत्रयाद्भुतगुणस्तोत्रं कियत्कुर्महे ॥ ८ ॥ विप्रानात्मवशांश्चिरं परिचितां काशीं च बालानिव क्ष्मापालानपि विद्विषो गतनयान् मित्राणि चाजीगणत् । मन्न्यायाध्ययनार्थमात्रफलकं वात्सल्यमुल्लास्य ये सेव्यन्ते हि मया नयादिविजयप्राज्ञाः प्रमोदेन ते ॥ ॥ ૬॥ જગતને સીંચવા માટે જેઓની કીર્તિ સમુદ્રના વડવાનલથી કે આકાશ ગંગાની ઠંડીથી બીધા વગર એકાકિની વિચરે છે તે વાચક શ્રી કલ્યાણવિજય મહારાજે ષટ્ તર્ક (દર્શન) અંગે કરેલા શ્રમથી ઉત્પન્ન થયેલ સ્તવનના ધ્વનિથી પ્રસિદ્ધ થયેલ પ્રતાપશ્રીને વિસ્તારી || ૬ || સ્વપ્રજ્ઞાના વૈભવરૂપ મેરુ પર્વતથી પ્રયત્નપૂર્વક મંથન કરાયેલા હૈમવ્યાકરણરૂપ સમુદ્રમાંથી પ્રાપ્ત કરેલ રત્નોના કારણે જેઓ રત્નાધિક બન્યા તે આ સમગ્ર કુમતરૂપ હાથીઓને ત્રાસ આપવામાં સિંહસમા શ્રી લાભવિજય નામના પંડિત દિવ્ય શોભાને પ્રાપ્ત કરી. ૢ || જેઓની વિલસતી કરુણાથી વ્યાપ્ત બે આંખોએ મારા જેવી બાલિશ વ્યક્તિરૂપ પત્થરને ચમકતા પ્રવાલની શોભારૂપ પ્રતિમા આપી તે, ગીતાર્થોથી સ્તવાયેલ છે આચાર જેઓનો એવા પ્રાજ્ઞોત્તમ શ્રી જીતવિજય મહારાજના ત્રણે ભુવનમાં અદ્ભુત એવા ગુણોનું સ્તવન અમે કેટલું કરીએ | ૮ || મારા ન્યાય-અધ્યયનનું પ્રયોજન માત્ર છે ફળ એવું વાત્સલ્ય યશોજીવન પ્રવચનમાળા Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રગટાવીને જેઓએ વિપ્રોને આત્મવશ કર્યા, (તદ્દન અપરિચિત એવી) કાશીને ચિરપરિચિત કરી, રાજાઓને બાળક જેવા હઠીલા ગણી યથા યોગ્ય આચરણ કર્યું તેમજ ન્યાયનીતિ શૂન્ય એવા ઉદ્દામ શત્રુઓને પણ મિત્ર ગણી તેઓની સાથે મિત્રની જેમ વર્તી મારા અધ્યયન કાર્યને સાધ્યું તે પ્રાજ્ઞ શ્રી નવિજ્ય મહારાજની હંમેશાં મારા વડે પ્રમોદપૂર્વક ઉપાસના કરાય છે | ૯ | ઉપાધ્યાયજી મહારાજે આ રીતે પોતાના ગુરુઓ પ્રતિ કૃતજ્ઞતા. પ્રગટ કરી છે. એમને આવા ઉત્તમ પુરુષોનું સાંનિધ્ય મળવાથી તેમની પ્રતિભા ખૂબ પાંગરી છે. હવે પછી તેઓશ્રીના જીવન-જન્મ વગેરે વિગતોને જોઈશું. : જ ફાડા લાડકા : સરકારી કર ફ : હા જી રરર 3 રજુ તો તiી કરી શકે છે , મારી જાતે છેજો કે રીતે જાણ ની વિગત ની જ મત ની મજા આવે છે એક : યશસ્વી ગુરુપરંપરા ૦ ૧૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ Page #32 -------------------------------------------------------------------------- ________________ .......... શ્રમણજીવનસંજીવની .... I વાયા ચેતન! જ્ઞાન અજુઆલજે, યલજે મોહ સંતાપ રે, દુરિત નિજ સંચિત ગાલજે, પાલજે આદર્યું આપ રે. ચેતન! જ્ઞાન અજુઆલજે. ૧ ખલ તણી સંગતિ પરિહરે, મત કરે કોઈય્ ક્રોધ રે; શુદ્ધ સિદ્ધાંત સંભારજે, ધારજે મતિ પ્રતિબોધ રે. ચેતન! હરખ મત આણજે તૂસવ્યો, દૂહવ્યો મત ધરે ખેદ રે; રાગદ્વેષાદિ સંધિ (સંઘે) રહે, મનિ વહે ચારૂ નિર્વેદ રે. ચેતન! ૩ પ્રથમ ઉપકાર મત અવગણે, તું ગણે ગુરુગુણ શુદ્ધ રે; ાિં તિહાં મત ફરે ફૂલતો, ઝૂલતો મ રહે મુદ્ધ રે. ચેતન: ૪ ચાલતો આપબુંદે રખે, મત ભખે પુંઠનો મંસ રે; કથન ગુરુનું સદા ભાવજે, આપ શોભાવજે વંશ રે. ચેતન: ૮ ધારજે ધ્યાનની ધારણા, અમૃતરસ પારણા પ્રાય રે; આલસ અંગનું પરિહરે, તપ કરી ભૂષજે કાય રે. ચેતન! ૧૧ ૧૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ ધન્ય કનોડા ધન સોભાગદે ધન નારાયણ ધર્મશૂરા ધન સુહગુરુ શ્રી નવિજયજી ધનધન એ ધનજી સૂરા ધન સિંહસૂરિજી જેણે હિતશિક્ષાના દીધાં દાન વન્દન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાન. ભર ચોમાસે મૂસળધાર વરસે પાણી દિવસ ને રાત ભક્તામરની શ્રવણપ્રતિજ્ઞા કારણ ત્રણ ઉપવાસી માત સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન વન્દન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાન. ૧૬ • યશોજીવન પ્રવચનમાળા Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન બે E dit : ", રોજ શા માટે કટિક જે કે ધન્ય કનોડા: “માથે ધરું ધૂળ વસુંધરાની” तेभ्यो नमस्तदीयान् જિનશાસનને પ્રાપ્ત તો ઘણા કરે છે, પણ પ્રાપ્ત કર્યા પછી આત્મસાત્ તો કોક જ કરે છે. આ આત્મસાત્ કરવું ખૂબ દુષ્કર છે. કોઈપણ સારી ચીજની પ્રાપ્તિ તો અનાયાસે થઈ જાય છે, ઘણીવાર ઘણી રીતે થઈ જાય છે, પણ તે દરેક વખતે આત્મસાત્, થતી નથી. દા.ત. ૧૪ રાજલોકનો અંત આવે છે ત્યાં બાદર પૃથ્વીકાય જીવો સિદ્ધશિલાની પાસે પ્રાપ્તિ મેળવી શકે પણ તે બધા તે સ્થાનને આત્મસાતું નથી કરી શકતા. આત્મસાત્ કરવા ઘણી વખત જે પ્રવાહ ચાલે છે તેનાથી સામે પ્રવાહે ચાલવું પડે છે. સદીઓથી ચાલ્યા આવતા જિનશાસનમાં યુગે યુગે આવા સામે પ્રવાહે ચાલનારા પુરુષો થયા છે, તેથી જ જિનશાસન ટકી રહ્યું છે. આવા પ્રભાવી પુરુષો જિનશાસનના જીવતત્ત્વના પિંડનું સંમાર્જન કરીને તેને ટકાવી રાખે છે. પરમાત્માને કેવળજ્ઞાન થયું ત્યારે શ્રી જિનશાસનની પ્રાપ્તિને બીજરૂપે સ્થાપ્યું. આ શાસન પાંચમા આરા સુધી ચાલવાનું છે. તેમાં જ્યારે ઓટ આવે ત્યારે પ્રભાવી પુરષો જિનશાસનના મૂળ સત્ત્વને ક્યાંકથી ને ક્યાંકથી પાછું લઈ આવે છે અને શાસનનો તાંતણો વળી ૨૦૩૦૦ વર્ષ લંબાય છે. બે : ધન્ય કનોડાઃ “માથે ધરું ધૂળ વસુંધરાની” • ૧૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે પોતાના પ્રબળ પુરુષાર્થથી જિનશાસનની જ્યોતિને પ્રદીપ્ત કરીને તેને જાજ્વલ્યમાન બનાવ્યું. પરંતુ તે પછી છસો વર્ષના ગાળામાં કાળક્રમે તેમાં ઝાંખપ આવી ગઈ. તે ગાળામાં જિનશાસનમાં આરાધક મુનિવર્ગ વિશાળ થયો, અનેકાનેક આચાર્યો થયા પણ પ્રભાવક મુનિવર્ગ સાવ નહિવત્ હતો. આરાધક મુનિઓ સ્વકલ્યાણમાં લીન હોય છે, પરંતુ જિનશાસનમાં ફેલાયેલા અંધકારને ઉલેચીને પ્રકાશ પાથરવાનું કામ તો પ્રભાવક મુનિઓ જ કરી શકે છે. આરાધક સ્વકલ્યાણસાધક હોય છે જ્યારે પ્રભાવક સ્વ-પરકલ્યાણસાધક હોય છે. કોઈપણ ધર્મ અને તેનું શાસન સ્વયં પૂર્ણ હોવું જોઈએ. તેની પોતાની અંદર તો તેજ હોવું જ જોઈએ સાથેસાથે સમકાલીન અન્ય હરીફોની સામે ટકવાની ક્ષમતા પણ તેનામાં હોવી જોઈએ. આ માટે પ્રભાવક પુરુષમાં પુણ્ય અને પવિત્રતા બંને જોઈએ. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યમાં આ બંને અંગો હતાં. રાજા કુમારપાળને પણ તેઓ સંપૂર્ણ એવા જૈનધર્મના અનુયાયી બનાવી શક્યા. આ કામ ખૂબ દુષ્કર છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાયજી મહારાજની વચ્ચે છસો વર્ષના ગાળામાં શ્રી વલ્લભાચાર્યે શૃંગારના ધર્મની સ્થાપના કરી. તે પ્રમાણે શ્રીનાથજી જેવાં તીર્થોમાં ત્રણ વખત ભોગ ધરાવાય, કૃષ્ણલીલા થાય, તે ધર્મના અનુયાયીઓ ગોપીતુલ્ય ગણાય વગેરે લક્ષણોવાળો શૃંગારનો ધર્મ જૈન ધર્મ માટે પડકારરૂપ હતો. આ તો બાહ્ય ધર્મનો ખતરો પેદા થયો હતો, જે ચિંતા કરાવે તેવો હતો. ધર્મમાં જ અધર્મની સ્થાપના થઈ હતી. તે એ રીતે કે જે જિનમૂર્તિ ઐતિહાસિક રીતે પુરવાર થયેલી હતી, જે જિનમૂર્તિ ચિત્તને સ્થિર, શાંત અને નિર્મળ બનાવવા સમર્થ હતી તે મૂર્તિનો અને મંદિરનો જોરદાર વિરોધ કર્યો. સોળમા સૈકામાં ધર્મની ચાલી આવતી પરંપરાને રોકવાનો આ પ્રયત્ન જોરદાર હતો. આવા કપરા સમયમાં આવા પુરુષો ન થયા હોત તો આજે યશોજીવન પ્રવચનમાળા * 1 Page #36 -------------------------------------------------------------------------- ________________ આપણી સ્થિતિ શું હોત? તે ખબર નથી. જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજની પાટે આવેલા શ્રી વિજયસેનસૂરિજી કાળધર્મ પામ્યા પછી ધીમેધીમે શિથિલતા આવતી ગઈ અને વિજયસિંહસૂરિ કાળધર્મ પામ્યા ત્યારે તો જિનશાસન માટે ખતરો પેદા થાય તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી. આ વિષમકાળમાં નિર્ભીકતાપૂર્વક કહેવાનું બીડું ઝડપી લેવાની હિંમત ઉપાધ્યાયજી મહારાજે કરી. તેઓ આરાધક તો હતા જ, પ્રભાવક પણ હતા. તેમની પ્રભાવકતા બે રીતે નોંધપાત્ર હતી. એક તો, ગ્રંથો રચીને તેમણે પોતાનો પ્રભાવ ફેલાવ્યો હતો, અને બીજું પ્રતિપક્ષનેવિરોધપક્ષને એવા જવાબો આપતા કે સામો પક્ષ નિરુત્તર તો થઈ જ જાય અને સાથેસાથે નિ:સંશય પણ થઈ જાય. કોઈને નિરુત્તર કરવા તે તો સહેલું છે. તેનાથી માણસ તત્કાલ દલીલનો જવાબ આપી શકતો નથી, પણ તેના મનમાં શલ્ય તો રહી જ જાય છે, જ્યારે નિ:સંશય કરવું અઘરું છે. સામા પક્ષની વ્યક્તિના ચિત્તમાં સંશય માત્ર રહેતો નથી અને તેથી તે પૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. પોતાની સામે વાદી આવ્યા ત્યારે ઉપાધ્યાયજી મહારાજે તેમને નિઃસંશય પણ કર્યા. આવા પ્રતિકાર માટે માત્ર તર્ક પર્યાપ્ત નથી, શ્રદ્ધા પણ જરૂરી છે. આવા પુરુષને સત્યને અને સત્ત્વને જીવતું રાખવા માટે ખૂબ સહન કરવું પડ્યું છે. વહેતા પ્રવાહની અંદર રહેલા ખરાબ તત્ત્વ સામે આંગળી ચીંધવી સહેલી નથી. ઉપાધ્યાયજીના સમકાલીન યોગી શ્રીઆનંદઘનજીએ જે સત્યોને પોતાનાં પદો દ્વારા સમાજમાં મૂકવાનો પ્રયત્ન કર્યો તેને તે વખતનો સમાજ જીરવી ન શક્યો અને શ્રી આનંદઘનજી મહારાજ સમાજની વચ્ચેથી ખસીને સાધના માટે જંગલમાં ચાલ્યા ગયા. વ્યવહાર છોડીને તેઓ નિશ્ચયમાં જતા રહ્યા. યોગી બનીને જંગલમાં ગયા. જ્યારે ઉપાધ્યાયજી મહારાજે ક્યારેય વ્યવહાર માર્ગ છોડ્યો નથી. પોતે રચેલા સવાસો ગાથાના સ્તવનમાં તેઓએ ખૂબ હિંમત દાખવી છે. પહેલી ઢાળમાં તેમના હૃદયનો ક . બે : ધન્ય કનોડા : “માથે ધરું ધૂળ વસુંધરાની” ૦ ૧૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઝણઝણાટ સંભળાય છે. માર્ગની રક્ષા ખાતર સત્ય કહેતાં તેઓ ક્યારેય પણ અચકાયા નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના ગુરુમહારાજના દાદાગુરુ ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મહારાજનું જીવનવૃત્તાંત થોડું પણ મળે છે પણ પં. શ્રી લાભવિજયજી મહારાજ તથા પં. શ્રી નયવિજયજી મહારાજના જીવનનો ખાસ વૃત્તાન્ત મળતો નથી. કોઈક પૂર્વાશ્રમની થોડીક વાતો ક્યાંક ક્યાંક કરે છે, જ્યારે કેટલાક તો આ વાત ક્યાંય કહેતા જ નથી. અમસ્તાય જિનશાસનમાં દીક્ષા ધારણ કર્યા પછી તેમના પૂર્વાશ્રમની – સંસારની વાતોને જરાય મહત્ત્વ આપવામાં આવતું નથી. ઉપાધ્યાયજી મહારાજે પોતે પોતાની વાત ક્યાંય પણ કરી નથી, તેથી તેમના જીવનની ખાસ વિગતો આપણને મળતી નથી. પાટણના સંઘે આગ્રહ કર્યો ત્યારે શ્રી કાન્તિવિજયજીએ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન માટે ચાર ઢાળમાં “સુજસવેલી ભાસની રચના કરી તેથી તેમના જીવનની આટલી પણ વિગતો મળે છે. વિ.સં. ૧૭૪૩માં ઉપાધ્યાયજી મહારાજ સ્વર્ગવાસી થયા. પણ આ ઘટનાનાં વાર, તિથિ, મહિનો તો મળતાં જ નથી. તે જ રીતે જન્મતિથિ, જન્મસંવત પણ મળતાં નથી. તેમનાં માતા, પિતા, ભાઈ, ગામ વગેરેનાં નામોની વિગતો આપણને પ્રાપ્ત થઈ છે. બાકી જો “સુજસવેલી ભાસ'ની રચના થઈ ન હોત તો આટલી વિગત પણ મળત નહીં. તેમનું જન્મસ્થાન કનોડા. આ કનોડા ગામની વાત કરીએ તો એક જમાનામાં કનોડા ગામ જૈનોથી ઊભરાતું હતું. દા.ત. ૧૭માં સૈકામાં લખાએલી પાટણના ભંડારની “ઉપાસકદશાંગની હસ્તલિખિત પોથીની પુષ્યિકામાં જણાવ્યું છે કે આ ગ્રંથ ભાદરવા સુદ છઠના દિવસે કનોડામાં પૂર્ણ થયો. श्री अचलगच्छे श्री भावसागरसूरि सक्ष (शिष्य) वा. जिनवर्धन गणि श्री उपासकदशांग सूत्र श्री कणुडा ૨૦ • યશોજીવન પ્રવચનમાળા Page #38 -------------------------------------------------------------------------- ________________ गाम संवत् १६०८ वर्षे भाद्रवा शुदि ६ रवौ ॥ || નક્ષત્ત || છ || (નિવૃતમ્) અર્થાત્ વિ. સં. ૧૬૦૮ના ભાદરવા સુદિ ૬ રવિવારે અચલગચ્છના આચાર્ય શ્રી ભાવસાગરસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી જિનવર્ધન ગણીએ કનોડામાં ઉપાસકદશાંગ ગ્રન્થ (મૂલ) લખ્યો. આનો અર્થ એ જ થાય કે સાધુ મહારાજ ત્યાં ચોમાસું રહ્યા છે. તો જ ભાદરવો મહિનો આવે. અને જૈન સાધુ કોઈ પણ ગામમાં ચોમાસું ક્યારે રહી શકે? જ્યારે તેમાં શ્રાવકોનાં પૂરતાં ઘર હોય, જિનાલય હોય. પણ કાળના પ્રવાહમાં સ્થિતિ બદલાઈ. આ કનોડા ગામ રૂપેણ નદીના કાંઠે આવેલું છે. આ રૂપેણ નદીનો પ્રવાહ ખૂબ અવ્યવસ્થિત છે. ક્યારેક ક્યારેક તે પ્રવાહ પણ બદલે છે. પહેલાં તે ગામ આગળ હતું. ત્યાં કંસારાવાડો હતો, કંસારા ત્યાં હતા. અત્યારે કંસારા બધા વિસનગર જતા રહ્યા છે. અત્યારે દેરાસરની જગાએ ટીંબો છે. અત્યારે શ્રી યશોવિજયજી સરસ્વતી સદન’ બનાવ્યું છે તે તરફ પહેલાં ગામ હતું. આ કનોડા તે ક્યાં આવ્યું? તે વાત વર્ષો સુધી સંશોધનના વિષયરૂપે જ રહી હતી. એક તો આ ગામમાં જૈનોનું એક પણ ઘર નહીં, દેરાસર નહીં. વળી તે વિહારના ગામ તરીકેના રસ્તામાં આવે નહીં. સાવ અંદરનું ગામ. તેથી સાવ અજાણ્યું રહ્યું. ઘણાં વર્ષો પહેલાં પૂજ્ય આગમપ્રભાવક શ્રી પુણ્યવિજયજી મહારાજે જિજ્ઞાસાથી પ્રયાસ કરેલો. વિ. સં. ૨૦૦૦ની સાલ આસપાસ તેઓ ધીણોજથી આ જ કનોડામાં આવેલા. ગામમાં ફર્યા. રામજી મંદિરના ઓટલે બેઠા. પણ ગામના કોઈપણ માણસે તેમની સાથે વાત સુધ્ધાં ન કરી. એક બ્રાહ્મણ છે અને તેને ત્યાં પુરાણાં પુસ્તક છે તેવું જાણવા મળ્યું. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે તે બ્રાહ્મણ બહારગામ ગયો છે. તેથી કશી જ ચોક્કસ માહિતી મેળવ્યા વિનાના તેઓ પાછા ફર્યાં. બે ધન્ય કનોડા : “માથે ધરું ધૂળ વસુંધરાની” : ૨૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અમે પણ આ કનોડાની શોધમાં હતા જ. વિ. સં. ૨૦૩૩માં પાટણ જતી વખતે ધીણોજ આવેલા ત્યારે ત્યાંના સ્થાનિક શ્રાવકોને પૂછપરછ કરેલી પણ કોઈની પાસેથી માહિતી જ ન મળી. તે પછી સાતેક વર્ષ એ રીતે વીત્યાં. અરે, અમે વિ. સં. ૨૦૩૮માં પાટણ ચોમાસું કર્યું ત્યારે પણ તેની કશી ભાળ ન મળી પણ વિ.સં. ૨૦૪૦ના દેવકીનંદન સોસાયટીના ચોમાસા પછી તો દૃઢ સંકલ્પ સાથે જ વિહાર કર્યો. ઉત્તર ગુજરાત જવું છે અને કનોડા શોધવું છે. અને સાચે જ અમે બલોલમાં પ્રભુજીની વર્ષગાંઠ ઊજવીને પાલજ થઈને ગાંભૂ તરફ જતા હતા ત્યારે રસ્તામાં ગાંભૂ-હાઇસ્કુલના પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ મળ્યા. તેઓના મોઢે કનોડા ગામનું નામ સાંભળ્યું અને મનમાં આનંદની લહેરખી ફરી વળી. કહે કે ગાંભૂની નજીકમાં જ છે. પછી તો ગાંભૂ પહોંચ્યા. તપાસ કરી. ત્યાંથી માત્ર છ કિ.મી. કનોડા છે તે જાણ્યું. વળતે દિવસે એટલે કે મહામહિનાની પૂનમે ખૂબ રોમાંચ સાથે કનોડા ગામની ધરતી ઉપર પગ મૂક્યો અને તેની રજ માથે ચઢાવી. વળી પ્રશ્ન થયો કે આ કનોડા ગામ સાચું, પણ પંડિત શ્રી નયવિજયજી કુણગે૨થી કનોડા આવેલા તે આ જ કનોડા કે બીજું? વળી શ્રી યશોવિજ્યજી અહીંના જ કે બીજા કનોડાના? ગામનું એક માણસ પણ આ વાતમાં સાક્ષી પૂરે તો વિશ્વાસ બેસે. એટલે ગામમાં એ વાતની ખાતરી કરવા માટે તપાસ કરવા માંડી. ઘરડામાં ઘરડાં જનોને શોધ્યાં. તેમાં અમને જેમને ૯૯મું વર્ષ ચાલતું હતું તેવા શ્રી છબાભા જાની મળ્યા. અને તેઓએ કહ્યું કે “હા. અમારા ગામનો એક જસવંત કરીને છોકરો વર્ષો પહેલાં જૈન સાધુ થએલો.' બસ, અમને ઘણો સંતોષ થયો. એમણે કહ્યું કે દેરાસરનાં ખંડેરો અમે જોએલાં. એક દેરાસર હતું, જૈનોની વસતી હતી. ભાવસારનાં પણ ઘર હતાં પણ કાળક્રમે એ બધું ગયું તેથી વખત જતાં જૈનોના નકશામાંથી ગામ નીકળી ગયું. આ કનોડા ગામ ગાંભૂથી પૂર્વમાં છ કિલોમીટ૨ે છે. તેની દક્ષિણે ધીણોજ છે. ‘સુજસવેલી ભાસ'માં ઉલ્લેખ કરતાં શ્રી કાંતિવિજ્યજી જણાવે છે કે, યશોજીવન પ્રવચનમાળા Page #40 -------------------------------------------------------------------------- ________________ ગુજ્જરધર મંડન અછેજી નામે કનોડું વરગામ તિહાં વસે વ્યવહારિયોજી નારાયણ એહવે નામ. તસ ઘરણી સોભાગદેજી તસ નંદન ગુણવંત લઘુ પણ બુદ્ધે આગળોજી નામે કુંવર જસવંત સંવત સોલ અદ્યાસિયૅજી, રહી કુણગેર ચોમાસ શ્રી નવિજય પંડિતવરુજી, આવ્યા કહોડે ઉલ્લાસ. માતા પુત્રચ્યું, સાધુનાજી, વાંદિ ચરણ સુવિલાસ સુગુરુ ધર્મ ઉપદેશથી રે, પામી વૈરાગ પ્રકાશ.” સુજસવેલી ભાસ) આ કથન અનુસાર વિસં. ૧૬૮૮માં કુણગેરમાં ચોમાસું કરીને શ્રી નવિજયજી કનોડા આવ્યા ત્યારે માતા અને પુત્ર વંદન કરવા ગયાં. આમાં પિતાનો ઉલ્લેખ ક્યાંય નથી. માત્ર નામ આવે છે. “તિહાં વસે વ્યવહારિયોજી નારાયણ એહવે નામ” કદાચ તે વખતે તે હયાત ન પણ હોય, તે વ્યવહારિયા એટલે વેપારી હતા. નારાયણ તેમનું નામ. પાટણથી શંખેશ્વર જતાં હારીજના રસ્તે કુણગેર આવે. ત્યાં પણ શ્રાવકોની વસ્તી તે વખતે હશે, તો જ ત્યાં પં. શ્રી નવિજયજી ચોમાસું રહી શકે. અત્યારે તો શહેરો વધતાં નથી પણ વકરે છે. પહેલાંના સમયમાં શહેરો વસ્તીથી છલકાતાં હતાં, પણ વકર્યા ન હતાં. તે સમયે ગામડાં પણ સમૃદ્ધ હતાં. પોતાના ગામમાં જે ચીજ ઊપજે તેમાંથી જ આજીવિકા ચલાવતા. કુણગેરથી ચાણસ્માના રસ્તે મહેસાણા અવાતું. તે માટે પાટણ જવું ન પડે. શ્રી નયવિજયજી કુણગેરથી કનોડા આવ્યા ત્યારે માતા પોતાના બાળકને લઈને, બાળકને સંસ્કાર પડે તે માટે, ગુરુને વંદન કરવા માટે આવ્યાં. આ સમયની એક દંતકથા પ્રચલિત છે. આ વાતનો લેખિત પુરાવો ન હોવાથી તેને આપણે દંતકથા કહેવી પડે, તે સમયે તો કદાચ તે ઘટના બની પણ હોય, આટલાં વર્ષોથી આ દંતકથા ટકી - કોટી કોક છે જ ર જ Eી . રજ, બે : ધન્ય કનોડા: “માથે ધરું ધૂળ વસુંધરાની” • ૨૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શકી છે તેથી તેમાં કદાચ કાંઈક તો સત્ય હશે. આ દંતકથા ઉપાધ્યાયજી મહારાજની પ્રભાવકતાને લગતી છે. તેમના બાળપણની વાત છે. તેમની માતાને ભક્તામર સ્તોત્ર' સાંભળ્યા પછી જ પાણી કે અન્ન લેવાનો નિયમ હતો. કોઈપણ સમાજમાં માતૃવર્ગમાં ધર્મ ઓતપ્રોત થવો જોઈએ, તો જ સમગ્ર પરિવારમાં ધર્મ પ્રસરી શકે. માતા તો સમસ્ત ઘરનું પાવરહાઉસ છે દા.ત. ગાંધીજીનાં માતા પૂતળીબાઈને નિયમ હતો કે ચોમાસાના દિવસોમાં સૂર્ય ન દેખાય તો અન્ન મોંમાં ન નાંખવું. આ માટે ક્યારેક આઠ-આઠ ઉપવાસ પણ થતા. માતાના આ સંસ્કારો દીકાને વારસામાં મળ્યા હતા અને તેથી તેઓ ઉપવાસ સહજ રીતે કરી શકતા હતા. કહેવાય છે કે બાળકને ૮૦% વારસો તેનાં માતા ત૨ફથી, ૧૦% વા૨સો તેના પૂર્વભવનો અને ૧૦% વા૨સો તેના પિતા, શિક્ષકો, ભાઈબહેન વગેરેનો મળે છે. તેમની માએ નિયમ રાખ્યો છે. નિયમ વગરનાં તો ઢોર હોય, માણસ નહીં. એક કહેવત છે નાથ વિનાનો બળદ અને નિયમ વિનાનો મ૨૬ નકામો. નિયમ માણસને અંકુશિત કરે છે. જે ઢોરને લગામથી અંકુશિત કરવામાં આવે છે તે ઢોર પણ કામ કરતાં થઈ જાય છે, તેની સાર-સંભાળ લેવાય છે. બાકીનાં તો હરાયાં ઢોર બનીને ગામ આખાની લાકડી ખાય છે. માતા સોભાગદેને પણ સાધ્વીજી મહારાજ પાસેથી ભક્તામર સાંભળ્યા પછી જ અનાજ કે પાણી લેવાનો નિયમ છે. સતત ત્રણત્રણ દિવસ વરસાદ થતાં માતાને ત્રણ-ત્રણ ઉપવાસ થાય છે. સાધ્વીજી મહારાજના ઉપાશ્રયે જતાં રસ્તામાં નદી આવતી હતી. (આજે પણ કનોડા અને સદુથલા ગામની વચ્ચે રૂપેણ નદી આવે છે.) નદીમાં પાણી ઘણું તેથી ઉપાશ્રયે જવાયું નહીં. ત્રણ દિવસ આમ રહ્યું. જસવંતની ચકોર નજ૨થી આ છાનું ન રહ્યું. દિવસ આખો માતા માળા કરે છે, સામાયિક કરે છે પણ કાંઈ ખાતીપીતી નથી. ત્યારે જસવંત જીદ લઈને માતાને પૂછે છે કે “તું કેમ યશોજીવન પ્રવચનમાળા Page #42 -------------------------------------------------------------------------- ________________ છે જે મન ને યા ' T OS ' . . . . ને પતિ ને મનમાં તેના જ તેની છે . ખાતી પીતી નથી?” વારંવાર પૂછતાં માતા કહે છે કે “ભક્તામર સાંભળીને પછી જ ખાવાનો મારો નિયમ છે એટલે” ત્યારે જસવંત કહે છે કે “ભક્તામર તો મને આવડે છે. હું બોલું?” માતા સૌભાગ્યદેવી આ જવાબને રમૂજ માને છે. માતાને એમ કે આ નાના બાળકને ૪૪ ગાથાનું સંસ્કૃત સ્તોત્ર ક્યાંથી આવડવાનું છે? માતા અમસ્તી હા પાડે છે અને નાનો બાળક ઠાવકો થઈને ભક્તામર સ્તોત્રના એક પછી એક સંસ્કૃત શ્લોક ભૂલ વગર બોલવા માંડ્યો. સાંભળતાં સાંભળતાં માતાની આંખોમાંથી હર્ષનાં આંસુ ચાલ્યાં. માતા વિચારે છે કે “રોજેરોજ સાંભળવા છતાં મને ચોથો ભાગ પણ યાદ નથી, અને રમત-રમતમાં સાંભળીને જસવંતને ૪૪ ગાથાનું આખું “ભક્તામર સ્તોત્ર' યાદ રહી ગયું!” બે : ધન્ય કનોડા : “માથે ધરું ધૂળ વસુંધરાની’’ ૨૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આખા ગામમાં આ વાત ચોવીસ કલાકમાં જ પ્રસરી ગઈ. બધા વારંવાર તેને પૂછવા લાગ્યા. ગામમાં જાણે એક જોણું થયું. આ વાત પં. શ્રી નયવિજયજીને પણ ગામમાં આવતાંવેંત જાણવા મળી. અને આવામાં જ પં. શ્રી નયવિજયજીને માતા-બાળક વન્દન માટે આવ્યાં. ગુરુજીએ પૂછ્યું: ભક્તામર આવડે છે? અને જસવંત ભક્તામરના શ્લોક બોલવા લાગ્યો. ગામડા ગામનો નાનો છોકરો સ્પષ્ટ ઉચ્ચારે બધા જ શ્લોકો બોલી શક્યો તેથી ગુરુજીને પણ ઘણું આશ્ચર્ય થયું. ગુરુજીને સામાન્ય વિચાર સ્ફુર્યો અને માતાને પૂછ્યું કે “આ બાળક શાસનના ચરણે ધરવામાં આવે તો સ્વ અને પરનું કલ્યાણ કરે. સંસારમાં રહીને તો શું કરશે?” સ૨ળ-સ્વભાવી હળુકર્મી માતા સૌભાગ્યદેવીએ આ વાત વધાવી લીધી. ભારે કર્મી વ્યક્તિને હૈયે ધર્મની વાત જલદી ઊતરતી હોતી નથી, જ્યારે હળુકર્મી જીવને સાંસારિક વાત કરતાં ધર્મની વાતમાં વધારે રસ હોય છે. માના જવાબમાં હર્ષોલ્લાસ હતો. જસવંત પોતે પણ તૈયા૨ હતો. તેની આંખો આવું જ કાંઈ શોધતી હોય તેવું લાગ્યું. શ્રીમદ્ ભગવદ્ગીતામાં જણાવ્યું છે તેમ માણસને ઉત્તમકુળમાં – સંસ્કારી કુટુંબમાં જન્મ પણ પૂર્વની અધૂરી રહેલી સાધના પૂરી કરવા માટે મળે છે. યોગભ્રષ્ટ આત્મા એટલે જેની સાધના અધૂરી રહી છે તેવા આત્માઓનો જન્મ ઉત્તમ કુળમાં થાય છે. (શુદ્દીનાં શ્રીમતાં પોતે, યોગભ્રષ્ટોઽપિ નાયતે””) પછી તો જસવંતની દીક્ષાની તૈયારી થવા લાગી વગેરે અધિકા૨ આગળ ઉ૫૨ જોઈશું. • યશોજીવન પ્રવચનમાળા Page #44 -------------------------------------------------------------------------- ________________ देवताप्रसादथी विद्याप्राप्ति नच देवताप्रसादात् अज्ञानोच्छेदासिद्धिः, तस्य कर्मविशेषविलयाधीनत्वादइतिवाच्यम्. देवताप्रसादस्यापि क्षयोपशमाधायकत्वेन तथात्वात्; द्रव्यादिकं प्रतीत्य क्षयोपशम-प्रसिद्धेः ॥ (યશોવાણી) સ્તુતિવૃત્ત 9/8. પ્રશ્ન: દેવતાની કૃપાથી અજ્ઞાન દૂર ન થઈ શકે કારણ કે તે જ્ઞાનાવરણીય કર્મના ઘટવા સાથે સંબંધ ધરાવે છે. ઉત્તર: ના. આ તેવું નથી. દેવતાની પ્રસન્નતા પણ એ જ્ઞાનાવરણીય કર્મને ઘટાડવામાં કારણ બની શકે છે જેમ (બ્રાહ્મી વગેરે ઓષધિ સેવનથી) દ્રવ્ય = પદાર્થનો આશ્રય કરવાથી ક્ષયોપશમની વૃદ્ધિ થતી જણાય છે તેમ. Assistriji • ૨૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ કાશીતલ વહેતી ગંગાના કાંઠે નિશ્ચલ ધ્યાન ધરી ભગવતી દેવી સરસ્વતીને રિઝવીને વરદાન વરી ગુરુવરચરણપસાયે જેને લાગ્યું આતમઅનુભવજ્ઞાન વંદન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાન. ૨૮ • યશોજીવન પ્રવચનમાળા. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ત્રણ ના કેફ દીક્ષા: “ધન સુહગુરુ જેણે દીખિયા એ” तेभ्योनमस्तदीयान् ० આપણાં અનન્ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનનો મહિમા નિરાળો છે. ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલી વ્યક્તિ પ્રભુશાસનના મહારથમાં બેસે છે તો તે ક્યાં ને ક્યાં પહોંચે છે. માતા-પિતાને ધન્યવાદ આપવામાં આવે છે, ગુરુને પણ બિરદાવામાં આવે છે પણ ખરેખરતો યોગભ્રષ્ટ એ આત્મા પોતેજ પોતાનું એ જન્મનું અધૂરું કામ પૂરું કરવા કે આગળ ધપાવવા સ્થાન શોધી લે છે નહીંતર ૮૯ વર્ષની નાની વયમાં જિનશાસનનો શ્રમણજીવનનો કપરો માર્ગ કેવી રીતે ગમે? કેવી રીતે લેવાય! અને એવાં કઠોર લાગતા શ્રમણજીવનમાં કેવાં કાળનો કાટ ન લાગે તેવાં કામ કરી ગયા. - સાધુજીવન અને માનવજીવનની મર્યાદામાં કેટલું કામ થઈ શકે તેનું એક ચમત્કારિક ઉદાહરણ ઉપાધ્યાયજી મહારાજ પોતે જ છે. તેમણે જેટલા ગ્રંથો રચ્યા છે તેટલા ગ્રંથો આજે કોઈ એક વ્યક્તિ માટે રચવા અશપ્રાયઃ છે. યશોવિજયજીનો જન્મ કનોડામાં થયો છે અને જાણે કે તેમને ત્રણ : દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીખિયા એ” • ૨૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ શોધતા શોધતા જ પૂજ્ય નયવિજયજી મહારાજ ત્યાં આવ્યા એવું બન્યું છે. રત્ન તો પોતાના સ્થાને જ પડ્યું હોય છે, ઝવેરી તેને શોધતો શોધતો તેની પાસે આવે છે. કવિ કાલિદાસની એક ઉક્તિ છેઃ “ર રત્નવિષ્યતિ મૃતે દિ તત્વ' “રત્ન શોધવા જતું નથી પણ રત્ન કોઈના વડે શોધાય છે.” તે સમયે ખરતરગચ્છ વગેરે ઘણા ગચ્છો હતા, પણ તપાગચ્છ માત્ર ટકી શકે તેવો ગચ્છ હતો. આ કોઈ અતિશયોક્તિ નથી. આ પરંપરાને જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજનું નેતૃત્વ મળ્યું છે. પૂ. હીરવિજયસૂરિજી મહારાજ જ્યારે અકબર બાદશાહને મળવા ગયા ત્યારે તેમની પાસે ચુનંદા, બહોળા અનુભવવાળા તેર સાધુઓ હતા, લગભગ ૨૦૦૦ સાધુઓમાંથી તેર સાધુઓને ચૂંટવામાં આવ્યા હતા. એટલે આ કસોટી કેટલી આકરી હશે તે વિચારવાનું છે. આ તેર સાધુઓમાંના એક તે શ્રી લાભવિજયજી, અને ખૂબ બહોળા અનુભવવાળા શ્રી લાભવિજયજી પાસે પૂનયવિજયજી મહારાજનો ઉછેર થયો છે. આવા શ્રી નવિજયજી મહારાજ રત્નને શોધતા શોધતા કનોડા આવ્યા છે. ઉપાધ્યાયજી મહારાજની દીક્ષાનું પવિત્ર કામ પણ ઉત્તમ, વરદાયક કરકમલો વડે થાય તે માટે તેમની દીક્ષા પાટણમાં પૂજ્ય વિજયદેવસૂરિજી પાસે કરાવવાનો નિર્ણય શ્રી નયવિજયજી લે છે. તે સમયે પૂ. હીરસૂરિ મહારાજના સમુદાયના વડા શ્રી વિજયદેવસૂરિ મહારાજ હતા. તપાગચ્છમાં તેઓ મુખ્ય હતા. વિ.સં. ૧૬૮માં દીક્ષા પાટણમાં થાય છે. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના દેરાસરની બાજુમાં જે પોળિયાનો ઉપાશ્રય કહેવાય છે તે ઉપાશ્રયમાં તેઓની દીક્ષા થઈ હતી. ઉપાધ્યાયજી મહારાજના મોટાભાઈ પદમસિંહ હતા. પદમસિંહ બીજો વળી જી તસ બંધવ ગુણવંત, એહ પ્રસંગે પ્રેરીયોજી તે પણ થયો વ્રતવંત.” છે , કે , જે જ જઇ છે. હાલ દશ થી રૂ . . શાક કડક કાકી સાફ કરી ૨ : જુ ૩૦ • યશોજીવન પ્રવચનમાળા Page #48 -------------------------------------------------------------------------- ________________ આમ સુજસવેલી ભાસમાં વર્ણન છે. તેના ઉપરથી તારણ એ નીકળે છે કે પદમસિંહ તેમનાથી ઉંમરમાં મોટા છે એ વાત તો ઉપાધ્યાયજી મહારાજે પણ લખી જ છે. “શ્રી પદ્મવિનયાનુન:।” ‘‘પ્રાજ્ઞાનુનના શિશુ: ।'' વગેરે ઉલ્લેખો તથા પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્ય ગણી શ્રી લક્ષ્મીવિજ્યજીએ લખેલી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત પ્રતિમાશતકની સંવત ૧૭૨૩માં લખાયેલી પોથીની પુષ્ટિકામાં॰ પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે તો ત્રણ : દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીખિયા એ” ૩૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ એ વાત નક્કી થાય છે. પણ દીક્ષામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મોટા છે એ વાતનો નિર્ણય કોબા શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના હ.લિ. ભંડારમાં એક પત્ર પંડિત પદ્મવિજ્યજીના હાથનો લખેલો મળ્યો છે. આ પત્ર ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ ઉપર લખાયો છે. તેમાં તેઓને વંદના લખે છે અને પૂન્યારાધ્ય લખે છે. તેથી દીક્ષાપર્યાયમાં તેઓ નાના છે એટલે કે ઉપાધ્યાયજીની દીક્ષા થઈ તે જોઈને તેમને પ્રેરણા મળી અને તે પછીથી તેઓની દીક્ષા થઈ હશે. એટલે પં. શ્રી પદ્મવિજ્યજી ઉંમરમાં મોટા પણ દીક્ષામાં નાના હતા એ નિશ્ચિત થાય છે. તેમની દીક્ષા ક્યાં થઈ તેનો ઉલ્લેખ મળતો નથી. પણ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.ના યોગોદ્વહન અને વડી દીક્ષા પણ પાટણમાં પૂ. વિજ્યદેવસૂરિ મહારાજ પાસે જ થાય છે. તે પછી તો જોતજોતામાં તેમણે ખૂબ પ્રગતિ સાધી. સંજોગો સાનુકૂળ હતા તેથી અભ્યાસમાં તેમની ગતિ ખૂબ તીવ્ર થઈ. ‘સુજસવેલી ભાસ'માં જણાવ્યું છે કે “સાકર-દલમાં મિષ્ટતાજી, તિમ રહી મતિ શ્રુત વ્યાપ” એટલે કે શ્રુતજ્ઞાનમાં તેમની તિ, સાકરના કણેકણમાં જેમ મીઠાશ હોય તેમ એક સરખી ફેલાઈ ગઈ હતી. કોઈ પણ ગ્રંથમાં તેમની ગતિ તોમય થતી હતી. વિ.સં. ૧૬૮૯થી ૧૬૯૯નાં દશ વર્ષમાં જ સાધુજીવનમાં જરૂરી ધાર્મિક, સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સાહિત્યનો અભ્યાસ તેમનો પૂરો થઈ ગયો. આવા પ્રતિભાસંપન્ન પુરુષોને છ માસનો અભ્યાસ પૂરો કરતાં પંદર દિવસ જેટલો ગાળો માંડ જતો હોય છે. ગ્રન્થસ્થ જે કાંઈ આપો તે બધું જ કંઠસ્થ, પૂ. નયવિજ્યજી મહારાજ પણ પોતાના શિષ્યની પ્રતિભાથી સભાન હતા અને આ બાબતમાં કાંઈ પણ કરવા માટે પળેપળ તૈયાર હતા. સાધુજીવનની આખી આયુષ્યમર્યાદામાં જે ભણવાનું હતું તે ભણી લીધું. હવે શું? તેમને હજી આગળ ભણાવી શકે તેવા કોઈ અહીંયાં ગુજરાતમાં તો છે નહીં. બધા લોકોને તેમનામાં અગાધ પ્રતિભાનાં દર્શન થતાં હતાં. તે કાળે જૈનશાસનનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ હતું, જે ત્યારે યશોજીવન પ્રવચનમાળા Page #50 -------------------------------------------------------------------------- ________________ રાજનગર કહેવાતું હતું. પાટણનો એક જમાનો હતો પણ તેનો પ્રભાવ ઓસરવા માંડ્યો હતો. પંડિત શ્રી નયવિજયજી મહારાજ, શ્રી યશોવિજયજી મહારાજ વગેરે અમદાવાદ આવ્યા. તે જમાનામાં શ્રાવકો સાથેનો સાધુનો સંબંધ ઊંચા પ્રકારનો હતો. નિવ્યાજ અને લાગણીભર્યો એ સંબંધ હતો. આજથી સો સવાસો વર્ષ પહેલાં પણ આ સંબંધ કેવા પ્રકારનો હતો તેનું એક દષ્ટાંત છે. તે વખતે સંસ્કૃત, વ્યાકરણ વગેરેનો અભ્યાસ ઘટેલો હતો. એક સાધુ મહારાજ પર્યુષણના ચોથા દિવસે પાટ ઉપર બેસીને વ્યાખ્યાનના પ્રારંભમાં સંસ્કૃત શ્લોક શરૂ કરે प्रणम्य परमश्रेयस्करं श्री जगदीश्वरम् । कल्पे सुबोधिकां कुर्वे वृत्तिं बालोपकारिणीम् ॥ આટલો શ્લોક સાંભળ્યો ત્યાં તો આગળ બેઠેલા એક શ્રાવકનાં રોમાંચ ખડાં થઈ ગયાં કે “ઓહોહો ! આજે સાધુ મહારાજ સંસ્કૃત વૃત્તિના આધારે બોલશે! તેના હૈયે આનંદ આનંદ થઈ ગયો. તે જમાનામાં શ્રીફળ, પતાસા, ખારેકની પ્રભાવના વારંવાર થતી પણ રૂપિયાની પ્રભાવના તો ક્યારેક જ થતી. તે શ્રાવક તે સમયે ઘરે જઈને રૂપિયા લઈ આવ્યા અને રોકડા ચાંદીના રૂપિયાની પ્રભાવના કરી. આવો સુંદર સંબંધ તે વખતે હતો. તે સમયના ખરતરગચ્છ, વિમલગચ્છ, અચલગચ્છ, પૂનમિયાગચ્છના સાધુઓએ પણ શ્રી યશોવિજયજીની પ્રતિભા વિષે સાંભળ્યું. ત્યારે શ્રી નવિજયજી, યશોવિજયજીને કહે કે “તું શ્રી સંઘને કંઈક સંભળાવ તો ખ્યાલ આવે.” આ વખતે યશોવિજયજી આઠ અવધાન કરે છે. અવધાનની પણ એક કળા છે. આઠ વિષયના આઠ માણસો આવે છે અને કોઈક ઉમાં શાયરી બોલે છે, કોઈક અંગ્રેજીમાં કાવ્ય બોલે છે, કોઈક ગણિતમાં દાખલો કહે છે, કોઈક સંગીતનો રાગ ગાય છે. પછી કોણ શું બોલ્યું હતું તે આડુંઅવળું ત્રણ : દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીમ્બિયા એ” • ૩૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ પુછાય છે. કોઈ પણ જાતની પૂર્વતૈયારી વગર એક પણ ભૂલ પાડ્યા સિવાયના આ આઠ અવધાન શ્રી યશોવિજયજીએ કર્યા ત્યારે બધા તાજાબ થઈને ખુશ થઈ ગયા. તે જમાનામાં શાસ્ત્રાર્થ પ્રચલિત હતા પણ આમ જનતાને તેમાં ખાસ રસ ન પડે, જાણે તુંબડીમાં કાંકરા ખખડતા હોય તેવું લાગે. સમગ્ર શ્રીસંઘ આ અવધાનથી ખુશખુશાલ થયો. તેમાંના મુખ્ય શ્રાવક શા ધનજી સૂરા હતા. આ શાહ ધનજી સૂરા અમદાવાદના ઓસવાળ સંઘવી હતા. તેમના પિતા સૂરા અને તેમના ભાઈ રતન સે ૧૬૭૪ પહેલાં વિદ્યમાન હતા. સં. ૧૬૮૭ના દુકાળમાં એમણે દાનશાળા ચલાવેલી અને શ્રી શત્રુંજયના કુલ અઢાર સંઘ કાઢેલા. ધનજી અને રતનના પુત્ર નિજીએ સમેતશિખરની યાત્રાનો સંઘ કાઢેલો એમાં એક લાખ એંશી હજારનું ખર્ચ કરેલું. અને આ જ ધનજી સૂરાએ વિજ્યપ્રભસૂરિજીનો ગણાનુશાનો નંદિમહોત્સવ અમદાવાદમાં સં. ૧૭૧૧માં ૮૦૦૦ મહમૂદિક ખર્ચાને કર્યો હતો. તેઓ ઊભા થઈને વિનંતિ કરતાં કહે છે કેઃ યોગ્ય પાત્ર વિદ્યાતણું જી, થાણ્યું એ બીજો હેમ' આ સાધુ મહારાજ તો વિદ્યાનું યોગ્ય પાત્ર છે અને બીજા હેમચંદ્રાચાર્ય થઈ શકે તેટલી ક્ષમતા ધરાવે છે. પણ ક્ષમતા ધરાવે છે એમ કહેવા માત્રથી તો કોઈ થઈ ન જાય, તે માટે આગળ અભ્યાસ કરવો જરૂરી બની જાય. તે કાળમાં દિગ્ગજ વિદ્વાનોની બાબતમાં ગુજરાતની એક મર્યાદા હતી. જેનદર્શન સિવાયનાં બીજાં દર્શનોના મોટામોટા પ્રવાહોનો પરિચય મેળવવા માટે તો કાશી જઈને અભ્યાસ કરવો પડે. તે વખતે સરસ્વતી દેવીનાં બેસણાં કાશીમાં હતાં. “સુજસવેલી ભાસમાં જણાવ્યું છે તેમ જો કાસી જઈ અભ્યર્સે જી, ષટ દર્શનના ગ્રંથ; કરિ દેખાડે ઊજવું , કામ પડત્રે જિન-પંથ.” અર્થાત્ કાશી જઈને, ષડૂ દર્શનનો અભ્યાસ કરીને, પ્રસંગ wwwwwww જે 80 કી ,કે ! સિ . સી. જે. * કે * * * Tી. તેણે જ છે રીતે ટીમમાં કરી છે જી : જાડા, છે કે અહી , છ, . જોકે, છે કાર ? Pો જ શા છે , કે જાણે કિડની શકાયદાકારી છે. જો આ 8 %, હું 14, , ૩૪ ૦ ચશોજીવન પ્રવચનમાળા. Page #52 -------------------------------------------------------------------------- ________________ આવી પડે તો, જિન-પંથ – જૈન ધર્મની તાકાત બતાવી શકે. પણ આ વાત એમ ને એમ તો શક્ય નથી. તરત પ્રશ્ન નાણાંનો આવે. “કાર્ય એહ ધનને અધીન” એમ ગુરુ કહે છે, ત્યારે સામે ચાલીને જવાબ આપતાં શા ધનજી સૂરા જણાવે છે કેઃ “દોઈ સહસ દીનાર, રજતના ખરચર્યું હો લાલ, પંડિતને વારંવાર, તથાવિધિ અરચણ્યું હો લાલ, છે મુજ એહવી ચાહ, ભણાવો તે ભણી હો લાલ, ઇમ સુણી કાશીનો રાહ, રહે ગુરુ દિનમણિ હો લાલ.” ચાંદીના બે હજાર દીનાર એટલે તે જમાનામાં ઘણા કહેવાય. પંડિતને વખતોવખત જે આપવું પડે તેની તૈયારી પણ બતાવી. પહેલ કરનાર કોઈક જોઈએ, પછી તો પગમાં ઘણું જોર આવે અને પહેલ કરનારની પાછળ ચાલનારા નાનુંમોટું દાન દેનાર પણ ઘણા મળી આવે. તેમાં નામ તો આ માટે દાન આપવાની પહેલ કરનાર શા ધનજી સૂરાનું જ જાણીતું થયું. જસ તેમને મળ્યો. કાશી જવા માટે પૂજ્ય વિજયસિંહસૂરિ મહારાજે આશીર્વાદ આપ્યા. અને શ્રીસંઘે પણ ખૂબ આશીર્વાદ આપ્યા. વિકટ સંયમજીવન માટેનાં પણ મમતાપૂર્વક જાતજાતનાં સૂચનો અને શિખામણ પણ બધાંએ આપ્યાં. - ના છે ક ફરજ છે આ છે કે કે કડક કે આ જ ઉપર | " ' આ કાર કઈક ડી. ડી છે . કે. ત્રણ : દીક્ષા : “ધન સુહગુર જેણે દીમ્બિયા એ” • ૩૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજીને કાશીદેશ અભ્યાસ કરવા જવાની તક મળી. કાશી જતાં પહેલાં વિ.સં. ૧૭૮૧નું ચોમાસું તેમણે કપડવંજ પાસે આવેલા ‘આંતરોલી ગામમાં કર્યું છે. આ સમયમાં તેમણે સ્યાદ્વાદરહસ્ય’ નામે ગ્રંથ રચ્યો છે, જેનો રચનાસમય સંવત ૧૭૮૧ નોંધાયેલ છે. કાશીગમન પહેલાં તેમના હાથે આવો સરસ ગ્રંથ રચાયો છે, જે તેમની ઉચ્ચકક્ષા બતાવવા માટે પર્યાપ્ત છે. આ ગ્રંથ આજે પણ મળે છે. આ ઉપરાંત વિ.સં. ૧૭૧૦માં ગુજરાતમાં આવી ગયાના ઉલ્લેખો મળે છે. એટલે વિ. સં. ૧૭૦૨થી ૧૭૦૮ના ગાળા દરમ્યાન તેઓ ચાર વર્ષ કાશીમાં અને ત્રણ વર્ષ આગ્રામાં રહ્યા છે તે નિશ્ચિત થાય છે, અને વચ્ચે એક વર્ષ વિ.સં. ૧૭૦૯નું ચોમાસું ક્યાંક કરીને વિ.સં. ૧૭૧૦માં ગુજરાત પાછા આવી ગયાના ઉલ્લેખની વાત આપણે આગળ ઉપર જોઈશું. યશોવિજયજી મહારાજને કાશીપ્રયાણ વખતે જે શિખામણો મળી તેમાં એક એ હતી કે કાશીમાં પ્રવેશ કરતાં પહેલાં ગંગાતટે મંત્રસાધના કરાવી લેવી. આ મંત્રસાધના સરસ્વતી દેવી માટેની છે. જેમ ‘ૐ’ પંચપરમેષ્ઠી માટે, ‘હીં ચોવીસ ભગવાન માટે, “ક્લી” લક્ષ્મી માટે બીજ મંત્ર છે તેમ “એં’ એ વિદ્યા માટેનો બીજમંત્ર છે. એ બીજમંત્ર ગુરુ મહારાજ તરફથી શુભ નક્ષત્રમાં શુભ વિધિપૂર્વક અપાય છે અને અપાયેલા મંત્રની સાધના એકવીસ દિવસ ચાલે છે અને ત્યારે તેમને ત્યાં સરસ્વતી દેવીનાં સાક્ષાત્ દર્શન થાય છે અને વિદ્યા માટેનું વરદાન પણ મળે છે. તેમણે પોતે આ વાત ઘણે સ્થળે ગ્રંથની આદિમાં કરી છેઃ ૩૬ ૦ યશોજીવન પ્રવચનમાળા Page #54 -------------------------------------------------------------------------- ________________ ऐंकारजापवरमाप्यकवित्ववित्त्ववाञ्छासुरद्रुमुपगंगमभङ्गरंगम् । ઘણા ગ્રંથનો પ્રારંભ પણ “ઐ પદથી જ કરે છે અને આ વાત બૂસ્વામિ રાસમાં પ્રારંભે જ આ રીતે મૂકી છેઃ “સારદ સાર દયા કરો, આપો વચન સુરંગ; તૂ તૂઠી મુજ ઉપરિ જાપ કરત ઉપગંગ. તર્ક કાવ્યનો તેં તદા, દીધો વર અભિરામ; ભાષા પણિ કરિ કલ્પતરુ શાખા સમ પરિણામ.” સારદ એટલે શારદા – સરસ્વતી દેવી. ગંગાના કિનારે જાપ કરતાં તું મારા પર પ્રસન્ન થઈ છે અને તે મને તર્ક-કાવ્યનું વરદાન આપ્યું છે. મારી ભાષા પણ કલ્પતરુ જેવી કરી છે એટલે કે જ્યારે જે ભાષામાં જે વાત કહેવી હોય તે કહી શકાય. તેઓ “ઐ મંત્ર દ્વારા સરસ્વતી દેવીની આ રીતે સાધના કરીને કાશીમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કર્યા પછી પંડિત માટે તપાસ કરતાં ત્યાંના તે વખતના અગ્રગણ્ય ગણાય તેવા ભટ્ટારક પાસે અધ્યયન શરૂ કરે છે. પંડિતજીને રોજ એક રૂ. આપવામાં આવે છે. યશોવિજયજીની ક્ષમતા ખૂબ હતી તેથી જે કાંઈ વિદ્યા મળતી ગઈ તે લેતા જ ગયા, લેતા જ ગયા. એક દંતકથા– કંઈક વિચિત્ર લાગે તેવી, શ્રી યશોવિજયજીના કાશીઅધ્યયન અંગે પ્રવર્તે છે. તે ક્યાંથી શરૂ થઈ હશે તે ખબર નથી, પણ તે વાત સાવ વજૂદ વગરની છે. દંતકથા એવી છે કે બે જૈન સાધુઓએ જશુલાલ’ અને ‘વિનયલાલ' નામ ધારણ કરીને, જૈનત્વ છુપાવીને કાશીમાં વિદ્યા પ્રાપ્ત કરી છે. આ બે સાધુઓ તે જશુલાલ' એટલે આપણા શ્રી યશોવિજયજી અને બીજા ‘વિનયલાલ” એટલે તેમના સમુદાયના ઉપા. શ્રી કીર્તિવિજયજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી. પણ આ કથા સાવ આધાર વગરની છે. અહીંયાં “નય'નું વિનય થઈ જઈને આ નામ અહીં જોડાઈ ગયું લાગે છે. આવું કશું જ ક્યારેય બન્યું જ નથી. A * મારી જી ત્રણ : દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીમ્બિયા એ” ૦ ૩૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ કાશીમાં રહીને એટલી ઝડપથી તેઓ વિદ્યા ગ્રહણ કરે છે કે જે વિદ્યાને પ્રાપ્ત કરતાં સામાન્ય વિદ્યાર્થીને બાર વર્ષ થાય તે વિદ્યા પ્રાપ્ત કરતાં તેમને માત્ર ત્રણ જ વર્ષ લાગે છે. તેઓએ બધી જ વિદ્યાઓને સુગૃહીત કરીને આત્મસાત્ કરી હતી. જેવી રીતે ઝેરી સર્પને પકડ્યો હોય તો તેના મોં નીચેનો ઝેરની કોથળીવાળો ભાગ પકડાઈ જાય તો પછી બીજા ભાગો ધમપછાડા મારે તોય વાંધો આવતો નથી, તે રીતે કોઈપણ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે તેના મૂળને અથવા તો તેના હૃદયસ્થાનને પકડી લેવું જોઈએ, તો તે વિદ્યાને આપણે આત્મસાત્ કરી શકીએ. કાશીમાં ત્રણ વર્ષમાં અભ્યાસ પૂરો થયો તે દરમ્યાનનો એક પ્રસંગ છે. તે જમાનામાં વાદ ચાલતા. છેક આત્મારામજી મહારાજ સુધી વાદ થતા. વિદ્યામાં ઊંડાણ હોય તો જ વાદ થાય. આજથી સિત્તેર વર્ષ પહેલાં પણ વાદ થતા પછી વિદ્યામાંથી ઊંડાણ જતું રહ્યું અને વાદની પરંપરા પણ લુપ્ત થઈ ગઈ. એક વાદી ત્રણ ત્રણ દિવસથી કાશીમાં ફરતો હોવા છતાં કોઈ પંડિત તેની સાથે વાદ કરવાનું બીડું ઝડપતા નથી. આ વાત યશોવિજયજીના વિદ્યાગુરુ ભટ્ટારક પાસે આવતાં તેમણે પોતાના સમર્થ પંડિત વિદ્યાર્થીઓ વચ્ચે કહ્યું કે “મારો એક પણ વિદ્યાર્થી બીડું ન ઝડપે તો તો મારી વર્ષોની મહેનત પાણીમાં ગઈ.” બધાનાં મોં નીચાં પડી ગયાં અને કોઈ ન બોલ્યું ત્યારે શ્રી યશોવિજયજીએ કહ્યું કે જો આપની સંમતિ હોય તો મારી તૈયારી છે.” ભટ્ટાચાર્ય પોતે વિદ્યા બ્રાહ્મણોનો ઇજારો છે તેમ માનતા તેથી એક જૈનને સંમતિ આપતાં અચકાયા. વિદ્યાના ક્ષેત્રમાં જૈન તો આગંતુક છે, તેથી તે જીતી જાય તેના કરતાં કોઈ બ્રાહ્મણ જીતે તો સારું એમ લાગવાથી ફરીવાર ગુરુએ બધાંને પૂછ્યું, પણ કોઈ ન બોલ્યું ત્યારે તેમણે શ્રી યશોવિજયજીને જણાવ્યું કે “જો તારી તૈયારી હોય તો આપણી પાઠશાળા વતી બીડું ઝડપો.” અને આ રીતે બીજા દિવસે વાદ કરવાની જાહેરાત થઈ. ૩૮ ૦ ચશોજીવન પ્રવચનમાળા Page #56 -------------------------------------------------------------------------- ________________ અત્યાર સુધી શ્રીયશોવિજ્યજી, પાઠશાળામાં ભણતા ત્યારે ગુરુ તેમના પાઠમાં જે ભણાવે તે તો ભણતા જ, પરંતુ પાઠશાળામાં અન્ય વિદ્યાર્થીઓને સાંખ્ય, મીમાંસા વગેરે જે છએ દર્શનો ભણાવવામાં આવતાં તેમાં પણ સતત ધ્યાન રહેતું. બીજા બધા વિદ્યાર્થીઓ તો નિઃશુલ્ક ભણતા, રાજ્ય તરફથી ગુરુને પૈસા મળતા, રસોઈ માટે સીધું મળતું. જ્યારે શ્રી યશોવિજ્યજી જૈન હોવાથી તેમને ભણાવવા માટે રોજના એક રૂપિયાની ફી હતી. તે જમાનામાં સાટા પદ્ધતિથી વ્યવહાર ચાલતો એટલે તેવા વખતમાં ગુરુને રોજનો એક રૂપિયો મળતાં ગુરુ સંતુષ્ટ હતા, છતાં જૈનને બહુ પોષતા ન હતા. બીજા દિવસે નક્કી કરેલા સ્થળે, નક્કી કરેલા વિષયોનો વાદ શરૂ થયો. વાદી એક પછી એક વિષયોના પ્રશ્નો મૂકતા જાય છે, અને શ્રી યશોવિજયજી ઉત્તર આપતા જાય છે. પ્રશ્ન તરફ સભાના બે કાન હતા, તો ઉત્તર તરફ તો ચાર કાન હતા. બિલકુલ ક્ષોભ વગર સતત ત્રણ દિવસ જવાબો આપીને વાદીને હરાવે છે, હંફાવે છે. સામાન્ય પ્રશ્નોના પણ અકાટ્ય એવા ઉત્તરોથી ભટ્ટારક પોતે પણ આશ્ચર્ય પામ્યા. ક્ભારી પાસે તો ન્યાય-વૈશેષિક જ શીખ્યા હતા, જ્યારે તેણે જે જવાબો આપ્યા તેમાં સાંખ્ય, મીમાંસા વગેરેનું જ્ઞાન પણ પ્રગટ થતું હતું. તેના એક એક ઉત્તરની રજૂઆત એક એક ગ્રંથ જેટલી હતી.’ શ્રી યશોવિજયજીની આ વિદ્વત્તાને અને આત્મવિશ્વાસને જોઈને કાશીના પંડિતોએ તેમને ‘ન્યાયવિશારદ’ અને ‘ન્યાયાચાર્ય’ આ બે બિરુદો આપ્યાં. તેમનો વિશેષ આદર કરીને માનપત્ર આપ્યું, અને કાશીનો શ્રી સંઘ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સ્થાનકે વાજતેગાજતે ત્રણ દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીખિયા એ” ૩૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ ४० લઈ ગયો. બીજા દિવસે પાઠશાળામાં તેમના ગુરુ ભટ્ટાચાર્યજીએ કહ્યું કે “મારી પાસેનું જ્ઞાન જો કોઈએ નિઃશેષ લઈ લીધું હોય તો તે આ એક માત્ર વિદ્યાર્થી છે. હવે તેને ભણાવવા જેવું મારી પાસે કાંઈ નથી. તમારા વિદ્યાગુરુ તરીકેનું મને ગૌરવ છે.” કોઈ પણ વિદ્યા બીજાને ભણાવીએ તો તે દસગણું ફળ આપે છે, લખીએ તો સોગણું ફળ આપે. શ્રી યશોવિજયજીએ કાશીમાં જે વિદ્યા મેળવી તે બીજા વિદ્યાર્થીઓને ભણાવવા માટે ભટ્ટાચાર્ય હવે તેમને આગ્રા જવાનું સૂચન કરે છે. વૃદ્ધ ગુરુના આશીર્વાદવાળી વિદ્યા જ ખરે ટાણે કામ લાગે છે. વિદ્યા બે પ્રકારની છે. એક પ્રસાદવિદ્યા અને બીજી પુરુષાર્થવિદ્યા, ગુરુમહારાજને પ્રસન્ન કરીને મેળવેલી વિદ્યા તે પ્રસાદવિદ્યા છે. તે કૂવા જેવી છે. તેનું પાણી અખૂટ હોય છે જેમ વાપરો તેમ વધે. જ્યારે પુરુષાર્થ કરીને – ગુરુથી નિરપેક્ષપણે જે વિદ્યા મેળવાય છે તે હોજ જેવી હોય છે. દેખાવમાં ઘણી લાગે પણ તેને સુકાતાં; કે મેલી થતાં વાર ન લાગે. ઉપાધ્યાયજી મહારાજની વિદ્યા પ્રસાદવિધા હતી. ગુરુમહારાજશ્રી જીતવિજ્યજી તથા શ્રી નયતિયજી અને કાશીના વિદ્યાગુરુ એ બધાને પ્રસન્ન કરીને મેળવેલી હતી. આ રીતે ગુરુના આશીર્વાદ મેળવીને તેઓ આગ્રા તરફ પ્રયાણ કરે છે અને ચાર વર્ષ ત્યાં જ રહે છે. તમને જેમ જેમ વિદ્યાની પ્રીતિ થઈ જાય તેમ તેમ વિદ્યા તમારા નામની જેમ તમારી સાથે જોડાઈ જાય છે. અહીંયાં ગુજરાતમાં તેમના વિદ્યાભ્યાસની ઉજ્જ્વળ વાતો સાંભળીને શ્રીસંઘ તેમને મળવાને ઉત્સુક બન્યો છે. તે સમયે તપાગચ્છમાં પૂ. વિજયદેવસૂરિજી મહારાજે પોતાની પાટે પૂ. વિજયસિંહસૂરિજી મહારાજને બિરાજમાન કર્યા. પછી થોડા સમય બાદ બે જ વર્ષમાં, વિ.સં. ૧૭૦૮ના અષાડ સુદ બીજના દિવસે પૂ. વિજયસિંહસૂરિજી મહારાજ કાળધર્મ પામતાં ફરી પાછી શાસનની યશોજીવન પ્રવચનમાળા Page #58 -------------------------------------------------------------------------- ________________ ધુરા પાછલી ઉંમરે પણ પૂ. વિજયદેવસૂરિજી મહારાજને સંભાળવી પડે છે. બીજી બાજુ અહીંયાં યતિઓની પરંપરા ચાલુ થઈ ગઈ હતી. અને સાધુઓના જીવનમાં સંયમવિષયક શિથિલતા આવી ગઈ હતી. આ બધા સમાચાર પણ તેમને મળે છે. તેથી તેઓ પણ ગુજરાત આવવા ઉત્સુક છે. વિ. સં. ૧૭૦૯માં આગ્રાથી નીકળીને ગુજરાત તરફ તેમનું પ્રયાણ ચાલુ થાય છે. વિ.સં. ૧૭૦૯નું ચોમાસું વચ્ચે ક્યાંક કરીને વિ.સં. ૧૭૧૦માં તેઓ ગુજરાત આવ્યાનો ઉલ્લેખ આપણને મળે છે. વિ.સં. ૧૭૧૦માં સંવેગી પક્ષના પં. શ્રી ઋદ્ધિવિમલજીએ બનાસકાંઠાના ગોલા ગામમાં ક્રિયોદ્ધાર કર્યો હતો. તે પ્રસંગના વર્ણનમાં તેમના શિષ્ય વિબુધવિમલજીએ, શ્રી યશોવિજયજી ગુજરાતમાં આવ્યાનો ઉલ્લેખ વિ.સં. ૧૮૧૩માં રચેલા સમ્યકત્વપરીક્ષા તથા તેના બાલાવબોધમાં કર્યો છે તેવો જ બીજો ઉલ્લેખમાં તેમણે ઉપદેશશતકની પ્રશસ્તિમાં પણ કર્યો છે. શ્રી ઋદ્ધિવિમલજીએ જે ક્રિયોદ્ધાર કર્યો તેમાં શ્રી યશોવિજયજીએ સહાયતા કરી હતી. આ વિમલ શાખા પણ તપાગચ્છની અઢાર શાખા પૈકીની જ એક શાખા છે. એ અઢાર શાખાનાં નામ આ પ્રમાણે છે: વિજય, વિમલ, સાગર, ચન્દ્ર, હર્ષ, સૌભાગ્ય, સુન્દર, રત્ન, ધર્મ, હંસ, આનંદ, વર્ધન, સોમ, રુચિ, સાર, રાજ, કુશલ, ઉદય. આજે પણ આ નામના શબ્દો સાધુમહારાજના નામમાં જોવા મળે છે. વિ.સં. ૧૭૧૦માં પાટણમાં બીજું પણ એક મહત્ત્વનું કામ થયું છે. વાત એવી બની છે કે જ્યારે પં. શ્રી યશોવિજયજી વિ.સં. ૧૭૧૦માં પોષ મહિનામાં પાટણ પધાર્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે શ્રી મલ્લવાદીગણી રચિત નયચક્રગ્રંથની એક દુર્લભ પોથી અહીંના એક બ્રાહ્મણ પંડિત પાસે છે. સામાન્ય રીતે આ ગ્રંથ અન્ય ગામોના ભંડારોમાં જોવા મળતો નહોતો, ‘વિરલ પોથી' ગણાતી હતી. તેથી એ ભટજી પાસેથી એ ગ્રન્થ મેળવવા પ્રયાસ કર્યો પણ : : : : : : ત્રણ : દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીમ્બિયા એ” ૦ ૪૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ એ બ્રાહ્મણે આપવાની ધરાર ના કહી. તે પછી શ્રાવક વર્ગ સાથે વિચારણા કરીને જ્યારે ભટજી બહારગામ હતા ત્યારે ગોરાણીને ખુશ કરીને એ ગ્રન્થ માત્ર પંદર દિવસ માટે મેળવી લીધો. પોષ મહિનો હતો, ૧૮ હજાર શ્લોક લખવાના હતા અને આવી બીજી પ્રત ન હતી. એટલે જે લખાય તે શુદ્ધ જ લખાવું જોઈએ. એટલે ભણેલાગણેલા સાત મુનિવરોએ આ યજ્ઞ માંડ્યો અને તેમાં મુખ્ય જવાબદારી શ્રીયશોવિજયજી મ.ની રહી. તેથી ૫. શ્રી નવિજયજી, પં. શ્રી કીર્તિરત્નજી, પં. શ્રી તત્ત્વવિજયજી, પં. શ્રી રવિવિજયજી, પં. શ્રી લાભવિજયજી, પં. શ્રી જયસોમજી આ છ મુનિવરો અને સાતમા શ્રી યશોવિજયજીએ પંદર દિવસમાં ગ્રન્થ પૂર્ણ લખ્યો. “પક્ષે ન પૂરતો પ્રસ્થ: ” આ સાત મુનિવરોના ભિન્ન અક્ષરવાળો સમગ્ર નવ પ્રસ્થ આજે પણ આપણી પાસે વિદ્યમાન છે. આ જ વાત હજી થોડાં વિસ્તારથી આવતીકાલે કરીશું. આ ઋતભક્તિનું મહાન કાર્ય કાશીથી આવ્યા પછીનું પહેલું જ કામ થયું. તેઓએ કાશી અને આગ્રામાં જે વિદ્યા પ્રાપ્ત કરી, તે બીજારોપણ જેવી ઘટના છે. હવે તેનો પાક લેવાનો સમય આવી ગયો છે. જેઠ મહિનામાં જે બીજ વાવ્યાં હોય, જેના છોડને ઉછેર્યા હોય તે પાક તૈયાર થતાં આસો-કાર્તિક મહિનામાં ગાડાંનાં ગાડાં ભરાય છે, તેવી રીતે તેમણે વાવેલી વિદ્યાની પ્રાપ્તિનો હવે સમય છે. વિ.સં. ૧૭૧૧થી તેઓ મોટા મોટાગ્રંથો રચવાની શરૂઆત કરે છે. એટલે હવે આપણે ક્રમશઃ તેમણે રચેલા સાહિત્યનો પરિચય મેળવવાનો છે. માત્ર १. प्रतिमाशतकनी प्रतिलेखननी प्रशस्ति ॐ इति श्री प्रतिमाशतकं संपूर्ण लिखितं च संवत् १७२३ वर्षे अश्विनमासे श्वेतपक्षे १२ द्वादशीतिथी शनिवारे पंडित श्रीनयविजयग । शिष्योपाध्याय श्री ५ श्रीयशोविजयगणि ज्येष्ठसहोदर पंश्री ५ श्रीपद्मविजयगणि पदपंकज मधुकररसिकेन विनेयेन गणि लक्ष्मीविजयेन लिपीकृतम् श्रीराजपुरनगरे शुभं भवतु लेखक पाठकयोः । મહેસાણા પેઢી ભંડાર – નં. ૫૧૦, પત્ર-૭ , લાક : - રાકેફ ક ન કે livો ન ક *, છે, જો , *** : કાકા :- પુણાક માં રકમ ર ા : રાજકોટ મહ: અમ ૪જી દેસાઈ તળાવ - કાર છે. કરે છે ભ' જ છે કે જે રીતે કદી - ૨ જાન 1 TL | હ ય ક ા ક હકક દ છે , જરા ય ક ર , ન જ છે ૪૨ • યશોજીવન પ્રવચનમાળા. Page #60 -------------------------------------------------------------------------- ________________ २. ॥ ६० ॥ श्री स्वस्ति श्रीपार्श्वपरमेश्वरं प्रणम्य श्रीमती तत्र श्रीबजाणा शुभथाने पूज्याराध्य सकलपंडितशिरोमणी पं. श्री ६ जसबिजयग। श्री दसाडा थकी ल. भाई पद्मविजय म वंदना १०८ वार वांचजोऽत्र सुखं तत्राप्यस्तुऽपरं तमारो समाचार मेता दयाशंकरना मुखथी जाण्या । पं अमृतविजेना शिष्य मु. कल्याण फागण वद १४ अडिसरथी राते नीसर्या दग झ निमयें पलासुए थईनें श्री सिद्धाचल संघ भेगा थया तेमां एक चलोटों ने एक कपडां वराण बीजुं कनें कांई नथी ते जाणजो. बाकी १ मुं. कृष्ण छे अने पोताने पण डीले अर्ध अंग झलाणुं छे जिमणो अंग अकज्ज छे ते जाणजो. कामकाज लखजो हेत सनेह राखजो दिक्षा अवसरे आवी पूगजो चेला बादरवोरा बेचरदासनी वंदणा वांचजो. तत्र साधुने वंदणा केवी. वलता पत्र लखवा. मिती चैत्र प्रेमपत्र देवाजी (जोडणी मूळ प्रमाणे राखी छे) पुज्याराध्य सकलपंडित शिरोमणी प. श्री जसविजय.... (पं. पद्मविनो पत्र १ उभुं चीरीयुं कोबा. श्रीकैलाससागरसूरि ज्ञानभंडार नं. ३८३२९) 3. धत्ते न्याययशा यशोविजयतां श्रीवाचको नामनि साहाय्याद् बुधऋद्धिनामविमलः संवेगमार्गस्थितः । तच्छिष्यो गुरुकीर्तिकीर्तिविमलो बुद्धो गुरुस्तच्छिशुः सूरि : श्रीविबुधाभिधानविमलो ग्रन्थं व्यधत्ताममुम् ॥ ७६ ॥ सम्यक्त्वपरीक्षा xxx तेहना गुरु श्री ऋद्धिविमलगणि महापुरुष महातपस्वी संवेगी थया. ते संवत् १७१०ना वर्षे गुजरातमध्ये धाणधारमध्ये श्रीपालणपुरने पासे गोलाग्राम मध्ये श्रीमहावीरस्वामीनी सानिध्ये क्रियाउद्धार कर्यो. तेहकाले श्रीयशोविजयउपाध्याय काशीमहि न्यायशास्त्र भणीने इहां पधार्या छे तेह संवेगीपक्षी बहुश्रुत विचरता हता तेनी साहाय्ये श्रीऋद्धिविमलगणी क्रिया पालता हवा xxxx पत्र ४४८. सम्यक्त्वपरीक्षा बालावबोध. ला.द.वि.मं.नं. २३९४६ कर्ता : विबुधविमलजी. रचना सं. १८१३. गीतार्थी ग्रन्थकर्ता विजयपदपरः श्रीयशोवाचकेशी. यः सत्संविग्नपक्षीति बिरुद विविधस्तर्कसंपर्कबुद्धिः । न्यायाचार्यस्तु काश्यां द्विजकृतमहिमो लब्धविद्याप्रतिष्ठस्तत्साहाय्यप्रदानान्मुदितजनमदोऽभून्मुनिसिंहशूरः ॥ उपदेशशतक प्रशस्ति. भरा : हीक्षा : "धन सुहगुरु मेरो ही ज्जिया जे" ४३ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૦ યશોજીવન પ્રવચનમાળા Page #62 -------------------------------------------------------------------------- ________________ લઘુહરિભદ્રે કરેલી શ્રી હરિભદ્રસૂરિજીની સ્તુતિ...... છઠ્ઠું ગુણઠાણું ભવઅડવી, ઉલ્લંઘણ જેણે લહિયું, તાસ સોભાગ સકલ મુખ એકે કેમ કરી જાયે કહિયું. તેહવા ગુણ ધરવા અણધીરા, જો પણ સૂકું ભાખી જિનશાસન શોભાવે તે પણ સુધા સંવેગ પાખી. દુઃકકાર થકી પણ અધિકા જ્ઞાનગુણે ઈમ તેહો ધર્મદાસગણી વચને લહિયે, જેહને પ્રવચનનેહો. (યશોવાણી) સુવિહિત ગચ્છ ક્રિયાનો ધોરી, શ્રી હરિભદ્ર કાયો એહ ભાવ ધરતો તે કારણ, મુજ મન અતિહી સુહાર્યો. ૩૫૦ ગાથાનું સ્તવન • ૪૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ · ગુરુગુણ ગાથા હોય સમાધિ ઉપાધિ ન બાધે આધિ વ્યાધિ સવિ જાયેજી, ગુણ ગાતો એહવા મુનિવરના, જ્યોતિસ્યું જ્યોત મિલાયજી. એહવા ગુરુના ગુણ કેમ વિસરે, જે જગમાં તાજાજી, ગુરુગુણ ગાતાં સવિ સિદ્ધિ લહીએ, નિત્ય નિત્ય મંગળ દિવાજાજી. (યશોવાણી) (જંબૂસ્વામી રાસ, ઢાળ ૩૭મી, પૃ. ૮૩) યશોજીવન પ્રવચનમાળા Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસેવાની અખૂટ સરવાણી વહી तेभ्योनमस्तदीयान् ० વારાણસી (કાશી) અને આગ્રા બન્ને સ્થાને મળીને સાત વર્ષ રહીને ષટ્દર્શનના દિગ્ગજ વિદ્વાન બન્યા પછી ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ એવાં બબ્બે માનવંતાં બિરુદ બ્રાહ્મણ પંડિત મંડલી દ્વારા મેળવીને વિ.સં. ૧૭૧૦માં પોષ મહિને પોતાની દીક્ષાભૂમિ પાટણમાં પધાર્યા છે. સંઘના હરખનો પાર નથી. તેઓનાં પ્રજ્ઞા અને શીલની સુવાસ ચોમેર પ્રસરી છે. પાટણમાં પણ જેઓ ગંભીર તત્ત્વજ્ઞાનના પ્રેમી હતા તેમને ભાવતું ભોજન મળ્યું છે. ગ્રન્થભંડારોનું કેન્દ્રસ્થાન પાટણ હતું એટલે પુરાણા ગ્રન્થો જોવાનું બનતું રહ્યું. તેવામાં એક નોંધપાત્ર ઘટના બની. ત્યાંના વિદ્વાનો દ્વારા જ જાણવા મળ્યું કે અહીંના એક બ્રાહ્મણ પંડિત પાસે નયવનો જૂનો ગ્રંથ છે. તેની પોથી ક્યાંયે જોવા મળતી નથી. માટે તેની નકલો કરાવવા જેવી છે. આ કામ ક૨વા જેવું છે. એટલે આ ભટજી પાસેથી પોથી મેળવવી તો જોઈએ જ, એમ તેમને લાગે છે. શ્રી મલ્લવાદીજીએ રચેલા નયજ્ઞ ગ્રન્થ માટે તરત જ ભટજી પાસે જઈને તે ગ્રંથની માગણી કરી, પણ ભટજીએ તે ચાર : શ્રુતસેવાની અખૂટ સરવાણી વહી પ્રવચન ચાર ૪૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ આપવાની સ્પષ્ટ ના પાડી. ઘણી રીતે પ્રયત્નો કરી જોયા પણ સફળતા મળી નહીં, ત્યારે શ્રાવકોને કહી રાખ્યું કે ભટ્ટજી જ્યારે બહારગામ જવાના છે તેની તપાસ કર્યા કરજો. તપાસ કરતાં ખબર પડી કે ભટ્ટજી બાર દિવસની કથા માટે બહારગામ જવાના છે, તેમાં આવવા-જવાના ત્રણ દિવસ ઉમેરીને કુલ પંદર દિવસ બહારગામ રહેવાના છે. ભટ્ટજી જે દિવસે બહારગામ ગયા તે જ દિવસે વસ્ત્ર, આભૂષણ, મીઠાઈ વગેરેના થાળો ભરી સંઘ સાથે શ્રીયશોવિજયજી ભટ્ટજીના ઘરે ગયા. ગોરાણી સાથે પ્રાસંગિક વાત કરી કે, “ભટ્ટજી બહારગામ ગયા છે તે અમને ખબર નહીં. પણ અમારે તો એક ગ્રંથ જ જોઈએ છે.” ગોરાણીએ પહેલાં તો ના પાડી પણ એમને વિશ્વાસમાં લીધાં કે ગ્રંથને કશું નહીં થાય, પંદર દિવસે ગ્રંથ પાછો આપીશું, ત્યારે ગોરાણી સંમત થયાં અને ગ્રંથ આપ્યો. - હવે ગ્રંથ તો મળ્યો પણ દિવસ પંદર જ છે. અને ગ્રંથ અઢાર હજાર (૧૮,૦૦૦) શ્લોક પ્રમાણ છે. ઝેરોક્ષ, ફોટોગ્રાફી, માઈક્રોફિલ્મનો તે જમાનો નહિ. લહિયાઓ છે, પણ તે ભૂલ કરે, ગાબડાં પાડે, કેટલીક પંક્તિ પડી જાય. ઉપરાંત બીજી નકલ નથી એટલે કામ તો ચોક્કસ કરવું પડે. પોતે ગ્રંથ રચી શકે તેવા હોવા છતાં ગ્રંથની નકલ કરવા બેસી ગયા. છ બીજા સાધુઓ અને સાતમા પોતે એમ સાતે સાધુઓએ કામ શરૂ કરી દીધું. તેઓનાં નામો આ પ્રમાણે હતાં; પં. શ્રી નવિજયજી, પં. શ્રી કીર્તિરત્નજી. પં. શ્રી તત્ત્વવિજયજી, પં. શ્રી રવિવિજયજી, પં. શ્રી લાભવિજયજી, પં. શ્રી જયસોમજી અને શ્રી યશોવિજયજી પોતે. પોષ મહિનાના ટૂંકા દિવસો છે, રાત્રે કામ ન થાય. દિવસે પણ દશ કલાક જ પ્રકાશ હોય. બીજાં કામોમાં ઓછામાં ઓછો સમય આપીને ગ્રંથ લખવા માંડ્યો. પાટણના ઉપાશ્રયમાં એકાગ્ર થઈને બેઠા. જ્યાં જ્યાં અધૂરું રહ્યું તે શ્રી યશોવિજયજીએ પૂરું કર્યું. આખી પ્રત જોવાની જવાબદારી તેઓની. સહકારી બધા છ એ છ. આ લખાણમાં ક્યાંક કલમ જાડી * * રે. કાકા કામ અટકટક સ્કીટ - ર : જ પ કાકાસારા સારા રસ જ જીત ને જ આ જ છે કે તે જ ૪૮ • યશોજીવન પ્રવચનમાળા Page #66 -------------------------------------------------------------------------- ________________ છે, ક્યાંક પાતળી છે, પોતે સુધારવા માટે ચેક-ભેંસ કરી છે. આ હસ્તપ્રત તેના મૂળ સ્વરૂપમાં આજે પણ અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરમાં સચવાયેલી રહી છે. પંદર દિવસ યજ્ઞ ચાલ્યો અને ગ્રંથ પૂરો થયો. પાછા વસ્ત્ર, આભૂષણ, અલંકાર, મીઠાઈ વગેરે લઈને ગોરાણી પાસે ગયા અને ગ્રંથ સાભાર પાછો સોંપ્યો. નકલ કરવા માટે પણ આટલી મહેનત થતી, ત્યારે વિચાર થાય છે કે જિનશાસનનું કેવું પુણ્ય તપતું હશે? કલમ કેટલી ઝડપથી ચાલી હશે? શ્રુતનો કેટલો પ્રેમ! કેવી લગની ! ગ્રંથની શરૂઆત કરતાં પહેલાં ગુરુઓને વંદન કરીને મંગલાચરણ કરવામાં આવ્યું છે. प्रणिधाय परं रूपं राज्ये श्री विजयदेवसूरीणाम् । .नयचक्रास्यादर्श प्रायो विरलस्य वितनोमि ॥ તેઓ જણાવે છે કે પરમાત્માના રૂપનું ધ્યાન ધરીને, દેવસૂરિના રાજ્યમાં, આ ગ્રંથની પોથી વિરલ છે માટે તેની નકલ કરું છું. ગ્રંથના અંતે પણ સાતે સાધુનાં નામ લખીને સંવત ૧૭૧૦ના પોષ વદ ચાર: શ્રુતસેવાની અખૂટ સરવાણી વહી : ૪૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ *bly cl2X++ 搁送赠捌删微微 ૫૦ તેરસનો દિવસ નોંધેલો છે. છેલ્લે શ્લોકમાં પ્રશસ્તિ લખી છે. ૩૦૯ પાનાંનો આખો આ ગ્રંથ આજે અખંડિત આપણી પાસે છે. દેવસાના પાડાના ભંડારમાંથી આ હસ્તપ્રત પૂ. રમણિકવિજયજીને તથા આગમપ્રભાકરશ્રી પુણ્યતિયજીને મળી અને અત્યારે તે INDOLOGYમાં સુરક્ષિત છે. વિમળગચ્છના ભંડારમાંથી ઉપાધ્યાયજીના લખેલા ગ્રંથો સૌથી વધુ મળે છે. આ રીતે તેઓના લખેલા ઘણાં ગ્રંથો મળે છે. સ્વરચિત ગ્રન્થો તો ખરાજ પણ અન્ય ગ્રંથો પણ પોતાના સ્વાધ્યાય માટે તેઓ લખી લેતા. અનુયોગદ્વાર સૂત્રની મલધારી હેમચન્દ્રસૂકૃિત ટીકા તેઓએ લખી છે અને એ ટીકામાંથી મૂલ સૂત્રને સમજાવતો ભાગ જ રાખ્યો છે. આજે એ પ્રત મળે છે. આ નયચક્રની પોથીની જેમ જ સાત મુનિવરો દ્વારા વિ.સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં લખાયેલી કર્મપ્રવૃતિની પોથી પણ મળે છે, તેની પુષ્પિકા પણ મળે છે. પાટણથી આ બાજુ મધ્યગુજરાત આવે છે ત્યારે વચ્ચે ઘણા બનાવો બન્યા છે. ગચ્છાચાર્ય શ્રી વિજયસિંહસૂરિ મહારાજ સાહેબ કાળધર્મ પામી ગયા છે. તેમના ઉપર જિનશાસનની મોટી આશાઓ હતી અને તે જતાં સંઘમાં જાણે અંધકાર છવાઈ ગયો હતો. જગદ્ગુરુશ્રીના કાળધર્મ પછી ઉત્તરોત્તર શ્રી સંઘમાં કલેશનાં બીજ રોપાયાં હતાં. ખટપટનું વાતાવરણ હતું. કોના પર મીટ માંડવી? તે પ્રશ્ન હતો, અને તેમાં પૂ. સિંહસૂરિજી મહારાજ જતાં જાણે કે મોભ પડી ગયો હોય તેવું થયું. આવા વિષમ કાળમાં ઉપાધ્યાયજીનો ગુજરાતપ્રવેશ થયો. આ ગાળા દરમ્યાન પં. શ્રી સત્યવિજયજીએ ક્રિોદ્ધાર કર્યો તે લોકોને માન્ય ન હતો. તેમની વાત સો ટકા સાચી હતી, પણ લોકોને તે બહુ ગમતી ન હતી. પરંતુ શ્રી વિજયસિંહસૂરિજી મહારાજને આ વાત સાચી લાગી હતી. વિ.સં. ૧૭૦૯માં કાળધર્મ પામ્યા તે પહેલાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને તેમણે સંદેશો યશોજીવન પ્રવચનમાળા Page #68 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યો ત્યારે કુદરતી રીતે જણાવ્યું હતું કે, “તમારે આ ક્રિયોદ્ધારનો સ્વીકાર કરીને પં. સત્યવિજયજીને સહકાર આપવો.” આ સંદેશો ઐતિહાસિક રીતે જોતાં ખૂબ મહત્ત્વનો બની ગયો. તેમણે પોતે જ આ વાત નોંધી છેઃ જાસ હિતશીખથી માર્ગ એ અનુસર્યો જેહથી સવિ ટળી કુમતિ ચોરી” આ ગાળા દરમ્યાન ઉપાધ્યાયજીની જ્ઞાનને લગતી પ્રવૃત્તિઓ પણ ચાલુ જ હતી. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ ગંભીર તત્ત્વજ્ઞાનના ખજાના જેવો ગ્રન્થ સરળ ગુજરાતીમાં એક અગત્યની કૃતિ અને “જ્ઞાનસાર અષ્ટક' એ ગંભીર વિષયોને લોકો સમજી શકે તે રીતે મૂકવાની શૈલીથી લખાયેલ કૃતિ આ તેમની મહત્વની બે કૃતિઓ વિ.સં. ૧૭૧૧માં સિદ્ધપુરમાં રચાયેલી છે. જ્ઞાનસાર ગ્રન્થ તો તેઓશ્રીની સમગ્ર કૃતોપાસનાના નિચોડ સ્વરૂપ છે. સંઘને એક મહામૂલી ભેટ છે. શબ્દબિંદુમાં અર્થનો સિંધુ સમાયો હોય તેવો એ ગ્રન્થ છે. શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરતાં તેમને જણાયું કે સૂરિપુરંદર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીના સાહિત્યમાં ભારોભાર સત્ય પડેલું છે, પણ આપણે તેની સાવ ઉપેક્ષા જ કરી છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ હરિભદ્રસૂરિજીના સાહિત્યને, તે પ્રવાહને અડક્યા વગર જ ચાલ્યા અને તેમણે સ્વતંત્ર રીતે પોતાના સાહિત્યનું સર્જન કર્યું. હરિભદ્રસૂરિજીને ન માનનારો એક મોટો વર્ગ તે જમાનામાં હતો. અને તેઓ બે કારણ આગળ ધરતા. (૧) એક તો એ કે આ. શ્રી. હરિભદ્રસૂરિજીની રચનામાં વિષયોના ભાવો ગંભીર અને તેની શૈલી પણ અઘરી તેથી જેવા તેવાની ચાંચ તેમાં ડૂબે નહીં અને (૨) બીજું તેઓએ જે લખ્યું છે તેનાં મૂળ આગમોમાં મળતાં નથી તેથી શેના આધારે તેઓએ લખ્યું છે તે ખબર નહીં હોવાથી સ્વીકાર્ય નથી. એક નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી જણાવે છે કે ચૌદ રે છે. ન જી ર ક ા - ક, - , છે. કારણ , - , , , , - , , ટી.વી કાર , , ચાર: શ્રુતસેવાની અખૂટ સરવાણી વહી • ૫૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૨ પૂર્વ ગ્રંથોમાંથી છેલ્લું પૂર્વ પણ જ્યારે વીસરાતું જતું હતું ત્યારે શ્રી હરિભદ્રસૂરિજીએ આ પૂર્વગ્રંથોને ક્યાંક સંક્ષેપથી તો ક્યાંક વિસ્તારથી વણી લીધાં છે, એટલે તેમના સાહિત્યના મૂળ સ્રોત પૂર્વગ્રંથોમાં જ મળે છે. આ સિવાય બીજા કોઈ વિદ્વાનોએ, સાધુમુનિવરોએ શ્રીહરિભદ્રસૂરિજીના સાહિત્યનો ખાસ ઉપયોગ કર્યો નથી. શ્રી યશોવિજયજીના સમય સુધી શ્રી હરિભદ્રસૂરિજીએ રચેલા સાહિત્યની કૃતિઓના તાડપત્રીય ગ્રંથો સચવાયેલા હતા. તેનું અધ્યયન કરતાં ઉપાધ્યાયજીને જણાય છે કે જિનશાસન માટે અત્યારે જે કાંઈ જરૂરી છે, જે કાંઈ તથ્યપૂર્ણ સત્ય છે તે તો આમાં પડેલું છે. એટલે તેઓ શ્રી હરિભદ્રસૂરિજીની કેટલીયે કૃતિઓનો ઉપયોગ કરીને પોતાની કૃતિઓ રચી છે. શ્રી હરિભદ્રસૂરિજીની કેટલીયે કૃતિઓ દા.ત. ષોડશક, યોગવિંશિકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય વગેરે પર તેમણે વિવરણ લખ્યાં છે. ઉપદેશપદ મહાગ્રન્થના નિષ્કર્ષ રૂપે સંક્ષેપમાં ઉપદેશરહસ્ય ગ્રન્થની રચના કરી તો પંચવસ્તુ મહાગ્રન્થના નિષ્કર્ષ રૂપે સંક્ષેપમાં માર્ગપરિશુદ્ધિ નામનો અદ્ભુત ગ્રન્થ રચ્યો. યોગદૃષ્ટિસમુચ્ચયને સામે રાખી ગુજરાતીમાં તે તે વિષયને સમાવતી આઠ સજ્ઝાયો રચી. આવા તત્ત્વજ્ઞાનને આ રીતે ગેયમાં ગુજરાતીમાં અવતિરત કરવું તે નાનીસૂની સિદ્ધિ નથી. સર્જન અને અનુસર્જન બન્ને તેમને લીલામાત્ર હતાં; સહજ હતાં. ઉપમિતિને તેઓએ સ્વતંત્ર રીતે જ વૈરાગ્યકલ્પલતા નામે આપણી સમક્ષ મૂકી આપી. કારણ ખબર નથી પણ એ જ વિષયને લઈને તે જ રીતે તેઓએ વૈરાગ્યરતિ નામનો તાત્ત્વિક મહાકાવ્ય કહી શકાય તેવો ગ્રન્થ સંઘના ચરણે ભેટ દીધો. જો શ્રીયશોવિજ્યજીએ આવાં કામ ન કર્યાં હોત તો શ્રી હરિભદ્રસૂરિજીનું સાહિત્ય આપણા સુધી પહોંચત નહીં. આ તેમનો મોટો ઉપકાર છે. લઘુહરિભદ્ર ‘એવું બિરુદ તેમને આવા કારણથી જ આપવામાં આવ્યું છે. હવે આપણે ઉપાધ્યાયજીનું વિદ્યાજીવન જોવાનું છે. યશોજીવન પ્રવચનમાળા Page #70 -------------------------------------------------------------------------- ________________ १. पं. श्री जसविजयगणि नवीनग्रन्थरचना कृतः श्री घोघावेलाकूले सं. १७१७ वर्षे कार्तिक मासे शुभवासरे सकल समुदायेन लिपीकृतः । ૨. વિજ્યસિંહસૂરિજી મહારાજનો ઉપકાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ઉ૫૨ ઘણો હતો અને તેનો ઉલ્લેખ* પણ પોતે કર્યો છે, એટલું જ નહીં પણ પોતે તેઓના જીવનથી આકર્ષાયા હતા અને તેઓના જીવનને લગતા એક મહાકાવ્ય ‘વિનયોલ્લાસ”ની પોતે રચના કરી હતી, જો કે તે કાવ્ય અધૂરું રહ્યું છે. થોડાં વર્ષ પહેલાં તે કાવ્ય વૃત્તિ સહિત પ્રકાશિત થયું છે. તે આ. શ્રી વિજયસિંહસૂરિજી મહારાજ. *તાસ પાટે વિજયદેવસૂરીશ્વર મહિમાવંત નિરીહો, તાસ પાટે વિજયસિંહસૂરીશ્વર સકલ સૂરિમાં લીહો તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી ગીતાર્થ ગુણ વાધ્યો, તસ હિતશીખ તણે અનુસારે જ્ઞાનયોગ એ સાધ્યો. જસ ઉદ્યમ ઉત્તમ માર્ગનો ભલે ભાવથી લહીએ, જસ મહિમા મહીમાંહે વિદિતો તસ ગુણ કેમ ન રહીએ. દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ, ઢાળ-૧૭. જેહથી વિ ટળી કુમતિ ચોરી.’ ૩. “તાસ પાટે વિજ્યદેવસૂરીસરુ, પાટ તસ ગુરુ વિજયસિંહ ધોરી; જાસ હિતશીખથી માર્ગ એ અનુસર્યો, સીમંધર સ્વામી ૩૫૦ ગા. સ્તવન, ઢાળ ૧૭ અહીં “કુમતિ ચોરી” એ પદનો ક્રિયોદ્ધાર-સંવિગ્ન માર્ગમાં સહાયતારૂપ અર્થ આ. જ્ઞાનવિમલસૂરિકૃત બાલાવબોધના આધારે કર્યો છેઃ જેહની હિતશિક્ષા થકી આજ્ઞા પામીને એ સંવેગમાર્ગ - શુદ્ધકથન યથાસમયે શક્તિને અનુસારે સંયમ માર્ગ પાળવાનો ખપ, તે સંવેગમાર્ગ આદર્યો, જેહ સંવેગમાર્ગ અંગીકરણથી કુમત કુગુરુ કથન-શ્રવણ રૂપ ચોરી તીર્થંકર અદત્તાદિકની ટળી, મીટી ગઈ. – જ્ઞાનવિમલસૂરિનો ટબો ૪. આ દ્રવ્યગુણપર્યાયના રાસની પ્રથમાદર્શ પોથી તેમના ગુરુ મ. પં. શ્રી નયવિજયજી મહારાજના હાથે લખેલી મળે છે. ગુરુશિષ્યના સંબંધની મધુરતાનું આ એક ઉજ્જ્વળ દૃષ્ટાન્ત છે. ૫. હા. કલિકાલસર્વજ્ઞ થયા તેની પહેલાં થયેલા આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ, આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજ અને આચાર્ય શ્રી યશોભદ્રસૂરિજી મહારાજ જેવાએ પણ તેમના ગ્રન્થો ઉપર નાના મોટા વિવરણ લખ્યા છે. ચાર : શ્રુતસેવાની અખૂટ સરવાણી વહીં • ૫૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૦ યશોજીવન પ્રવચનમાળા Page #72 -------------------------------------------------------------------------- ________________ ...ચશોવાણી. બોલીયા બોલ તે હું ગણું સફળ જો છે તુજ સાખ રે. નાણ પરમગુણ જીવનો નાણ ભવનવ પોત મિથ્યામતિ તમ ભેદવા નાણ મહા ઉદ્યોત. - દ્રવ્ય-ગુણ-પર્યાય બહુ ભાંત ફેલી જૈન શૈલી સાચલું મન ધાર રે ખોટડૂ જે કાંઈ જાણે - તિહાં ચિત્ત નિવાર રે. – દ્રવ્ય-ગુણ-પર્યાય સામાન્ય મ જાણો એ તો જિન બ્રહ્માણી ભલી પરે સાંભળો તત્ત્વરયણની ખાણી એ શુભ મતિ માતા દુર્મતિવેલી કૃપાણી એ શિવસુખસુરતરુ ફ્લરસસ્વાદ નિસાણી. - દ્રવ્ય-ગુણ-પર્યાય • ૫૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ પદ • ચરણકરણમાંહી જે અતિરાતા નવિ સ્વસમયસંભાલેજી નિજ-પરસમયવિવેક કરી નવિ આતમતત્ત્વ નિહાલેજી સંમતિમાં કહિઉં તેણે ન લહો ચરણકરણનો સારોજી તે માટે એ જ્ઞાન અભ્યાસો એહ જ ચિત્ત દૃઢ ધારોજી, યશોજીવન પ્રવચનમાળા યશોવાણી Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન પાંચ દાદા દીકરી જ શકે. જો , આ દિલ કામ જ કરી છે જેમાં ની આરતી હતી અને શાસ્ત્રના સંવાદી અર્થશોધનું કૌશલ્ય तेभ्योनमस्तदीयान् ० આપણા અનન્ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનને શોભાવનાર પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના જીવનને અને તેઓની વિદ્યાની ઉપાસનાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ તેઓનું શ્રુત અને શીલ બને એવા પ્રકારનાં છે કે આપણી અલ્પ બુદ્ધિ તેને સમ્યગુ રીતે સમજી શકે તેમ નથી. શ્રુતની અગાધતા જોઈને તો અતાગ રત્નાકર યાદ આવે અને શીલની આભ ઊંચી ઊંચાઈ જોઈએ તો હિમાલયનાં ઉત્તેગ શિખરો યાદ આવે. શ્રુતસાગરઅવગાહન કરવાની તેમની રીત નિરાળી હતી. એક પ્રસંગે તેઓ લખે છે: વાત છે વિશેષાવશયક ભાષ્યના આધારે તેમણે રચેલા ગ્રન્થ જ્ઞાનાર્ણવની. તેમાં તેઓ પ્રાસંગિક રીતે લખે છે. ग्रन्थान्तरं रत्नजिघृक्षयाऽन्ये, जडास्तडागं परिशीलयन्ति । रत्नाकरं जैनवचोरहस्यं, वयं तु भाष्यं परिशीलयामः ॥ ના મારા, તા કડાણા રકારી કામ ક છે, કારણ ર :- 5 ના પાક ન જ ર ત ર સ ન સી અને પાંચઃ શાસ્ત્રના સંવાદી અર્થશોધનું કૌશલ્ય ૦ ૫o Page #75 -------------------------------------------------------------------------- ________________ જડ માણસો તત્ત્વરૂપી રત્ન મેળવવા માટે અન્ય ગ્રન્થો રૂપી તળાવનું પરિશીલન કરે છે જ્યારે અમે તો જેના વચનોના રહસ્યથી ભરેલા વિશેષાવશ્યક ભાષ્યરૂપી રત્નાકર (સમુદ્ર)નું જ પરિશીલન કરીએ છીએ. આ શ્લોક દ્વારા તેઓએ પોતાની અધ્યયનશૈલીનો આદર્શ રજૂ કર્યો છે. તેઓએ જે રીતે યોગવિષયે અને દાર્શનિક વિષયોમાં હરિભદ્રસૂરિમહારાજના ગ્રન્થોનું દોહન કર્યું, તાત્પર્ય સુધી પહોંચ્યા એ રીતે સ્યાદ્વાદ – નયવિચાર સપ્તભંગી વિષયમાં તેઓએ મૂલસ્રોતથી સિદ્ધસેનદિવાકરજી અને કલિકાલસર્વજ્ઞના ગ્રંથોનું તલસ્પર્શ અધ્યયન કર્યું. આ શ્લોક દ્વારા તેઓએ પોતાની અધ્યયનશૈલીનો આદર્શ રજૂ કર્યો છે. અર્થાત્ પોતે મૃતગ્રહણ માટે મૂલ સ્ત્રોત પાસે જવાનું પસંદ કરતા, અને મૂલ સ્ત્રોત પાસે જઈ તેનું તલાવગાહન કરતા. તલાવગાહન કરીને પ્રતિભાબળથી મર્મ-રહસ્યની પ્રાપ્તિ કરતા અને તે પ્રાપ્ત કરીને પચાવીને – આત્મસાત કરીને અન્ય યોગ્ય આત્મામાં તેનો વિનિયોગ કરતા. આ ત્રણે ચીજો તેમનામાં ક્રિયા રૂપે ન રહેતાં. તે કળા અને યોગ સ્વરૂપે વિક્સેલાં દીસે છે. એમની મતિ માટે સુજસવેલી ભાસમાં એક સુંદર ઉપમા પ્રયોજી છેઃ “સાકરદલમાં મિષ્ટતા જી, તિમ રહી મતિ શ્રત વ્યાપ” જેમ સાકરના ગાંગડામાં અણુઅણુમાં મીઠાશ વ્યાપેલી હોય છે તેમ તેઓની મતિ શ્રુતમાં વ્યાપી રહે છે. તેથી જ સામાન્ય વિદ્યાર્થીને જે અભ્યાસક્રમ ભણી લેતાં પૂરાં બાર વર્ષ લાગે તે અભ્યાસક્રમ તેઓ માત્ર ત્રણ વર્ષમાં ભણી લે છે. તેઓની સામે સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો, કોઈ પણ વિષયનો, વ્યાકરણ, સાહિત્ય, કાવ્યકોશ કે દર્શનનો, પ્રાચીન કે અર્વાચીન કોઈપણ ગ્રન્થકારનો ગ્રંથ આવે તો તેઓ તેને સુગૃહીત કરી લેતા, કરે તો : છે જ રીત : ક ફ કે જે વ ! હજી : પર નારાયણ કરે છે તે જ રીતે • સજજ જ કારક રીક્ષા + + # #ન # ## # # # # # #st , , , ; ; ; ;.૪૪ / act: $ *rNkt. of #3 # ; ૪/ ૪ ૪ ૪ : *: * ;%d :: : : ૫૮ • યશોજીવન પ્રવચનમાળા. Page #76 -------------------------------------------------------------------------- ________________ તેના ગુણદોષ તેમની સામે હસ્તામલકવતું પ્રત્યક્ષ થઈ જતા અને તે ગ્રન્થની કોઈ પણ સારી-ઉત્તમ વાત હોય તો તેઓ તેનો અસંકોચ સ્વીકાર કરતા. દા.ત. દિગમ્બર પરંપરાના ગ્રન્થો છે તે તેઓના જોવામાં આવ્યા. દિગમ્બર પરંપરાની જે, સ્ત્રી મોક્ષે ન જાય અને કેવળજ્ઞાની આહાર ન કરે, પ્રભુ દેશના આપે ત્યારે શબ્દ ન બોલે માત્ર ધ્વનિ જ નીકળે વગેરે માન્યતાઓ છે તે શાસ્ત્રથી, તર્કથી, યુક્તિથી પણ કેવી અસિદ્ધ છે તેનું તેમણે અકાઢ્ય દલીલોથી પ્રતિપાદન કરી. પોતાને તે માન્ય નથી તેવા પ્રતિપાદન કર્યું તેઓની માન્યતાની પોકળતા પુરવાર કરવા માટે, અધ્યાત્મમત પરીક્ષા, દિક્યુટ ચોરાશી બોલ વગેરે ગ્રન્થ દ્વારા જડબાતોડ જવાબ આપ્યા છે. તો દિગંબરાચાર્ય શ્રી વિદ્યાનંદિ રચિત અષ્ટસર પ્રવછર તેમણે જોયું અને તે ગ્રન્થમાં શ્રમણભગવાન મહાવીરદેવે પ્રરૂપેલા સ્યાદ્વાદ ધર્મનું વિશદ નિરૂપણ દેખાયું તો પોતે ખુલ્લા મનથી તેની પ્રશંસા કરી એટલું જ નહીં તેના ઉપર પોતે સંસ્કૃતમાં આઠ હજાર શ્લોક પ્રમાણ વિવરણ રચ્યું. રચના કરતી વખતે પોતે સ્પષ્ટતા કરી છે: स्याद्वादार्थ: क्वापि कस्यापि शास्त्रे य: स्यात् कश्चिद् दृष्टिवादार्णवोत्थ: । तद्व्याख्याने भारती सस्पृहा मे __ भक्तिव्यक्तौ नाग्रहोऽणौ पृथौ वा ॥ ક્યાંય પણ કોઈના ગ્રંથમાં પણ સ્યાદ્વાદનો અર્થ નિરૂપિત થયેલો દેખાય તો તે દૃષ્ટિવાદરૂપી સમુદ્રમાંથી જ નીકળેલાં બિન્દુઓ છે અને એ રીતે તેના વ્યાખ્યાન માટે મારી વાણી સ્પૃહા ધરાવે છે. જ્યાં ભક્તિ જ પ્રકટ કરવી છે ત્યાં પ્રતિમાજી) નાનાં છે કે મોટાં છે તે વાત ગૌણ બની જાય છે, આમ લખીને તેઓએ સ્યાદ્વાદનો સમાદર કર્યો છે. એટલું જ નહિ દિગંબર પરંપરાના આચાર્યશ્રી પ્રભાચન્દ્રકૃત સામ્યશતક તેમના જોવામાં આવ્યું તો તે ગ્રન્થના વચનની અસરકારકતાના કારણે તે પરથી તેમણે હિન્દી આ એ જ કે કે સારી કરે છે ders હેરા લાકડી , , , 4.3 . # કદર . . . . કે જી.' જ ' 3 દોશી , ' જ જો છે સા ા જો છે. કે આ એક મ , છે , છે કાર જ શ કે છેશરીરમાં પાંચ : શાસ્ત્રના સંવાદી અર્થશોધનું કૌશલ્ય - ૫૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં દુહારૂપે શતકની રચના કરી દીધી. આમ તેમને શ્રુતનો પૂર્ણ રાગ હતો. પોતે જ વિ.સં. ૧૭૪૨ની સાલમાં સુરતમાં રચેલી અગિયાર અંગની સઝાયમાં એક કડીમાં કહે છે કે: ખાંડ ગળી સાકર ગળી વળી અમૃત ગળ્યું કહેવાય, માહરે તો મને શ્રુત આગળ તે કોઈ ન આવે દાય.” આ શ્રુતજ્ઞાનનો સ્વાદ પોતે ચાખેલો તેથી તે સિવાયના તમામ પદાર્થમાંથી તેઓનું મન વિરામ પામી ગયેલું. જ્ઞાનસારમાં પોતે લખે आस्वादिता सुमधुरा येन ज्ञानरति: सुधा । न लगत्येव तच्चेतो विषयेषु विषेष्विव ॥ પ્રગાઢ શ્રુતાનુરાગના કારણે ક્યાંયથી પણ ઉત્તમ મળ્યું છે તો તેનો સમાદર કર્યો જ છે. પતંજલિના યોગસૂત્ર ઉપર પોતે ટિપ્પણ લખ્યું, એટલું જ નહીં, જ્યાં તેઓના વચનમાં ખામી જણાઈ ત્યાં અહંન્દુ પરંપરાના આગમના બળે તે દૂર કરી જેમ કે યોગનું એક સૂત્ર છે. “વોશ્ચિત્તવૃત્તિનિરોધ: ” તો પોતે ટિપ્પણમાં લખ્યું કે “થો: પ્રશમવિત્તવૃત્તિનિરોધ: ” પતંજલિના સૂત્રનો અર્થ એવો થાય કે ચિત્તની વૃત્તિઓનો નિરોધ એટલે યોગ. જ્યારે ઉપાધ્યાયજી લખે છે કે અશુભ વૃત્તિઓનો નિરોધ એટલે યોગ. આવું જ બીજું એક યાદગાર ઉદાહરણ છે. તે કુંવરવું મહી નં આ વાક્ય આપણે ત્યાં અતિપ્રસિદ્ધ છે. તેમની નજરે આ વચનમાં આટલું જે ખૂટતું તત્ત્વ જણાયું તે તેમણે ઉમેર્યું. જ્ઞાત્વા તિ શેષ: જાણીને દેહને દુઃખ દેવાથી તે મહાફળને આપે છે. આટલું ઉમેરવાથી આખું વાક્ય નયસાપેક્ષ બની ગયું. એજ પ્રમાણે ઉમાસ્વાતિજીનું વાચન છેઃ નમવતિધર્મ: શ્રોત: તેમાં વવતુ: પદ આવે છે તે પદનો અર્થ તાર્થી આટલો કર્યો છે તેથી આખી વાત નિર્દોષ બની જાય છે. હર રસ., કોઇ કો .. જા જ છે તે તો છે કો જ .. . જa : કરે મારી કાં જ એ આજે છે જે વાત કરે તે ન જ માને જો સારી 11, Sid. I wiફક જ ક ૨ ૪ ૫ ૬ થી ફોક કરી દો જ ફી .. ની જરૂર ૬૦ • યશોજીવન પ્રવચનમાળા Page #78 -------------------------------------------------------------------------- ________________ આમ જેને જેને તેઓની કલમનો સ્પર્શ થતો તે વિષય પરિશુદ્ધ બની જાય છે. વાણી વાચક રસતણી કોઈ નયે ન અધૂરી.” તેઓએ પોતાના જીવનના કેન્દ્રસ્થાને જ્ઞાનયોગને પ્રતિષ્ઠિત કર્યો હતો. એક પ્રસંગે પોતે જ મનોવિજય અને ઇન્દ્રિયજયના ઉપાયરૂપે જ્ઞાનયોગને બતાવે છે: अध्यात्मभावनोपबृंहितसमतापरिणामप्रवाही ज्ञानाख्यो राजयोग एव चित्तेन्द्रियजयस्य परमेन्द्रियजयस्य च उपाय इति युक्तम् । પાતઋલ યોગસૂત્ર વ્યાખ્યા) અધ્યાત્મભાવનાથી પરિપુષ્ટ થયેલો, સમતારૂપ પરિણામને વહન કરનાર જ્ઞાનયોગ એ જ ઇંદ્રિયજનો અને મનોજયનો ઉપાય જ્ઞાનયોગના પરિપાકથી તેઓએ સમન્વયની દૃષ્ટિનો ખૂબ વિકાસ સાધેલો. એક-બે ઉદાહરણ જોઈએ. જ્ઞાન-દર્શનવાદ તરીકે આપણે ત્યાં એક વાદ બહુ જૂના સમયથી જાણીતો છે. મોટા મોટા ધુરન્ધર વિદ્વાનો વચ્ચેનો વિવાદ છે. તેમાં ત્રણ મત છે. ૧. આત્મા કર્મથી સર્વથા મુક્ત બની જાય તે પછી શુદ્ધ એવા સિદ્ધ આત્માનાં કેવલજ્ઞાન અને કેવલદર્શન જુદાં છે અને તેના ઉપયોગ પણ જુદા છે. ૨. બીજો મત એવો છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન જુદાં છે અને તેનો ઉપયોગ એકસાથે છે. ૩. ત્રીજો મત એવો છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક જ છે અને ઉપયોગ પણ જે સમયે જ્ઞાનનો ઉપયોગ વર્તતો હોય તે જ સમયે દર્શનનો પણ ઉપયોગ વર્તતો હોય. યુપતુ અર્થાત્ એક સાથે જ વર્તતો હોય છે. પાંચ : શાસ્ત્રના સંવાદી અર્થશોધનું કૌશલ્ય - ૬૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આમ ત્રણ મતોના પરસ્પર ખંડન-મંડનવાળા ગ્રંથોનાં પાનાંનાં પાનાં ભરેલાં છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે ત્રણે મતોનો નયવાદના આધારે સુંદર સમન્વય સાધી આપ્યો અને તે ત્રણે પોતપોતાની અપેક્ષાએ સાચા છે તેવું પ્રતિપાદન કર્યું. એ વિધાન આ રીતે છેઃ भेदग्राहि व्यवहृतिनयं संश्रितो मल्लवादी, पूज्याः प्रायः करणफलयोः सीम्नि शुद्धर्जुसूत्रम् । भेदच्छेदोन्मुखमधिगतः सङ्ग्रहं सिद्धसेनस्तस्मादेते न खलु विषमाः सूरिपक्षास्त्रयोऽमी ॥ શ્રી મલ્લવાદીજી મહારાજ સિદ્ધ આત્માઓનાં કેવલજ્ઞાન અને કેવલદર્શન જુદાં છે અને તેનો ઉપયોગ પણ જુદો માને છે તે વ્યવહારનયની દૃષ્ટિએ બરાબર છે. પૂજ્ય જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહારાજ કેવળજ્ઞાન અને કેવલદર્શન જુદાં છે અને ઉપયોગ સાથે હોય છે તેમ માને છે તે શુદ્ધ ઋજુસૂત્ર નયની દૃષ્ટિએ બરાબર છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન એક જ છે અને તેનો ઉપયોગ સાથે જ હોય છે તેવું જે શ્રી સિદ્ધસેન દિવાકરજી માને છે તે સંગ્રહનયની અપેક્ષાએ બરાબર છે, અને એ રીતે આ ત્રણે પક્ષોમાં હવે વૈષમ્ય રહેતું નથી. એ જ પ્રમાણે શ્રી ભગવતીજી સૂત્રમાં એક અધિકાર આવે છે કે શ્રમણ-જીવનનો બાર મહિનાનો દીક્ષાપર્યાય થાય ત્યારે સાધુને અનુત્તર વિમાનવાસી દેવો કરતાં વધારે સુખનો અનુભવ થાય. આ ભાવની ગુજરાતીમાં પણ કડી મળે છે : “બાર માસ પર્યાયે જેને અનુત્તર સુખ અતિક્રમીયે” આ વચનને આધારે જ્યારે વર્તમાન ૧ વર્ષથી વધારે દીક્ષાપર્યાયવાળા સાધુના અનુભવને તપાસવામાં આવે ત્યારે આ વચન માટે મનમાં એમ થાય કે આ સાચું હશે? જેટલા સાધુ મળે છે તે બધાને • યોજીવન પ્રવચનમાળા Page #80 -------------------------------------------------------------------------- ________________ પૂછવામાં આવે કે તેમને બાર મહિનાના પર્યાય પછી આવા સુખનો અનુભવ થાય છે ખરો? અનુભવથી વચન જ્યારે વિરુદ્ધ જાય ત્યારે મનમાં થાય કે સાચું શું? આ શંકાનું સચોટ સમાધાન ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથના બીજા અષ્ટકમાં આપ્યું છે. તેમણે કહ્યું છે. કે બાર મહિનાના પર્યાયવાળા સાધુને એવો અનુભવ થાય એ વાત સાચી પણ કેવા સાધુને? આવા સાધુને એવો અનુભવ થાય એમ કહીને તેમનું સ્વરૂપ બતાવ્યું છે. प्रत्याहृत्येन्द्रियव्यूह, समाधाय मनो निजम् । दधच्चिन्मात्रविश्रान्तिर्मग्न इत्यभिधीयते ॥ १ ॥ यस्य ज्ञानसुधासिन्धौ, परब्रह्मणि मग्नता । विषयान्तरसञ्चारस्तस्य हालाहलोपमः ॥ २ ॥ स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिन: ।। कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ॥ ३ ॥ परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा । क्वामी चामीकरोन्मादा:, स्फारा दारादरा: क्व च ॥ ४ ॥ तेजोलेश्याविवृद्धिर्या, साधोः पर्यायवृद्धितः ।। भाषिता भगवत्यादौ, सेत्थम्भूतस्य युज्यते ॥ ५ ॥ ઇન્દ્રિયના સમુદાયને પદાર્થ તરફથી વાળીને, તેનું સંવરણ કરીને, પોતાના મનને, સમાધાન કરીને માત્ર જ્ઞાનમાં જ વિશ્રામ કરે તેને મને કહેવાય, અને આ રીતે જે જ્ઞાનમગ્ન બન્યો તેને પરબ્રહ્મમાં મગ્નતા આવે, અને તેના જ કારણે અન્ય વિષયો વિષ પાંચ : શાસ્ત્રના સંવાદી અર્થશોધનું કૌશલ્ય • ૬૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ જેવા લાગે. સ્વ-ભાવ-સુખમાં જ મગ્ન રહીને જગતને જુએ ત્યારે અન્ય ભાવોમાં કર્તાભાવ ન હોય, માત્ર સાક્ષીભાવ જ વર્તતો હોય, અને એ રીતે પરબ્રહ્મમાં મગ્ન સાધકને પુદ્ગલની કથા રસહીન લાગે તથા કંચન અને કામિની પ્રત્યે આદર જ ન હોય. કર્તાભાવ એ જ દુ:ખનો પર્યાય છે એ જ નીકળી ગયો પછી તો સુખ ને સુખ જ છે આવા પ્રકારના સાધુને બાર માસના પર્યાયે અનુત્તરવિમાનવાસી દેવો કરતાં વધારે સુખનો અનુભવ થાય છે. એટલે પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રમાં જે લખ્યું છે તે આ રીતે ઘટે છે, સુસંગત થાય છે. આ પ્રકારે તેઓશ્રીએ પોતાના ગ્રન્થોમાં પુષ્કળ જગાએ આગમવચનોની સંગતિ સાધી છે. આવશ્યક નિર્યુક્તિમાં એક ગાથા આવે છે: सव्वसुरा जइ रूवं अंगुट्टपमाणयं विउव्वेज्जा । जिनपादंगुठं पइ न सोहइ तं जहिंगालो ॥ ५६९ ॥ આ જ વાત લલિતવિસ્તરામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પણ લીધી છે. “પં પુન: સઇ સુરસ્વપ્રમાવિવિનિર્મિતાપરિનિદર્શનાતિશયસિદ્ધ.” બધા દેવો ભેગા થઈને એક અંગૂઠા જેટલું પણ રૂપ વિદુર્વે તો પણ અરિહંત પરમાત્માના અંગૂઠા સામે તે ન શોભે – બળતા અંગારાની વચ્ચેના કોલસાની જેમ. આને સામે રાખીને તેઓએ આ ભાવ શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં ગૂંચ્યો છે: કોડી દેવ મિલકે કર ન શકે એક અંગૂઠરૂપ પ્રતિછંદ એસો અદ્દભુત રૂપ તિહારો વરસત માનું અમૃત કે બુંદ જય જય જય જય પાસ જિણંદ... તેઓ કવિ છે એટલે ઉપમામાં ફેરફાર કર્યો. ત્યાં કોલસા અને અંગારાની વાત હતી, અહીં પોતે ઉàક્ષાલંકાર પ્રયોજીને જાણે એ છે : : * * * * * છે ચાર શક ૪૬, ફરામજનક રીતે કરે તે કરી શકો છો જે કાંઈ છે જ . * દરર કરી શકા,*ક અરે! રાક : અ શાખા : જાય છે TS + કા વીરા : ફર ક અ કામ .ડી . જો આ જ હતું. તે છે, તો જ જાય છે. તે છે. જો કે, આ કે સારી રીતે ૬૪ • યશોજીવન પ્રવચનમાળા Page #82 -------------------------------------------------------------------------- ________________ અંગૂઠામાંથી અમૃતની વર્ષા ન થઈ રહી હોય એમ વર્ણવે છે. આટલું તો બરાબર છે. આવું કવિકર્મ તો ઘણાનું કરેલું જોવા મળે છે. ખરું કામ હવે શરૂ થાય છે. તેઓની તાર્કિકતા અહીંથી આગળ નજર તાકે છે. સર્વ દેવો કરતાં આવું અદ્ભુત રૂપ અહંતનું આવ્યું ક્યાંથી? દેહના અતિશયો છે, વગેરે વાતો તો આગમપ્રમાણમાં જશે. અનુમાન પ્રમાણમાં શું? એટલે તેઓ કહે છે કે જ્યારે આત્મા તીર્થંકરનામકર્મની નિકાચના કરે છે ત્યારે તેઓ એક એક આત્માને પોતાની કરુણાનજરથી નીરખે છે. એ નીરખતી વખતે તેમને આત્માને આત્મસ્વરૂપ એટલે શુદ્ધ સ્વરૂપે જોવો પડે, વિચારવો પડે. આત્માનું શુદ્ધસ્વરૂપ તો અત્યંત જાજ્વલ્યમાન તેજ તેજના અંબાર જેવું છે. તે વખતે આવા તેજના પંજસ્વરૂપ અનંતાનંત આત્માનું ધ્યાન કરવાના કારણે ધ્યાતા જેનું ધ્યાન કરે છે તે સ્વરૂપે ધ્યાતા બની જાય છે. એ ન્યાયે અહંતે તેજસ્વરૂપ સર્વ આત્માનું ધ્યાન કર્યું. તો તે તેજોમય પોતે બની ગયા. માટે સર્વ સુરેન્દ્રો કરતાં પણ વધુ તેજસ્વી તેઓ લાગતા હતા. આ વાત તેઓએ એક સ્તોત્રમાં આ રીતે મૂકી છેઃ धाम ध्यायसि यत् पुरा त्रिजगती धामातिशायि स्फुरन् तत्सङ्क्रान्तिवशादिवेयमनिशं मूर्तिस्तवोद्योतिनी । अङ्गुष्ठात् पुरतस्तवक्रमभवादिङ्गाललीलावहं नो चेत् सर्वसुरासुरैः कथमहो शक्त्या जितं रूपकम् ।। આવી તેમની વિશેષતા હતી. આ જ તેમની વિશેષતા છે. તેઓશ્રીએ જે રીતે ગ્રંથોના સંક્ષેપ, રૂપાન્તર આપ્યાં, શાસ્ત્રનિર્દિષ્ટ પાઠોની અર્થસંગતિ સાધી આપી તે રીતે શાસ્ત્રમાં આવતા શબ્દોને એમ ને એમ રજૂ ન કર્યા પણ દેશકાળસંયોગ વગેરેને લક્ષ્યમાં લઈને તેની સંગતિ કરી. દા.ત. દશ- વૈકાલિકમાં એકાકી વિહારની અનુજ્ઞા છે કે ન વા નગેના નિવUાં સદીયં યોગ્ય સહાયક ન મળે તો સાધક એકાકી વિહારી બને તે વાત પાંચ : શાસ્ત્રના સંવાદી અર્થશોધનું ફીશલ્ય ૦ ૬૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્યમાં કહી પછી સાડી ત્રણસો ગાથામાં પ્રસંગ આવ્યો તો કહ્યું “તો પણ પંચમકાળમાં રૂડો ભેળો વાસ”. વળી એ વાત પણ ઉપદેશમાળાના ડુક્કસ કો દો વગેરે શાસ્ત્રવચનના આધારે કરી. આમ તેઓની નજર આકાશમાં છે પણ પગ ધરતી પર છે. શાસ્ત્રવચન તો બધાં મળે પણ તેનો યથાસ્થાને વિનિયોગ એ જ ગીતાર્થતા છે. એ તેમનામાં જણાય છે. આમ શ્રુતસમુદ્રનું તલસ્પર્શી અવગાહન કરી મંથન કરી નક્કર રત્નની પ્રાપ્તિ કરી અન્યને ખોબે ખોબે તેનું દાન કર્યું છે. આવા અદ્ભુત શ્રુતજ્ઞાનનાં મૂળ તેઓના શીલમાં જોવા મળે છે. પરિણત શ્રત એ જ શીલ બને છે. શીલશોભિત સાત્વિક જીવનનો નકશો તેઓનો કેવો હશે તેનો અંદાજ આપણને તેઓએ અધ્યાત્મસારમાં જે વાત ગ્રંથના અંતે સાધકને હિતશિક્ષા સ્વરૂપે કહી છે તેમાંથી મળે છે. તેઓ સ્વભાવથી સંપૂર્ણ નિર્દભી જીવનના આગ્રહી જણાય છે. દંભ ઉપર રીતસરનો સખત અણગમો તેઓએ દર્શાવ્યો છે, અને કડક શબ્દો વાપર્યા છેઃ તેષાં નામ પાખને. જેઓ વ્રત પાળવા માટે અસમર્થ છે છતાં વ્રતધારી તરીકે જ જીવે છે તેઓ દંભી છે અને આવો દંભ મહાદોષ તેઓમાં હોવાના કારણે તેઓનું નામ લેવું તે પણ પાપ છે, આમ કહે છે. અધ્યાત્મસારમાં તેઓએ સ્વતંત્ર ‘દંભત્યાગાધિકાર' રચ્યો છે. એટલું જ નહિ પણ તેઓની પાકટ દરાખ જેવી સુમધુર રચના એટલે શ્રીપાળ-રાસમાં સાવ અંતે આરાધક આત્માને પોતાની એકમાત્ર શિખામણ આપતાં પણ તેમને નિર્દભ થવાનું જ કહ્યું છેઃ થોડે પણ દંભે દુઃખ પામ્યા પીઠ અને મહાપીઠો અનુભવવંત તે દંભ ન ધારે દંભ ધરે તે ધીઠો મુજ સાહિબ જગનો તૂઠો. આના પરથી ચોક્કસ લાગે છે કે તેઓ આચારમાં સંપૂર્ણ નિર્દભ અને વિચારમાં સંપૂર્ણ નિર્કાન્ત હશે. કોઈનું કશું પોતાને તે જ આ 33 જ કાલ ન થાય તે જોઇ , M. 00 હદ , . . . ie , , શકે , , , IML ' . . waves in; ૬૬ ૦ ચશોજીવન પ્રવચનમાળા Page #84 -------------------------------------------------------------------------- ________________ અણગમતું લાગ્યું તો તેઓ સામે જ કહેવાના સ્વભાવવાળા હશે. જે શ્રોતા માત્ર સાંભળવા જ આવે અને તે પણ મર્મને સમજ્યા વિના જ સાંભળે અને આચરણમાં પણ કશું ન ઉતારે, તેના પ્રત્યેનો અણગમો તેઓએ આ રીતે પ્રકટ કર્યો છે: “મર્મ ન જાણે મૂલગો, કંઠશોષ કરાવે ફેક રે, તેહને હિત કિણ પરે હુયે?, ફલ લીયે તે રોકારક રે"... આવું કહીને તુર્ત વાળી લે છેઃ મત કોઈ જાણો રે ઉલટું, અસ્તે પ્રવચનના છું રાગી રે; શાસનની ઉન્નતિ કરે, તે શ્રોતાને કહું સોભાગી રે”... પરનિંદા પ્રત્યે પણ તેઓ નારાજ હશે. એ અધ્યાત્મસારમાં આપેલી હિતશિક્ષા આપણા જેવા જીવો માટે ખૂબ ઉપયોગી અને ઉપકારક છે. કુલ આઠ શ્લોક આ પ્રમાણે છે: निन्द्यो न कोपि लोके, पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या । पूज्या गुणगरिमाढ्या, धार्यो रागो गुणलवेऽपि ॥ ३८ । निश्चित्यागमतत्त्वं, तस्मादुत्सृज्य लोकसंज्ञां च । श्रद्धाविवेकसारं, यतितव्यं योगिना नित्यम् ॥ ३९ ॥ ग्राह्यं हितमपि बालादालापैर्दुर्जनस्य न द्वेष्यम् । त्यक्तव्या च पराशा, पाशाइव सङ्गमा ज्ञेयाः ॥ ४० ॥ स्तुत्या स्मयो न कार्य: कोपोऽपि च निन्दया जनैः कृतया । सेव्या धर्माचार्यास्तत्त्वं जिज्ञासनीयं च ॥ ४१ ॥ છે. તે કે પાંચ : શાસ્ત્રના સંવાદી અર્થશોધનું કૌશલ્ય : ૬૦ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શૌય ધૈર્યમતો. વૈરાયું રાત્મનિપ્રદ:ાર્ય: I दृश्या भवगतदोषाश्चिन्त्यं देहादिवैरूप्यम् ॥ ४२ ॥ भक्तिर्भगवति धार्या, सेव्यो देश: सदा विविक्तश्च । स्थातव्यं सम्यक्त्वे विश्वस्यो न प्रमादरिपुः ॥ ४३ ॥ ध्येयात्मबोधनिष्ठा, सर्वत्रैवागमः पुरस्कार्यः । त्यक्तव्याः कुविकल्पाः स्थेयं वृद्धानुवृत्या च ॥ ४४ ॥ साक्षात्कार्यं तत्त्वं, चिद्रूपानन्दमेदुरैर्भाव्यम् । हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम् ॥ ४५ ॥ કોઈની પણ ક્યારે નિંદા ન કરવી, પાપીમાં પાપી જીવ અંગે પણ સંસારની પરિસ્થિતિ કેવી વિષમ હોય છે તેમ વિચારવું, ગુણોથી જેઓ મહાન હોય તેઓની પૂજા કરવી. કોઈનો નાનો પણ ગુણ જોવા મળે તો તેના પર રાગ – પ્રીતિ ધારણ કરવી. આગમતત્ત્વનો નિશ્ચય કરીને પોતાના જીવનમાં તે ભાવોને આત્મસાત્ કરી લેવા. લોકસંજ્ઞાનો ત્યાગ કરવો, આગમતત્ત્વો પ્રત્યેની શ્રદ્ધાથી અને લૌકિક ભાવોના વિવેક(વસ્તુસ્વરૂપનો નિર્ણય)થી જ આત્મકલ્યાણના માર્ગમાં યત્ન કરવો. વયમાં નાના બાળ હોય તેવા જીવની પણ હિતકારી વાત હોય તો તે ગ્રહણ કરવી. દુર્જનો દ્વેષથી પ્રેરિત થઈને ગમે તેવાં વચનો કાઢે તો તેના ઉપર દ્વેષ ન કરવો. પારકી આશા ત્યજવી. અને જે સંગમસંયોગ થાય છે તે બધાય અનિત્ય છે અને આત્મકલ્યાણના માર્ગે બંધનરૂપ છે તેમ સમજવું. કદાચ કોઈ પ્રશંસા કરે તો ગર્વ ધારણ ન કરવો. અને કોઈ નિંદા કરે તો તેના પર કોપ ન કરવો, સમભાવે રહેવું. ધર્માચાર્યની સેવા કરવી. તેઓનાં વચન સાંભળવાં, તત્ત્વની જિજ્ઞાસા રાખવી. પવિત્રતા, સ્થિરતા અને નિર્દેભતા અને વૈરાગ્ય ધારણ કરવાં. આત્મસંયમ કેળવવો. સંસારના દોષ જોવા. દેહાદિ અનિત્ય • યશોજીવન પ્રવચનમાળા Page #86 -------------------------------------------------------------------------- ________________ પદાર્થની વિરૂપતાનો વિચાર કરવો. ભગવાન પ્રત્યે ભક્તિ ધારણ કરવી. એકાન્ત પ્રદેશમાં રહેવું. સમ્યક્ત્વમાં રહેવું. પ્રમાદ ન થવા દેવો. સર્વત્ર આગમને આગળ કરવા. કુવિકલ્પોને ત્યજવા, વૃદ્ધ પુરુષોની આચરણા પ્રમાણે વર્તવું. આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો. જ્ઞાનાનન્દમાં મગ્ન રહેવું. જ્ઞાનવાન પુરુષો માટેનો આ અનુભવગમ્ય હિતકારી માર્ગ છે. આવી સોનેરી શિખામણ તેઓએ આપી છે. સામાન્ય બુદ્ધિવાળા વર્ગ માટે તેઓએ ગુર્જર ભાષામાં પણ ઘણું સાહિત્ય રચ્યું છે. તેની વાતો હવે પછી જોઈશું. એ જ રીતે સમગ્ર સંયમધર પુરુષોને માટે કાયમ યાદ રાખવાલાયક હિતશિક્ષા આપી છે. પાંચ શાસ્ત્રના સંવાદી અર્થશોધનું કૌશલ્ય ૬૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૦ યશોજીવન પ્રવચનમાળા Page #88 -------------------------------------------------------------------------- ________________ ........ બહુમૂલ્ય હિતશિખામણ ...................... મન રમાડે શુભ ગ્રંથમાં, મત ભાડે ભ્રમ-પાશ રે; અનુભવ રસવતી ચાખજે, રાખજે સુગુરુની આશ રે. ચેતન! ૧૭ આપ સમ સકલ જગ લેખવે, શીખવે લોકને તત્ત્વ રે. માર્ગ કહેતો મત હારજે, ધારજે તું દઢ સત્ત્વ રે. ચેતન! ૧૮ શ્રી નયવિજય ગુરુ સીસની, સીખડી અમૃતવેલ રે; સાંભલી જેહ એ અનુસરે, તે લહે સુજસ રંગરેલ રે. ચેતન! ૧૯ (યશોવાણી) - અમૃતવેલી (નાની) Page #89 -------------------------------------------------------------------------- ________________ ७२ કવિ-સુકવિનો ભેદ સત્કવિ અન્ય વચન તણો, જો નવી જાણ્યો ફેર, હંસ-કાક સંશય પતિત; કુલી શું હોયે ભેર ? 3 અક્ષર તેહ જ તેહ જ પદ, કવિ રચના કાંઈ અન્ન, રંગ તિભાગ નાગરી જુએ, પામરી લોયણ પુન્ન. ૪ (જંબુસ્વામી રાસ, દૂહા, ઢાળ ૨૩મી, પૃ. ૫૩) (યશોવાણી) યશોજીવન પ્રવચનમાળા Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન છે. કાકાર : શાળા - - કચ્છ ૧૭૬ કરી છે. રાજકારણ કે એક દિક કરી શકે તો કેમ ના દર ઇશાનુગ્રહસંગતિનું દર્શન तेभ्योनमस्तदीयान्० આપણા અનન્ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના રસિક જીવો ઉપર અમાપ ઉપકાર કરનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની સંસ્કૃત ભાષાના ગ્રંથોની આછેરી ઝલક આપણે જોઈ. એક ભાઈએ કહ્યું કે, “મહારાજ સાહેબ! ગઈકાલે અમને બહુ અઘરું લાગ્યું. આમાં તો અમારી ચાંચ ન બૂડે. બહુ ઊંડા અભ્યાસીને જ આમાં ખબર પડે.” મેં કહ્યું કે “હવે સહેલું આવશે. આ તો તેમણે જે ક્ષેત્રોનું ખેડાણ કર્યું છે તેની થોડી લકીર તો બતાવવી જોઈએ. થોડાં બિંદુ ચખાડવાં જોઈએ. હજી તો આપણે તેમના જીવન અંગેની ઘણી વાતો કરવાની છે.” તો આજે આપણે તેઓના ગુજરાતી સાહિત્યની થોડી વાતો ટૂંકાણમાં કરીએ, જેમાં તમને રસ પડશે. તેઓનું ગુજરાતી સાહિત્ય બે પ્રકારનું છેઃ એક ભક્તિ સાહિત્ય અને એક તાત્ત્વિક સાહિત્ય. બન્નેના શિખરની ઊંચાઈ ઘણી છે. તેઓની પ્રતિભા એવી તો સર્વદિગૂગામિની છે કે જેને તેઓ સ્પર્શે તે પદાર્થ ખીલી ઊઠે. ટાઢુબોળ ચન્દ્રકિરણ જેને અડે તે શીતળ શીતળ થઈ જાય. તેમના છઃ ઇશાનુગ્રહ સંગતિનું દર્શન • ૦૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ગ્રંથ માટે સુજસવેલીકારે ઠીક જ લખ્યું છે: શીતલ પ૨માનંદિની શુચિ વિમલ સ્વરૂપા સાચી રે જેહની રચનાચન્દ્રિકા રસિયા જન સેવે રાચી રે. ભક્તિના સાહિત્યમાં તેઓ વરસી પડ્યા છે. પ્રભુ સાથેની ગોઠડી વખતે તેઓ પોતાની વિદ્વત્તા-તાર્કિકતા બધી ચીજોને ખીંટીએ મૂકીને નાના બાળકની જેમ પ્રભુ સાથે શ્રદ્ધાની ભાષામાં જ વાત માંડે છે અને પ્રભુના કૃપાકિરણથી પોતાનું અસ્તિત્વ આરપાર વીંધાઈ જાય તેમ થાય છે. તેઓએ ભક્તિને સાર્થક કરી છે. તેમની તાર્કિકતા શ્રદ્ધાથી પરિશુદ્ધ થયેલી છે. તાર્કિકતાના દોષો દૂર થઈ જાય અને તેની ગુણવત્તા ઝળકી ઊઠે તેવો કીમિયો તેમણે અજમાવ્યો છે. તેઓ પ્રભુને પામીને યાચકની જેમ યાચના નથી કરતા પણ ગ્રાહકની જેમ માગે છે. પોતે પોતાની જાતને દીન-હીન નથી માનતા, ખુમારીથી બોલે છેઃ “મત કહેશો તુજ કરમે નથી, કરમે છે તો તું પામ્યો રે મુજ સરીખા કીધાં મોટકા, કહો તેણે કાંઈ તુજ થામ્યો રે' ભક્તો ભગવદ્ તત્ત્વથી ભીંજાય પછી પોતાને ભગવાનના અંશ જ ગણે છે. એવી પણ એક ભૂમિકા આવે છે. ઋષભદેવ ભગવાનના સ્તવનમાં અંતે તેઓ ગાઈ ઊઠે છે કે: “જસ કહે અબ મોહે બહુ નિવાજો' એ જ રીતે આનંદઘનજી મહારાજે પણ શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં ગાયું છેઃ “અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે અમિત ફ્લદાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે.” ભક્તિના માધ્યમથી તેઓની ત્રણ ચોવીસી મળી છે. તે સિવાય છૂટાં સ્તવનો પણ ઘણાં મળે છે. જ્યારે જ્યારે તેનું ગાન કરીએ ત્યારે ત્યારે તેમાંથી નવો નવો રસ, નવો નવો અર્થ મળે યશોજીવન પ્રવચનમાળા Page #92 -------------------------------------------------------------------------- ________________ છે. તેઓની અનુભૂતિની પરમ ક્ષણોની અભિવ્યક્તિ સૌથી વધુ આ ગુજરાતી ભક્તિ-સાહિત્યમાં ઝિલાઈ છે. આમ તો ઘણે સ્થળે તેવું ભાવાંકન થયું છે, પણ અત્યારે તુર્ત ત્રણેક સ્થળ યાદ આવે છે. શાન્તિનાથ ભગવાનનું એક જાણીતું સ્તવન છેઃ હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં એ સ્તવનમાં તેઓએ બુલંદ કંઠે આશાવારી રાગમાં ગાયું વાચક જસ કહે મોહ મહા અરિ જીત લીઓ હે મેદાનમેં” મુનિસુવ્રતસ્વામી ભગવાનના એક નાના માત્ર ત્રણ કડીના સ્તવનમાં તો ત્યાં સુધીના અક્ષરો ચિત્તખરલમાં ઘૂંટાઈને સરી પડ્યા છે કે: નિયતિ હિતદાન સનમુખ હુએ સ્વપુણ્યોદય સાથે જસ કહે સાહિબે મુગતિનું કર્યું તિલક નિજ હાથે.” અને શ્રીપાળરાસની રચના પૂર્ણ કરતાં તો અતિશયોક્તિના રણકાર વિના કહી જ દીધું કેઃ “મારે તો ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાંહિ પેઠો રે, ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે, આતમરતિ હુઈ બેઠો રે. હરવ્યો અનુભવ જોર હતો જે મોહમલ્લ જગ લૂંઠો પરિ હરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભૂઠો રે.” મોહરાજાને પરાસ્ત કરીને આત્મદર્શનની, આત્મરતિની નિત્ય આનંદપર્યવસાયી અનુભૂતિ તેઓને થઈ હતી તે વાત નિઃશંક છે. આ અનુભૂતિ એ જ જીવનની પરમ અને ચરમ સાર્થકતા છે. “अयं हि परमो योगो यद् योगेनात्मदर्शनम्'' આ વચનમાં જે યોગ દ્વારા આત્મદર્શનની વાત છે તે ઘણા { " ર૪ શા હ શા હ પાક આ છે કે દર ૩૩ ક છે. આ જ કારાકાર કી વાત આ જ જીદ કરી હતી જફામ દોશી તરફes: છે. 10 જ જાય છે જે માં તેઓ પોતાના , ક CE) કીશ. આ કદાફડw:કરજોહરણકારે કજાતકોઈક, જાક જી. . . જો કરીuaહનીય છે કટાકડા :હડકવાનને 2003 છ: ઇશાનુગ્રહસંગતિનું દર્શન • ૦૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ યોગીને થાય છે, પણ પછી તેની અભિવ્યક્તિ બધા કરી શકતા નથી. આવા ઉપાધ્યાયજી મહારાજ જેવા યોગી જ આવી સ્પષ્ટ અનુભૂતિ અને તે કારણે સ્પષ્ટ અભિવ્યક્તિ કરી શકે છે. પરમાત્મતત્ત્વ અંગેનું પણ તેમનું સ્પષ્ટ અને આગવું જ દર્શન હતું. સામાન્ય રીતે જૈન દર્શનને વિદ્વાનો નિરીશ્વરવાદી કહે છે. કારણ કે તે ઈશ્વરને સૃષ્ટિના કત નથી માનતા. પણ સૃષ્ટિના કર્તા તરીકે ઈશ્વરને ન સ્વીકારે એટલા માત્રથી નિરીશ્વરવાદી ન કહેવાય. ખરેખર તો ઈશ્વરના અસ્તિત્વનો જ જે ઇન્કાર કરે તે નાસ્તિક કહેવાય પણ વૈદિક ધર્માવલંબીઓએ વેદને એ દૃષ્ટિએ પ્રસ્થાપિત કર્યા છે કે વેદને ન સ્વીકારે તે નાસ્તિક પણ નિરીશ્વરવાદી નહીં. નાસ્તિક. પણ આ મોટી ભૂલ છે. અહીં જૈન ધર્મ ઈશ્વરને સંપૂર્ણપણે સ્વીકારે છે. સૃષ્ટિના કર્તા તરીકે નહીં હા, એક જ વાત છે. આપણે ત્યાં પરમાત્મતત્ત્વના સ્વરૂપને સમજવામાં ઘણી ગંભીર ભૂલ થઈ છે, તે નિખાલસતાથી કબૂલવું જ રહ્યું. આ વાત થોડી વિગતે જોઈએ. પરંપરાગત રીતે તમે બધા વર્ષોથી વ્યાખ્યાનમાં સાંભળતા જ રહ્યા છો કે આપણા ભગવાન જગત બનાવે નહિ પણ બતાવે. આપણા ભગવાન વીતરાગ. તેમાં રાગ પણ નહીં ને દ્વેષ પણ નહીં. ભગવાન સુખ પણ ન આપે અને દુઃખ પણ ન આપે. આવી વિભાવનાથી પરમાત્માની કરુણાનો સમૂળગો છેદ ઊડી જાય છે, તે આપણા ધ્યાન બહાર ગયું છે. અહંતુ પરમાત્માની કરુણાને સમજવા માટે શ્રમણ મહાવીર પ્રભુ અને સિંહઅણગાર વચ્ચેનો સંવાદ (ભગવતીસૂત્ર શતક: ૧૫) ધ્યાનથી વાંચજો, સાંભળજો તો ખ્યાલ આવશે કે કેવી કરુણા છે. ભગવાન સુખ પણ ન આપે અને દુઃખ પણ ન આપે એ કારણે એક તો કહે છે. ફકર છે દર : 'જુદા કકડા કડક કાકા અમુa : yes;"ા ૫ શાખા ૦૬ ૦ યશોજીવન પ્રવચનમાળા. Page #94 -------------------------------------------------------------------------- ________________ વાત જો સત્ય હોય તો એમની પૂજા, સેવા, જાપ, ધ્યાન નિરર્થક બની જશે! આ સંદર્ભમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે સાવ સાદી ગુજરાતીમાં સુબોધ રીતે આ ગૂઢ તાત્ત્વિક પદાર્થ આપણી સામે સ્પષ્ટ રજૂ કરી દીધો છે. પંદરમા શ્રી ધર્મનાથ ભગવાનના સ્તવનમાં આ ચર્ચાનો નિષ્કર્ષ, ઉકેલ તેમણે આપ્યો છે, અને “નામૂર્ત નિરવ્યને બ્રિષ્યિતિ' એ મુદ્રાલેખ તો ઉપાધ્યાયજી મહારાજનો છે જ, તેથી વિશ્વ નિવિર ઉપરની શ્રી હરિભદ્રસૂરિજી મહારાજની વૃત્તિમાં તિસ્થર છે પસીયંત અને સિદ્ધદ્ધિ મમ વિસંત આ બે પદના વિવરણમાં તેઓએ જે મિતાક્ષરમાં આ મુદ્દો દૃષ્ટાન્ત સાથે સ્પષ્ટ કર્યો છે તે વાત અહીં રજૂ કરી છે. મૂળ સ્થાનના અક્ષરો આ પ્રમાણે છે: शीतादिर्तेषु च यथा द्वेषं वह्निर्न याति रागं वा । नाऽऽह्वयति वा तथापि च तमाश्रिताः स्वेष्टमश्नुवते ॥ तद्वत् तीर्थकरान् ये त्रिभुवनभावप्रभावकान् भक्त्या । समुपाश्रिता जनास्ते भवशीतमपास्य यान्ति शिवम् ॥ यद्यपि ते रागादिरहितत्वात् न प्रसीदन्ति तथापि नानुदिदेश्याऽ चिन्त्यचिन्तामणिकल्पानन्त:करणशुद्ध्या अभीष्टकर्तृणां तत् पूर्विकवाभिलषितफलावाप्तिर्भवतीति પથાર્થ: (आवश्यकनियुक्ति गा १०९१ हारिभद्रीय वृत्ति.) આ ભાવને મનમાં રાખીને તેઓએ આ ધર્મનાથ ભગવાનના સ્તવનમાં “સેવકના તિમ દુઃખ ગુમાવે પ્રભુગુણ પ્રેમ સ્વભાવે.” આ પંક્તિની પહેલાં આ ભાવને પુષ્ટ કરવા શ્રેણિબદ્ધ ઉપમાઓ આપી છેઃ અચેતન સુરમણિ જેમ ફળે છે, ચંદન શીતળતા ઉપજાવે છે, અગ્નિ શીતળતાને દૂર કરે છે, ચન્દ્રનું તેજ વધતું જાય છે તેમ તેમ સમુદ્રમાં ભરતી આવતી જાય છે, આ બધું જેમ કરે ક છે. હેકો. જો કે આ માર્ગ છે કે જો જ કિસ કો ચાર થી એ જ કે જો સારી રીતે 5% જ આ wit/wી, s ' ' , , , છે , , , કે છ: ઇશાનુગ્રહસંગતિનું દર્શન • ૭૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ સ્વાભાવિક છે તે દ્રવ્યોના સ્વભાવે કારણે બને છે, બસ તે રીતે પ્રભુના ગુણનો સ્વભાવ જ એવો છે કે તેમના સાંનિધ્યના પ્રભાવે સેવકનાં દુઃખો દૂર થાય છે. એક ઐતિહાસિક કાવ્યપ્રસંગથી આ વાત વધુ સ્પષ્ટ થશે. કવિકુલશિરોમણિ કાલિદાસે રઘુવંશ નામનું મહાકાવ્ય રચ્યું છે તેમાં શરૂઆતમાં મર્યાદાપુરુષોત્તમ શ્રી રામના પૂર્વજોનું વર્ણન આવે છે. તેમાં પહેલા-બીજા સર્ગમાં રાજા દિલીપની વાત છે. તે વનમાંથી પસાર થતા હતા ત્યારનું વર્ણન છે : शशाम वृष्ट्यापि विना दवाग्निरासीद् विशेषा फलपुष्पवृद्धिः । ऊनं न सत्त्वेष्वधिको बबाधे तस्मिन् वनं गोप्तरि गाहमाने । રઘુવંશ, સર્ગ-૨) જે વનમાંથી રાજા પસાર થાય તે વનમાં વૃક્ષથી વૃક્ષ ઘસાવાને કારણે જે દાવાનલ પ્રગટ્યો હોય તે વરસાદ વિના શમી ગયો, જે ફૂલ અને ફળના છોડ કે વૃક્ષ હતાં તેમાં રોજ આવે તેના કરતાં વધારે ફળ-ફૂલ આવ્યાં એટલું જ નહિ નિર્બળ પશુને સબળ પશુ હેરાન ન કરે તેવું વાતાવરણ બની ગયું. એક પ્રજાવત્સલ રાજાના હૃદયમાં રહેલી પોતાની પ્રજા પ્રત્યેની કરુણાના પ્રભાવે સચરાચર સૃષ્ટિ ઉપર જો આવી અસર થતી હોય તો ત્રણ જગતના જીવમાત્ર પ્રત્યેની કરુણાથી તેમના સ્વભાવથી જ સેવકનાં દુઃખ દૂર થાય તે વાત આગમ=શાસ્ત્રસંમત તથા આ રીતે તર્કસંગત પણ છે. આ વાતથી પ્રભુ વીતરાગી છે, મોક્ષમાં ગયા છે તેને ભજવાથી તે રાજી ન થાય, તેમની નિંદા કરવાથી તે નારાજ ન થાય, એવી વાતો સાવ વજૂદ વિનાની લાગે છે. આ સંદર્ભમાં ઉપાધ્યાયજી મહારાજનું એક વચન છે. व्यक्त्या शिवपदस्थोऽसौ शक्त्या जयति सर्वतः ।। આનાથી એ વિષય વિચારી શકાય છે પણ વિસ્તારના ભયે દિd.%. કાળકા રોડ , જી . વી. િહ ! 1,684 2, , who is an indi.we 'vid Apી જ ગોટ. ક્રિયા છે. છે , '';&N; WIDTHકોwi? o૮ • યશોજીવન પ્રવચનમાળા Page #96 -------------------------------------------------------------------------- ________________ આટલો ઇશારો બસ થશે. પ્રભુનો ગુણ જે જીવો પ્રત્યેનો પ્રેમ-વાત્સલ્ય તેના પ્રભુ ભંડાર છે. આવી વાત આ ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કરી છે. પાંચ કડીના સાવ નાના સ્તવનમાં આવી ગંભીર વાત તેમણે ગૂંથી દીધી છે. સારા ક્ષયોપશમવાળાએ તો સંકલ્પ કરવો જોઈએ કે “હું આ સ્તવન-ચોવીશી જરૂર કંઠસ્થ કરીશ.” જ્યારે જ્યારે બોલો ત્યારે ત્યારે રોજ રોજ નવા ભાવોની સ્પર્શના થાય. આવો અખૂટ ભક્તિરસ તેમાં ભરેલો છે. ભક્તિની જેમ તત્ત્વની દૃષ્ટિએ તેમનાં ૧૨૫, ૧૫૦ અને ૩૫૦ ગાથાનાં સ્તવનો, દ્રવ્યગુણપર્યાયનો રાસ, કથાની દૃષ્ટિએ જંબૂસ્વામીનો રાસ અને કૌતુકની દૃષ્ટિએ સમુદ્ર-વહાણ સંવાદ આ બધી કૃતિઓ નોંધપાત્ર છે. કોઈપણ વિવેચક તેમના સમગ્ર સાહિત્યમાંથી તેમની આ રચના નબળી છે તેવું શોધી શકે તેમ નથી. ગુરુ મહારાજની કૃપા અને મા શારદાનું મળેલું વરદાન તેનું આ ફળ છે. પ્રારંભમાં મુનિ, પછી વિદ્વાન, પછી કવિ અને તે પછી ઋષિ આમ ઉત્તરોત્તર પૂર્ણ અધ્યાત્મમાં પર્યવસાન પામતી તેઓની વિદ્યાયાત્રા એ આપણા માટેનું આત્મપ્રેરણાનું અખૂટ ભાતું છે. સ્તવન ચોવીશીની જેમ ૧૨૫ ગાથાના સ્તવનની છેલ્લી ઢાળ અચૂક કંઠસ્થ કરવા જેવી છે. પોતાના આત્મિક વિકાસ માટેની સામગ્રી શોધનાર સાધકને માટે તેઓએ રચેલી ઓગણત્રીસ કડીની અમૃતવેલ એ સાચે જ આત્મસ્વસ્થતા રૂપ અમૃતના ફળને આપનાર અમરવેલડી જ છે. પ્રભુના ધર્મના આરાધનાના પ્રભાવે જે અંતરંગ નિરુપાધિક આનંદની પ્રાપ્તિ કરવાની છે તે યાત્રાનો નકશો જ તેઓએ અહીં આપ્યો છે. શરૂઆતમાં ચાર શરણા, દુષ્કૃત ગહ અને સુકૃતની અનુમોદનાને ૨૨ કડી સુધી વિસ્તારીને કહીને આ વ્યવહારનયથી ધર્મમાં સ્થિર થયા બાદ શુદ્ધ નયથી આત્માને ભાવિત કરવો જોઈએ, એ કેવી રીતે કરી શકાય? એ મહત્ત્વની વાત ૨૪, ૨૫, ૨૬ અને ૨૭, £ એ કે કરી, છ: ઇશાનુગ્રહસંગતિનું દર્શન : ૦૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ એમ ચાર કડીમાં જે રીતે અહીં વર્ણવી છે તે આપણને ખૂબ જ ઉપકારક બની રહે તેમ છે. દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂ૫ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સરૂપ રે... ચેતન....૨૪ કર્મથી કલ્પના ઊપજે પવનથી જેમ જલધિ-વેલ રે, રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે.... ચેતન...૨૫ ધારતાં ધર્મની ધારણા, મારતાં મોહ વડચોર રે, જ્ઞાનરુચિવેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે.... ચેતન...૨૬ રાગ વિષ દોષ ઉતારતાં, જારતાં દ્વેષ રસ શેષ રે, પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે.. ચેતન.૨૭ આ રીતે વ્યવહાર અને નિશ્ચય નયનું સંતુલન બીજા ગુજરાતી ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે. વ્યવહાર નયના કહી શકાય તેવા અલગ ગ્રંથો અને નિશ્ચય (શુદ્ધ) નયના કહી શકાય તેવા ગ્રંથો અલગ અલગ મળે પણ એક ગ્રંથમાં બન્નેનો આવો તટસ્થ, સમતોલ સમન્વય ભાગ્યે જ જોવા મળે છે. વ્યવહારનિરપેક્ષ નિશ્ચય અને નિશ્ચયનિરપેક્ષ વ્યવહાર એમ બે ભાગમાં વહેંચાયેલા પક્ષો આજે જોવા મળે છે ત્યારે બન્નેને સમસ્થાને પ્રરૂપતી “નિશ્ચયદૃષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.” તેમની આ એક કડી અનુભવના નિચોડરૂપ છે. તેથી જ તે અમર કડી બની ગઈ છે. વ્યવહાર નય અને નિશ્ચય નયને જોડનારી પણ આ જ કડી છે....આમાં બન્નેને યથાસ્થાને પ્રયોજવાની રીત બતાવવામાં આવી છે. સ્યાદ્વાદ પરિણમ્યો હોય તો જ આવો નિષ્કર્ષ સૂઝે. આ જ સંદર્ભમાં તેઓએ નિશ્ચયનિરપેક્ષ વ્યવહારમાં લીન બનેલા માટે શ્રી સિદ્ધસેન દિવાકરજીના વચનના આધારે જે ચીમકી આપી છે તે યાદ રાખવા જેવી છે: video, . તો આ છે. લોકો જો માતાજી ને જ ક કાકા ને છોકરી કરી કે.જીજી : જય જજ સારો છે ? A BAD,A, ૮૦ ૦ ચશોજીવન પ્રવચનમાળા Page #98 -------------------------------------------------------------------------- ________________ “જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત બહુ શિષ્ય પરિવરિયો તિમ તિમ જિનશાસનનો વયરી જો નવિ નિશ્ચય ધરિયો.” (૩૫ગ્ગાથા, સ્તવન ઢાળ-૧, કડી-૧) અહીં બહુશ્રુત, બહુજનસંમત અને બહુશિષ્યથી પરિવરેલી વ્યક્તિ આ બધાં ભાવો તો ઔદયિકભાવો છે અને તે પર ભાવ છે મને તો ક્ષયોપશમભાવ જ ઉપકારક છે તે સ્વભાવ છે આવી સમજણ જો ન હોય તો તે જિન શાસનનો વૈરી બને છે. એવો અર્થ થાય છે. આમ વ્યવહાર નય અને નિશ્ચય નય, જ્ઞાન નય અને ક્રિયા નય, આગમવાદ અને હેતુવાદ, ઉત્સર્ગ અને અપવાદ, દ્રવ્ય અને ભાવ, આવા આવા પદાર્થોમાં તેઓનું નિર્માન્ત દર્શન છે અને તેનું અસંદિગ્ધ પ્રતિપાદન છે. અને તેને યથાસ્થાને પ્રયોજવાનું કૌશલ પણ તેઓમાં દેખાય છે. આ રીતે તેઓએ બહુ મોટો ઉપકાર કર્યો છે. આ કાળમાં આવા સ્પષ્ટ માર્ગદર્શક મળવા દુર્લભ છે. શાસ્ત્રોનું મંથન કરીને તેઓએ ગંભીર ભાવો સરળ ગુજરાતી ભાષામાં રજૂ કર્યા છે. ગ્રંથકારના મનમાં જો અભિલાપ્ય પદાર્થ સ્ફટિક જેવો સ્પષ્ટ હોય તો જ તેની આવી અનાકુલ અભિવ્યક્તિ થઈ શકે. બાકી બીજા ગ્રંથોમાંથી વાતો લઈને બીજો ગ્રંથ બનાવવો તે કાંઈ અઘરું નથી. શ્રીપાળરાસના અંતે પોતે જ ગાઈ ઊઠે છેઃ પૂરવ લિખિત લિખે સહુકોઈ લઈ કાગળ ને કાંઠો, ભાવ અપૂરવ કહે તે પંડિત બહુ બોલે તે બાંઠો.” શ્રીપાળરાસની આ છેલ્લી ઢાળ તો તેમના કવિત્વની કસોટીરૂપ છે. દરેક કડીના અંતનો અક્ષર “ઠ” આવે. આમ તો કવિઓ ‘ટ’ વર્ગને તે કઠોર હોવાના કારણે પોતાની રચનામાંથી દેશવટો જ દેતા હોય છે. કમલકોમલ કાંત પદાવલીને જ પસંદ કરતા હોય છે. પણ અહીં તો તેઓના વરદાનપ્રાપ્ત કવિત્વના સ્પર્શે ઠોઠનો “ઠ” પણ છે : ઇશાનુગ્રહસંગતિનું દર્શન : ૮૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ શાણો બની શોભારૂપ બનેલો દીસે છે. એ ઢાળની છેલ્લી કડીમાં આપેલા તેમના જીવનના અંતિમ સંદેશાને ઝીલીને આજે અહીં અટકીશું. સંદેશો આ પ્રમાણે છે: તેઓ પોતાના જીવનમાં નિર્દભ હતા અને દંભને ધર્મના ક્ષેત્રમાં જીવલેણ શત્રુ માનતા હતા. એ ભાવ એમણે અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં મુક્ત કલમે સુપેરે પ્રકટ કર્યો જ છે. અહીં એ ભાવ એક દૃષ્ટાંત સાથે કહે છે. સાવધાન થઈને સાંભળો. થોડે પણ દંભે દુઃખ પામ્યા, પીઠ અને મહાપીઠો અનુભવવંત તે દંભ ન ધારે, દંભ ધરે તે ધીઠો. મુજ સાહિબ જગનો તૂઠો. આનો અર્થ તો તમે સમજી ગયા હશો. પીઠ-મહાપીઠની વાત તો જાણીતી છે જ. હવે પછી તેઓના સંસ્કૃત ગ્રંથોની, તેઓના ઉપદેશની અસર શ્રાવક સંઘમાં કેવી થઈ છે, તેમના સમકાલીન વિદ્વાન મુનિવરો સાથેના તેઓના સંબંધો કેવા હતા વગેરે વગેરે અધિકાર આગળ જોઈશું. ૮૨ • યશોજીવન પ્રવચનમાળા Page #100 -------------------------------------------------------------------------- ________________ ............ ... पोतानी ईडारेली मनुभूत डीनो नशो, मा अवलम्ब्येच्छायोग, पूर्णाचारासहिष्णवश्च वयम् । भक्त्या परममुनीनां, तदीयपदवीमनुसरामः ॥ २९॥ सिद्धान्ततदङ्गाना, शास्त्राणामस्तु परिचयः शक्त्या । परमालम्बनभूतो, दर्शनपक्षोऽयमस्माकम् ॥ ३१ ॥ विधिकथनं विधिरागो विधिमार्गस्थापनं विधीच्छूनां । अविधिनिषेधश्चेति, प्रवचनभक्ति: प्रसिद्धा नः ॥ ३२॥ अध्यात्मभावनोज्ज्वलचेतोवृत्त्योचितं हि नः कृत्यम् । पूर्णक्रियाभिलाषश्चेति द्वयमात्मशुद्धिकरम् ॥ ३३ ॥ द्वयमिह शुभानुबन्धः, शक्यारम्भश्च शुद्धपक्षश्च । अहितो विपर्यय: पुनरित्यनुभवसङ्गतः पन्थाः ।। ३४ ॥ (यशोवाणी) - अध्यात्मसारे, आत्मानुभवाधिकारे . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . • ८3 Page #101 -------------------------------------------------------------------------- ________________ ઇરછાયોગને અવલંબીને અમે સંયમ પાળીએ છીએ. શ્રમણજીવનનાં પૂર્ણ આચાર પાળવા માટે અસમર્થ છીએ. પૂર્ણઆચાર પાળનારા પરમશ્રમણોની ભૂમિકાને ભક્તિપૂર્વક અનુસરીએ છીએ. શ્રી આગમ ગ્રન્યો અને તેની ઉપનીપજ રૂપ શ્રી હરિભદ્રસૂરીશ્વરાદિરચિત ગ્રન્થોનો યથાશક્તિ પરિચય કરતા રહેવું એ અમારો શ્રદ્ધાનો પક્ષ છે. સાચી વિધિનું કથન કરવું, સાચી વિધિનો રાગ કેળવવો. વિધિ માર્ગે આવવા ઇચ્છતાં હોય તેને વિધિના માર્ગે રથાપવાં અને જ્યાં અવિધિ થતી હોય ત્યાં તેનો નિષેધ કરવો – આ રીતે અમે અમારી શ્રી શાસન પ્રત્યેની ભક્તિ પ્રકટ કરીએ છીએ. અધ્યાત્મભાવનાથી ઉજ્વળ ચિત્તવૃત્તિને અનુરૂપ અમારી કાર્યવાહી છે અને પૂર્ણ ક્રિયા માટેની અમારી અભિલાષા છે. આમ આ બન્ને આત્માની શુદ્ધિ કરનાર છે. શક્ય હોય તેનો પ્રારંભ કરવો અને શુદ્ધ છે તેનો પક્ષ કરવો. આ શુભાનુબંધનું કારણ છે. આથી વિપરીત તે અહિત કરનાર છે. આવો અનુભવ-સંગત માર્ગ અમને લાગે છે. ૪ જજો ૪ ૪ : ઈ ક ફાડ : એ છે . :::::::: ર :::::: : ક કા % છે ફકર કાર્ડ ક કે કો જ ક : જે ક ક . કે. . વ 8 કે ધો. 1 - ; કડકડા વેદાં , તો શું છે આ તો છે કે કેમ ? : . કહે છે : : , :::: 48 કબ : છે ૮૪ યશોજીવન પ્રવચનમાળા Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારવર્ષા तेभ्योनमस्तदीयान् ० આપણા અનન્ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના સ્થાપેલા વર્તમાન શ્રી સંઘ ઉપર જે ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજનો અપાર ઉપકાર છે તે પૂજ્ય પુરુષે ગુજરાતી ભાષામાં સ્તવન ચોવીસીઓ, મૌનએકાદશીના ઢાળિયાં, પ્રતિક્રમણહેતુ ગર્ભ સજ્ઝાય, અમૃતવેલી અને ૧૨૫, ૧૫૦ અને ૩૫૦ ગાથાના તાત્ત્વિક પદાર્થના ભંડાર જેવાં સ્તવનો રચીને આપણને આત્મકલ્યાણ કરનાર, શુભ પરિણતિને પ્રકટાવનાર ઉત્તમ પદાર્થનો અનોખો ખજાનો જ ભેટ આપ્યો છે. એ બધી વાતો ટૂંકાણમાં આપણે જોઈ. હવે તેઓશ્રી દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શ્રી સંઘ ઉપર કેવા કેવા ઉપકાર થયા છે તેની વિગત આજે જોવી છે. તેઓની હયાતીમાં જ તેઓએ ઉપકારની હેલી વરસાવી છે. વિ.સં. ૧૭૩૩ની વાત છે. તેઓશ્રી આજના અમદાવાદમાં જે વિસ્તાર માદલપુર તરીકે ઓળખાય છે તે, તે વખતે ઇંદલપુર તરીકે જાણીતું પરું હતું, ત્યાં તેઓ ચાતુર્માસ વિરાજમાન હતા. ત્યાં સાત : પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારવર્ષા પ્રવચન સાત ૮૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ એક મેઘજી મૂલજી દોશી કરીને સ્થાનકની પરંપરામાં માનનારા શ્રાવક હતા. ઉપાધ્યાયજી મહારાજના સંપર્કમાં આવ્યા અને ઉપાધ્યાયજી મહારાજે શાસ્ત્રપાઠથી પ્રતિમાનું સ્થાપન કર્યું. મેઘજીએ પણ સરળતાથી આ પ્રતિમાપૂજક પક્ષનો સ્વીકાર કર્યો. આ વાતનો ઉલ્લેખ આ નિમિત્તને પામી રચાયેલા દોઢસો ગાથાના સ્તવનને અંતે પોતે કર્યો છે અને થોડી વિગતથી આ વાત એ સ્તવન ઉપરના બાલાવબોધમાં પંડિત શ્રી પદ્મવિજ્યજી મહારાજે કરી છે. બન્ને પાઠ આ પ્રમાણે છે. “દોસી મૂલાસુત સુવિવેકી દોસી મેઘા હેતે જી એ તવન મેં કીધું સુંદર સિદ્ધાંત અક્ષર સંકેતે જી’ ઢાળ કળશનીઃ કડી. પ. બાલાવબોધ : દોસી મૂલાનો પુત્ર ઘણો વિવેકી જે દોસી મેઘો તેને માટે કર્યું એ સુંદર તવન. એટલે મેઘજી દોસી ટૂંઢિઆ હતા તેને ઉપાધ્યાયજીએ પ્રતિબોધ્યા ને શુદ્ધ શ્રદ્ધા કરાવી, સિદ્ધાંતને અક્ષર સંકેતે. આ સ્તવનમાં પ્રતિમાસ્થાપન માટે સિદ્ધાંતના અનેક પાઠો આપ્યા છે પણ આ બધું ગુજરાતીમાં છે, જ્યારે તેમણે આ બધી જ વાતોને આગમપ્રમાણ અને અનુમાનપ્રમાણથી સત્ય સાબિત કરી આપના૨ પ્રતિમાશત” નામનો ગ્રન્થ રચ્યો છે જે અનેક તાર્કિક પદાર્થનો ખજાનો છે. નયન્યાયના તલાવગાહી અધ્યયનના પરિપાકરૂપે આગમપ્રરૂપિત ભાવોને તર્કથી કેવી રીતે સિદ્ધ કરી શકાય તેનું અદ્ભુત ઉદાહરણ આ પ્રતિમાશત પ્રન્થ છે. તેના દ્વારા અનેકાનેક બુદ્ધિમાનો ઉપર ઉપકાર થયો છે. તેમની સૂક્ષ્મ, તીક્ષ્ણ અને વિમલ મેધાના ચમકારા પાને પાને જોવા મળે છે. છેલ્લાં વર્ષોમાં ખૂબ પંકાયેલા પંડિત સુખલાલજીનું નામ તો તમે બધાએ જરૂર સાંભળ્યું હશે. મૂળ તેઓનું વતન સૌરાષ્ટ્ર ઝાલાવાડમાં સુરેન્દ્રનગર પાસેના મૂળી ગામની નજીકનું નાનું લીમલી • યશોજીવન પ્રવચનમાળા મોર (ઉન * * Page #104 -------------------------------------------------------------------------- ________________ ગામ. નાની ઉંમરે શીતળાના વ્યાધિમાં આંખોનું તેજ ગુમાવેલું. સ્થાનકવાસી જૈન કુટુંબના સંસ્કારો તેમને જન્મથી મળેલા. તેઓના ઘરની પાસે જ સ્થાનકનો ઉપાશ્રય, લીમલી ગામ વિહારનું ગામ, જતાંઆવતાં સાધુ-સાધ્વી ત્યાં સ્થિરતા કરે. એ સાધુ-સાધ્વીજીના મુખેથી તેમણે પુષ્કળ ગુજરાતી સજ્ઝાયો, થોકડા વગેરે કંઠસ્થ કરેલું. પછી તેઓ સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે કાશી-બનારસ ગયા અને ત્યાં કાશીવાળા શ્રી ધર્મસૂરિજી મહારાજ જેઓ અમારા પરમ ગુરુ મહારાજ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજના ગુરુભાઈ થાય તેમના ઉપદેશથી કાશીમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના નામથી સંસ્કૃત પાઠશાળા સ્થાપેલી, તે પાઠશાળામાં પં. સુખલાલજી ભણવા રહેલા. તીક્ષ્ણ પ્રજ્ઞા અને પ્રચંડ પુરુષાર્થના યોગે તેઓ વ્યાકરણ, કાવ્ય અને ન્યાયના ટોચના ગ્રન્થો ભણ્યા, વિદ્વાન બન્યા. આપણી મૂળ વાત હવે આવે છે. તેઓએ પોતાની આત્મકથા “મારું જીવન-વૃત્ત” એ નામે લખી છે. તેમાં તેઓના ચિત્ત ઉપર આ પ્રતિમાશ ૢ એકમાત્ર શ્લોકે, તે શ્લોકના મનનીય અર્થે તેઓની કુળપ્રાપ્ત વર્ષોજૂની માન્યતાને ધરમૂળથી કેવી બદલી કાઢી તેનું ધ્યાન તેમણે અલગ અલગ બે પુસ્તકમાં આપ્યું છે. આપણે તેમના જ શબ્દોમાં જોઈશું તે પહેલાં તેઓ આ તરફ કેવી રીતે વળ્યા તે વાત જોઈએઃ “એક વાર ક્યારેક મંદિરમાં નવપદની પૂજા ભણાવવાની શરૂઆતમાં તો હું પણ દેખાદેખીથી – ગતાનુગતિકતાને અનુસરીને ત્યાં બેઠેલો, પણ એ ભણાવાતી પૂજાનાં અર્થચિંતન અને તેમાં થયેલ ચિત્તનિમજ્જનને પરિણામે મારા મન ઉ૫૨ એક નવો ચમકારો થયો અને મારું કઠિન હૃદય પણ ભક્તિજન્ય અશ્રુપ્રવાહને ખાળી ન શક્યું. આ વખતે મને ઉપાસ્ય સ્થૂલ આલંબનની અમુક ભૂમિકામાં સાર્થકતા અનુભવસિદ્ધ થઈ. થોડાંઘણાં શાસ્ત્રો તો સાંભળ્યાં અને વાંચ્યાં જ, પણ અચાનક બનેલી બીજી એક ઘટનાએ સાત : પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારવર્ષા ८७ Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના પ્રતિમા-શતક' નામના ગ્રન્થને અવલોકવા મને પ્રેર્યો. એના શાસ્ત્રીય સચોટ પુરાવાઓને બાજુએ મૂકું તોય તેમાંની એક પ્રબળ યુક્તિએ મૂર્તિમાન્યતા વિરુદ્ધના મારા જન્મસિદ્ધ પુષ્ટ સંસ્કારનો ભાંગી ભુક્કો કરી નાખ્યો, પણ મારી સંસ્કારપરિવર્તન પ્રક્રિયા હજી ચાલુ જ હતી.” (દર્શન અને ચિંતન ભાગ-૨ પૃ.૨૭૬) થોડા વિસ્તારથી આ જ વાત પોતે આત્મકથાના પૃ.૮૮-૮૯ ઉપર આ પ્રમાણે લખે છેઃ “જો કે, છેવટે વ્રજલાલજીની સાથે વરાડમાં તો ન ગયો, પણ તે વખતે વાંચવા પામેલ સાહિત્યમાંથી એક જ પદ્ય રહ્યાસહ્ય મૂર્તિની માન્યતા વિરુદ્ધના સુષુપ્ત સંસ્કારોને જડમૂળથી ઉખાડી ફેંકી દીધા. એ પદ્ય બીજા કોઈનું નહિ પણ સમર્થતમ તાર્કિક યશોવિજયજીનું છે. તેમણે પ્રતિમાશતક' નામનો મૂર્તિસમર્થક શાસ્ત્રીય ગ્રન્થ રચ્યો છે, તેના મૂળ અને ટીકામાં તેમણે ઉગ્રપણે સાચી રીતે મૂર્તિવિરોધનો પરિહાર કરી મૂર્તિપૂજાનું આગમિક તેમજ તાર્કિક પદ્ધતિએ સમર્થન કર્યું છે. જે પળે મારા ઉપર વીજળીક અસર કરી તેમાં માત્ર તર્કનો આશ્રય લેવામાં આવ્યો છે. તેમણે એમ કહ્યું છે કે, ઉપાસ્ય ઇષ્ટદેવનું સ્મરણ તો મૂર્તિવિરોધીને પણ માન્ય છે. હવે જો નામ તેનું સ્મરણ કરવામાં સહાયક થતું હોય તો મૂર્તિ પણ તેનું સ્મરણ કરવામાં સહાયક થાય છે જ. વળી જૈન પરંપરા પ્રમાણે નામ અને મૂર્તિ બન્ને પૌગલિક હોઈ જડ જ છે. એવી સ્થિતિમાં સ્મરણના સાધન તરીકે એક માત્ર નામને જપ ખાતર માનવું અને બીજા સાધન – મૂર્તિને ન માનવું એ ક્યાંનો ન્યાય? જો માનવું જ હોય તો સ્મરણમાં ઉપયોગી થતા નામ અને મૂર્તિ બન્નેને સમાનભાવે માનવાં જોઈએ, નહિ તો બને કરી છે. આ રીતે - કે તે જે કરી ૮ • યશોજીવન પ્રવચનમાળા. Page #106 -------------------------------------------------------------------------- ________________ છોડવાં જોઈએ. જ્યારે વિરોધી પક્ષ તો માત્ર નામને સ્વીકારે છે અને મૂર્તિને નહિ, આ પક્ષપાત ગણાય. ઉપાધ્યાયજીના એ તર્કે મને વિચાર કરતો કરી મૂક્યો. પછીથી એના પ્રકાશમાં શાસ્ત્રીય પાઠો વાંચવા લાગ્યો અને બન્ને પક્ષોની દલીલોને તોળવા લાગ્યો, ત્યારે ભ્રમ સાવ ભાંગ્યો, સંસ્કારપરિવર્તનનો આ પ્રસંગ મૂળે તર્કમૂલક હતો. પણ બીજો એક પ્રસંગ કાશીમાં જ પ્રાપ્ત થયો જે ઊર્મિ અને ભાવનામૂલક હતો. પૂજા ભણાવાતી તે વખતે થયેલ ભાવસભર અનુભવની વાત આ પ્રસંગમાં છે. તર્ક અને ભાવ બન્નેના યુગલે મૂર્તિમાન્યતા વિષેનું સંસ્કારચક્ર બદલી તો નાખ્યું પણ એના ઉપર ઓપ તો ચડાવ્યો આગળ ઉપર કરેલ શાસ્ત્રના વિશેષ પરિશીલને, ઇતિહાસના ચિંતને અને સમાજના નિરીક્ષણે. અત્યારે મૂર્તિ વિષેનું મારું ચિંતન માત્ર જૈન પરંપરા પૂરતું રહ્યું નથી.” (“મારું જીવન-વૃત્ત' પૃ. ૮૮-૮૯) જે શ્લોકના વાચનથી તેમની શ્રદ્ધાનું પરિવર્તન થયું તે શ્લોક આ પ્રમાણે છે : किं नामस्मरणेन न प्रतिमया, किं वा भिदा कानयोः संबंध: प्रतियोगिना न सदृशो, भावेन किंवा द्वयोः? । तद्वन्द्यं द्वयमेव वा जडमते! त्याज्यं द्वयं वा त्वया स्यात्तर्कादत एव लुम्पकमुखे दत्तो मषीकूर्चकः ॥ ४ ॥ નામસ્મરણથી શું પ્રયોજન છે?) અથવા પ્રતિમાથી શું નથી? (અર્થાત નામથી જે પ્રયોજનો સરે છે તે બધાં જ પ્રતિમાથી પણ સરે છે.) નામ અને પ્રતિમા વચ્ચે શો ભેદ છે? (અર્થાત બન્ને વચ્ચે ખાસ ભેદ નથી) પ્રતિયોગી = બીજા નિક્ષેપાઓનો નિરૂપક ભાવ, આ ભાવ સાથે નામ અને પ્રતિમાનો સંબંધ શું સરખો નથી? (અર્થાત સરખો જ છે.) તેથી હે જડ! તારા માટે કાં તો નામ અને પ્રતિમા આ બન્ને વંદન યોગ્ય છે, અને કાં તો નામ અને પ્રતિમા – આ બન્ને તને ત્યાજ્ય છે. તેથી નામ-નિક્ષેપાને સાત : પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારવર્ષા ૦ ૮૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ GO વંદનીય તરીકે સ્વીકારવો અને પ્રતિમારૂપ સ્થાપના નિક્ષેપાનો ત્યાગ કરવો ઉચિત નથી.) આ પ્રતિબિંબ નામના તર્કની સહાયથી પ્રતિમાલોપકના મુખ પર મેષનો પટ્ટો ચોપડી શકાય છે, અર્થાત્ પ્રતિમાલોપકોને મૌન કરી શકાય છે. (૪)” ‘પ્રતિમાશતક’ પૃ. ૩૯-૪૦ આ વાત અસાધારણ ગણાય. કારણ કે પંડિત સુખલાલની ગણત્રી માત્ર તર્કવાદી પંડિતમાં થાય છે. તેઓની બુદ્ધિ જે પદાર્થનો સ્વીકાર કરે તે પદાર્થનો તેઓ સ્વીકાર કરે. શ્રદ્ધાથી કે આગમપ્રમાણથી કશું જ ન માની લે. તેઓને પણ આ તર્ક અંદરથી હલાવી ગયો. આચારપરિવર્તન તે સુશક્ય છે, વિચારપરિવર્તન તે દુઃશક્ય છે. આવાં કામ તેઓના ગ્રન્થ દ્વારા થયાં છે. જ્ઞાનીઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કેટલા બધા ઉપકાર કરતા હોય છે! તેઓશ્રીની ઉપકારકતાનો બીજો એક મહત્ત્વનો પ્રસંગ પણ જાણવા જેવો છે. વર્તમાન સમયમાં તપાગચ્છમાં જે સાધુસમુદાય છે તેમાં મોટા ભાગના સાધુઓ સંવેગી શાખામાં સમાઈ જાય છે. સંવેગીમાં મોટી બે શાખાઃ વિજય શાખા અને સાગર શાખા. વિજય શાખામાં મોટા ફાંટા બેઃ એક પંજાબી સાધુઓની પરંપરામાં આવ્યા તે અને બીજા અત્યારે જે ડેલાવાળાનો સમુદાય કહેવાય છે તે. હવે જે પંજાબી સાધુઓનો સમુદાય છે એટલે કે પૂજ્યપાદ્ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ કે જેઓના આ ભાવનગરશ્રી સંઘ ઉપ૨ અગણિત ઉપકાર છે તે શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ, શ્રી મૂલચન્દ્રજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, આ ત્રણનો સમુદાય મુખ્ય છે. આ ત્રણેના ગુરુના ગુરુ એટલે પૂજ્યપાદ બુટેરાયજી મહારાજ. આ પૂજ્ય બુટેરાયજી મહારાજ તમારા આ ભાવનગરમાં પધાર્યા હતા. પધાર્યા હતા એટલું જ નહીં પણ અહીંના જ્ઞાનભંડારના ગ્રન્થો તેઓએ જોયા. જોયા એટલું જ નહીં પણ તે વખતે અહીં જે શાસ્ત્રીજી હતા તેમની પાસે તેઓએ એમાંથી કેટલાક ગ્રન્થોનો યશોજીવન પ્રવચનમાળા Page #108 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ કર્યો. આપણા સભાગ્યે તેમણે અભ્યાસ માટે જે ગ્રન્થો પસંદ કર્યા તે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના રચેલા પસંદ કર્યા. તમને આશ્ચર્ય થશે કે આ ગ્રન્થોના પરિશીલનથી જ તેઓની જે મૂંઝવણ હતી, દ્વિધા હતી, મનમાં ગૂંચ હતી તેનો સુખદ ઉકેલ આવ્યો. એ આખોય વૃત્તાંત તેઓશ્રીએ આત્મકથામાં લખ્યો છે, તે તેઓના જ શબ્દોમાં જોઈએ. જોકે એમ કરવા જતાં વ્યાખ્યાન લાંબુ થશે. પણ તમે આ જેમાં છપાયું છે તે પુસ્તક જોવા ક્યાં જશો? તેથી લાંબું તો લાંબું પણ અહીં સાંભળો. જો કે તેઓની ભાષા પંજાબી મિશ્રિત હિન્દી છે તેથી સમજવી થોડી અઘરી છે, પણ મૌલિક છે તેથી તેમાં મીઠાશ છે. "......श्री सिद्धाचलजीकी यात्रा जाय करी पीछे भावनगरमें चौमासा जाय किया । उहांके भाईयाने हमारेको सूत्रोका भंडार दिखाया, केतलेक ग्रन्थ हमारेको दीया. जौणसे हमारे को चाहीदे थे सी हमारेको दे दीने, ठीक तपगच्छमें श्री जसविजयजी होय है. इस काल मुजब घणे शास्त्रोंके जाणकार होय दीसे छे. लोक कहे छ तिस ने सौ ग्रन्थ रच्या छे. मैने तो पांच दस ग्रन्थ देखे छे. पिण तिनेने घणा जीवाको उपकारकारी ग्रन्थ बणाये छे. जिनशासनकी खोजणा घणी करी छे. आपणी शक्तिके अणुसार चोल पर चोल घणी करी सम्भव होती है, घणे उपकारी पुरुष दीसै । इस दुषम कालमें एहवा पुरुष बी मिलणा दुर्लभ छे. एह पुरुष बहुलता उपकारी दीसे छे, परन्तु काल दूषम छे तथा उपाध्यायजी नय निक्षेपेके जाणकार थे सो ते पुरुष नय बिना बोले नहि मेरेको अइसी प्रतीत छे. तथा कोईक घणे कालका गाडरी प्रवाह पड गया छे. । श्री उपाध्यायजीने उपयोग न दीया होवे तो कोईक ऐसा द्रव्यलिंगीयाने जुठा कदाग्रह बचाया छे ते लिख्या जाण होवे तो कुछ आश्चर्यं नहीं. चौदपूर्वका पाठी वचन लाइ जावे तो बीजानो कहयो कीसो ते पाठ लीखीए छे ॥ आधारपन्नतिधरं । दिट्टिवायमहिज्जगं ।। वाया विक्खलियं नच्चा । न तं उवहसे मुणी ।। दसवैकालक अध्ययन ८ गाथा-५० T RAPARAMETERIOR SRO Clomidigest RAM સાત : પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારવર્ષા ૦ ૯૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ आचारंग भगवती चौद पूर्वका पाठी वचन खलाय जावे तो साधु तिसकी हासी न करे हीले नहीं, किस वास्ते नहीं हीले? हम छमस्त छे, उपयोग दिया विना भाषा निकल गई है तिम उपाध्यायजी महाराज इस कालमें भारी पंडित होवे छ । श्री उपाध्यायजी महाराजने तो ३६३ पाखंडिका तथा जैनी नाम धरावे छे. नाम मात्र संघ कहावे छे तेहना पिण उपाध्यायजीने तो घणा स्वमत परमतका निरणा किया है ते पुरुष आत्मगवेषी दिसा है तथा कोई कहे हैं उपाध्यायीको तपेगच्छका मोह दीसे है और गछानाल द्वेष दीसे है एह बात मिले नहीं. ते पुरुष ऐसे मत कदाग्रही नथी दीसत. ते पुरुष भले पखको निंदणेवाले दीसते नहीं तथा भुंडे पखको सराहणेवाले पिण सम्भव नथी होते ते पुरुष गुणग्राही दीसे है। श्री उपाध्यायजी महाराज जुठा कदाग्रह करणेवाले दीसते नथी ।" (भाश: मु२३व. अने. मार्श 200२' पृ. २५-२६) "...मेरेको तो उपाध्यायजी परम उपकारी पुरुष दीसे हैं. परन्तु मेरेको प्रतक्ष ज्ञान नथी । उपाध्यायजीके ग्रंथोकी रचना देखके मेरेको परम उपकारी उत्तम पुरुष दीसे हैं. तत्त्व तो केवलज्ञानी जाणे । मेरेको महाराजजी इस भवमें मिले नथी । परभवका सबन्ध तो ज्ञानी मिलसे तब पुछराँ. श्री उपाध्यायजीने सौ ग्रन्थ बणाया है इसी लोकाको पासों मैने सुणा है. तिना ग्रन्था विचो मैने अध्यातमसार १. द्रव्यगुणप्रजायका रास २. ज्ञानसार ३. देवतत्त्वनिर्णय गुरुतत्वनिर्णय धर्मतत्त्वनिर्णय ४. साडातिनसे गाथाका तवन ५. देढसे गाथाका तवन ६. सवासी गाथाका तवन ७. चौवीसी ८. वीसी ९. समाधितन्त्र १०. अढारपापस्थानकी सझाय इत्यादिक ग्रंथ बणाय है तिना बिचो मैने तो पाशो दस ग्रन्थ हरनारायण पंडित पासो वांचे छे. वांच कर मैने तथा हरनारायणने विचारया ।...." । (માર્ગદર્શક ગુરુદેવ અને આદર્શ ગચ્છાધિરાજ' પૃ. ૨૮-૨૯) “....मेरी सरधा तो जसोविजयजीके साथ घणी मिलेह. जिस उपाध्यायजी नाम मात्र तपेगच्छका कहीलाता था तिम मेरेको बी नाम मात्र तपगच्छका कही लाया जोइए. मैने उपाध्यायजीके अणुराग करके Sha ૧ ૦ યશોજીવન પ્રવચનમાળા Page #110 -------------------------------------------------------------------------- ________________ एक नाम मात्र श्री उपाध्यायजीकी समाचारीके पखी देखके लोक व्यवहारमात्र समाचारी अंगीकार करी ।" (‘માર્ગદર્શક ગુરુદેવ અને આદર્શ ગચ્છાધિરાજ પૃ. ૩૨) આ રીતે તમે જોઈ શક્યા કે તેઓના શબ્દોએ પૂજ્યશ્રી બુટેરાયજી મહારાજના ચિત્ત ઉપર કેવી જાદુઈ અસર કરી, મન શાંત બન્યું. આપણા એક પૂજ્ય પુરુષે પોતાના ગુરુ તરીકે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને સ્વીકાર્યા. એટલે એ રીતે તો આપણા બધાંનાં પણ સીધી રીતે જ ઉપાધ્યાયજી મહારાજ ગુરુ બન્યા કહેવાય. આ ઘટના દંતકથા નથી, દસ્તાવેજ છે. તેઓના સત્તાકાળમાં જેમ તેઓ ઇંદલપુરના દોશી મેઘજીને કુમાર્ગમાંથી સન્માર્ગમાં લાવ્યા તે જ પ્રમાણે જેસલમેરના શ્રાવકો સાથે પણ જ્ઞાનગોષ્ઠીના માધ્યમથી તેમનો ઘનિષ્ઠ પરિચય રહેતો તે વાત તેઓ ઉપરના પત્રથી જાણી શકાય છે. તે જ રીતે સુરતના રૂપચંદ મંગલચંદ ઝવેરી તથા માણેકશા વગેરેને અગિયાર અંગ તેમણે સંભળાવ્યા તેનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો છે. એ જ પ્રમાણે સમ્યક્ત ષસ્થાન ચઉપઈના બાલાવબોધના અંતે પણ તારાચંદ હેમચંદ શ્રાવકને સંભાય છે. એ જ પ્રમાણે જ્ઞાનસારના બાલાવબોધને અંતે પણ શ્રાવકને સંભાર્યા છે. આની સરખામણીમાં તેમના શિષ્ય-સમુદાયમાંથી માત્ર તેઓએ એક જ મુનિશ્રી હેમવિજયજીના નામનો ઉલ્લેખ સમતાશતકના અંતે કર્યો છે. ઉપાધ્યાયજી મહારાજની સર્જક પ્રતિભાનું એક ઉદાહરણ યાદ આવે છે. સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ એ એમની રચના છે. મૂલ કડી એકસો ચોવીસ છે. એ રચના પેલા થઈ પછી રાજનગરના શ્રાવક તારાચંદ હેમચંદની પ્રાર્થનાથી તેના પર બાલાવબોધ રચવા માંડ્યો. હવે આમાં એવું બને છે કે મૂળ કડીઓ લહીયા પાસે લખાવાય છે રફ + : : : : : : - આ છે કાલક પકડ પણ એ . 30% , , , . . :: કામ ક રતા સાત : પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારવર્ષા • ૯૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ છે અને એક પાનામાં ચાર/પાંચ કડી વચ્ચે વચ્ચે જગ્યા રાખીને લખાવાતી હોય છે. અને એ રીતે મૂલ ગ્રંથ લખેલી પોથી તેમની પાસે આવી અને એ ખાલી જગ્યામાં બાલાવબોધ લખવાનો શરૂ કર્યો. એક કડીનો બાલાવબોધ એ લહીયાએ રાખેલી જગ્યામાં ન સમાય ત્યારે પાનાના હાંસિયામાં તેઓ લખે છે. લખવાની ઝડપ એટલી બધી છે તેને વિષયનું કાઠિન્ય નડતું નથી. સામે પંક્તિ આવે એટલે ખળખળ વહેતાં ઝરણાંની જેમ કલમ ચાલવા માંડે ક્યારેક ઉતાવળમાં એવું પણ બને કે લખતાં અરધેપહોંચાય અને જેવો ખ્યાલ આવે કે આનો અર્થ તો જુદો જ થાય છે કે તુર્ત પોતે નવીન રીતે એની અર્થ સંગતિ સાધે છે. ઉ.દા. એકસો ચારમી ચોપાઈમાં લહીયાએ લખ્યું છે ત્યાં અવ્યભિચારી જોયું અને તે પ્રમાણે અર્થ કર્યો પછી ઝબકારો થયો અને થવા કરીને શુદ્ધ પાઠ રિ મિત્તિ પાઠ મુજબ સંગત અર્થ આપ્યો. આ સર્જક પ્રતિભાનો ચમત્કાર છે. આ રીતે તેઓએ કરેલા શ્રી સંઘ ઉપરના ઉપકારો અને પ્રાસંગિક રીતે કરેલા નામ વગેરેના ઉલ્લેખો જોયા. તે જ રીતે ઉપાધ્યાયશ્રીના ઉલ્લેખો પણ અન્ય સમકાલીનોએ કર્યા છે. તે વિગતો અને બાકી રહેલી તેમના જીવનની વાતો આગળ ઉપર જોઈશું. યશોજીવન પ્રવચનમાળા Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧. ગૂર્જર સાહિત્યસંગ્રહ ભાગ-૨, પૃ. ૧૧૬ ૨. અગ્યાર અંગ સ્વાધ્યાય, કળશ ગાથા-૬ 3. श्रेयोराजिविराजिराजनगरप्रख्यातहेमाङ्गभू ताराचन्द्रकृतार्थनापरिहतव्यासङ्गरङ्ग:स्पृशाम् । एषा लोकगिरा समर्थितनयप्रस्थानषट्स्थानक व्याख्या सङघमुदे यशोग्यविजयश्रीवाचकानां कृति: ॥ १ ॥ श्रेयोराजि क. मंगलीकनी श्रेणि, तेणी करी विराजि क. शोभतुं ते राजनगरअहम्मदाबादनगर तिहां प्रख्यात क. प्रसिद्ध जे हेमश्रेष्ठि, तेहना अंगभू क. पुत्र जे सा ताराचन्द्र नाम तेणइ करी जे अर्थना प्रार्थना, तेहथी परिहर्यो छइ व्यासंग जेणे एहवा रंगस्पृक आनंदधारी एहवानी एषा क. ए लोकगिरा क. लोकभाषाई समा जे नयप्रस्थान-नयमार्ग, तेणे करी षट्स्थानकनी व्या(ख्या) संघना हर्षनई काजि हो, यशोविजयजवाचजक तेहनी कृति क. निर्मिति ॥ સારાંશ: આ બાલાવબોધ રાજનગરના હેમચંદના સુપુત્ર તારાચંદને માટે રચ્યો ૪. “મૂરનીતનવન્તિઃાસક્રમોઢક્કાર/વિનોદd: #7: | आत्मबोधधृतविभ्रम: श्रीयशोविजयवाचकैरयम् ॥ २०॥" -- આત્મજ્ઞાનની શોભાને ધારણ કરનાર એવો આ બાલાવબોધ શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયે શ્રી સૂરજી શ્રાવકના સુપુત્ર શાંતિદાસના ચિત્તને આનંદ પમાડવા માટે પ્રસન્ન ચિત્ત કર્યો છે. - જ્ઞાનસાર, ઉપસંહાર, શ્લોક-૨૦ ૫. કવિ જશવિજય સુશિષ્ય એ, આપ આપકું દેત; સામ્ય-શતક ઉદ્ધાર કરી હેમવિજય મુનિ હેત. ૧૦૫. ૬. જોકે તેમના બીજા શિષ્યો-પ્રશિષ્યોનાં નામ મળે છે અને તેને આધારે તેમની પરંપરા આ પ્રમાણે બતાવી શકાય. ઉપા. યશોવિજયજી ગુણવિજયગણિ તત્ત્વવિ.ગ. માનવિ. લક્ષ્મીવિ. હેમવિજયજી કેસરવિજયગણિ ઉ.સુમતિવિ. પ્રેમવિ. વિનીતવિજયગણિ ઉત્તમવિ. દેવવિજયગણિ આ શ્રી તત્ત્વવિજયજીગણીએ રચેલી એક ચોવીસ જિનસ્તવનાવલિ મળે છે. સ્તવનો તાત્ત્વિક ભાવોથી ભરેલાં છે. , ' કરી * સર * કોઈ કામ 3. Eid કરે છેજો જ માન છે. આ કારણે તો ''' ક ક , 'કોઈ ર સ કે તે ક િશ ઇ ' જો . શ . સાતઃ પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારવર્ષા : ૯૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ હક 3 * t & Y"S ; શકે છે છે જ ન હતી 'માં ' ,જી: IT'S દર પાણીનો કાઢો , R 1 રાજક : આ રી કે, . દિકર: ક જાતો . જો કપ ા. ૧પ છે : . ! 02 * "જ" ,D કિ. કે. દાદરીના છે જ . (૧૧ કી છે કે ર અને આ ૬ ૦ ચશોજીવન પ્રવચનમાળા Page #114 -------------------------------------------------------------------------- ________________ યશોજીવન ચિત્રશ્રેણી ૧. ગુરુજી પંડિત શ્રી નવિજ્યજી મહારાજ ૨. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પૂજ્ય પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજ (ભાઈ) બાળજસવંત સૌભાગ્યદેવી માતાને ભક્તામર સ્તોત્ર સંભળાવે છે. જોશીજી બાળજસવંતની દીક્ષાનું મુહૂર્ત જોઈ રહ્યા છે. બાળજસવંતની પાટણમાં દીક્ષા થઈ રહી છે. મુનિ યશોવિજ્યજીનાં આઠ અવધાન સાંભળીને શાહ ધનજી સૂરા કાશીમાં અભ્યાસ કરાવવાની વિનંતી કરે છે. ૮. કાશી તરફ પ્રયાણ કરતાં પહેલાં શ્રી સિંહસૂરિ મહારાજ શ્રી યશોવિજયજીને હિતશિક્ષા ફરમાવે છે. કાશીમાં પ્રવેશ કરતાં પહેલાં ગંગા નદીના કાંઠે શ્રી સરસ્વતીદેવીની સાધના કરી રહ્યા છે. ૧૦. કાશીમાં ત્રણ વર્ષના અભ્યાસ પછી આવેલા વાદીની સાથે વાદ કરી રહ્યા છે. ૧૧. કાશીથી ગુજરાતમાં આવ્યા પછી સાત મુનિવરો સાથે મળી ‘શ્રી નયચક્ર' ગ્રંથનું પુનર્લેખન કરે છે. ૧૨. ઉપાધ્યાયજી ગ્રંથસર્જનમાં સાંજ સમયે લીન છે ત્યારે પાણી વાપરવા શિષ્ય પ્રાર્થના કરે છે. ૧૩. યોગીરાજ આનંદઘનજી મહારાજની સાથે આબુમાં મિલન થાય છે. ૧૪. વિ.સં. ૧૭૧૮માં શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના હાથે ઉપાધ્યાય પદ પ્રદાન મહોત્સવ. ૧૫. રાંદેરનો સંઘ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી રચિત ‘શ્રીપાળ રાસને પૂર્ણ કરવા વિનવે છે. ચિત્ર-કળાકાર શ્રી ગોકુળદાસ કાપડિયા (મુંબઈ) Page #115 -------------------------------------------------------------------------- ________________ www.jainelibrary Page #116 -------------------------------------------------------------------------- ________________ VER Page #117 -------------------------------------------------------------------------- ________________ Jain Education chal vale Page wwwilaire Page #118 -------------------------------------------------------------------------- ________________ Page #119 -------------------------------------------------------------------------- ________________ Page #120 -------------------------------------------------------------------------- ________________ Jain ducation international For Private & P Page #121 -------------------------------------------------------------------------- ________________ For Pre Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ For Private & Frsona Page #123 -------------------------------------------------------------------------- ________________ Jain Educatie fational Page #124 -------------------------------------------------------------------------- ________________ unonal Page #125 -------------------------------------------------------------------------- ________________ ન 1 શ્રી નર્યાવજય મહારાજ રાલય) શ્રીતવાવચ શ્રીલાભાયા પા.શ્રી યશોવિજયજી Page #126 -------------------------------------------------------------------------- ________________ Page #127 -------------------------------------------------------------------------- ________________ Page #128 -------------------------------------------------------------------------- ________________ 19 sational buldse Only www -library.org Page #129 -------------------------------------------------------------------------- ________________ TW Page #130 -------------------------------------------------------------------------- ________________ યશોવાણી.. થોડલો ગુણ પણ પરતણો સાંભળી હર્ષ મન આણ રે.” गुणबहुमानिनो हि जीवा बहुमानद्वारोपजातावन्ध्यपुण्यप्रबन्धसामर्थ्यानियमादिहाऽमुत्र च शरत्शशाङ्ककरनिकरगौरं गुणग्रामं अवश्यं आप्नुवन्ति, तद्बहुमानाशयस्य चिन्तारत्नाप्यधिकशक्तियुक्तत्वात् ।। ગુણ પ્રત્યે બહુમાનવાળા જીવો બહુમાન દ્વારા ઉત્પન્ન થયેલા અવશ્ય સફળ થાય તેવા પુણ્યના સામર્થ્યથી આ લોકમાં અને પરલોકમાં શરપૂર્ણિમાના શ્વેત-કિરણો જેવા ઉજ્વળ ગુણોને જરૂર પામે છે. તે તે ગુણો પ્રત્યેનો બહુમાન - રાગ-ભાવ તો ચિન્તામણિરત્નથી પણ અધિક મનોવાંછિત પૂર્ણ કરવાની શક્તિ ધરાવે છે. થોડો પણ જિહાં ગુણ દેખીજે તિહાં અતિહિં ગહગહીછે રે. I , , , , , , , , , , સા, તા. ા ા ા ા . . છે કારણ જીવી TITLE છે. ' %! , RAજી જાય છે. . આ વર્ષ કરતા જ શી રી કે ના. છેઆ જ . કે તને આ જ કારણ છે કે કે he with ક ' at ANIAN I d બાદ ' પર . દરેક કી જ છે. ફરક છે કે જો જો કે રડી તે કદી T. M . !& • GO Page #131 -------------------------------------------------------------------------- ________________ GC યશોજીવન પ્રવચનમાળા આબુના પહાડોમાં આનંદઘનજી સાથે થયેલું મિલન Page #132 -------------------------------------------------------------------------- ________________ T દી રાહ એ મા , Nivi 3 | * * કામ કરનાર છે * - નિકાલ કરી . પ્રવચન આઠ * ૧ થી ૮ :. 9 * W ક ન ક કા કામ માટે મારા પર છે કે , ' થી કરી છે, જે 8 પ્રક સમકાલીનો પર પ્રભાવ तेभ्योनमस्तदीयान् આપણાં અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને શોભાવનારા ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીમાં જેમ પુરોગામી આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજના સાહિત્યની અસર દેખાય છે તેમ તેઓની અસર તેઓના સમકાલીનો ઉપર જણાય છે. અને અનુગામીઓમાં પણ ઝિલાઈ છે. સમકાલીનોમાં ખાસ કરીને ઉ. વિનયવિજયજી, ઉ. માનવિજયજી, પં. ઋદ્ધિવિમળજી અને શ્રીવૃદ્ધિવિજયજી ગણિએ તો તેઓનો ઉલ્લેખ પણ પોતપોતાના ગ્રંથોમાં કર્યો છે. સમકાલીનોમાં એક અગત્યનું નામ યોગિરાજશ્રી આનંદઘનજીનું છે. આબુના પહાડોમાં આનંદઘનજી સાથે થયેલું મિલન એ ઉપાધ્યાયજી મહારાજના જીવનની વિશિષ્ટ અને નોંધપાત્ર ઘટના ગણાય છે. તેનો પુરાવો તો ખુદ ઉપાધ્યાજીએ આનંદઘનજી અંગે રચેલી અષ્ટપદી છે. તેમાં તેઓના કેટલાંક ઉલ્લેખો ધ્યાન ખેંચે છે. તેનાથી જાણી શકાય છે કે તેઓ મળ્યા છે અને પરસ્પર ભળ્યા પણ છે. ! Nisws' , , પણ , હe AI 81 % || A , , " , "| |/ છે કે, ' , ! '11"""""" " " ''ઠી , , , 01 1 2 છે , . ' ' '' * T ' , D : , , . . . છે આ 'હા ' જ છે !!! કોઈ ક . . . . . . . . : - આઠ : સમકાલીનો પર પ્રભાવ - ૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જસવિય કહે સુનો હો આનંદઘન હમતુમ મીલે હજૂર એહી આજ આનંદ ભયો મેરે તેરો મુખ નીરખ નીરખ. આનંદઘન કે સંગ સુજસહી મીલે જબ તબ આનંદ સમ ભર્યો સુજસ. ઉપાધ્યાયજી મહારાજે એક સ્થળે એવું નોંધ્યું છે કે આનંદઘનજીએ પોતાના માટે પારસમણિનું કામ કર્યું છે. પોતાને લોઢામાંથી કંચન બનાવનાર આનંદઘનજી નિમિત્ત બન્યા. અંતરંગ બીજકો તો પડ્યા હતા પણ તેને બહાર આણવા માટે આલંબનની જરૂર હતી તે કામ આનંદઘનજી દ્વારા થયું. ગમે તેટલો શાસ્ત્રાભ્યાસ થાય પણ તેનું ફળ અધ્યાત્મમાં આવવું જોઈએ; નહિ તો શાસ્ત્રાભ્યાસ કેવળ બુદ્ધિનો વ્યાયામ જ બની રહે. ઉપાધ્યાયજી મહારાજ પોતે પણ આ વાતથી સભાન છે અને તેમણે એક સ્થળે એ ભાવ પ્રગટ કર્યો છે. પતિનં શાસનત્તિ: અને સાચે જ તેઓના ઉત્તરકાળમાં જે જે રચના થઈ છે તેમાં સ્પષ્ટ રીતે આત્મિક ભાવોના ઊર્ધ્યારોહણનો નકશો જોવા મળે છે. અને એક બાજુ રચનામાં પાકટતા અને પ્રૌઢતાનાં દર્શન થાય છે તો બીજી બાજુ રચનાનું સંખ્યાપ્રમાણ પણ ઘણું દેખાય છે. એટલે કે ગુણવત્તા અને ઇયત્તા બંનેમાં તેઓ સફળ રહ્યા છે. તેમના સમકાલીનમાં એક નામ છે ઉપા. વિનયવિજયજી મહારાજનું; જોકે તેઓ પુરોવર્તી કહી શકાય તેવા છે. વયમાં અને સંયમપર્યાયમાં મોટા છે પણ ઉપા. વિનયવિજયજી મહારાજના ગુણાનુરાગ નામના ગુણને કા૨ણે તેમને યશોવિજયજીના વિકાસથી પ્રમોદ અનુભવ્યો છે. અને તેઓના ધર્મપરીક્ષા ગ્રંથની રચનામાં પુષ્કળ સહાય કરી છે. શાસ્ત્રપાઠો શોધી આપવાનું કામ તેમણે કર્યું છે. અને ઉપાધ્યાયજીએ કૃતજ્ઞતાપૂર્વક ધર્મપરીક્ષાની પ્રશસ્તિમાં તેમને સંભાર્યા છે. એટલું જ નહિ કેટલીક રચનાઓમાં જોતાં એવું અનુમાન કરવાનું મન થાય છે કે રચાતી રચનાઓ પણ અરસપરસ યશોજીવન પ્રવચનમાળા Page #134 -------------------------------------------------------------------------- ________________ જોવાનું બનતું હશે. જેમકે સંસ્કૃત ભાષામાં ઉપાધ્યાયજી મહારાજે ઋષભદેવ ભગવાનનું સ્તવન બનાવ્યું છે. જ્ઞાતિને વચ્ચે ગુણવત્તા આ પંક્તિથી તે શરૂ થાય છે. આખું જીવન શૃંખલાયમક નામના અલંકારમાં છે. શૃંખલાયમક એટલે એક શ્લોકનાં ચાર ચરણ હોય છે. તેમાં પહેલા ચરણનો જે છેલ્લો શબ્દ હોય તે બીજા ચરણનો પહેલો શબ્દ હોય, સાંકળના અંકોડાની જેમ. અહીંયાં જ જુવોને સનું શબ્દ પહેલા ચરણમાં છેલ્લે આવ્યો તો બીજા ચરણનો પહેલો શબ્દ પણ એ જ આવે એટલે સંવનન્તીમત્તલોધમ્ ? એવું બીજું ચરણ છે. આમ ઠેઠ સુધી ચાલે છે. આ સ્તવન આપણે ત્યાં સંસ્કૃત ભણેલા ગણેલા સાધુઓમાં ક ઠીક જાણીતું છે. હવે આ જ રીતની દેશીમાં ઋષભદેવ ભગવાનનું જ સંસ્કૃત શૃંખલાયમકમાં એક સ્તવન ઉપા. વિનયવિજયજી મ.નું મળે છે. “શ્રી મવતિનુનાનું માનવરત્ન- મુવાર ?’ આમાં કોની રચના પહેલી અને કોની રચના પછીની તે જાણવાનું કોઈ સાધન નથી. પણ પરસ્પર પ્રેરક બન્યા હશે તેમ લાગે છે. એવી જ રીતે એક સ્તવન ઉપા. વિનયવિજયજી મહારાજનું “શાંતિ તેરે લોચન હે અણીયારે એ પદથી શરૂ થતું મળે છે. એ નાના પદ જેવા સ્તવનમાં જે રીતે પ્રભુજીની આંખનું વર્ણન છે – કીકી – તેનો કાળો ભાગ – સફેદ ભાગ; આંખની ચંચળતા, માદકતા વગેરે ભાવો કવિત્વથી ઓપતા થોડા શબ્દોમાં ગૂંથ્યા છે. અસ્સલ એ જ રીતનું ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનું અભિનંદન સ્વામી ભનું એક સ્તવન મળે છે. પ્રભુ તેરે નયનકી બલીહારી.” અને તેમાં પણ પ્રભુજીના લોચનનું હૃદયંગમ વર્ણન મળે છે. બંને કવિનો વર્ણ વિષય એક હોવા છતાં ક્યાંય પુનરુક્તિ નથી. શબ્દાન્તરે પણ એ જ ભાવ હોય તેવું નથી આ જ ખૂબી છે. સર્જકપ્રતિભાનું આ જ લક્ષણ છે. વળી બંનેની કવિત્વશૈલીના પણ આ પરિચાયક નમૂના બની ગયા છે. આ ચારે છે : જ છે ... , હે છે કે જો ". છે. જેમાં મોદી આઠ : સમકાલીનો પર પ્રભાવ ૦ ૧૦૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ સ્તવન આ પ્રવચનનાં અંતે આપ્યા છે. ઉ. વિનયવિજયજીની પ્રસાદમધુર દરાખ જેવી મીઠી ભાષા અને ઉપાધ્યાયજીની તર્કમંડિત અર્થગંભીર ટોપરા જેવી પરિપકવ મધુર ભાષા આપણને મળે છે. પરસ્પર મૈત્રી પણ સુંદર હતી તેનાં દર્શન શ્રીપાળ રાસની પ્રશસ્તિમાં થાય છે. આ શ્રીપાળરાસની રચના પાછળ નાનકડી કથા છે તેનીતો તમને ખબર હશેજ. વિ.સં. ૧૭૩૭ની સાલની વાત છે. રાંદેરના સંઘે શ્રી વિનયવિજયજીને શ્રીપાળનો રાસ રમવા આગ્રહપૂર્વકની પ્રાર્થના કરી. શ્રી વિનયવિજયજી કહેઃ જો યશોવિજયજી અધૂરા રાસને પૂર્ણ કરવાનું વચન આપે તો હું શરૂ કર્યું. અને યશો વિજયજીએ સ્વીકાર્યું. રચના શરૂ થઈ અને વિનયવિજયજીની આગાહી સાચી પડી ૭૫૦ ગાથા રચાઈ અને તટ તટ તૂટે તાંત ગમા જાયે ખસી તે દેખી સભા સઘળી હસી” આ કડીથી વિનયવિજયજીની રચના અધૂરી રહી ત્યાંથી યશોવિજયજી મહારાજે રાસ પૂર્ણ કર્યો. તે વાતનો ઉલ્લેખ તેઓએ કર્યો છે: સાર્ધ સપ્ત શત ગાથા વિરચી તે પહોંચ્યા દેવલોકેજી. તેહનાં ગુણ ગાવે છે ગોરી મિલી મિલી થોકે થોકેજી. ભાગ થાકતો પૂરણ કીધો તાસ વચન સંકેતેજી વળી સમકિત દષ્ટિ જે નર તાસ તણે હિત હેતેજી – વળી ત્યાંજ ઉપાધ્યાય વિનયવિજયજીનું શબ્દચિત્ર પણ કેવા જ : રહી છે. એક જે છે . જો કે જી કા કા કા , ફરી ફરી સારુ કોઈ ને તે જ રીતે કરે : કો જી છે . એક સાથે 1 AME જ છે કે તે માં પણ છે એ કરી રહ્યા છે. . કે આ એક રસ કેમis 1 & કે કરે છે. જો આ કામ કરે છે , IT, દા એ જ તો આ છે ૧૦૨ • યશોજીવન પ્રવચનમાળ! Page #136 -------------------------------------------------------------------------- ________________ સુંદર અને સચોટ થોડા શબ્દમાં દોરે છે ! વિદ્યા વિનય વિવેક વિચક્ષણ લક્ષણલક્ષિત દેહાજી ગીતારથ સારથ સોભાગી સંગીત સખર સનેહાજી” તેમના વ્યક્તિત્વનાં વિશિષ્ટ પાસાં થોડા જ લસરકામાં આપણી સમક્ષ મૂકી આપ્યાં, વળી ઉત્તરાર્ધમાં “સની વર્ણસગાઈ પણ સહજ રીતે જ વહી આવી છે. બાકી તો વિ.સં. ૧૬૯૬માં ઉ. વિનયવિજયજીએ કલ્પસૂત્ર ઉપર સુબોધિકા નામની વૃત્તિ પણ રચી લીધી છે. જ્યારે શ્રી યશોવિજયજીનો વિદ્યાભ્યાસ ચાલુ હતો અને એ જ રીતે વયમાં પણ અંતર હશે જ પણ હૃદયના સ્નેહને તો હૃદય સાથે જ સંબંધ હોય છે. અને તે તો વયથી પર હોય છે. પછી બીજા સમકાલીનોમાં એક નામ છે ઉપાધ્યાય માનવિજયજી મહારાજ. તેઓ ઊંચી કક્ષાના પ્રભુભક્ત હતા. તેમણે ધર્મસંગ્રહ નામે બે ભાગમાં એક મોટો જેન પરંપરાનો આચારવિચાર વિષયક આકરગ્રંથ રચ્યો છે. આ ગ્રંથ રચ્યા પછી તેમાં કોઈ બાબત ત્રુટિ રહી ગઈ હોય, શાસ્ત્ર-પરંપરાથી વિપરીત આવી ગયું હોય તો તેના પરિમાર્જન માટે ઉપાધ્યાયજી મહારાજને વિનંતિ કરી અને ઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથ ઉપર અનેકાનેક દાર્શનિક ગ્રંથોનું સર્જન હોવા છતાં એ કામ સ્વીકાર્યું. અને રીતસર તે ગ્રંથ ઉપર વિશદ ટિપ્પણ જ લખી દીધું. તેથી ધર્મસંગ્રહ ગ્રંથની ઉપયોગિતા અને ઉપાદેયતામાં ખાસ્સો વધારો થયો. ઉપાધ્યાયજીની મહોર હોય એટલે ગ્રંથ શાસ્ત્ર બની જાય. આ ઉપાધ્યાય માનવિજયજી મહારાજે ઉપાધ્યાયજીની અગાધ વિદ્વતાથી પ્રભાવિત થઈને પ્રભવાદિક શ્રુત કેવળીજી આગે હુવા પટ જેમ, કલિમાંહી જોતાં થકાંજી એ પણ મૃતધર તેમ (સુક્સવેલી) આવું વર્તમાન શ્રુતકેવળી” જેવું બિરુદ તેમને ધર્મસંગ્રહ પ્રશસ્તિમાં હતો ET . T ' , જ : , - સાકાકા કાકી કાકી 13 - - - - ૧થા ફાડા ના કાકા ન કરતા પણ ન " | | | | | Pયકિત ન હતા , જ ક ખ ગ ત ર ક જ દેહ બk; કે, માટે સરકારી, જરદી, કે આ કરતા કરું : કાકા કાકી : B M 1 " , " K L M | બ | Hindi * ? . :: આઠ : સમકાલીનો પર પ્રભાવ • ૧૦૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ આપ્યું છે. એક ત્રીજું સમકાલીન નામ ઋદ્ધિવિમલજીનું છે. આમ તો આપણે ત્યાં આ નામ બહુ જાણીતું નથી પણ તેઓના શિષ્યના શિષ્ય વિબુધવિમલજીના નામથી આપણે સુપરિચિત છીએ. દર વખતે પર્યુષણમાં “સુણજો સાજન સંત પજુસુણ આવ્યાં રે, તમે પુણ્ય કરો પુણ્યવંત ભવિક મન ભાવ્યાં રે” એ સ્તવન આપણે સાંભળીએ છીએ. એ સ્તવન આ વિબુધવિમળાજીનું છે. એ વિબુધવિમળાજીના ગુરુના ગુરુ તે શ્રી ઋદ્ધિવિમળજી. તેઓ આચાર્યશ્રી આનંદવિમળસૂરિજીની પરંપરાના છે. આચાર્ય આનંદવિમળસૂરિજીએ ક્રિયોદ્ધાર કર્યો હતો ત્યારે તેમના શિષ્યોના બે ભાગ પડ્યા. કેટલાકે આચાર્યશ્રીની સાથેજ ક્રિયોદ્ધાર કર્યો અને કેટલાકે ન કર્યો. ક્રિયોદ્ધાર એટલે શ્રમણજીવનમાં આવી ગયેલી શિથિલતાને ખંખેરીને શક્ય તેટલું વધુ શાસ્ત્રાનુસારી જીવન જીવવાનો સંકલ્પ કરવો તે. અને આવું શુભ કાર્ય વખતે વખતે થતું રહ્યું છે. તેથી જ તો પ્રભુનો માર્ગ આપણા સુધી આવ્યો છે. આ દ્ધિવિમળજીને ક્રિયોદ્ધાર કરવામાં પ્રેરણા – સહાય ઉપાધ્યાયજી મહારાજે કરી હતી અને તેનો ઉલ્લેખ પણ મળે છે એટલે આમ તો ઉપાધ્યાયજીના સમકાલીનોમાં તેના વિચારો સમજનારો વર્ગ હતો જ. તેઓશ્રીના સમકાલીનોમાં તેમના પ્રત્યે અહોભાવપૂર્વકનો પૂજ્યભાવ રાખનાર એક હતા શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજ; તેઓશ્રીનું આચાર્યપદ પહેલાનું નામ હતું નવિમલજી. તેમણે સ્તવનોની રચના પાર વિનાની કરી છે. તેમના બાલાવબોધ પણ ઘણાં મળે છે. એક બાલાવબોધ તો રાંદેરના શ્રાવક શ્રી નેમિદાસ રચિત પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાળા ઉપરનો છે તે તેમની શ્રુતભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના ૩૫૦ ગાથાના સ્તવન ઉપર પણ તેમનો બાલાવબોધ મળે છે. ઉપાધ્યાયજી મહારાજ કૃત દ્વાત્રિશદ્રદ્ધાત્રિશિકા મૂલની પ્રત આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજે સંપૂર્ણ લખી. અને પુષ્યિકામાં અંતે : : : માં રે છે. ' જ કરી શકો . . . # # # # 2 ક છે અને : છે તે છે ? A જી૨ હરિ રીe ? - . હય છે ; , ૩૩ ૩૪ ૧૦૪ • યશોજીવન પ્રવચનમાળા Page #138 -------------------------------------------------------------------------- ________________ તેમાં ઉપાધ્યાયજી મહારાજ પ્રત્યેની અપાપ્રીતિ દર્શાવી છે. એ ત્રણ શ્લોકો આ પ્રમાણે છે. द्वात्रिंशद्लक्षणैर्दक्षैर्लक्षित: इव सार्वभौम યથા | पुरुषो દ્વાત્રિશત્-શતસહસ્રનૃવૈદ્યુતઃ ॥ 9 ॥ द्वात्रिंशद्दशनैरास्यमिवाभाति प्रसन्नकम् । तद्वद् द्वात्रिंशिकोपेतो ग्रंथोऽयं नन्दताच्चिरम् ॥ २ ॥ प्राप्तन्यायविशारदेतिबिरुदः काश्यां पुराऽचार्यतो गच्छे स्वच्छतपाभिधेऽत्र बिरुदं सद्वाचकेति प्रथम् । धत्ते यो नितरां यशोविजय इत्याख्यामतिख्यापयन् ग्रन्थोऽयं निरमायि तेन परमानन्दाङ्कइत्याह्वयः ॥ ३ ॥ इति वर्णविन्यासीकृतो भट्टारक श्रीज्ञानविमलसूरिभि: । પં. શ્રી વૃદ્ધિવિનયાળિવાવન-મૃતે । પૂજ્યપંડિત પદ્મવિજ્યજીએ પણ ૩૫૦ ગાથાના સ્તવન ઉપરનો બાલાવબોધ મળે છે. આમ સમકાલીન સાધુ-શ્રાવક વર્ગમાં તેઓ જાણીતા અને માનીતા હતા. હા. તેઓ Mass(આમ વર્ગ)ના માણસ ન હતા પણ Class(ખાસ વર્ગ)ના માણસ છે. પરિષદમાં નહીં પણ ઉપનિષદમાં જ તેઓ ખીલી ઊઠે, સૂરજનું કિરણ અડે ને કમળ ખીલે તેમ. આમ તો આવા મહા પુરુષના જીવન-કવનની વાતો ખૂટે તેમ નથી છતાં જે થોડી બાકી છે તે હવે કરી લઈશું. શ્રાવકવર્ગમાં પણ ખંભાત, સુરત, અમદાવાદ (ઇંદલપુર) અને જેસલમેરના શ્રાવકોનાં નામ તેઓના ગ્રંથમાં આવે જ છે. વળી તેઓ એક પત્રમાં પોતાના ગ્રન્થો લખનાર લહિયાનું નામ લખે છે – ગદાધર મહારાજ. એઓએ જે ગ્રંથો લખ્યા તેમાં આઠ : સમકાલીનો પર પ્રભાવ ૧૦૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ નવ્યન્યાયના બે લાખ શ્લોક પ્રમાણ ગ્રંથ લખ્યા છે તેવો ઉલ્લેખ કર્યો છે. એક શ્રાવક ઉપરના પત્રમાં વાત્સલ્યવશ તેઓશ્રી એવા ભાવનું લખે છે કે તમારા જેવા જ્ઞાનપ્રેમી શ્રાવકને આનંદ આવે એવી જ્ઞાનગોષ્ઠી અહીં ચાલે છે. દ્રવ્ય ગુણ પર્યાયના રાસ જેવી ગુજરાતી રચનામાં તેઓએ જે રીતે દ્રવ્ય-ગુણ અને પર્યાયના વિષયનું ઊંડું છતાં વિસ્તૃત નિરૂપણ કર્યું છે તે તર્કસંગત પણ લાગે છે. “શીત તલાઈ પાખતી તિહાં થુભ છે સસસૂરો રે. તેમાંહિથી ધ્વનિ ન્યાયનો પ્રગટે નિજ દિવસે પંડૂરો રે. જ્યાં અગ્નિસંસ્કાર કર્યો ત્યાં એક સૂપ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં તેમના સ્વર્ગવાસના દિવસે ન્યાયનો ધ્વનિ વચ્છરાજીન’ જેવો પ્રકટે છે. જે ચીજ રોમરોમમાં વસી ગઈ હોય તે રીતે પછી પણ પ્રકટતી હોય છે. હવે તેમના જીવનકલ્પવૃક્ષના મૂળ અને ફળ વિષે થોડું વિચારીશું. श्री यशोविजयोपाध्याय विरचित्तं श्री शत्रुञ्जयमण्डन श्री ऋषभदेवस्तवनम् । आदिजिनं वन्दे गुणसदनं, सदनन्तामलबोधम् रे । बोधकतागुणविस्तृतकीर्तिं, कीर्तितप्रथम विरोधम् रे ॥ आदि. ॥ १ रोधरहितविस्फुरदुपयोग, योग दधतमभङ्गम् रे । भङ्गनयव्रजपेशलवाचं, वाचंयमसुखसङ्गम् रे ॥ आदि. ॥ २ सङ्गतपदचिवचनतरङ्ग, रङ्गं जगति ददानम् रे । दानसुरद्रुममञ्जुलहृदयं, हृदयङ्गमगुणभानम् रे ॥ आदि. ॥ ३ भानन्दितसुरवरपुन्नागं, नागरमानसहंसम् रे हंसगतिं पञ्चमगतिवासं, वासवविहिताशंसम् रे ॥ आदि. ॥ ४ વાત ) ( . E' BE : : SEE :: ની જ ન *.* * ર ; , ૧૦૬ યશોજીવન પ્રવચનમાળા WWW.jainelibrary.org Page #140 -------------------------------------------------------------------------- ________________ शंसन्तं नयवचनमनवमं, नवमङ्गलदातारम् रे । तारस्वरमघघनपवमानं, मानसुभटजेतारम् रे ॥ आदि. ॥ ५ इत्थं स्तुतः प्रथमतीर्थपतिः प्रमोदाच्छ्रीमद्यशोविजयवाचकपुङ्गवेन । श्रीपुण्डरीकगिरिराजविराजमानो, मानोन्मुखानि वितनोतु सतां सुखानि ॥ ६ || श्री विनयविजयोपाध्याय विरचितं अकब्बरपुरमण्डन श्री ऋषभदेवस्तवम् ॥ श्री मरुदेवातनुजन्मानं; मानवरत्नमुदारं रे, दारै: सह हरिभिः कृतसेवं; सेवकजनसुखकारं रे. ॥ १ ॥ कारणगन्धमृतेऽपिजनानां; नानासुखदातारं रे, तारस्वरस्वरजितपरपुष्टं; पुष्टशमाकूपारं रे ॥ २ ॥ पारङ्गतमिह जन्मपयोधे: ; योधैः सह गुणधीरं रे, धीरपुरुषैः संस्तुतचरणं; चरणमहीसूहकीरं रे. ॥ ३ ॥ कीरणसं यशसाजितचन्द्रं; चन्द्रामलगुणवासं रे, वासवहृदयक जाहिमपाद; पादपमिव सच्छायं रे ॥ ४ ॥ सच्छायाकब्बरपुरधरणी; धरणीधरमिव कामं रे, कामं नमत सुलक्षणनाभिं; नाभितनुजमुद्दामं रे ॥ ५ ॥ इत्थं तीर्थपतिः स्तुतः शतमखश्रेणीसमग्रोद्भुतजीमूतोऽद्भुतभाग्यसेवधिरधिक्षिप्तः समग्रेर्गुणैः । श्रीमन्नाभिनरेन्द्रवंशकमलाकेतुर्भवाम्भोधि सेतुः श्री वृषभो ददातु विनयं स्वीयं सदा वाञ्छितम् ॥ ६ ॥ પ્રભુ! તેરે નયન કી બલીહારી (ટેક.) યાકી શોભા વિજીત તપસા, કમલ કરતુ હે જલચારી વિધુકે શરણ ગયો મુખ અરીકે, વણર્થે ગગન હણિ હારી....પ્રભુ. ૧ 는 것에서 그는 이 수행했고 소원을 통한 그들이 전하는 위로 ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કૃત શ્રી અભિનંદન જિન-સ્તવન (राज-न2) આઠ : સમકાલીનો પર પ્રભાવ १०७ Page #141 -------------------------------------------------------------------------- ________________ સહજ હિ અંજન મંજુલ નિરખત, ખંજન ગર્વ દીયો દારી, છીને લહીતિ ચકોરકી શોભા, અગ્નિ ભએ સો દુઃખ ભારી...પ્રભુ. ૨ ચંચલતા ગુણ લીયો પીનકો, અલિ જવું તારા હૈ કારી, કહું સુભગતા કેતિ ઈનકી, મોહી સબહી અમરનારી પ્રભુ. ૩ ઘૂમત હે સમતારસ-માતે, જેસે ગજભર મદવારી, તીન ભુવનમાં નહીં કો ઇનકો, અભિનંદન જિન અનુકારી પ્રભુ. ૪ મેરે મન તો તું હી રૂચત હે, પરે કુણ પરકે લારી, તેરે નયન કી મેરે નયન મેં, જm કહે દીયો છબી અવતારીપ્રભુ. ૫ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીકૃત શ્રી શાંતિનાથ જિન સ્તવન શાન્તિ: તેરે લોચન હૈ અણિયારે. કમલ ક્યું સુંદર મીન ચંચલ મધુકર સે અતિકારે જાકી મનોહરતા જિત વનમેં ફિરતે હરિન બિચારે. શાન્તિ. ચતુર ચકોર પરાભવ નિરખત બહુરે ચુગત અંગારે. શાન્તિ. ઉપશમરસકે અજબ કટોરે માનું વિરંચી સંભારે. શાન્તિ. કીર્તિવિજય વાચક કા વિનયી કહે મુજ કો અતિ પ્યારે. શાં. ટિપ્પણઃ ચકોર પંખી કાગડાના જેવડું થાય છે. અને તે જીવતા – બળતા – ધીકતા - અંગારાને ખાઈ જાય છે. અંગારા ખાય તે જ ચકોર એવી તેની પરીક્ષા છે. આ પંખી બંગાળ તરફ ઘણાં થાય છે. x વીદત વંય સારો (પ્રવાસીર લહર ૨૬/૩૦) જ ના # # STD રાહદાર ,રો રો , 1 ના કાકા કા કા કકન કરવા ... સામા ય ક મન કાયમ કદર થી ફરક ? કરી - THERE: ૧૦૮ • યશોજીવન પ્રવચનમાળા Page #142 -------------------------------------------------------------------------- ________________ અનુભવ આનંદગાન......... માહરે તો ગુરુચરણ પસાથે અનુભવ દિલ માંહિ પેઠો; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમરતિ હુઈ બેઠો રે. | મુ. || ૧૦ || ઊગ્યો સમકિત-રવિ જલહલતો, ભરમતિમિર સવિ નાઠો; તગતગતા દુર્નય જે તારા, તેહનો બળ પણ ધાઠો રે.. મુ. || ૧૧ . મેરૂધીરતા સવિ હરી લીની, રહ્યો તે કેવળ ભાઠો; હરી સુરઘટ સુરતરૂ કી શોભા, તે તો માટીકાઠો રે. 1 મુ. || ૧૨ || હરવ્યો અનુભવ જોર હતો કે, મોહમલ્લ જગ લુંઠો; પરિ પરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભુઠો રે. મુ. | ૧૩ || અનુભવગુણ આવ્યો નિજ અંગે, મિટ્યો રૂપ નિજ માઠો, સાહિબ સન્મુખ સુનજર જોતા, કોણ થાયે ઉપરાંઠો રે. I મુજ સાહિબ જગનો તૂઠો. / ૧૪ ll યશોવાણી (શ્રીપાળરાસઃ કળશ ઢાળ) રહ્યા ન હતા કા કા સહક રાશિ 1 દાળ, શાક કરી રજુ 3 રન' ની હ *N tNi dosts ' . કરી હતી. આ કાકા હાડકા . . . છા ફરજ . પાડી જાણી લો. .. ' વો તો હારે છે આઈ જજ, !, શાંહિ , , " ' ,TH AARTI ' , ' ' ' , " મારી ઉડી | H IT, AT & કિસ જ ફ ૧૦૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ १00 • यशोजवन प्रवयनमाला प्रामाराधीजवामिकामियमघददावमाभन्याशयाममा प्रमुखजलधितामिया:मुरादमुजावत ललितालयांमार मयचा:प्रियः।निसमुदा तानानामूनसामाजकाविषयविषयाकरीबिनिता नवतिविपक्रयेबइयत्रायजेमिहसुयशश्रीसम्पतिकारशाइतिश्रीविराग्यकालतायामाका लोनियवर्सलोनामवचमस्तक्षका वधवा -श्रीलातविजयशव्यत्-नयदिजयलिखितःस्वस्मीनार अघातिवनिकलित बदिगंमनोहरामारोपोनिवदमानमहात्मविचारलीलागलियामदानोविलसत्करा जनवमहामनोहबरमश्रिय।217चत्रसघिकानारामाराम्कयनमः२पोनवजागामाप्रीमकान्लाया || nuaव्यायीकमलनेत्री दिवाकप्रलमदान या विममुकासुन निविमलामिक्षावालंकालिदिमाशनाधीन नवेशिखामदारम्पतिवाटका पिकामा विवाारसुरामोमदेबामदाधनपाएपेनिलयस्तस्यामा कनक मुंदछिपवेलिस्तम्पाप्रदंपुष्पोदयाचनः नविनयनयाकालीमामाशमतदाबणीलाात्रोनयन संवत् १७१६ वर्षे स्वर्णगिरौ ( झालोरनगरे) पं. नयविजयगणिहस्तलिखितायाः श्रीमदुपाध्याययशोविजयगणिविरचितवैराग्य कल्पलतायाः प्रतेः पत्रप्रतिकृतिः । Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન નવા જ્ઞાનયોગની પૂર્ણતા : આધારશિલા ગુરુકૃપા तेभ्योनमस्तदीयान् આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના તારક શાસનને પામીને તેને આત્મસાત્ કરીને જગતના બીજા જીવો પણ પ્રભુશાસનના રાગી બને, તેઓ માર્ગની સન્મુખ બને તેવી કરુણાથી ઉપાધ્યાયજી મહારાજે જીવનના છેલ્લા શ્વાસ સુધી જ્ઞાનયોગની ઉપાસના કરી. તેમનું જીવન જ્ઞાનયોગમય હતું છતાં જીવનના ઉત્તરકાળમાં ઉપાધ્યાયપદારૂઢ થયા પછી પ્રસંગોપાત્ત પ્રભુપ્રતિષ્ઠા વગેરેનાં કાર્યો તેઓની નિશ્રામાં થયાં હશે એની સાબિતીરૂપ એક લેખ મળે છે: સુરત વડાચૌટાના કલ્યાણ પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં વિ.સં. ૧૯૮૪માં એક સિદ્ધચક્રજી (ગટો) હતા (હાલ વિ.સં. ૨૦૫૩માં તે ન જોવા મળ્યા. તેમાં આ પ્રમાણેના લેખ હતો: સંવત ૧૭૩૭ વર્ષે પોષ સુદિ ૧દિને પુષ્પાર્ક શ્રી નાથબાઈ પુત્રીયા શ્રી ફુલબાઈ નાગ્ના શ્રી સિદ્ધચક્ર) યંત્ર હાલ આ જ શા કાણા મા આ કારણ જાણી લો શાળા જ જાત જા જા કામ પણ કરી શકાય. જ કારણ નવ : જ્ઞાનયોગની પૂર્ણતા આધારશિલા ગુરુકૃપા • ૧૧૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કારિત પ્રતિષ્ઠિત મહોપાધ્યાય શ્રી યશોવિજય ગણિભિઃ શ્રી વિજયદેવસૂરિ ગચ્છે.” પ્રકાશિતઃ “જૈન' પોષ ૧૯૮૪ વર્ષઃ ૩, અંકઃ ૫, પૃ. ૧૫૯) આવા પ્રમાણથી લાગે છે કે પ્રસંગોપાત્ત સામેથી પ્રસંગ આવી ગયો અને આ રીતે કાર્ય થઈ ગયું. બાકી તેમનો સ્વધર્મ જ્ઞાનોપાસનાનો જ રહ્યો અને તે તેમણે આજીવન સુપેરે બજાવ્યો. જ્ઞાનયોગી તરીકે જ તેઓને આપણે ઓળખીએ. તેમને જ્ઞાનયોગ એવો પરિણત થયો હતો કે છેલ્લાં વર્ષોમાં રચેલા ગ્રંથોમાં તેઓ પોતાનું નામ પણ લખતા ન હતા. અંતે માત્ર ‘પરમાનન્વ’ એટલો જ શબ્દ વાપરતા. બત્રીસ બત્રીસીમાં આમ જ મળે છે. સ્તોત્રોમાં પણ યશઃશ્રીના બદલે પરમાનન્દ શબ્દ જ આવે છે. આ તેમના જીવનમાં સહજ રીતે જ આવેલી નિસ્પૃહતાની-નિર્લેપતાનીસાક્ષીભાવની સાબિતી છે, અને આ જ રીતે જીવનને ઉત્તરોત્તર જ્ઞાનથી પરિપક્વ બનાવ્યું. પ્રવૃત્તિથી જીવનને નિષ્કલંક વિતાવ્યું અને વૃત્તિથી નિષ્કષાય બનાવવાની કોશિશ કરી. અંતિમ ચાતુર્માસ વિ.સં. ૧૭૪૩માં ડભોઈમાં રહ્યા. ત્યાં બિરાજમાન લોઢણ પાર્શ્વનાથ ભગવાનના કા૨ણે તે ગામ સ્થાવરતીર્થ સ્વરૂપ છે અને આ જંગમતીર્થ સ્વરૂપ ઉપાધ્યાયજી મહારાજના કાળધર્મથી તેની તીર્થરૂપતામાં ઓર વધારો થયો. આમ તેઓના કાળધર્મનો સંવત મળે છે પણ મહિનો મળતો નથી. આપણને તેઓશ્રીના જીવન વિષેની માહિતી પૂરી પાડે તેવા ખાસ ઐતિહાસિક સંદર્ભો-પ્રબંધો મળતા નથી. જે રીતે તેઓનું વ્યક્તિત્વ હતું તે રીતે તેઓની જીવનની વિગતો મળવી જોઈએ. પણ મળતી નથી. તેઓના સ્વર્ગવાસને માત્ર ત્રણસો વર્ષ થયાં. ત્રણસો વર્ષનો ગાળો એ બહુ મોટો ગાળો ન કહેવાય. તેમની કેટલાંય વર્ષ પહેલાં થઈ ગયેલા મહાપુરુષના જીવનના પૂર્ણ પ્રબંધો મળે છે. દાખલા તરીકે વિક્રમના બારમા સૈકામાં થઈ ગયેલા વાદી દેવસૂરિજી મહારાજના ગુરુ શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજ કે જેઓનું યશોજીવન પ્રવચનમાળા *૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ જન્મસ્થાન ડભોઈ હતું અને જેઓએ યાકિનીમહારાસ્નુ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના લલિતવિસ્તરા, ઉપદેશપદ વગેરે ગ્રન્થો ઉપર વિવરણ લખ્યાં છે તેઓ વિ.સં. ૧૧૭૬ કા.વ. પાંચમે પાટણમાં કાળધર્મ પામ્યા, અને તે પણ સકલ શ્રી સંઘને નવકાર બોલાવતાં બોલાવતાં. આઠમો નવકાર બોલાવ્યો અને પછી સ્વર્ગવાસી થયા, તે વખતે તેમના શરીરમાં કાસ, શ્વાસ વગેરે આઠ રોગો હતા. આવું બધું વિગતવાર વર્ણન મળે છે. જ્યારે આપણને આપણા ઉપકારી ઉપાધ્યાયજી મહારાજ માટે માત્ર એટલું જ મળે છે કે વિ.સં. ૧૭૪૩માં ઉપાધ્યાયજી મહારાજ ડભોઈમાં ચોમાસું રહ્યા અને તિહાં સુરપદવી અનુસરી”. આટલા જ શબ્દ મળ્યા, ન તો મહિનો કે ન તો તિથિ, અને તે પણ માત્ર એક “સુજસવેલી ભાસમાં. તેના રચયિતા શ્રી કાંતિવિજયજી મહારાજનો આપણે ઘણો ઘણો ઉપકાર માનવો જોઈએ કે જેઓએ પાટણના શ્રી સંઘના આગ્રહથી આ સુજસવેલીની રચના કરી તો આટલું ય મળ્યું. મને એક એવી અટકળ સૂઝે છેઃ તેઓશ્રી પોતાના ઉત્તરકાળમાં વ્યવહાર-નિશ્ચય વગેરે બાબતોમાં નિર્માન્ત બની ગયા હતા. તો બીજી બાજુ અઢારમા સૈકામાં શ્રીપૂજ્યોનું સામ્રાજ્ય ચારે બાજુ છવાઈ ગયું હતું. પોતે નિર્દભ અને નિર્ભીત હતા તેથી પ્રસંગે પ્રસંગે સત્યકથન કરતા. વળી તે સમયના ૩૫૦ ગાથાના સ્તવન વગેરેમાં છડેચોક એ વ્યવહારાભાસનું ખંડન અને નિશ્ચયનું મંડન કરતા. તે બધી વાતો તે તે સમયની બહુજનસંમત વ્યક્તિઓને ખૂંચતી હતી, અને ખૂચે તે સ્વાભાવિક છે. તેથી તેમનો અનુરાગી વર્ગ એ રીતે બહોળો ન હોય. હોય તો પણ એ વર્ગ છૂટો છવાયો હોય. ગમે તે સમય હોય, આવી “હાડસાચી વ્યક્તિને તેના સમકાલીનો તરફથી સહેવાનું જ આવે છે. પણ પછી. સમકાલીનો સર્વથા આથમી ગયા હોય છે ત્યારે આવી વ્યક્તિનાં નામ અને કામ કાળનો કાટ ન લાગે તેમ પૂર્ણ કળાએ ખીલી રહેતાં હોય છે. આવી વ્યક્તિ પરિષદૂની નહીં પણ ઉપનિષદ્રની હોય છે. તેથી તેઓ બહુજન સમાજને પ્રિય ન રહ્યા હોય તેમ લાગે છે. T . શરીર ને . હા ના કરી શકે છેesો કેટલાકak: શાdd all hill, ed. ix કહા જજ જ હe ke'r - "કડક હક કોણ છે: ડી::::::::: :::: ધરતા'' આ અં ક - કાણા : માટે છે. જ રોકી નહી છો. જો why, kism , so do we » R કારક જજ લોકશા જ આ કારણ નવ : જ્ઞાનયોગની પૂર્ણતા: આધારશિલા ગુરુકૃપા • ૧૧૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ ટોળાને લઈને ચાલનારા તેઓ ન હતા. આવાં કારણોસર તેઓનો ડભોઈમાં સ્વર્ગવાસ થયો તેના વિશેષ કશાં સ્મૃતિચિહ્નો ઇતિહાસમાં, પ્રબંધોમાં ઝિલાયાં નથી એમ લાગે છે. તેઓના ચરણપાદુકાની સ્થાપના પણ કાળધર્મ પછીનાં બે વરસે એટલે કે વિ.સં. ૧૭૪પમાં થઈ છે. આ રીતે ચરણપાદુકાના નિર્માણમાં દોઢ-બે વર્ષ જેવો ગાળો વીત્યો તેથી તેમાં પણ ત્યારના સંઘની ઉદાસીનતા જણાય છે. અને “સુજસવેલીમાં “તિહાં સુરપદવી અણુસરી અણસણ કરી પાતક ધોઈ જે ઉલ્લેખ છે તેમાં અણસણ કર્યું એમ લખે છેઃ શા માટે અણસણ સ્વીકાર્યું? સામાન્ય રીતે આવા કૃતધર પુરુષો અણસણ સ્વીકારવા ઇચ્છે તો પણ સંઘ અનુમતિ ન આપે તેમ બનતું હોય છે. તેથી તેઓને એ વર્ષોમાં તેમની નિશ્ચયપ્રધાન વિચારસરણીના કારણે આવું કાંઈક બન્યું હશે તેમ લાગે છે. એ જે હોય તે. આપણને તો તેઓના “મોહર્વપસમું વ:” એ ઉક્તિને સાર્થક કરે તેવાં વચનોથી ભરેલા ગ્રન્થો મળ્યા તે જ આપણું સદ્દનસીબ છે. વચનો દ્વારા તો આવા મહાપુરુષ સૈકાઓ સુધી જીવંત રહેશે. મને તો એવું લાગે છે કે હજી જેમ જેમ વખત વીતશે તેમ તેમ આવા મહાપુરુષોનાં વચનો વધુ ને વધુ પ્રસ્તુત જણાશે. યુગે યુગે અને વ્યક્તિએ વ્યક્તિએ તેઓના શબ્દોના નવા નવા અર્થ થશે. શાસ્ત્રકારોના શબ્દો તો લૌકિક હોય છે પણ અર્થો અલૌકિક હોય છે. આ જ તેમની ઉપકારકતા છે. એમણે લખેલા ગ્રંથોનો રસાસ્વાદ કરાવવા જઈએ તો વરસોનાં વરસો લાગે છતાં તે અધૂરા રહે એવા એ અદ્દભુત અર્થોથી ભરેલા છે. અહીં આ રીતે નવ પ્રવચન આપણે તેઓના ગુણોની સ્તુતિ કરી. કલિકાલ સર્વશે ગુરુના ગુણની સ્તુતિને સ્વાધ્યાય જેવી આવશ્યક અને લાભદાયી કહી છે. આવા આભઊંચા અને સાગરગહેરા જીવનને આપણા નાના ખોબામાં કેમ સમાવી શકાય? પણ તેમની વાતો કરતાં આનંદ આવે છે. ધન્યતા અનુભવાય છે હું સમજું છું કે આ રીતે નવ દિવસોમાં કાંઈ તેઓનું પૂરું - અંક છે, જાજરાજે અજર, *** * જો કે જk # # # # # # # # # # $, tvફ. જજ જ ર પર ૫ ટકા , , ક રે , જ રીતે કરી શ કે છે કે એક જ જ ! ૧૧૪ યશોજીવન પ્રવચનમાળા Page #148 -------------------------------------------------------------------------- ________________ રેખાચિત્ર દોરી ન શકાયું છતાં તમને તેઓ પ્રત્યે બહુમાન તો જગાવી શક્યો છું. એક શાયરની પંક્તિ યાદ આવે છેઃ “માના કિ ઇસ ઝમીન કો ગુલઝાર ન કર સકા કુછ ખાર' કમ તો કર ગએ ગુજરે જિધરસે હમ.” અને અન્ને ઉપસંહારઃ શ્રી સંઘમાં તો જિનશાસનગગનને શોભાવનારા-અજવાળનારા અનેકાનેક જાણીતા, અજાણ્યા પુણ્યપુરુષો થયા છે. તે બધામાં ઉપાધ્યાયજી મહારાજ પ્રત્યેનું આકર્ષણ કોઈ અકળ કારણસર પ્રબળ રહ્યું છે. તેમને જોયા તો નથી પણ તેમના અસાધારણ જીવન અને અસામાન્ય વચનોથી હું તેમનો દાસ બન્યો છું. શ્રુત્વાવવ: સુરત ૬ પૃથર્ વિશેષણ્. એટલે કે તેઓના ગ્રન્થોનો વિશાળ શ્રુતરાશિ અને તેમાં રહેલાં અસંદિગ્ધ વચનો તે તેમની નિર્ભ્રાન્ત દૃષ્ટિના દ્યોતક છે. આ વિશાળતા ને વિપુલતાની દૃષ્ટિએ અગાધ લાગે તેવા જ્ઞાનરાશિને જોઈને મુગ્ધ બન્યો હતો. તે પછી તેનાં ફળ અને મૂળને પણ જોયાં. શાસનરાગ તે ફળ છે અને ગુરુભક્તિ તે મૂળ છે. આ ત્રણે અદ્ભુત છે. જ્ઞાન તે ગમે તેટલું હોય તોપણ એક સાધન છે. તેનો ઉપયોગ સાધ્ય માટે થવો જોઈએ. જ્ઞાનદશા (જીવનને આત્મદૃષ્ટિએ જીવવું તે) એ સાધ્ય છે. અને એમણે એ સાધ્ય સિદ્ધ કર્યું છે. એમના પોતાના જ શબ્દોમાં એ જોઈએ : अधीतास्तर्काः श्रीनयविजय विज्ञांह्रिभजनाद् प्रसादाद् ये तेषां परिणतिफलं शासनरुचिः । इहांशेनाप्युच्यैरवगमफला या स्फुरति मे तया धन्यं मन्ये जनुरखिलमन्यत् किमधिकम् ॥ ગુરુશ્રી નયવિજયજી મહારાજની કૃપાથી (કાશીમાં) જે તર્કશાસ્ત્રનું અધ્યયન થયું તેના ફળ સ્વરૂપે શાસનનો રાગ પ્રગટ્યો. તેનાથી અષ્ટસહસ્રીવિવરણ ૧. ખાર એટલે કાંટા. અહીં ગેરસમજો એવો અર્થ પ્રસ્તુત છે. નવ: જ્ઞાનયોગની પૂર્ણતા: આધારશિલા ગુરુકૃપા ઇ શકે કે ૧૧૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ પરિણતિ પણ નિર્મળ બની. જ્ઞાન-બોધના ફળ સ્વરૂપે જે ઉચ્ચ શાસનરાગ કુરાયમાન થયો તેથી મારા જન્મને ધન્ય ગણું છું, આથી વધારે શું જોઈએ. તેમના ગ્રંથોમાં ઠામઠામ દઢ શાસનરાગનાં દર્શન થાય છે, એટલું જ નહિ સમગ્ર સર્જનમાં સઘળા નાનામોટા ગ્રન્થોમાં પ્રચ્છન્નપણે પ્રભુશાસનનો રાગ અન્તઃસ્રોતા કલ્લોલિનીની જેમ વહેતો જોવા મળે છે. એક સ્થાને તો તેઓ ગાઈ ઊઠે છે: “શાસન તાહરું અતિ ભલું જગ નહિ કોઈ તસ સરખું રે તિમ તિમ રાગ વધ ઘણો જિમ જિમ જુગતિશું પરખું રે (૩૫૦ ગાથાનું સ્તવન) આ શાસનરાગ તેમનો ચોળમજીઠ જેવો દઢ હતો અને તેમણે કરેલી મૃતોપાસનાના અંતે વ્યક્તિગત પ્રાર્થના પણ આ જ રહી છે. એકબે, શ્લોક એ ભાવને પ્રકટ કરનારા આપણે જોઈએ: विषयानुबन्धबन्धुरमन्यन्न किमप्यहं फलं याचे । किन्त्वेकमिह जन्मनि जिनमतरागः परत्रापि ॥ પાંચ ઇન્દ્રિયોના વિષયોના અનુબંધથી મનોહર એવા ફળને (સાંસારિક ફળને) હું યાચતો નથી – માગતો નથી, પણ આ. જન્મમાં અને પછીના જન્મમાં માત્ર જિનેશ્વર ભગવાનના શાસનનો રાગ જ માગું છું. अस्मादृशां प्रमादग्रस्तानां चरणकरणहीनानाम् । अब्धौ पोत इवेह प्रवचनराग: शुभोपायः ।। ચરણ સીત્તરી અને કરણ સીત્તરીથી હીન, વળી પ્રમાદમાં ડૂબેલા અમારા જેવાને સમુદ્રમાં વહાણની જેમ પ્રભુશાસનનો રાગ એ જ શુભ ઉપાય છે તરવા માટે. આ રીતે શાસનરાગને લક્ષ્ય બનાવનારા તેઓ જ છે. આને હૃતોપાસનાનું ફળ ગણે છે. તો આવા વિશાળ જ્ઞાનરાશિની યશોદાયિની ઉપલબ્ધિના મૂળમાં ગુરુકૃપાને કારણ ગણે છે. અક્ષરજ્ઞાનથી લઈ અનુભવજ્ઞાન સુધીની વિરાટ વિદ્યાયાત્રામાં એક માત્ર આ ગુરકપાને જ કારણ ગણે છે. આ વાત તેમણે ઠામઠામ કામ-મજાકના હક છેતો : B : * ક ર જ ન તું છે , * * માં : ક ક તે તેમ રીતે કે ' જ ' કે ' કી : છે . * કરી શકાતી રાજ કરી : Rs.3 કે જે $", જૈ ? દરેક કે " જ છે કે જીત ? : S નહી * . hii n i તે , . . જ T 'T ૧૧૬ • યશોજીવન પ્રવચનમાળા Page #150 -------------------------------------------------------------------------- ________________ મુક્તકંઠે ગાઈ છે. કાશીવાસ અને તે દ્વારા તેમણે પરમ દુર્લભ કહેવાય તેવા ગંગેશોપાધ્યાયકૃત તત્ત્વચિંતાર્માળ ગ્રન્થને તેઓ હસ્તામલકવત્ સુગૃહીત કરી શક્યા તેમાં તેઓ ગુરુવર પં. શ્રી નયવિજયજી મહારાજની કૃપાને જ જસ આપે છે. શ્રી હરિભદ્રસૂરિરચિત શાસ્ત્રવાર્તાસમુચ્ચયની, ષટ્કર્શનના વિચારપ્રવાહોની સમીક્ષા કરીને જિનમતની સ્થાપના કરવાનું અત્યન્ત દુષ્કર કામ પણ તેઓની કૃપાથી જ કરી શક્યા છે તેવું પ્રતિપાદન કર્યું છેઃ निरस्या अभिप्राय: सूरेरहि हि गहनो दर्शनततिनिजमतसमाधानविधिना । श्रीमन्नयविजयविज्ञांहिभजने दुर्धर्षा तथाप्यन्तः अखण्डा भक्तिश्चेन्नहि नियतमसाध्यं किमपि मे ॥ (શાસ્ત્રવાર્તા સમુચ્ચય ઉપરની સ્યા. કલ્પલતા વૃત્તિ પ્રશસ્તિ) શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના શાસ્ત્રનું તાત્પર્ય ગહન હોય છે. વળી બૌદ્ધ, વેદાન્ત વગેરે દર્શનોના મતનું નિરસન કરવા પૂર્વક અર્હદ્દર્શનનું સ્થાપન કરવાનું કામ અઘરું છે. છતાં શ્રી નયવિજયના ચરણકમલમાં અખંડ ભક્તિ છે તેથી કશું જ અસાધ્ય નથી રહેતું. આ રીતે પોતાના ગુરુવરને ગ્રન્થોના અંતે પ્રશસ્તિમાં ખૂબ જ હૃદયના બહુમાનપૂર્વક વારંવાર સંભારે છે તો ઘણા ગ્રન્થના આરંભમાં પણ યાદ કર્યાં છે. જંબૂસ્વામી રાસના મંગલાચરણમાં તો બે જ લીટીમાં યોગ્ય શબ્દોમાં અંજિલ આપી છે : “શ્રી નયવિજ્યગુરુ તણો, નામ પરમ છે મંત એહની પણ સાંનિધ કરી કહીશું એ વિરતંત’ તો ગુરુતત્ત્વવિનિશ્ચય નામના ગ્રંથના મંગલાચરણમાં ગુરુવર શ્રી નયવિજયજી મહારાજ માટેની હૃદયની લાગણી જ સીધી શબ્દમાં અવારિત કરી છે. એ ગાથાઓ જોઈએ તો તેને ગુરુગીતાષ્ટક કહેવાનું મન થાય તેવી એ ગાથાઓ છે. આથી વધારે સુંદર રીતે નવ : જ્ઞાનયોગની પૂર્ણતા: આધારશિલા ગુરુકૃપા ૧૧૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યે જ કોઈ શિષ્ય પોતાના ગુરુ માટેના બહુમાનને પ્રકટ કરી શકે. એ ગાથાઓ મૂળ તમને સંભળાવું પછી તેનો સામાન્ય અર્થ કહીશ. ભવ્ય આત્માએ કંઠે કરવા જેવી એ ગાથાઓ છેઃ पणमिय पासजिणिंदं संखेसरसंठियं महाभागं । अत्तठ्ठीण हियठ्ठा गुरुतत्तविणिच्छयं वुच्छं ॥ १ ॥ गुरु आणाए मोक्खो गुरुप्पसाया उ अठ्ठसिद्धिओ । गुरुभत्तीए विज्जा-साफल्लं होइ नियमेणं ॥ २ ॥ सरणं भव्वजीवाणं संसाराडवि-महाकडिल्लम्मि । मुत्तूण गुरुं अन्नो णत्थि, ण होही णवि य हुत्था ॥ ३ ॥ जह कारुणिओ विज्जो देइ समाहिं जणाण जरियाणं । तह भवजरगहिआणं धम्मसमाहिं गुरू देइ ॥ ४ ॥ जह दीवो अप्पाणं परं च दीवेइ दिति गुणजोगा । तह रयणत्तयजोगा गुरु वि मोहंधयारहरो ॥ ५ ॥ जे किर पएसीरायापमुहा पाविठ्ठ-दुठ्ठ-धि-निल्लज्जा । गुरुहत्थालंबेणं संपत्ता ते वि परमपयं ॥ ६ ॥ उज्झियघरवासाण वि जं किर कठुस्स णत्थि साफल्लं । तं गुरुभत्तीए च्चिय कोडिन्नाईण व हविज्जा ॥ ७ ॥ दुहगब्भि, मोहगब्भे, वेरग्गे संठिया जणा बहवे । गुरुपरतंताणहवे हंदी तयं नाणगब्भं तु ॥ ८ ॥ अम्हारिसा वि मुक्खा पंतीए पंडिआण पविसंति । अण्णं गुरुभत्तीए किं विलसिअमब्भुअं इत्तो ॥ ९ ॥ सक्का वि णेव सक्का गुरुगुणगणकित्तणं करेउं जे । भत्तीइ पेल्लियाण वि अण्णेसिं तत्थ का सत्ती ॥ १० ॥ ભાવાર્થ : “શંખેશ્વરમાં રહેલા પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને આત્માર્થીના હિતને માટે ગુરુતત્ત્વ વિનિશ્ચયને કહીશ. ગુરુની આજ્ઞા પાળવાથી મોક્ષ થાય છે, ગુરુની કૃપાથી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય છે, એટલું જ નહિ ગુરુ પ્રત્યેની ભક્તિ વડે જ વિધા (भंभ) इजे छे. મહાભયંકર સંસારઅટવીમાં ભવ્યજીવોને ગુરુ વિના કોઈ શરણ BM M RSHANTIWARESSrganice ૧૧૮ • યશોજીવન પ્રવચનમાળા Page #152 -------------------------------------------------------------------------- ________________ છે નહિ, થશે નહીં અને હતું નહીં. જેમ કોઈ દયાળુ વૈદ્ય તાવની વ્યાધિવાળાને સમાધિ આપે છે તેમ ગુરુ પણ સંસારરૂપી તાવના વ્યાધિવાળાને ધર્મસમાધિ આપે છે. જેમ દીવો પોતાને અને બીજાને પ્રકાશ આપે છે તેમ રત્નત્રયીના જોગથી ગુરુ પણ મોહરૂપી અંધકારને હરનાર છે. પ્રદેશી રાજા જેવા પાપી, દુષ્ટ ને નિર્લજ્જ જીવો પણ ગુરુના આલંબનને કારણે પરમપદને પામ્યા. કૌડિન્ય વગેરેએ સંસારનો ત્યાગ કરવા દ્વારા જે કષ્ટ વેઠ્યું તે ગુરુભક્તિના, ગુરુ પ્રત્યેના અનુરાગના કારણે સફળ થયું. તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યવાળા ઘણા જીવો હોય છે. ગુરુને પરતંત્ર જે જીવો હોય છે તેઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. અમારા જેવા મૂર્ખ પણ પંડિતોની પંક્તિમાં ગણાતા હોય તો આનાથી વધારે ગુરુભક્તિનો અદ્ભુત પ્રભાવ શું હોઈ શકે! ભક્તિથી પ્રેરિત થયેલા શક્ર ઇન્દ્ર પણ આવા ગુરુના ગુણનું કીર્તિન કરવા સમર્થ નથી તો બીજાની શક્તિની તો શી વાત કરવી!''૧૦ વાત પણ સાચી છે. આવા ગુરુ તો કોઈકને જ મળે. કેટલી બધી રીતે તેઓમાં પરસ્પર સંવાદિતા હશે! વિ.સં. ૧૭૧૧, સિદ્ધપુરમાં દ્રવ્યગુણ પર્યાયનો રાસ રચ્યો તેનો પ્રથમાદર્શ (મૂળ રચના ઉપરથી પહેલી સ્વચ્છ નકલ) ગુરુ મહારાજશ્રીએ લખ્યો, એવું ક્યારે બને! એટલે ઉપાધ્યાયજી મહારાજની વિદ્યા પ્રસાદવિદ્યા છે. પુરુષાર્થનો તેમાં ફાળો છે માટે પુરુષાર્થવિદ્યા તો કહેવાય, પણ મુખ્યત્વે તો તે પ્રસાદવિદ્યા જ છે. તેમના ગ્રંથોમાં પાતાળઝરાની જેમ જે લયબદ્ધ અર્થાનુસારી શબ્દગુચ્છ ઊભરાય છે તે પ્રસાદવિદ્યાની સાબિતી છે. આવા પુરુષોની વાક્શક્તિમાં શુદ્ધિ તો હોય છે જ. તેથી તેઓને વાસિદ્ધિ પણ વરેલી હોય છે. આ રીતે તેઓના અદ્ભુત જીવનસિદ્ધિનાં મૂળ ગુરુકૃપામાં જણાય છે. સમગ્ર જીવનની વિદ્યોપાસનાના પરમ ફળસ્વરૂપ અનુભવજ્ઞાન જ્ઞાનદશાની પ્રાપ્તિ થઈ તે પણ ગુરુમહારાજની કૃપાથી થઈ છે નવઃ જ્ઞાનયોગની પૂર્ણતા: આધારશિલા ગુરુકૃપા ૧૧૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ એવું તેઓ કહે છે. “મારે તો ગુરુચરણ પસાથે અનુભવ દીલમાં પેઠો, ઋદ્ધિ સિદ્ધિ પ્રગટી ઘરમાંહી આતમરતિ હુઈ બેઠો” (શ્રીપાલ રાસ, ખંડ-૪) એક બીજી જગ્યાએ પણ તેઓએ ગાયું છે – इच्छायोगाद् यदपि वयमिमे यत् सुखं संप्रतीमः । तस्याधस्तात् सुरपतिपदं चक्रीणां चापि भोगाः ।। ઇચ્છાયોગની ભૂમિકાએ થતી આરાધનાના પ્રભાવે પણ અમે જે સુખનો અનુભવ કરીએ છીએ તે સુખની પાસે ઇન્દ્રના કે ચક્રવર્તિપણાનાં સુખો પણ હઠ છે. આમ મૂળ, ફળ અને તેઓના સ્વરૂપને સાંભળીને આપણે આપણા જીવનમાં તેઓના અનુગ્રહથી તેઓના જેવો શાસનરાગ આવે, તેઓના જેવી જ્ઞાનયોગની લગની આવે અને અંતે તેના ફળ સ્વરૂપે જ્ઞાનદશા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના તેઓના પવિત્ર ચરણોમાં મસ્તક નમાવીને કરીએ. આ નવ પ્રવચન દરમ્યાન તમે બધાએ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજશ્રીના ગુણોનું શ્રવણ કર્યું. તે નિમિત્તે મને પણ ઘણો શ્રુતલાભ થયો. તમે બધાએ શ્રોતા તરીકેની સારી ભૂમિકા અદા કરી. તમને પણ આનાથી શ્રમણ પરંપરાના એક તેજસ્વી નક્ષત્રનો પરિચય થયો હશે. આ દિવસોમાં મારા વડે મતિમંદતાના કારણે જે કાંઈ અસત્ય વચન ઉચ્ચારાયું હોય તો મિચ્છામિ દુવ૬ સર્વમંગલ ૧. એક ચરણપાદુકા ડભોઈમાં પધરાવ્યા અને બીજા ચરણપાદુકા પાલિતાણાસિદ્ધગિરિરાજ ઉપર પધરાવ્યાનો ઉલ્લેખ શ્રી મોહનભાઈ દલીચંદ દેસાઈ કરે છે. પણ હાલ તે ગિરિરાજ ઉપર ક્યાં છે તેનો પત્તો નથી. આવી ઐતિહાસિક વસ્તુ તો શ્રી સંઘે અવશ્ય સાચવવી જોઈએ. પણ ખેદ સાથે કહેવું પડે છે કે આવી બાબતોમાં આપણે ઘણા પછાત છીએ. ક કા ના જય . fક વાત કt : ૪ ર ર ણ કુક રદ દફ ૧૨૦ • યશોજીવન પ્રવચનમાળા Page #154 -------------------------------------------------------------------------- ________________ યશસ્વી ગુરુપરંપરા ધન્ય કક્નોડા : “માથે ધરું ધૂળ વસુંધરાની” દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીખિયાએ” શ્રુતસેવાની અખૂટ સરવાણી વહી. શાસ્ત્રના સંવાદી અર્થશોધનું કૌશલ્ય ઈશાનુગ્રહસંગતિનું સુંદર દર્શન પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકાર વર્ષા સમકાલીનો પર પ્રભાવ જ્ઞાનયોગની પૂર્ણતા : આધારશિલા ગુરુકૃપા सलिमोहिंदिवामहिंडब्लाइसगा।समियाणंचानिमाईयोगणदिवामीमहासयानिवारसमागणगिदिव्यमबाझमाम याईबारसपागणंएवावदियारणेवारमादियाणंबारसावरिदियारांसमिपंधिदियायांवारमामल्मिविरियम महाजमामथाइएकवासपकदिवासवदिमिर्चतिारासाबुम्ममयंगदिवसांउदिमिद्यनियमाविमयसियचर विंदकराणासितिमिरासयादियादवभिशपावामदाउहविविद्यामंसियाणिवाब सुयादवयारणमिामानीर पसायणसिस्कियंपारणोचणेपवरणादविसंतिकरितंयामसामिानवाचा नवसंवतश्यश्वकात्रिकदि रचनलिमामामनिकालिखिताविरं दवा श्रारख Biss Er dugat Private & wwwairteliorary