SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શોધતા શોધતા જ પૂજ્ય નયવિજયજી મહારાજ ત્યાં આવ્યા એવું બન્યું છે. રત્ન તો પોતાના સ્થાને જ પડ્યું હોય છે, ઝવેરી તેને શોધતો શોધતો તેની પાસે આવે છે. કવિ કાલિદાસની એક ઉક્તિ છેઃ “ર રત્નવિષ્યતિ મૃતે દિ તત્વ' “રત્ન શોધવા જતું નથી પણ રત્ન કોઈના વડે શોધાય છે.” તે સમયે ખરતરગચ્છ વગેરે ઘણા ગચ્છો હતા, પણ તપાગચ્છ માત્ર ટકી શકે તેવો ગચ્છ હતો. આ કોઈ અતિશયોક્તિ નથી. આ પરંપરાને જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજનું નેતૃત્વ મળ્યું છે. પૂ. હીરવિજયસૂરિજી મહારાજ જ્યારે અકબર બાદશાહને મળવા ગયા ત્યારે તેમની પાસે ચુનંદા, બહોળા અનુભવવાળા તેર સાધુઓ હતા, લગભગ ૨૦૦૦ સાધુઓમાંથી તેર સાધુઓને ચૂંટવામાં આવ્યા હતા. એટલે આ કસોટી કેટલી આકરી હશે તે વિચારવાનું છે. આ તેર સાધુઓમાંના એક તે શ્રી લાભવિજયજી, અને ખૂબ બહોળા અનુભવવાળા શ્રી લાભવિજયજી પાસે પૂનયવિજયજી મહારાજનો ઉછેર થયો છે. આવા શ્રી નવિજયજી મહારાજ રત્નને શોધતા શોધતા કનોડા આવ્યા છે. ઉપાધ્યાયજી મહારાજની દીક્ષાનું પવિત્ર કામ પણ ઉત્તમ, વરદાયક કરકમલો વડે થાય તે માટે તેમની દીક્ષા પાટણમાં પૂજ્ય વિજયદેવસૂરિજી પાસે કરાવવાનો નિર્ણય શ્રી નયવિજયજી લે છે. તે સમયે પૂ. હીરસૂરિ મહારાજના સમુદાયના વડા શ્રી વિજયદેવસૂરિ મહારાજ હતા. તપાગચ્છમાં તેઓ મુખ્ય હતા. વિ.સં. ૧૬૮માં દીક્ષા પાટણમાં થાય છે. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના દેરાસરની બાજુમાં જે પોળિયાનો ઉપાશ્રય કહેવાય છે તે ઉપાશ્રયમાં તેઓની દીક્ષા થઈ હતી. ઉપાધ્યાયજી મહારાજના મોટાભાઈ પદમસિંહ હતા. પદમસિંહ બીજો વળી જી તસ બંધવ ગુણવંત, એહ પ્રસંગે પ્રેરીયોજી તે પણ થયો વ્રતવંત.” છે , કે , જે જ જઇ છે. હાલ દશ થી રૂ . . શાક કડક કાકી સાફ કરી ૨ : જુ ૩૦ • યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy