SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ છોડવાં જોઈએ. જ્યારે વિરોધી પક્ષ તો માત્ર નામને સ્વીકારે છે અને મૂર્તિને નહિ, આ પક્ષપાત ગણાય. ઉપાધ્યાયજીના એ તર્કે મને વિચાર કરતો કરી મૂક્યો. પછીથી એના પ્રકાશમાં શાસ્ત્રીય પાઠો વાંચવા લાગ્યો અને બન્ને પક્ષોની દલીલોને તોળવા લાગ્યો, ત્યારે ભ્રમ સાવ ભાંગ્યો, સંસ્કારપરિવર્તનનો આ પ્રસંગ મૂળે તર્કમૂલક હતો. પણ બીજો એક પ્રસંગ કાશીમાં જ પ્રાપ્ત થયો જે ઊર્મિ અને ભાવનામૂલક હતો. પૂજા ભણાવાતી તે વખતે થયેલ ભાવસભર અનુભવની વાત આ પ્રસંગમાં છે. તર્ક અને ભાવ બન્નેના યુગલે મૂર્તિમાન્યતા વિષેનું સંસ્કારચક્ર બદલી તો નાખ્યું પણ એના ઉપર ઓપ તો ચડાવ્યો આગળ ઉપર કરેલ શાસ્ત્રના વિશેષ પરિશીલને, ઇતિહાસના ચિંતને અને સમાજના નિરીક્ષણે. અત્યારે મૂર્તિ વિષેનું મારું ચિંતન માત્ર જૈન પરંપરા પૂરતું રહ્યું નથી.” (“મારું જીવન-વૃત્ત' પૃ. ૮૮-૮૯) જે શ્લોકના વાચનથી તેમની શ્રદ્ધાનું પરિવર્તન થયું તે શ્લોક આ પ્રમાણે છે : किं नामस्मरणेन न प्रतिमया, किं वा भिदा कानयोः संबंध: प्रतियोगिना न सदृशो, भावेन किंवा द्वयोः? । तद्वन्द्यं द्वयमेव वा जडमते! त्याज्यं द्वयं वा त्वया स्यात्तर्कादत एव लुम्पकमुखे दत्तो मषीकूर्चकः ॥ ४ ॥ નામસ્મરણથી શું પ્રયોજન છે?) અથવા પ્રતિમાથી શું નથી? (અર્થાત નામથી જે પ્રયોજનો સરે છે તે બધાં જ પ્રતિમાથી પણ સરે છે.) નામ અને પ્રતિમા વચ્ચે શો ભેદ છે? (અર્થાત બન્ને વચ્ચે ખાસ ભેદ નથી) પ્રતિયોગી = બીજા નિક્ષેપાઓનો નિરૂપક ભાવ, આ ભાવ સાથે નામ અને પ્રતિમાનો સંબંધ શું સરખો નથી? (અર્થાત સરખો જ છે.) તેથી હે જડ! તારા માટે કાં તો નામ અને પ્રતિમા આ બન્ને વંદન યોગ્ય છે, અને કાં તો નામ અને પ્રતિમા – આ બન્ને તને ત્યાજ્ય છે. તેથી નામ-નિક્ષેપાને સાત : પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારવર્ષા ૦ ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy