SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઝણઝણાટ સંભળાય છે. માર્ગની રક્ષા ખાતર સત્ય કહેતાં તેઓ ક્યારેય પણ અચકાયા નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના ગુરુમહારાજના દાદાગુરુ ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મહારાજનું જીવનવૃત્તાંત થોડું પણ મળે છે પણ પં. શ્રી લાભવિજયજી મહારાજ તથા પં. શ્રી નયવિજયજી મહારાજના જીવનનો ખાસ વૃત્તાન્ત મળતો નથી. કોઈક પૂર્વાશ્રમની થોડીક વાતો ક્યાંક ક્યાંક કરે છે, જ્યારે કેટલાક તો આ વાત ક્યાંય કહેતા જ નથી. અમસ્તાય જિનશાસનમાં દીક્ષા ધારણ કર્યા પછી તેમના પૂર્વાશ્રમની – સંસારની વાતોને જરાય મહત્ત્વ આપવામાં આવતું નથી. ઉપાધ્યાયજી મહારાજે પોતે પોતાની વાત ક્યાંય પણ કરી નથી, તેથી તેમના જીવનની ખાસ વિગતો આપણને મળતી નથી. પાટણના સંઘે આગ્રહ કર્યો ત્યારે શ્રી કાન્તિવિજયજીએ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન માટે ચાર ઢાળમાં “સુજસવેલી ભાસની રચના કરી તેથી તેમના જીવનની આટલી પણ વિગતો મળે છે. વિ.સં. ૧૭૪૩માં ઉપાધ્યાયજી મહારાજ સ્વર્ગવાસી થયા. પણ આ ઘટનાનાં વાર, તિથિ, મહિનો તો મળતાં જ નથી. તે જ રીતે જન્મતિથિ, જન્મસંવત પણ મળતાં નથી. તેમનાં માતા, પિતા, ભાઈ, ગામ વગેરેનાં નામોની વિગતો આપણને પ્રાપ્ત થઈ છે. બાકી જો “સુજસવેલી ભાસ'ની રચના થઈ ન હોત તો આટલી વિગત પણ મળત નહીં. તેમનું જન્મસ્થાન કનોડા. આ કનોડા ગામની વાત કરીએ તો એક જમાનામાં કનોડા ગામ જૈનોથી ઊભરાતું હતું. દા.ત. ૧૭માં સૈકામાં લખાએલી પાટણના ભંડારની “ઉપાસકદશાંગની હસ્તલિખિત પોથીની પુષ્યિકામાં જણાવ્યું છે કે આ ગ્રંથ ભાદરવા સુદ છઠના દિવસે કનોડામાં પૂર્ણ થયો. श्री अचलगच्छे श्री भावसागरसूरि सक्ष (शिष्य) वा. जिनवर्धन गणि श्री उपासकदशांग सूत्र श्री कणुडा ૨૦ • યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy