SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ऐंकारजापवरमाप्यकवित्ववित्त्ववाञ्छासुरद्रुमुपगंगमभङ्गरंगम् । ઘણા ગ્રંથનો પ્રારંભ પણ “ઐ પદથી જ કરે છે અને આ વાત બૂસ્વામિ રાસમાં પ્રારંભે જ આ રીતે મૂકી છેઃ “સારદ સાર દયા કરો, આપો વચન સુરંગ; તૂ તૂઠી મુજ ઉપરિ જાપ કરત ઉપગંગ. તર્ક કાવ્યનો તેં તદા, દીધો વર અભિરામ; ભાષા પણિ કરિ કલ્પતરુ શાખા સમ પરિણામ.” સારદ એટલે શારદા – સરસ્વતી દેવી. ગંગાના કિનારે જાપ કરતાં તું મારા પર પ્રસન્ન થઈ છે અને તે મને તર્ક-કાવ્યનું વરદાન આપ્યું છે. મારી ભાષા પણ કલ્પતરુ જેવી કરી છે એટલે કે જ્યારે જે ભાષામાં જે વાત કહેવી હોય તે કહી શકાય. તેઓ “ઐ મંત્ર દ્વારા સરસ્વતી દેવીની આ રીતે સાધના કરીને કાશીમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કર્યા પછી પંડિત માટે તપાસ કરતાં ત્યાંના તે વખતના અગ્રગણ્ય ગણાય તેવા ભટ્ટારક પાસે અધ્યયન શરૂ કરે છે. પંડિતજીને રોજ એક રૂ. આપવામાં આવે છે. યશોવિજયજીની ક્ષમતા ખૂબ હતી તેથી જે કાંઈ વિદ્યા મળતી ગઈ તે લેતા જ ગયા, લેતા જ ગયા. એક દંતકથા– કંઈક વિચિત્ર લાગે તેવી, શ્રી યશોવિજયજીના કાશીઅધ્યયન અંગે પ્રવર્તે છે. તે ક્યાંથી શરૂ થઈ હશે તે ખબર નથી, પણ તે વાત સાવ વજૂદ વગરની છે. દંતકથા એવી છે કે બે જૈન સાધુઓએ જશુલાલ’ અને ‘વિનયલાલ' નામ ધારણ કરીને, જૈનત્વ છુપાવીને કાશીમાં વિદ્યા પ્રાપ્ત કરી છે. આ બે સાધુઓ તે જશુલાલ' એટલે આપણા શ્રી યશોવિજયજી અને બીજા ‘વિનયલાલ” એટલે તેમના સમુદાયના ઉપા. શ્રી કીર્તિવિજયજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી. પણ આ કથા સાવ આધાર વગરની છે. અહીંયાં “નય'નું વિનય થઈ જઈને આ નામ અહીં જોડાઈ ગયું લાગે છે. આવું કશું જ ક્યારેય બન્યું જ નથી. A * મારી જી ત્રણ : દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીમ્બિયા એ” ૦ ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy