SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ तर्कप्रमाणनयमुख्यविवेचनेन, प्रोद्बोधितादिममुनिश्रुतकेवलित्वाः । चक्रुर्यशोविजयवाचकराजिमुख्या, ग्रन्थेऽत्र मय्युपकृतिं परिशोधनाद्यैः ॥ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન ઉપાધ્યાય શ્રી માનવિજ્યજી સ્વરચિત ધર્મસંગ્રહ નામના ગ્રન્થની પ્રશસ્તિમાં જણાવે છે કે તર્ક-પ્રમાણ અને નય વગેરેનું વિવેચન કરીને જેઓએ પૂર્વે થઈ ગયેલા શ્રુતકેવલી પુરુષનું સ્મરણ કરાવ્યું છે એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ ગ્રંથનું સંશોધન વગેરે કરીને મારા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. ‘શ્રુતકેવલી’ને માત્ર બે જ, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોવા છતાં એની રજૂઆત ‘કેવલી' જેવી હોય છે. તેમ જ પૂ. ઉપાધ્યાયજી મહારાજ પાસે અગાધ જ્ઞાન હતું. સમકાલીન વ્યક્તિનું બહુમાન જલદી કોઈ કરતું નથી. અને જો કોઈનામાં અસાધારણતા હોય તો જ કરે છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની પ્રતિભાને સમજવા માટે તેમની ગુરુપરંપરાને જાણવી જરૂરી છે. મણિની ઉત્પત્તિ મણિની ખાણમાંથી જ થાય....! આજરે પદ્મામાનાં ગર્ભાવમળે: ત: ' પદ્મરાગમણિની ખાણમાં કાચ ન થાય, તેમ તેમના ગુરુ પણ તેવા હતા. તેમના ગુરુનું નામ શ્રી નયવિજયજી આવા ગુરુ કોઈકને જ મળે. નયવિજ્યજીના ગુરુભાઈ તે જીતવિજ્યજી. ઉપાધ્યાયજી મહારાજે ઘણા ગ્રંથોમાં તેઓ બન્ને પ્રત્યેના ઋણનો સ્વીકાર કર્યો છે. આની સાથે સાથે પોતાના સહોદર મોટાભાઈ એવા શ્રી પદ્મવિજ્યજી મહારાજનો ઉલ્લેખ પણ વારંવાર કરે છે. ગુરુપરંપરા જોઈએ તો....ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગુરુ તે પૂ. નયવિજ્યજી ગણિ અને પૂ. નયવિજયજીના ગુરુ તે પૂ. લાભવિજયજી ગણિ. પૂ. લાભવિજ્યજીના ગુરુ ઉપા. કલ્યાણવિજયજી અને ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજીના ગુરુ યશોજીવન પ્રવચનમાળા Jain Education International 6 For Private & Personal Use Only — www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy