SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અંગૂઠામાંથી અમૃતની વર્ષા ન થઈ રહી હોય એમ વર્ણવે છે. આટલું તો બરાબર છે. આવું કવિકર્મ તો ઘણાનું કરેલું જોવા મળે છે. ખરું કામ હવે શરૂ થાય છે. તેઓની તાર્કિકતા અહીંથી આગળ નજર તાકે છે. સર્વ દેવો કરતાં આવું અદ્ભુત રૂપ અહંતનું આવ્યું ક્યાંથી? દેહના અતિશયો છે, વગેરે વાતો તો આગમપ્રમાણમાં જશે. અનુમાન પ્રમાણમાં શું? એટલે તેઓ કહે છે કે જ્યારે આત્મા તીર્થંકરનામકર્મની નિકાચના કરે છે ત્યારે તેઓ એક એક આત્માને પોતાની કરુણાનજરથી નીરખે છે. એ નીરખતી વખતે તેમને આત્માને આત્મસ્વરૂપ એટલે શુદ્ધ સ્વરૂપે જોવો પડે, વિચારવો પડે. આત્માનું શુદ્ધસ્વરૂપ તો અત્યંત જાજ્વલ્યમાન તેજ તેજના અંબાર જેવું છે. તે વખતે આવા તેજના પંજસ્વરૂપ અનંતાનંત આત્માનું ધ્યાન કરવાના કારણે ધ્યાતા જેનું ધ્યાન કરે છે તે સ્વરૂપે ધ્યાતા બની જાય છે. એ ન્યાયે અહંતે તેજસ્વરૂપ સર્વ આત્માનું ધ્યાન કર્યું. તો તે તેજોમય પોતે બની ગયા. માટે સર્વ સુરેન્દ્રો કરતાં પણ વધુ તેજસ્વી તેઓ લાગતા હતા. આ વાત તેઓએ એક સ્તોત્રમાં આ રીતે મૂકી છેઃ धाम ध्यायसि यत् पुरा त्रिजगती धामातिशायि स्फुरन् तत्सङ्क्रान्तिवशादिवेयमनिशं मूर्तिस्तवोद्योतिनी । अङ्गुष्ठात् पुरतस्तवक्रमभवादिङ्गाललीलावहं नो चेत् सर्वसुरासुरैः कथमहो शक्त्या जितं रूपकम् ।। આવી તેમની વિશેષતા હતી. આ જ તેમની વિશેષતા છે. તેઓશ્રીએ જે રીતે ગ્રંથોના સંક્ષેપ, રૂપાન્તર આપ્યાં, શાસ્ત્રનિર્દિષ્ટ પાઠોની અર્થસંગતિ સાધી આપી તે રીતે શાસ્ત્રમાં આવતા શબ્દોને એમ ને એમ રજૂ ન કર્યા પણ દેશકાળસંયોગ વગેરેને લક્ષ્યમાં લઈને તેની સંગતિ કરી. દા.ત. દશ- વૈકાલિકમાં એકાકી વિહારની અનુજ્ઞા છે કે ન વા નગેના નિવUાં સદીયં યોગ્ય સહાયક ન મળે તો સાધક એકાકી વિહારી બને તે વાત પાંચ : શાસ્ત્રના સંવાદી અર્થશોધનું ફીશલ્ય ૦ ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy