SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ એવું તેઓ કહે છે. “મારે તો ગુરુચરણ પસાથે અનુભવ દીલમાં પેઠો, ઋદ્ધિ સિદ્ધિ પ્રગટી ઘરમાંહી આતમરતિ હુઈ બેઠો” (શ્રીપાલ રાસ, ખંડ-૪) એક બીજી જગ્યાએ પણ તેઓએ ગાયું છે – इच्छायोगाद् यदपि वयमिमे यत् सुखं संप्रतीमः । तस्याधस्तात् सुरपतिपदं चक्रीणां चापि भोगाः ।। ઇચ્છાયોગની ભૂમિકાએ થતી આરાધનાના પ્રભાવે પણ અમે જે સુખનો અનુભવ કરીએ છીએ તે સુખની પાસે ઇન્દ્રના કે ચક્રવર્તિપણાનાં સુખો પણ હઠ છે. આમ મૂળ, ફળ અને તેઓના સ્વરૂપને સાંભળીને આપણે આપણા જીવનમાં તેઓના અનુગ્રહથી તેઓના જેવો શાસનરાગ આવે, તેઓના જેવી જ્ઞાનયોગની લગની આવે અને અંતે તેના ફળ સ્વરૂપે જ્ઞાનદશા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના તેઓના પવિત્ર ચરણોમાં મસ્તક નમાવીને કરીએ. આ નવ પ્રવચન દરમ્યાન તમે બધાએ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજશ્રીના ગુણોનું શ્રવણ કર્યું. તે નિમિત્તે મને પણ ઘણો શ્રુતલાભ થયો. તમે બધાએ શ્રોતા તરીકેની સારી ભૂમિકા અદા કરી. તમને પણ આનાથી શ્રમણ પરંપરાના એક તેજસ્વી નક્ષત્રનો પરિચય થયો હશે. આ દિવસોમાં મારા વડે મતિમંદતાના કારણે જે કાંઈ અસત્ય વચન ઉચ્ચારાયું હોય તો મિચ્છામિ દુવ૬ સર્વમંગલ ૧. એક ચરણપાદુકા ડભોઈમાં પધરાવ્યા અને બીજા ચરણપાદુકા પાલિતાણાસિદ્ધગિરિરાજ ઉપર પધરાવ્યાનો ઉલ્લેખ શ્રી મોહનભાઈ દલીચંદ દેસાઈ કરે છે. પણ હાલ તે ગિરિરાજ ઉપર ક્યાં છે તેનો પત્તો નથી. આવી ઐતિહાસિક વસ્તુ તો શ્રી સંઘે અવશ્ય સાચવવી જોઈએ. પણ ખેદ સાથે કહેવું પડે છે કે આવી બાબતોમાં આપણે ઘણા પછાત છીએ. ક કા ના જય . fક વાત કt : ૪ ર ર ણ કુક રદ દફ ૧૨૦ • યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy