SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યશોવિજયજીને કાશીદેશ અભ્યાસ કરવા જવાની તક મળી. કાશી જતાં પહેલાં વિ.સં. ૧૭૮૧નું ચોમાસું તેમણે કપડવંજ પાસે આવેલા ‘આંતરોલી ગામમાં કર્યું છે. આ સમયમાં તેમણે સ્યાદ્વાદરહસ્ય’ નામે ગ્રંથ રચ્યો છે, જેનો રચનાસમય સંવત ૧૭૮૧ નોંધાયેલ છે. કાશીગમન પહેલાં તેમના હાથે આવો સરસ ગ્રંથ રચાયો છે, જે તેમની ઉચ્ચકક્ષા બતાવવા માટે પર્યાપ્ત છે. આ ગ્રંથ આજે પણ મળે છે. આ ઉપરાંત વિ.સં. ૧૭૧૦માં ગુજરાતમાં આવી ગયાના ઉલ્લેખો મળે છે. એટલે વિ. સં. ૧૭૦૨થી ૧૭૦૮ના ગાળા દરમ્યાન તેઓ ચાર વર્ષ કાશીમાં અને ત્રણ વર્ષ આગ્રામાં રહ્યા છે તે નિશ્ચિત થાય છે, અને વચ્ચે એક વર્ષ વિ.સં. ૧૭૦૯નું ચોમાસું ક્યાંક કરીને વિ.સં. ૧૭૧૦માં ગુજરાત પાછા આવી ગયાના ઉલ્લેખની વાત આપણે આગળ ઉપર જોઈશું. યશોવિજયજી મહારાજને કાશીપ્રયાણ વખતે જે શિખામણો મળી તેમાં એક એ હતી કે કાશીમાં પ્રવેશ કરતાં પહેલાં ગંગાતટે મંત્રસાધના કરાવી લેવી. આ મંત્રસાધના સરસ્વતી દેવી માટેની છે. જેમ ‘ૐ’ પંચપરમેષ્ઠી માટે, ‘હીં ચોવીસ ભગવાન માટે, “ક્લી” લક્ષ્મી માટે બીજ મંત્ર છે તેમ “એં’ એ વિદ્યા માટેનો બીજમંત્ર છે. એ બીજમંત્ર ગુરુ મહારાજ તરફથી શુભ નક્ષત્રમાં શુભ વિધિપૂર્વક અપાય છે અને અપાયેલા મંત્રની સાધના એકવીસ દિવસ ચાલે છે અને ત્યારે તેમને ત્યાં સરસ્વતી દેવીનાં સાક્ષાત્ દર્શન થાય છે અને વિદ્યા માટેનું વરદાન પણ મળે છે. તેમણે પોતે આ વાત ઘણે સ્થળે ગ્રંથની આદિમાં કરી છેઃ ૩૬ ૦ યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy