SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવ્યો ત્યારે કુદરતી રીતે જણાવ્યું હતું કે, “તમારે આ ક્રિયોદ્ધારનો સ્વીકાર કરીને પં. સત્યવિજયજીને સહકાર આપવો.” આ સંદેશો ઐતિહાસિક રીતે જોતાં ખૂબ મહત્ત્વનો બની ગયો. તેમણે પોતે જ આ વાત નોંધી છેઃ જાસ હિતશીખથી માર્ગ એ અનુસર્યો જેહથી સવિ ટળી કુમતિ ચોરી” આ ગાળા દરમ્યાન ઉપાધ્યાયજીની જ્ઞાનને લગતી પ્રવૃત્તિઓ પણ ચાલુ જ હતી. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ ગંભીર તત્ત્વજ્ઞાનના ખજાના જેવો ગ્રન્થ સરળ ગુજરાતીમાં એક અગત્યની કૃતિ અને “જ્ઞાનસાર અષ્ટક' એ ગંભીર વિષયોને લોકો સમજી શકે તે રીતે મૂકવાની શૈલીથી લખાયેલ કૃતિ આ તેમની મહત્વની બે કૃતિઓ વિ.સં. ૧૭૧૧માં સિદ્ધપુરમાં રચાયેલી છે. જ્ઞાનસાર ગ્રન્થ તો તેઓશ્રીની સમગ્ર કૃતોપાસનાના નિચોડ સ્વરૂપ છે. સંઘને એક મહામૂલી ભેટ છે. શબ્દબિંદુમાં અર્થનો સિંધુ સમાયો હોય તેવો એ ગ્રન્થ છે. શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરતાં તેમને જણાયું કે સૂરિપુરંદર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીના સાહિત્યમાં ભારોભાર સત્ય પડેલું છે, પણ આપણે તેની સાવ ઉપેક્ષા જ કરી છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ હરિભદ્રસૂરિજીના સાહિત્યને, તે પ્રવાહને અડક્યા વગર જ ચાલ્યા અને તેમણે સ્વતંત્ર રીતે પોતાના સાહિત્યનું સર્જન કર્યું. હરિભદ્રસૂરિજીને ન માનનારો એક મોટો વર્ગ તે જમાનામાં હતો. અને તેઓ બે કારણ આગળ ધરતા. (૧) એક તો એ કે આ. શ્રી. હરિભદ્રસૂરિજીની રચનામાં વિષયોના ભાવો ગંભીર અને તેની શૈલી પણ અઘરી તેથી જેવા તેવાની ચાંચ તેમાં ડૂબે નહીં અને (૨) બીજું તેઓએ જે લખ્યું છે તેનાં મૂળ આગમોમાં મળતાં નથી તેથી શેના આધારે તેઓએ લખ્યું છે તે ખબર નહીં હોવાથી સ્વીકાર્ય નથી. એક નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી જણાવે છે કે ચૌદ રે છે. ન જી ર ક ા - ક, - , છે. કારણ , - , , , , - , , ટી.વી કાર , , ચાર: શ્રુતસેવાની અખૂટ સરવાણી વહી • ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy