SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પહોંચતાં પહોંચતાં તો પંક્તિઓ ઉપર પંક્તિઓ આવવા માંડી અને સાંજ સુધીમાં એ સ્તુતિ અષ્ટક રચાઈ ગયું. અનાયાસે જ રચાઈ ગયું. તે ભૂમિની સ્પર્શનાની ઉપલબ્ધિ ગણાય. તે પછી ત્રેવીસ પ્રાકૃત પદ્યનો એક પત્ર આર્યા છંદમાં મારા પૂજ્ય ગુરુ મહારાજને લખ્યો. અને શરૂ થયેલું એ કાવ્યઝરણું રોજ એક પ્રાકૃત ગાથા રચવાના ક્રમથી મહિના સુધી ચાલુ રહ્યું. આમ ક્ષયોપશમની વૃદ્ધિમાં એ સ્પર્શનાએ કામ કર્યું. અનુરાગ વધુ ને વધુ પુષ્ટ થતો ગયો. એક વાર અમે શ્રી શંખેશ્વર તીર્થમાં હતાં ત્યારે અમારા સમુદાયના વિદ્વદ્વર્ય આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિ મહારાજ સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે “તમે ઉપાધ્યાયજી મહારાજ વિષેનાં પ્રવચનો આપો અને તેને પુસ્તકાકારે પ્રકાશિત કરો. તમને એ વધુ માફક આવશે.” અને વાત જચી ગઈ. અને કૃષ્ણનગર (ભાવનગર)ના ચોમાસામાં એ પ્રવચનશ્રેણી સાત દિવસ ચાલી. શ્રોતાવર્ગે માણી. એ પ્રવચનો શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનાં સુપુત્રી માલતીબહેન દેસાઈએ ચીવટથી લખ્યાં અને લખીને મને સોંપ્યાં. તેમાં સુધારાવધારા થયા. શાસનપ્રભાવક આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજના પ્રેમાગ્રહને કારણે શાંતિસૌરભમાં ક્રમશઃ તે લેખમાળા રૂપે આવ્યાં. વળી તેમાં ઉમેરણો થતાં રહ્યાં. ઉપાધ્યાયજી મહારાજના સાહિત્યથી અભિભૂત થયેલા શ્રી જયંતભાઈ કોઠારીએ પણ તે જોઈ આપ્યાં. એટલું જ નહીં પ્રેમપૂર્વક આ પુસ્તક વિષે પણ બે શબ્દ લખી આપ્યા. આનંદ થયો. ઘણી ઘણી પ્રક્રિયામાંથી પસાર થવા છતાં આમાં ઘણું ઘણું રહી ગયું હોય તેવું વાચકને લાગશે અને વાત પણ સાચી જ લાગે છે. કહ્યું છે ને ! “પુણ્યાત્માનાં ચરિત્રો તો આભ જેવાં અગાધ છે.” પણ મને તો “ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” એ નીતિને અનુસરીને આ શુભ યત્ન કરવો ગમ્યો છે. વાચકોને પણ આનાથી ઉપાધ્યાયજી મહારાજ પ્રત્યે અને તેમની રચના પ્રત્યે અહોભાવ અને અનુરાગ જન્મ / વધે તો આ શ્રમ સાર્થક- લેખે લાગશે. ૧૦ છે. જો દિકરી છે વાત કરી હતી. તેમાં 1 કરો કિશો ફરકે છે, તે જ છે. આ આ કામ કે જો રહી આ છે છે કે જો જ એ છે કે આ આ આ કે '' 12. દરેક મા છે છે ... 83 આ ! '' 3 E3 ક જો રી કે 1:ક ' 34 જી રહી છે. સરક એક છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy