SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓશ્રીનો એક પ્રસંગ જાણવા જેવો છે. સં. ૧૬૩૪માં જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ ભૂગર્ભમાં રહેવા ગયા ત્યારે આ પં. શ્રી લાભવિજયજી મહારાજ તેમની સાથે હતા. બન્યું છે એવું કે જગદ્ગુરુશ્રી આદિ ઘણાં ઠાણાં કુણગેર ગામે ચોમાસું હતાં. ચોમાસામાં જ એક ઉપદ્રવ થયો અને જગદ્ગુરુને કુણગેરથી વડાવલી ગુપ્ત સુરંગના રસ્તે પહોંચાડવાનું નક્કી થયું. સાથે પં. શ્રી લાભવિજ્યજીને લીધા. સાંજના સમયે કુણગેરથી વડાવલી જવા માટે જ્યાંથી સુરંગનો રસ્તો હતો તે ખાડામાં જેવા ઊતર્યા તે વખતે શ્રી લાભવિજયજીને સર્પ કરડ્યો. વેદના થવા લાગી. હીરસૂરિરાસમાં આ પ્રસંગ કવિ ઋષભદાસે વર્ણવ્યો છે. હીર ખાઇમાં ઉતરે જિસે. લાભવિજયને અહી વલગો તિસે તે જ વખતે જગદ્ગુરુએ જે સ્થાને સાપે ડંખ દીધો હતો ત્યાં હાથ ફેરવ્યો અને સાપનું ઝેર ઊતરી ગયું. લાભવિજયને ફેર્યો હાથ, ભુજંગ વિષ તે ઉતરી જાત છીડે નીકલ્યો મુનિવર સાથ, વડલીમાં આવ્યો મુનિનાથ.” આવી મહત્ત્વની ઘટનામાં જગદ્ગુરુએ જેમને સાથે રાખ્યા હતા તે શ્રી લાભવિજયજી મહારાજ ઉપાધ્યાયજી મહારાજના દાદાગુરુ હતા. બીજો એક મહત્ત્વનો ઉલ્લેખ એ પણ મળે છે કે અજમેર પાસે વૈરાટનગરમાં વિ. સં. ૧૬૪૪માં ઇન્દ્રવિહાર પ્રાસાદમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાની ચૈત્યપ્રશસ્તિ સંસ્કૃત શ્લોકબદ્ધ છે. તેની રચના પણ આ જ શ્રી લાભવિજયજીએ કરેલી છે. વિ. સં. ૧૭૧૦માં પોષ મહિને પાટણમાં જે નયચક્રગ્રન્થની નકલ સાત મુનિવરોએ સાથે રહીને કરી તેમાં શ્રી લાભવિજયજીનું નામ છે. તે લાભવિજયજી જુદા છે. તે પછી તેમના શિષ્ય પૂ. નયવિજયજી મહારાજ તે પૂ. ઉપાધ્યાયજી મહારાજના ગુરુ. પોતાના ગુરુ માટે પૂ. ઉપાધ્યાયજી જ છે : એ તો જ તક છે, જે કર : : રેરક ૮ • યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy