SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ એક મેઘજી મૂલજી દોશી કરીને સ્થાનકની પરંપરામાં માનનારા શ્રાવક હતા. ઉપાધ્યાયજી મહારાજના સંપર્કમાં આવ્યા અને ઉપાધ્યાયજી મહારાજે શાસ્ત્રપાઠથી પ્રતિમાનું સ્થાપન કર્યું. મેઘજીએ પણ સરળતાથી આ પ્રતિમાપૂજક પક્ષનો સ્વીકાર કર્યો. આ વાતનો ઉલ્લેખ આ નિમિત્તને પામી રચાયેલા દોઢસો ગાથાના સ્તવનને અંતે પોતે કર્યો છે અને થોડી વિગતથી આ વાત એ સ્તવન ઉપરના બાલાવબોધમાં પંડિત શ્રી પદ્મવિજ્યજી મહારાજે કરી છે. બન્ને પાઠ આ પ્રમાણે છે. “દોસી મૂલાસુત સુવિવેકી દોસી મેઘા હેતે જી એ તવન મેં કીધું સુંદર સિદ્ધાંત અક્ષર સંકેતે જી’ ઢાળ કળશનીઃ કડી. પ. બાલાવબોધ : દોસી મૂલાનો પુત્ર ઘણો વિવેકી જે દોસી મેઘો તેને માટે કર્યું એ સુંદર તવન. એટલે મેઘજી દોસી ટૂંઢિઆ હતા તેને ઉપાધ્યાયજીએ પ્રતિબોધ્યા ને શુદ્ધ શ્રદ્ધા કરાવી, સિદ્ધાંતને અક્ષર સંકેતે. આ સ્તવનમાં પ્રતિમાસ્થાપન માટે સિદ્ધાંતના અનેક પાઠો આપ્યા છે પણ આ બધું ગુજરાતીમાં છે, જ્યારે તેમણે આ બધી જ વાતોને આગમપ્રમાણ અને અનુમાનપ્રમાણથી સત્ય સાબિત કરી આપના૨ પ્રતિમાશત” નામનો ગ્રન્થ રચ્યો છે જે અનેક તાર્કિક પદાર્થનો ખજાનો છે. નયન્યાયના તલાવગાહી અધ્યયનના પરિપાકરૂપે આગમપ્રરૂપિત ભાવોને તર્કથી કેવી રીતે સિદ્ધ કરી શકાય તેનું અદ્ભુત ઉદાહરણ આ પ્રતિમાશત પ્રન્થ છે. તેના દ્વારા અનેકાનેક બુદ્ધિમાનો ઉપર ઉપકાર થયો છે. તેમની સૂક્ષ્મ, તીક્ષ્ણ અને વિમલ મેધાના ચમકારા પાને પાને જોવા મળે છે. છેલ્લાં વર્ષોમાં ખૂબ પંકાયેલા પંડિત સુખલાલજીનું નામ તો તમે બધાએ જરૂર સાંભળ્યું હશે. મૂળ તેઓનું વતન સૌરાષ્ટ્ર ઝાલાવાડમાં સુરેન્દ્રનગર પાસેના મૂળી ગામની નજીકનું નાનું લીમલી • યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only મોર (ઉન * * www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy