SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સદા દિવાળી સંત ઘર બારે માસ વસંત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના સાહિત્યને સંખ્યા અને સત્વ ઇયત્તા અને ગુણવત્તા બંને દૃષ્ટિએ જોઈએ છીએ ત્યારે કોક વાર શ્રીફળની ઉપમા યાદ આવે; ક્યારેક શેરડી યાદ આવી જાય. તે ચીજોના ગુણધર્મ સમાન દીસે છે. આ ભાવ એક સુંદર દોહરામાં મળે છે. મિસરી પાન સમાન છૂવત કઠિન લાગત | જો કીજે રસપાન તો જાને રસના રસી શેરડીને અડવાથી તે કઠિન લાગે છે. ચાવવામાં મહેનત પડે છે. પણ જ્યારે તેના રસનું પાન કરીએ છીએ ત્યારે તેનો આસ્વાદ જીભ જ જાણે છે. તેમના ગ્રંથો, પદો, સ્તવનો, ઢાળો, સજ્ઝાયો, કાવ્યો, રાસાઓ આ બધામાંથી પસાર થતી વખતે ઓછેવત્તે અંશે બધાને આવો અનુભવ થવાનો. પણ જ્યારે શબ્દના કોચલાની ભીતર વહેતા સળંગ સૂક્ષ્મ અર્થને, તાત્પર્યને પામવામાં આવે છે ત્યારે મન તૃપ્ત બની જાય છે; મન ભરાઈ Jain Education International For Private & Personal Use Only ५ www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy