SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ તરફ ધ્યાન ગયું. તેઓ શ્રી દેરાસરમાં ઉપાધ્યાયજી રચિત સ્તવનોનો આગ્રહ રાખતા અને સાંજનાં પ્રતિક્રમણમાં સક્ઝાયમાં પણ ઉપાધ્યાયજી રચિત ૧૮ પાપસ્થાનકની સઝાય સમકિતના ૬૭ બોલની સક્ઝાય, આઠ દૃષ્ટિની સક્ઝાયનો આગ્રહ રાખતા. હવે આજે સમજાય છે કે તેઓ તો દર્શનશાસ્ત્ર અને આગમગ્રંથોના ઊંડા અભ્યાસી હતા. છતાં તેમનું મન ઉપાધ્યાયજી મહારાજના સાહિત્ય ઉપર ઠરતું હતું. તે પછીનાં વર્ષોમાં જ્યારે જ્ઞાનસાર, અધ્યાત્મસાર, વગેરે ગ્રંથોનાં નામ સાંભળ્યાં અને તેનો કાંઈક પરિચય થયો ત્યારે પણ મુગ્ધતા હતી પણ વિ.સં. ૨૦૨૯ આસપાસમાં દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા ભણવાનો અવસર મળ્યો ત્યારે તેમના શબ્દોની ભીતર ડોકિયું કરવા મળ્યું. એ શબ્દગુચ્છોની નીચે એક સળંગ અર્થ ગૂંથાતો અને તેનાથી એક સળંગ સૂત્ર આકાર બંધાતો જોયો. તેમની સામે પદાર્થ સ્પષ્ટ હોય છે. તેથી તેનું નિરૂપણ પણ અસંદિગ્ધ ભાષાશૈલીમાં થતું જોવાય છે. વિ. સં. ૨૦૨૩માં પૂજ્યપાદ સમર્થ વિદ્વાન શ્રીધરધુન્ધર મહારાજ અધ્યાત્મસારના સ્વાધ્યાયના પરિપાક રૂપે અધ્યાત્મસારાનુગમનું સર્જન કરતા હતા ત્યારે પૂજ્ય ઉપાધ્યાય મહારાજના અક્ષરના અમીરસનું પાન કર્યું. તૃપ્તિ અનુભવી. એ રીતે તેમના ગ્રંથોનું સેવન થતું રહ્યું હતું. ત્યાં તેમનું ત્રિશતાબ્દી વર્ષ આવ્યું આ એવો એક સુંદર મોકો હતો તે નિમિત્તે તેમના પ્રત્યેનો અનુરાગ પ્રગટ થયો. વિ.સં. ૨૦૪૧માં તેઓની પાવન જન્મભૂમિ કનોડાની સ્પર્શના થયેલી અને જે ધન્યતાનો અનુભવ કર્યો હતો. તેવો બીજો અવસર આ ત્રિશતાબ્દી વર્ષમાં તેઓના પતિતપાવન દેહના પરમાણુ જ્યાં પથરાયા હતાં. તે ડભોઈમાં તે તીર્થની પચ્ચીસ યાત્રા થઈ. શ્રી ઉપાધ્યાયજીના ગુણ પચ્ચીસ છે તે યોગાનુયોગ બન્યો. તે વેળાએ એટલે કે ચૈત્રી પૂર્ણિમાના શુભ દિવસે સવારે વીસમી યાત્રા કરી ને જેવો એ ઝાંપાની બહાર મૂક્યો ત્યાં ચિત્તમાં ઝબકારો થયો અને “ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જિનવર શાસનનાં શણગાર.” આવી પહેલી પંક્તિ આવી. બસ પછી ઉપાશ્રય પાવાવામાં મા શા ના કાકા મામાણી શકશાણા મામા ભાણા બાર ઝાલા ર ા આકાશ શા મા આઈ ડી નાખ્યા બાદ જાજા રા યા જા જાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy