SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન બે E dit : ", રોજ શા માટે કટિક જે કે ધન્ય કનોડા: “માથે ધરું ધૂળ વસુંધરાની” तेभ्यो नमस्तदीयान् જિનશાસનને પ્રાપ્ત તો ઘણા કરે છે, પણ પ્રાપ્ત કર્યા પછી આત્મસાત્ તો કોક જ કરે છે. આ આત્મસાત્ કરવું ખૂબ દુષ્કર છે. કોઈપણ સારી ચીજની પ્રાપ્તિ તો અનાયાસે થઈ જાય છે, ઘણીવાર ઘણી રીતે થઈ જાય છે, પણ તે દરેક વખતે આત્મસાત્, થતી નથી. દા.ત. ૧૪ રાજલોકનો અંત આવે છે ત્યાં બાદર પૃથ્વીકાય જીવો સિદ્ધશિલાની પાસે પ્રાપ્તિ મેળવી શકે પણ તે બધા તે સ્થાનને આત્મસાતું નથી કરી શકતા. આત્મસાત્ કરવા ઘણી વખત જે પ્રવાહ ચાલે છે તેનાથી સામે પ્રવાહે ચાલવું પડે છે. સદીઓથી ચાલ્યા આવતા જિનશાસનમાં યુગે યુગે આવા સામે પ્રવાહે ચાલનારા પુરુષો થયા છે, તેથી જ જિનશાસન ટકી રહ્યું છે. આવા પ્રભાવી પુરુષો જિનશાસનના જીવતત્ત્વના પિંડનું સંમાર્જન કરીને તેને ટકાવી રાખે છે. પરમાત્માને કેવળજ્ઞાન થયું ત્યારે શ્રી જિનશાસનની પ્રાપ્તિને બીજરૂપે સ્થાપ્યું. આ શાસન પાંચમા આરા સુધી ચાલવાનું છે. તેમાં જ્યારે ઓટ આવે ત્યારે પ્રભાવી પુરષો જિનશાસનના મૂળ સત્ત્વને ક્યાંકથી ને ક્યાંકથી પાછું લઈ આવે છે અને શાસનનો તાંતણો વળી ૨૦૩૦૦ વર્ષ લંબાય છે. બે : ધન્ય કનોડાઃ “માથે ધરું ધૂળ વસુંધરાની” • ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy