SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ *bly cl2X++ 搁送赠捌删微微 ૫૦ તેરસનો દિવસ નોંધેલો છે. છેલ્લે શ્લોકમાં પ્રશસ્તિ લખી છે. ૩૦૯ પાનાંનો આખો આ ગ્રંથ આજે અખંડિત આપણી પાસે છે. દેવસાના પાડાના ભંડારમાંથી આ હસ્તપ્રત પૂ. રમણિકવિજયજીને તથા આગમપ્રભાકરશ્રી પુણ્યતિયજીને મળી અને અત્યારે તે INDOLOGYમાં સુરક્ષિત છે. વિમળગચ્છના ભંડારમાંથી ઉપાધ્યાયજીના લખેલા ગ્રંથો સૌથી વધુ મળે છે. આ રીતે તેઓના લખેલા ઘણાં ગ્રંથો મળે છે. સ્વરચિત ગ્રન્થો તો ખરાજ પણ અન્ય ગ્રંથો પણ પોતાના સ્વાધ્યાય માટે તેઓ લખી લેતા. અનુયોગદ્વાર સૂત્રની મલધારી હેમચન્દ્રસૂકૃિત ટીકા તેઓએ લખી છે અને એ ટીકામાંથી મૂલ સૂત્રને સમજાવતો ભાગ જ રાખ્યો છે. આજે એ પ્રત મળે છે. આ નયચક્રની પોથીની જેમ જ સાત મુનિવરો દ્વારા વિ.સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં લખાયેલી કર્મપ્રવૃતિની પોથી પણ મળે છે, તેની પુષ્પિકા પણ મળે છે. પાટણથી આ બાજુ મધ્યગુજરાત આવે છે ત્યારે વચ્ચે ઘણા બનાવો બન્યા છે. ગચ્છાચાર્ય શ્રી વિજયસિંહસૂરિ મહારાજ સાહેબ કાળધર્મ પામી ગયા છે. તેમના ઉપર જિનશાસનની મોટી આશાઓ હતી અને તે જતાં સંઘમાં જાણે અંધકાર છવાઈ ગયો હતો. જગદ્ગુરુશ્રીના કાળધર્મ પછી ઉત્તરોત્તર શ્રી સંઘમાં કલેશનાં બીજ રોપાયાં હતાં. ખટપટનું વાતાવરણ હતું. કોના પર મીટ માંડવી? તે પ્રશ્ન હતો, અને તેમાં પૂ. સિંહસૂરિજી મહારાજ જતાં જાણે કે મોભ પડી ગયો હોય તેવું થયું. આવા વિષમ કાળમાં ઉપાધ્યાયજીનો ગુજરાતપ્રવેશ થયો. આ ગાળા દરમ્યાન પં. શ્રી સત્યવિજયજીએ ક્રિોદ્ધાર કર્યો તે લોકોને માન્ય ન હતો. તેમની વાત સો ટકા સાચી હતી, પણ લોકોને તે બહુ ગમતી ન હતી. પરંતુ શ્રી વિજયસિંહસૂરિજી મહારાજને આ વાત સાચી લાગી હતી. વિ.સં. ૧૭૦૯માં કાળધર્મ પામ્યા તે પહેલાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને તેમણે સંદેશો યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy