SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ આમ ત્રણ મતોના પરસ્પર ખંડન-મંડનવાળા ગ્રંથોનાં પાનાંનાં પાનાં ભરેલાં છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે ત્રણે મતોનો નયવાદના આધારે સુંદર સમન્વય સાધી આપ્યો અને તે ત્રણે પોતપોતાની અપેક્ષાએ સાચા છે તેવું પ્રતિપાદન કર્યું. એ વિધાન આ રીતે છેઃ भेदग्राहि व्यवहृतिनयं संश्रितो मल्लवादी, पूज्याः प्रायः करणफलयोः सीम्नि शुद्धर्जुसूत्रम् । भेदच्छेदोन्मुखमधिगतः सङ्ग्रहं सिद्धसेनस्तस्मादेते न खलु विषमाः सूरिपक्षास्त्रयोऽमी ॥ શ્રી મલ્લવાદીજી મહારાજ સિદ્ધ આત્માઓનાં કેવલજ્ઞાન અને કેવલદર્શન જુદાં છે અને તેનો ઉપયોગ પણ જુદો માને છે તે વ્યવહારનયની દૃષ્ટિએ બરાબર છે. પૂજ્ય જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહારાજ કેવળજ્ઞાન અને કેવલદર્શન જુદાં છે અને ઉપયોગ સાથે હોય છે તેમ માને છે તે શુદ્ધ ઋજુસૂત્ર નયની દૃષ્ટિએ બરાબર છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન એક જ છે અને તેનો ઉપયોગ સાથે જ હોય છે તેવું જે શ્રી સિદ્ધસેન દિવાકરજી માને છે તે સંગ્રહનયની અપેક્ષાએ બરાબર છે, અને એ રીતે આ ત્રણે પક્ષોમાં હવે વૈષમ્ય રહેતું નથી. એ જ પ્રમાણે શ્રી ભગવતીજી સૂત્રમાં એક અધિકાર આવે છે કે શ્રમણ-જીવનનો બાર મહિનાનો દીક્ષાપર્યાય થાય ત્યારે સાધુને અનુત્તર વિમાનવાસી દેવો કરતાં વધારે સુખનો અનુભવ થાય. આ ભાવની ગુજરાતીમાં પણ કડી મળે છે : “બાર માસ પર્યાયે જેને અનુત્તર સુખ અતિક્રમીયે” આ વચનને આધારે જ્યારે વર્તમાન ૧ વર્ષથી વધારે દીક્ષાપર્યાયવાળા સાધુના અનુભવને તપાસવામાં આવે ત્યારે આ વચન માટે મનમાં એમ થાય કે આ સાચું હશે? જેટલા સાધુ મળે છે તે બધાને Jain Education International • યોજીવન પ્રવચનમાળા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy