SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જિજ્ઞાસુ મુનિરાજે ફરીથી જ્ઞાનસારનું નામ સાંભળતાં વચ્ચે જ કહ્યું કે બાપજી! આપે જ્ઞાનસાર વાંચવા માટે તો પ્રારંભમાં જ ભલામણ કરી છે તો ફરીથી કેમ? પૂજ્યશ્રીએ જણાવ્યું કે પ્રારંભમાં જ્ઞાનસાર ભણવાનું જણાવ્યા છતાં અંતમાં ફરીથી જણાવ્યું છે. તેમાં ખાસ હેતુ છે અને તે એ છે કે પ્રારંભમાં તમો જ્ઞાનસારને વાંચશો ત્યારે જ્ઞાનસારનો તમને માત્ર સામાન્ય રીતે જ ખ્યાલ આવશે. અને યોગ અને અધ્યાત્મવિષયક આ બધા ગ્રંથો વાંચ્યા પછી જ્ઞાનસારનું અવગાહન કરશો. એટલે તમને જ્ઞાનસાર ગ્રંથના ભાવોનો વાસ્તવિક ખ્યાલ આવશે અને એમ લાગશે કે યોગવિષયક આ બધા જ ગ્રંથોના વાચન, મનન અને અનુભવનો સાર એટલે જ્ઞાનસાર.” આવા શ્રુતકેવલી તુલ્ય જ્ઞાનયોગી મહાપુરુષ માટે ઉપમાભર્યું રૂપક સૂઝે છે. જમીન ઉપર જેટલાં વન છે તે બધાંમાં આંબા નથી હોતા. જેટલા આંબા હોય છે તે બધા ઉપર માંજર નથી આવતી અને જેટલી માંજર આવે છે તે બધાને મરવા નથી આવતા અને જેટલા મરવા આવે છે તે બધાની કેરી નથી આવતી. અને જેટલી કેરી આવે છે તે બધાની શાખ નથી પડતી. અને જેટલી શાખવાળી કેરી આવે છે તે બધી વપરાતી નથી. બસ એ જ રીતે જેટલા શ્રાવકો તે બધા દીક્ષિત ન થાય. જેટલા દિક્ષિત થાય તેટલા જ્ઞાનરસિક નથી હોતા. જેટલા જ્ઞાનમાં ઊંડા ઊતરે તે બધા ચારિત્રમાં દઢરુચિ નથી હોતા. જ્ઞાન અને ચારિત્રમાં દઢ બનેલા બધામાં અધ્યાત્મનો સંસ્પર્શ નથી હોતો અને છેલ્લે પોતાના લક્ષ્યબિંદુ સ્વરૂપ આત્મદર્શન સુધી બધા નથી પહોંચતા. જ્યારે પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ બધામાંથી પસાર થઈને લક્ષ્ય સિદ્ધ કરનારા પુરુષ હતા. તેઓના સમગ્ર જીવન અને સર્જન ઉપર દૃષ્ટિપાત કરતાં જણાય છે કે તેઓનું જીવન આભ્યતર ગુણવૈભવથી શોભતું અને ભર્યુંભર્યું હતું. તેથી અનહદના હદની લહેરનો સ્પર્શ સદા રહેતો તેઓએ પદોમાં વર્ણવ્યો. છે. જાણે તેમને હંમેશાં દિવાળી હોય તેમ લાગે છે. શ્રીપાળ રાસના ચોથા ખંડમાં છેલ્લે મુજ સાહિબ જગનો તૂઠો.નું જે ગાન કર્યું છે. તે તેમના અંદરનાં તા. ૫ લાઇકમાનાકા મકમાણ વદ ૩જીકાકડા કહ૪ સ્ટ: યા કws,gy Swદા કામક , રાક છે. ડર કરી શકાય છેજ કરી શકે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy