SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આવી પડે તો, જિન-પંથ – જૈન ધર્મની તાકાત બતાવી શકે. પણ આ વાત એમ ને એમ તો શક્ય નથી. તરત પ્રશ્ન નાણાંનો આવે. “કાર્ય એહ ધનને અધીન” એમ ગુરુ કહે છે, ત્યારે સામે ચાલીને જવાબ આપતાં શા ધનજી સૂરા જણાવે છે કેઃ “દોઈ સહસ દીનાર, રજતના ખરચર્યું હો લાલ, પંડિતને વારંવાર, તથાવિધિ અરચણ્યું હો લાલ, છે મુજ એહવી ચાહ, ભણાવો તે ભણી હો લાલ, ઇમ સુણી કાશીનો રાહ, રહે ગુરુ દિનમણિ હો લાલ.” ચાંદીના બે હજાર દીનાર એટલે તે જમાનામાં ઘણા કહેવાય. પંડિતને વખતોવખત જે આપવું પડે તેની તૈયારી પણ બતાવી. પહેલ કરનાર કોઈક જોઈએ, પછી તો પગમાં ઘણું જોર આવે અને પહેલ કરનારની પાછળ ચાલનારા નાનુંમોટું દાન દેનાર પણ ઘણા મળી આવે. તેમાં નામ તો આ માટે દાન આપવાની પહેલ કરનાર શા ધનજી સૂરાનું જ જાણીતું થયું. જસ તેમને મળ્યો. કાશી જવા માટે પૂજ્ય વિજયસિંહસૂરિ મહારાજે આશીર્વાદ આપ્યા. અને શ્રીસંઘે પણ ખૂબ આશીર્વાદ આપ્યા. વિકટ સંયમજીવન માટેનાં પણ મમતાપૂર્વક જાતજાતનાં સૂચનો અને શિખામણ પણ બધાંએ આપ્યાં. - ના છે ક ફરજ છે આ છે કે કે કડક કે આ જ ઉપર | " ' આ કાર કઈક ડી. ડી છે . કે. ત્રણ : દીક્ષા : “ધન સુહગુર જેણે દીમ્બિયા એ” • ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy