SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ GO વંદનીય તરીકે સ્વીકારવો અને પ્રતિમારૂપ સ્થાપના નિક્ષેપાનો ત્યાગ કરવો ઉચિત નથી.) આ પ્રતિબિંબ નામના તર્કની સહાયથી પ્રતિમાલોપકના મુખ પર મેષનો પટ્ટો ચોપડી શકાય છે, અર્થાત્ પ્રતિમાલોપકોને મૌન કરી શકાય છે. (૪)” ‘પ્રતિમાશતક’ પૃ. ૩૯-૪૦ આ વાત અસાધારણ ગણાય. કારણ કે પંડિત સુખલાલની ગણત્રી માત્ર તર્કવાદી પંડિતમાં થાય છે. તેઓની બુદ્ધિ જે પદાર્થનો સ્વીકાર કરે તે પદાર્થનો તેઓ સ્વીકાર કરે. શ્રદ્ધાથી કે આગમપ્રમાણથી કશું જ ન માની લે. તેઓને પણ આ તર્ક અંદરથી હલાવી ગયો. આચારપરિવર્તન તે સુશક્ય છે, વિચારપરિવર્તન તે દુઃશક્ય છે. આવાં કામ તેઓના ગ્રન્થ દ્વારા થયાં છે. જ્ઞાનીઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કેટલા બધા ઉપકાર કરતા હોય છે! તેઓશ્રીની ઉપકારકતાનો બીજો એક મહત્ત્વનો પ્રસંગ પણ જાણવા જેવો છે. વર્તમાન સમયમાં તપાગચ્છમાં જે સાધુસમુદાય છે તેમાં મોટા ભાગના સાધુઓ સંવેગી શાખામાં સમાઈ જાય છે. સંવેગીમાં મોટી બે શાખાઃ વિજય શાખા અને સાગર શાખા. વિજય શાખામાં મોટા ફાંટા બેઃ એક પંજાબી સાધુઓની પરંપરામાં આવ્યા તે અને બીજા અત્યારે જે ડેલાવાળાનો સમુદાય કહેવાય છે તે. હવે જે પંજાબી સાધુઓનો સમુદાય છે એટલે કે પૂજ્યપાદ્ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ કે જેઓના આ ભાવનગરશ્રી સંઘ ઉપ૨ અગણિત ઉપકાર છે તે શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ, શ્રી મૂલચન્દ્રજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, આ ત્રણનો સમુદાય મુખ્ય છે. આ ત્રણેના ગુરુના ગુરુ એટલે પૂજ્યપાદ બુટેરાયજી મહારાજ. આ પૂજ્ય બુટેરાયજી મહારાજ તમારા આ ભાવનગરમાં પધાર્યા હતા. પધાર્યા હતા એટલું જ નહીં પણ અહીંના જ્ઞાનભંડારના ગ્રન્થો તેઓએ જોયા. જોયા એટલું જ નહીં પણ તે વખતે અહીં જે શાસ્ત્રીજી હતા તેમની પાસે તેઓએ એમાંથી કેટલાક ગ્રન્થોનો યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy