SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશરહસ્યમાં કહી પછી સાડી ત્રણસો ગાથામાં પ્રસંગ આવ્યો તો કહ્યું “તો પણ પંચમકાળમાં રૂડો ભેળો વાસ”. વળી એ વાત પણ ઉપદેશમાળાના ડુક્કસ કો દો વગેરે શાસ્ત્રવચનના આધારે કરી. આમ તેઓની નજર આકાશમાં છે પણ પગ ધરતી પર છે. શાસ્ત્રવચન તો બધાં મળે પણ તેનો યથાસ્થાને વિનિયોગ એ જ ગીતાર્થતા છે. એ તેમનામાં જણાય છે. આમ શ્રુતસમુદ્રનું તલસ્પર્શી અવગાહન કરી મંથન કરી નક્કર રત્નની પ્રાપ્તિ કરી અન્યને ખોબે ખોબે તેનું દાન કર્યું છે. આવા અદ્ભુત શ્રુતજ્ઞાનનાં મૂળ તેઓના શીલમાં જોવા મળે છે. પરિણત શ્રત એ જ શીલ બને છે. શીલશોભિત સાત્વિક જીવનનો નકશો તેઓનો કેવો હશે તેનો અંદાજ આપણને તેઓએ અધ્યાત્મસારમાં જે વાત ગ્રંથના અંતે સાધકને હિતશિક્ષા સ્વરૂપે કહી છે તેમાંથી મળે છે. તેઓ સ્વભાવથી સંપૂર્ણ નિર્દભી જીવનના આગ્રહી જણાય છે. દંભ ઉપર રીતસરનો સખત અણગમો તેઓએ દર્શાવ્યો છે, અને કડક શબ્દો વાપર્યા છેઃ તેષાં નામ પાખને. જેઓ વ્રત પાળવા માટે અસમર્થ છે છતાં વ્રતધારી તરીકે જ જીવે છે તેઓ દંભી છે અને આવો દંભ મહાદોષ તેઓમાં હોવાના કારણે તેઓનું નામ લેવું તે પણ પાપ છે, આમ કહે છે. અધ્યાત્મસારમાં તેઓએ સ્વતંત્ર ‘દંભત્યાગાધિકાર' રચ્યો છે. એટલું જ નહિ પણ તેઓની પાકટ દરાખ જેવી સુમધુર રચના એટલે શ્રીપાળ-રાસમાં સાવ અંતે આરાધક આત્માને પોતાની એકમાત્ર શિખામણ આપતાં પણ તેમને નિર્દભ થવાનું જ કહ્યું છેઃ થોડે પણ દંભે દુઃખ પામ્યા પીઠ અને મહાપીઠો અનુભવવંત તે દંભ ન ધારે દંભ ધરે તે ધીઠો મુજ સાહિબ જગનો તૂઠો. આના પરથી ચોક્કસ લાગે છે કે તેઓ આચારમાં સંપૂર્ણ નિર્દભ અને વિચારમાં સંપૂર્ણ નિર્કાન્ત હશે. કોઈનું કશું પોતાને તે જ આ 33 જ કાલ ન થાય તે જોઇ , M. 00 હદ , . . . ie , , શકે , , , IML ' . . waves in; ૬૬ ૦ ચશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy