SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ. નાની ઉંમરે શીતળાના વ્યાધિમાં આંખોનું તેજ ગુમાવેલું. સ્થાનકવાસી જૈન કુટુંબના સંસ્કારો તેમને જન્મથી મળેલા. તેઓના ઘરની પાસે જ સ્થાનકનો ઉપાશ્રય, લીમલી ગામ વિહારનું ગામ, જતાંઆવતાં સાધુ-સાધ્વી ત્યાં સ્થિરતા કરે. એ સાધુ-સાધ્વીજીના મુખેથી તેમણે પુષ્કળ ગુજરાતી સજ્ઝાયો, થોકડા વગેરે કંઠસ્થ કરેલું. પછી તેઓ સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે કાશી-બનારસ ગયા અને ત્યાં કાશીવાળા શ્રી ધર્મસૂરિજી મહારાજ જેઓ અમારા પરમ ગુરુ મહારાજ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજના ગુરુભાઈ થાય તેમના ઉપદેશથી કાશીમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના નામથી સંસ્કૃત પાઠશાળા સ્થાપેલી, તે પાઠશાળામાં પં. સુખલાલજી ભણવા રહેલા. તીક્ષ્ણ પ્રજ્ઞા અને પ્રચંડ પુરુષાર્થના યોગે તેઓ વ્યાકરણ, કાવ્ય અને ન્યાયના ટોચના ગ્રન્થો ભણ્યા, વિદ્વાન બન્યા. આપણી મૂળ વાત હવે આવે છે. તેઓએ પોતાની આત્મકથા “મારું જીવન-વૃત્ત” એ નામે લખી છે. તેમાં તેઓના ચિત્ત ઉપર આ પ્રતિમાશ ૢ એકમાત્ર શ્લોકે, તે શ્લોકના મનનીય અર્થે તેઓની કુળપ્રાપ્ત વર્ષોજૂની માન્યતાને ધરમૂળથી કેવી બદલી કાઢી તેનું ધ્યાન તેમણે અલગ અલગ બે પુસ્તકમાં આપ્યું છે. આપણે તેમના જ શબ્દોમાં જોઈશું તે પહેલાં તેઓ આ તરફ કેવી રીતે વળ્યા તે વાત જોઈએઃ “એક વાર ક્યારેક મંદિરમાં નવપદની પૂજા ભણાવવાની શરૂઆતમાં તો હું પણ દેખાદેખીથી – ગતાનુગતિકતાને અનુસરીને ત્યાં બેઠેલો, પણ એ ભણાવાતી પૂજાનાં અર્થચિંતન અને તેમાં થયેલ ચિત્તનિમજ્જનને પરિણામે મારા મન ઉ૫૨ એક નવો ચમકારો થયો અને મારું કઠિન હૃદય પણ ભક્તિજન્ય અશ્રુપ્રવાહને ખાળી ન શક્યું. આ વખતે મને ઉપાસ્ય સ્થૂલ આલંબનની અમુક ભૂમિકામાં સાર્થકતા અનુભવસિદ્ધ થઈ. થોડાંઘણાં શાસ્ત્રો તો સાંભળ્યાં અને વાંચ્યાં જ, પણ અચાનક બનેલી બીજી એક ઘટનાએ Jain Education International સાત : પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારવર્ષા For Private & Personal Use Only ८७ www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy