SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ एक नाम मात्र श्री उपाध्यायजीकी समाचारीके पखी देखके लोक व्यवहारमात्र समाचारी अंगीकार करी ।" (‘માર્ગદર્શક ગુરુદેવ અને આદર્શ ગચ્છાધિરાજ પૃ. ૩૨) આ રીતે તમે જોઈ શક્યા કે તેઓના શબ્દોએ પૂજ્યશ્રી બુટેરાયજી મહારાજના ચિત્ત ઉપર કેવી જાદુઈ અસર કરી, મન શાંત બન્યું. આપણા એક પૂજ્ય પુરુષે પોતાના ગુરુ તરીકે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને સ્વીકાર્યા. એટલે એ રીતે તો આપણા બધાંનાં પણ સીધી રીતે જ ઉપાધ્યાયજી મહારાજ ગુરુ બન્યા કહેવાય. આ ઘટના દંતકથા નથી, દસ્તાવેજ છે. તેઓના સત્તાકાળમાં જેમ તેઓ ઇંદલપુરના દોશી મેઘજીને કુમાર્ગમાંથી સન્માર્ગમાં લાવ્યા તે જ પ્રમાણે જેસલમેરના શ્રાવકો સાથે પણ જ્ઞાનગોષ્ઠીના માધ્યમથી તેમનો ઘનિષ્ઠ પરિચય રહેતો તે વાત તેઓ ઉપરના પત્રથી જાણી શકાય છે. તે જ રીતે સુરતના રૂપચંદ મંગલચંદ ઝવેરી તથા માણેકશા વગેરેને અગિયાર અંગ તેમણે સંભળાવ્યા તેનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો છે. એ જ પ્રમાણે સમ્યક્ત ષસ્થાન ચઉપઈના બાલાવબોધના અંતે પણ તારાચંદ હેમચંદ શ્રાવકને સંભાય છે. એ જ પ્રમાણે જ્ઞાનસારના બાલાવબોધને અંતે પણ શ્રાવકને સંભાર્યા છે. આની સરખામણીમાં તેમના શિષ્ય-સમુદાયમાંથી માત્ર તેઓએ એક જ મુનિશ્રી હેમવિજયજીના નામનો ઉલ્લેખ સમતાશતકના અંતે કર્યો છે. ઉપાધ્યાયજી મહારાજની સર્જક પ્રતિભાનું એક ઉદાહરણ યાદ આવે છે. સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ એ એમની રચના છે. મૂલ કડી એકસો ચોવીસ છે. એ રચના પેલા થઈ પછી રાજનગરના શ્રાવક તારાચંદ હેમચંદની પ્રાર્થનાથી તેના પર બાલાવબોધ રચવા માંડ્યો. હવે આમાં એવું બને છે કે મૂળ કડીઓ લહીયા પાસે લખાવાય છે રફ + : : : : : : - આ છે કાલક પકડ પણ એ . 30% , , , . . :: કામ ક રતા સાત : પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારવર્ષા • ૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy