SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. હીરવિજયસૂરીશ્વરજી મહારાજ હતા. આમ જોઈએ તો પૂ. હીરવિજયસૂરીશ્વરજીની ચોથી પેઢીએ પૂ. ઉપાધ્યાયજી મહારાજ આવે, પણ તેમની વચ્ચે કાળનું અંતર ઘણું મોટું છે. પૂ. હીરવિજયસૂરીશ્વરજી મ. વિ. સં. ૧૬૫રમાં ઉનામાં કાળધર્મ પામ્યા. પૂ. વિજયસેનસૂરિજી વિ. સં. ૧૬૭૨માં કાળધર્મ પામ્યા અને તે પછી વિજયદેવસૂરિજી મહારાજનું અને તે પછી વિજયસિંહસૂરિજી મહારાજનું સામ્રાજ્ય પ્રવર્તમાન હતું. પૂ. ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મહારાજનો જન્મ પલખડી (ગુજરાત)માં વિ. સં. ૧૬૦૧ આસો વદિ અને સોમવારે થયો હતો. તેઓનું નામ ઠાકરશી હતું. પિતાનું નામ હરખાશા હતું તથા માતાનું નામ પૂંજીબહેન હતું. તેમની દીક્ષા વિ. સં. ૧૬૧૬ વૈશાખ વદિ રને દિવસે મહેસાણામાં પૂજ્યપાદ જગદ્ગુરુ પાસે થઈ હતી અને ઉપાધ્યાયપદ વિ. સં. ૧૬૨૪ ફાગણ વદિ ૭ પાટણમાં થયું હતું. તેઓએ રાજપીપળામાં મોટા વાદીને હરાવ્યો હતો અને રાજાએ તે નિમિત્તે ખૂબ સન્માન કર્યું હતું. ઉપાધ્યાય કલ્યાણવિજયજી માટે “શ્રુતસુવર્યાવસપટ્ટ' શબ્દ વાપરે છે. જેમ સોનાને તેની પરીક્ષા માટે કસોટી ઉપર કસવામાં આવે તેમ “આગમનાં સૂત્રોનો સાચો અર્થ કયો?” તે બાબતમાં તેઓ જે કહે તે જ પ્રમાણભૂત મનાતું. તેઓ પોતાની પૂર્વાવસ્થામાં બાહોશ મંત્રીશ્વર હતા અને અહીં પણ તેઓ ખૂબ નિપુણતા દાખવી શક્યા. તેમનું કંઠસ્થ જ્ઞાન ઘણું હતું. ષટ્રદર્શનના વેત્તા હતા અને વાદકળામાં નિપુણ હતા. તેમના શિષ્ય પંડિત લાભવિજયજી ગણિ વ્યાકરણમાં નિપુણ હતા. “હેમ ગુરુ સમવડો શબ્દ અનુશાસને” તે વાત ઉપાધ્યાયજી મહારાજ પોતે વારંવાર લખે છે. ગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ અકબર બાદશાહના આમંત્રણથી વિ. સં. ૧૬૩૯ના જેઠ વદ ૧૩ના દિલ્હી પધાર્યા ત્યારે તેઓ સાથે ૧૩ મુનિવરો હતા તેમાં એક આ પંડિત લાભવિજયજી મહારાજ. કર છે કે દિશામાં એક : યશસ્વી ગુરુપરંપરા ૦ ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy