SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે પોતાના પ્રબળ પુરુષાર્થથી જિનશાસનની જ્યોતિને પ્રદીપ્ત કરીને તેને જાજ્વલ્યમાન બનાવ્યું. પરંતુ તે પછી છસો વર્ષના ગાળામાં કાળક્રમે તેમાં ઝાંખપ આવી ગઈ. તે ગાળામાં જિનશાસનમાં આરાધક મુનિવર્ગ વિશાળ થયો, અનેકાનેક આચાર્યો થયા પણ પ્રભાવક મુનિવર્ગ સાવ નહિવત્ હતો. આરાધક મુનિઓ સ્વકલ્યાણમાં લીન હોય છે, પરંતુ જિનશાસનમાં ફેલાયેલા અંધકારને ઉલેચીને પ્રકાશ પાથરવાનું કામ તો પ્રભાવક મુનિઓ જ કરી શકે છે. આરાધક સ્વકલ્યાણસાધક હોય છે જ્યારે પ્રભાવક સ્વ-પરકલ્યાણસાધક હોય છે. કોઈપણ ધર્મ અને તેનું શાસન સ્વયં પૂર્ણ હોવું જોઈએ. તેની પોતાની અંદર તો તેજ હોવું જ જોઈએ સાથેસાથે સમકાલીન અન્ય હરીફોની સામે ટકવાની ક્ષમતા પણ તેનામાં હોવી જોઈએ. આ માટે પ્રભાવક પુરુષમાં પુણ્ય અને પવિત્રતા બંને જોઈએ. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યમાં આ બંને અંગો હતાં. રાજા કુમારપાળને પણ તેઓ સંપૂર્ણ એવા જૈનધર્મના અનુયાયી બનાવી શક્યા. આ કામ ખૂબ દુષ્કર છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાયજી મહારાજની વચ્ચે છસો વર્ષના ગાળામાં શ્રી વલ્લભાચાર્યે શૃંગારના ધર્મની સ્થાપના કરી. તે પ્રમાણે શ્રીનાથજી જેવાં તીર્થોમાં ત્રણ વખત ભોગ ધરાવાય, કૃષ્ણલીલા થાય, તે ધર્મના અનુયાયીઓ ગોપીતુલ્ય ગણાય વગેરે લક્ષણોવાળો શૃંગારનો ધર્મ જૈન ધર્મ માટે પડકારરૂપ હતો. આ તો બાહ્ય ધર્મનો ખતરો પેદા થયો હતો, જે ચિંતા કરાવે તેવો હતો. ધર્મમાં જ અધર્મની સ્થાપના થઈ હતી. તે એ રીતે કે જે જિનમૂર્તિ ઐતિહાસિક રીતે પુરવાર થયેલી હતી, જે જિનમૂર્તિ ચિત્તને સ્થિર, શાંત અને નિર્મળ બનાવવા સમર્થ હતી તે મૂર્તિનો અને મંદિરનો જોરદાર વિરોધ કર્યો. સોળમા સૈકામાં ધર્મની ચાલી આવતી પરંપરાને રોકવાનો આ પ્રયત્ન જોરદાર હતો. આવા કપરા સમયમાં આવા પુરુષો ન થયા હોત તો આજે યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only * 1 www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy