SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના પ્રતિમા-શતક' નામના ગ્રન્થને અવલોકવા મને પ્રેર્યો. એના શાસ્ત્રીય સચોટ પુરાવાઓને બાજુએ મૂકું તોય તેમાંની એક પ્રબળ યુક્તિએ મૂર્તિમાન્યતા વિરુદ્ધના મારા જન્મસિદ્ધ પુષ્ટ સંસ્કારનો ભાંગી ભુક્કો કરી નાખ્યો, પણ મારી સંસ્કારપરિવર્તન પ્રક્રિયા હજી ચાલુ જ હતી.” (દર્શન અને ચિંતન ભાગ-૨ પૃ.૨૭૬) થોડા વિસ્તારથી આ જ વાત પોતે આત્મકથાના પૃ.૮૮-૮૯ ઉપર આ પ્રમાણે લખે છેઃ “જો કે, છેવટે વ્રજલાલજીની સાથે વરાડમાં તો ન ગયો, પણ તે વખતે વાંચવા પામેલ સાહિત્યમાંથી એક જ પદ્ય રહ્યાસહ્ય મૂર્તિની માન્યતા વિરુદ્ધના સુષુપ્ત સંસ્કારોને જડમૂળથી ઉખાડી ફેંકી દીધા. એ પદ્ય બીજા કોઈનું નહિ પણ સમર્થતમ તાર્કિક યશોવિજયજીનું છે. તેમણે પ્રતિમાશતક' નામનો મૂર્તિસમર્થક શાસ્ત્રીય ગ્રન્થ રચ્યો છે, તેના મૂળ અને ટીકામાં તેમણે ઉગ્રપણે સાચી રીતે મૂર્તિવિરોધનો પરિહાર કરી મૂર્તિપૂજાનું આગમિક તેમજ તાર્કિક પદ્ધતિએ સમર્થન કર્યું છે. જે પળે મારા ઉપર વીજળીક અસર કરી તેમાં માત્ર તર્કનો આશ્રય લેવામાં આવ્યો છે. તેમણે એમ કહ્યું છે કે, ઉપાસ્ય ઇષ્ટદેવનું સ્મરણ તો મૂર્તિવિરોધીને પણ માન્ય છે. હવે જો નામ તેનું સ્મરણ કરવામાં સહાયક થતું હોય તો મૂર્તિ પણ તેનું સ્મરણ કરવામાં સહાયક થાય છે જ. વળી જૈન પરંપરા પ્રમાણે નામ અને મૂર્તિ બન્ને પૌગલિક હોઈ જડ જ છે. એવી સ્થિતિમાં સ્મરણના સાધન તરીકે એક માત્ર નામને જપ ખાતર માનવું અને બીજા સાધન – મૂર્તિને ન માનવું એ ક્યાંનો ન્યાય? જો માનવું જ હોય તો સ્મરણમાં ઉપયોગી થતા નામ અને મૂર્તિ બન્નેને સમાનભાવે માનવાં જોઈએ, નહિ તો બને કરી છે. આ રીતે - કે તે જે કરી ૮ • યશોજીવન પ્રવચનમાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy