SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ गाम संवत् १६०८ वर्षे भाद्रवा शुदि ६ रवौ ॥ || નક્ષત્ત || છ || (નિવૃતમ્) અર્થાત્ વિ. સં. ૧૬૦૮ના ભાદરવા સુદિ ૬ રવિવારે અચલગચ્છના આચાર્ય શ્રી ભાવસાગરસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી જિનવર્ધન ગણીએ કનોડામાં ઉપાસકદશાંગ ગ્રન્થ (મૂલ) લખ્યો. આનો અર્થ એ જ થાય કે સાધુ મહારાજ ત્યાં ચોમાસું રહ્યા છે. તો જ ભાદરવો મહિનો આવે. અને જૈન સાધુ કોઈ પણ ગામમાં ચોમાસું ક્યારે રહી શકે? જ્યારે તેમાં શ્રાવકોનાં પૂરતાં ઘર હોય, જિનાલય હોય. પણ કાળના પ્રવાહમાં સ્થિતિ બદલાઈ. આ કનોડા ગામ રૂપેણ નદીના કાંઠે આવેલું છે. આ રૂપેણ નદીનો પ્રવાહ ખૂબ અવ્યવસ્થિત છે. ક્યારેક ક્યારેક તે પ્રવાહ પણ બદલે છે. પહેલાં તે ગામ આગળ હતું. ત્યાં કંસારાવાડો હતો, કંસારા ત્યાં હતા. અત્યારે કંસારા બધા વિસનગર જતા રહ્યા છે. અત્યારે દેરાસરની જગાએ ટીંબો છે. અત્યારે શ્રી યશોવિજયજી સરસ્વતી સદન’ બનાવ્યું છે તે તરફ પહેલાં ગામ હતું. આ કનોડા તે ક્યાં આવ્યું? તે વાત વર્ષો સુધી સંશોધનના વિષયરૂપે જ રહી હતી. એક તો આ ગામમાં જૈનોનું એક પણ ઘર નહીં, દેરાસર નહીં. વળી તે વિહારના ગામ તરીકેના રસ્તામાં આવે નહીં. સાવ અંદરનું ગામ. તેથી સાવ અજાણ્યું રહ્યું. ઘણાં વર્ષો પહેલાં પૂજ્ય આગમપ્રભાવક શ્રી પુણ્યવિજયજી મહારાજે જિજ્ઞાસાથી પ્રયાસ કરેલો. વિ. સં. ૨૦૦૦ની સાલ આસપાસ તેઓ ધીણોજથી આ જ કનોડામાં આવેલા. ગામમાં ફર્યા. રામજી મંદિરના ઓટલે બેઠા. પણ ગામના કોઈપણ માણસે તેમની સાથે વાત સુધ્ધાં ન કરી. એક બ્રાહ્મણ છે અને તેને ત્યાં પુરાણાં પુસ્તક છે તેવું જાણવા મળ્યું. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે તે બ્રાહ્મણ બહારગામ ગયો છે. તેથી કશી જ ચોક્કસ માહિતી મેળવ્યા વિનાના તેઓ પાછા ફર્યાં. Jain Education International બે ધન્ય કનોડા : “માથે ધરું ધૂળ વસુંધરાની” : For Private & Personal Use Only ૨૧ www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy