SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મસ્થાન ડભોઈ હતું અને જેઓએ યાકિનીમહારાસ્નુ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના લલિતવિસ્તરા, ઉપદેશપદ વગેરે ગ્રન્થો ઉપર વિવરણ લખ્યાં છે તેઓ વિ.સં. ૧૧૭૬ કા.વ. પાંચમે પાટણમાં કાળધર્મ પામ્યા, અને તે પણ સકલ શ્રી સંઘને નવકાર બોલાવતાં બોલાવતાં. આઠમો નવકાર બોલાવ્યો અને પછી સ્વર્ગવાસી થયા, તે વખતે તેમના શરીરમાં કાસ, શ્વાસ વગેરે આઠ રોગો હતા. આવું બધું વિગતવાર વર્ણન મળે છે. જ્યારે આપણને આપણા ઉપકારી ઉપાધ્યાયજી મહારાજ માટે માત્ર એટલું જ મળે છે કે વિ.સં. ૧૭૪૩માં ઉપાધ્યાયજી મહારાજ ડભોઈમાં ચોમાસું રહ્યા અને તિહાં સુરપદવી અનુસરી”. આટલા જ શબ્દ મળ્યા, ન તો મહિનો કે ન તો તિથિ, અને તે પણ માત્ર એક “સુજસવેલી ભાસમાં. તેના રચયિતા શ્રી કાંતિવિજયજી મહારાજનો આપણે ઘણો ઘણો ઉપકાર માનવો જોઈએ કે જેઓએ પાટણના શ્રી સંઘના આગ્રહથી આ સુજસવેલીની રચના કરી તો આટલું ય મળ્યું. મને એક એવી અટકળ સૂઝે છેઃ તેઓશ્રી પોતાના ઉત્તરકાળમાં વ્યવહાર-નિશ્ચય વગેરે બાબતોમાં નિર્માન્ત બની ગયા હતા. તો બીજી બાજુ અઢારમા સૈકામાં શ્રીપૂજ્યોનું સામ્રાજ્ય ચારે બાજુ છવાઈ ગયું હતું. પોતે નિર્દભ અને નિર્ભીત હતા તેથી પ્રસંગે પ્રસંગે સત્યકથન કરતા. વળી તે સમયના ૩૫૦ ગાથાના સ્તવન વગેરેમાં છડેચોક એ વ્યવહારાભાસનું ખંડન અને નિશ્ચયનું મંડન કરતા. તે બધી વાતો તે તે સમયની બહુજનસંમત વ્યક્તિઓને ખૂંચતી હતી, અને ખૂચે તે સ્વાભાવિક છે. તેથી તેમનો અનુરાગી વર્ગ એ રીતે બહોળો ન હોય. હોય તો પણ એ વર્ગ છૂટો છવાયો હોય. ગમે તે સમય હોય, આવી “હાડસાચી વ્યક્તિને તેના સમકાલીનો તરફથી સહેવાનું જ આવે છે. પણ પછી. સમકાલીનો સર્વથા આથમી ગયા હોય છે ત્યારે આવી વ્યક્તિનાં નામ અને કામ કાળનો કાટ ન લાગે તેમ પૂર્ણ કળાએ ખીલી રહેતાં હોય છે. આવી વ્યક્તિ પરિષદૂની નહીં પણ ઉપનિષદ્રની હોય છે. તેથી તેઓ બહુજન સમાજને પ્રિય ન રહ્યા હોય તેમ લાગે છે. T . શરીર ને . હા ના કરી શકે છેesો કેટલાકak: શાdd all hill, ed. ix કહા જજ જ હe ke'r - "કડક હક કોણ છે: ડી::::::::: :::: ધરતા'' આ અં ક - કાણા : માટે છે. જ રોકી નહી છો. જો why, kism , so do we » R કારક જજ લોકશા જ આ કારણ નવ : જ્ઞાનયોગની પૂર્ણતા: આધારશિલા ગુરુકૃપા • ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy