SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ વિરાજમાન હતા. વિ.સં. ૧૭૧૭ના કાર્તિક મહિનામાં એકથી વધારે સાધુ મહારાજે સાથે રહીને લખેલી કમ્મપયડીની પોથી મળે છે. તેની પુષ્મિકામાં આ પ્રમાણે ઉલ્લેખ છે. पं. श्री जसविजयगणि नवीनग्रन्थरचना कृतः श्री घोघावेलाकूले संवत् १७१७ वर्षे कार्तिक मासे शुभवासरे सकल समुदायेन लिपिकृत:। પંડિત શ્રી યશોવિજયજી ગણીએ નવીન ગ્રન્થ રચ્યો અને ઘોઘાબંદરમાં વિ. સં. ૧૦૧૦ની સાલમાં કાર્તિક મહિને શુભવારે બધા સાધુએ સાથે મળીને લખ્યો. આમાં સં. ૧૭૧૭ના કાર્તિક મહિનાની વાત છે. જો ચાતુર્માસ ત્યાં હોય તો જ આ બને. અને એ જ રીતે ઘોઘાના દરિયામાં ઊછળતાં મોજાં અને તેમાં આવતાં વહાણોને જુવે છે. આ સમુદ્રની સાથે વહાણનો સંવાદ થાય છે તેવી એક ભવ્ય કલ્પનાના આધારે ગુજરાતી ભાષામાં સત્તર ઢાળમાં સુંદર શૈલીમાં “સમુદ્ર વહાણ સંવાદ નામે કાવ્યની રચના કરે છે. આ કાવ્યમાં સમુદ્રનું અભિમાન દૂર કરવાનો સુંદર શૈલીમાં પ્રયત્ન થયો છે. તેઓ વિહારમાં સૌરાષ્ટ્રનાં ઉના, પાલિતાણા, સિદ્ધગિરિરાજ ક્યારેક જ આવ્યા જણાય છે. તો પાટણ, અમદાવાદ, ખંભાત તેમને વારંવાર રહેવાનું-જવાનું બન્યું છે. ઠેરઠેર વિચરતાં વિચરતાં તેઓએ આપણા અજ્ઞાનનું અંધારું દૂર થાય તેવી અનેક રચનાઓ કરી છે. ઘણી મળે છે, છતાં કાળબળે લુપ્ત થએલા ઘણા ગ્રન્થનાં તો માત્ર નામ જ આપણને પ્રાપ્ત થાય છે. ઉપાધ્યાયજી મહારાજને તેમના સમયમાં “કૂર્ચાલી શારદ', શ્રુતકેવલી” જેવાં વિશેષણોથી બિરદાવવામાં આવ્યા છે. તેમના જ સમકાલીન ઉપાધ્યાયશ્રી માનવિજયજી મહારાજ તેમને શ્રુતકેવલી' કહીને તેમનું બહુમાન કરે છે તે ઘણી મહત્ત્વની વાત છે. કે આ " "" FOR TET 1 Sફી કરી વિ . કાર છે. પણ અને કામ કરી ઢીકર કે ,, . . રોજ જ છે કા એક યશસ્વી ગુરુપરંપરા ૦ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy