SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Ess ગુરુ જે લખે તેની નકલ શિષ્ય કરે એવા તો અનેક દાખલા મળે, પણ અહીંયાં તો શિષ્ય જે કોઈ નવું નવું સાહિત્ય રચે તેની નકલ કરવાનું કામ ગુરુએ કર્યું છે. જો કે પંડિત નયવિજયજી પણ વિદ્વાન છે. તેઓએ રચેલી એક ભક્તામર સ્તોત્ર ઉપરની સંસ્કૃત વૃત્તિ મળે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ પૂ. નયવિજયજીનો ગુરુ તરીકે, પૂ. વિજયદેવસૂરિજી મહારાજનો દીક્ષા આપનાર તરીકે, પૂ. લાભવિજયજીનો દાદાગુરુ તરીકે, પૂ. પં. શ્રી જીતવિજયજી મહારાજનો ગુરુજીના મોટા ભાઈ તરીકે ઉલ્લેખ કરે છે અને ખાસ તો પોતાનામાં જે શતમુખી વિદ્વત્રતિભા ખીલી તેનું શ્રેય તેઓ આ પંડિત જીતવિજયજી મ. કે જેઓ પં. શ્રી નવિજયજીના સહોદર ભાઈ અને ગુરુભાઈ હતા – તેમને આપે છે. ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિની ટીકાની પ્રશસ્તિમાં તેઓ માટે નોંધે છે કે ૫. જીતવિજયમ.નું કરુણાકલ્પવૃક્ષ મારા સમા નંદનવનમાં ફલ્યું. એ કલ્પવૃક્ષમાં શાસ્ત્રાભ્યાસ નવીન સુંદર અંકુર છે. પદોની વ્યુત્પત્તિ પલ્લવ છે, કાવ્ય અને અલંકાર પુષ્પ છે, તર્ક અને ન્યાયનો અભ્યાસ ફળ છે.” આમ ૫, જીતવિજયજીની વિદ્વત્તા પણ વ્યાપક હતી. એમ આ પાંચેયનો ઉલ્લેખ પોતાની કૃતિઓમાં વારંવાર કરે છે. સામાચારી પ્રકરણની વૃત્તિના અંતે પણ ખૂબજ ઉત્તમ શબ્દોમાં સ્તુતિ કરી છે તે શ્લોક આ પ્રમાણે છે: येषां कीर्तिरिह प्रयाति जगदुत्सेकार्थमेकाकिनी पाथोधेर्वडवानलाद् धुसरितो भीता न शीतादपि । षट्तर्कश्रमसंभवस्तवरवख्यातप्रतापश्रियं श्रीकल्याणविराजमानविजयास्ते वाचकास्तेनिरे ॥ ६॥ એક યશસ્વી ગુરુપરંપરા ૦ ૧૧ Jain Education International sational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy