SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારવર્ષા तेभ्योनमस्तदीयान् ० આપણા અનન્ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના સ્થાપેલા વર્તમાન શ્રી સંઘ ઉપર જે ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજનો અપાર ઉપકાર છે તે પૂજ્ય પુરુષે ગુજરાતી ભાષામાં સ્તવન ચોવીસીઓ, મૌનએકાદશીના ઢાળિયાં, પ્રતિક્રમણહેતુ ગર્ભ સજ્ઝાય, અમૃતવેલી અને ૧૨૫, ૧૫૦ અને ૩૫૦ ગાથાના તાત્ત્વિક પદાર્થના ભંડાર જેવાં સ્તવનો રચીને આપણને આત્મકલ્યાણ કરનાર, શુભ પરિણતિને પ્રકટાવનાર ઉત્તમ પદાર્થનો અનોખો ખજાનો જ ભેટ આપ્યો છે. એ બધી વાતો ટૂંકાણમાં આપણે જોઈ. હવે તેઓશ્રી દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શ્રી સંઘ ઉપર કેવા કેવા ઉપકાર થયા છે તેની વિગત આજે જોવી છે. તેઓની હયાતીમાં જ તેઓએ ઉપકારની હેલી વરસાવી છે. વિ.સં. ૧૭૩૩ની વાત છે. તેઓશ્રી આજના અમદાવાદમાં જે વિસ્તાર માદલપુર તરીકે ઓળખાય છે તે, તે વખતે ઇંદલપુર તરીકે જાણીતું પરું હતું, ત્યાં તેઓ ચાતુર્માસ વિરાજમાન હતા. ત્યાં સાત : પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારવર્ષા Jain Education International પ્રવચન સાત For Private & Personal Use Only ૮૫ www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy