SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જોવાનું બનતું હશે. જેમકે સંસ્કૃત ભાષામાં ઉપાધ્યાયજી મહારાજે ઋષભદેવ ભગવાનનું સ્તવન બનાવ્યું છે. જ્ઞાતિને વચ્ચે ગુણવત્તા આ પંક્તિથી તે શરૂ થાય છે. આખું જીવન શૃંખલાયમક નામના અલંકારમાં છે. શૃંખલાયમક એટલે એક શ્લોકનાં ચાર ચરણ હોય છે. તેમાં પહેલા ચરણનો જે છેલ્લો શબ્દ હોય તે બીજા ચરણનો પહેલો શબ્દ હોય, સાંકળના અંકોડાની જેમ. અહીંયાં જ જુવોને સનું શબ્દ પહેલા ચરણમાં છેલ્લે આવ્યો તો બીજા ચરણનો પહેલો શબ્દ પણ એ જ આવે એટલે સંવનન્તીમત્તલોધમ્ ? એવું બીજું ચરણ છે. આમ ઠેઠ સુધી ચાલે છે. આ સ્તવન આપણે ત્યાં સંસ્કૃત ભણેલા ગણેલા સાધુઓમાં ક ઠીક જાણીતું છે. હવે આ જ રીતની દેશીમાં ઋષભદેવ ભગવાનનું જ સંસ્કૃત શૃંખલાયમકમાં એક સ્તવન ઉપા. વિનયવિજયજી મ.નું મળે છે. “શ્રી મવતિનુનાનું માનવરત્ન- મુવાર ?’ આમાં કોની રચના પહેલી અને કોની રચના પછીની તે જાણવાનું કોઈ સાધન નથી. પણ પરસ્પર પ્રેરક બન્યા હશે તેમ લાગે છે. એવી જ રીતે એક સ્તવન ઉપા. વિનયવિજયજી મહારાજનું “શાંતિ તેરે લોચન હે અણીયારે એ પદથી શરૂ થતું મળે છે. એ નાના પદ જેવા સ્તવનમાં જે રીતે પ્રભુજીની આંખનું વર્ણન છે – કીકી – તેનો કાળો ભાગ – સફેદ ભાગ; આંખની ચંચળતા, માદકતા વગેરે ભાવો કવિત્વથી ઓપતા થોડા શબ્દોમાં ગૂંથ્યા છે. અસ્સલ એ જ રીતનું ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનું અભિનંદન સ્વામી ભનું એક સ્તવન મળે છે. પ્રભુ તેરે નયનકી બલીહારી.” અને તેમાં પણ પ્રભુજીના લોચનનું હૃદયંગમ વર્ણન મળે છે. બંને કવિનો વર્ણ વિષય એક હોવા છતાં ક્યાંય પુનરુક્તિ નથી. શબ્દાન્તરે પણ એ જ ભાવ હોય તેવું નથી આ જ ખૂબી છે. સર્જકપ્રતિભાનું આ જ લક્ષણ છે. વળી બંનેની કવિત્વશૈલીના પણ આ પરિચાયક નમૂના બની ગયા છે. આ ચારે છે : જ છે ... , હે છે કે જો ". છે. જેમાં મોદી આઠ : સમકાલીનો પર પ્રભાવ ૦ ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy