SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે; મન ધરાઈ જાય છે. વર્તમાનમાં એવા કેટલાય મુનિ મહારાજો, વિદ્વાનો છે જેમણે તેમના ગ્રંથ-સ્વાધ્યાયથી નીપજેલી રસાનુભૂતિ પાસે બધું જ તુચ્છ લાગ્યું છે. અને વારંવાર તેઓ સ્વાદ માણવા તે તે ગ્રંથો પાસે જાય છે અને અન્યને તે ગ્રંથો પાસે જવા વારંવાર પ્રેરણા આપે છે. એ માટે એક જ ઉદાહરણ બસ થશે. પૂજ્યપાદ પંન્યાસજી મહારાજશ્રી ભદ્રંકરવિજયજી મહારાજે ઉપાધ્યાય મહારાજના અધ્યાત્મસાર, જ્ઞાનસાર, દ્વત્રિશિકા વગેરે ગ્રંથોનું એકથી વધારે વાર આકંઠ પાન કરેલું. એટલે તેમણે એક મુનિને આપેલી દોરવણીનો પ્રસંગ મનનીય છે. તે તેઓના શિષ્ય આચાર્ય શ્રી કુંદકુંદસૂરિજી મહારાજના શબ્દોમાં જોઈએ. “પૂજ્યપાદ, ગુરુદેવ, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે ઘણાં વર્ષો પહેલાં એક આત્માર્થી મુનિરાજ આવ્યા હતા. જેમનો ન્યાય વ્યાકરણ ઉપર સારો કાબૂ હતો અને પ્રકરણોના પણ સુંદર અભ્યાસી હતા. તેમણે નમ્રભાવે પૂજ્ય ગુરુદેવશ્રીને જણાવ્યું કે, મેં ધર્મબિન્દુ, ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ, પંચાશકજી, શાંતસુધારસ, અધ્યાત્મ કલ્પદ્રુમ, ઉપમિતિ ભવ-પ્રપંચકથા, ઉપદેશમાલા, વૈરાગ્ય કલ્પલતા, ત્રિષષ્ઠિશલાકા પુરષ ચરિત્ર, ભવ ભાવના આદિ પ્રકરણ ગ્રંથો તથા આવશ્યક, દશ વૈકાલિક અને ઉત્તરાધ્યયન આદિ આગમગ્રંથોનું યથાશક્તિ અવગાહન કર્યું છે. હવે મારે યોગ અને અધ્યાત્મ વિષયક ગ્રંથોનું વાચન કરવું છે તો મારે કયા ક્રમથી તે વાંચન કરવું તે અંગે આપશ્રીનું માર્ગદર્શન ઇચ્છું છું કારણ કે આપશ્રીનો એ વિષયમાં બહોળો અનુભવ છે. મુનિશ્રીના જિજ્ઞાસાભર્યા પ્રશ્નના ઉત્તરમાં પરમકૃપાળુ પૂજ્યપાદ્ ગુરુદેવશ્રી એ ફરમાવ્યું કે હવે તમારે સૌથી પ્રથમ જ્ઞાનસાર ગ્રંથ કંઠસ્થ. કરી તેના પદાર્થો બરાબર મનમાં અવધારી લેવા. પછી અનુકૂળતા પ્રમાણે યોગશાસ્ત્ર, ગુણસ્થાનક ક્રમારોહ, શ્રી હરિભદ્રસૂરિજી મ. કૃત અષ્ટકજી, ષોડશકજી, વિશિકાઓ, યોગદષ્ટિ – સમુચ્ચય, યોગબિંદુ, લલિત વિસ્તરો, યોગશતક ધ્યાનશતક, ધ્યાનવિચાર, તાત્રિશત્ દ્વત્રિશિકા, અધ્યાત્મસાર, સટીક યોગવિંશિકા, વિશેષાવશ્યક ભાષ્ય, શાસ્ત્રવાર્તા સમુચ્ચય વગેરે ગ્રંથોનું અવગાહન કરવું અને ત્યાર પછી જ્ઞાનસાર વાંચવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy